“હે રામ”…ગાંધી ફરી હણાયો

 
 
 

“હે રામ”…ગાંધી ફરી હણાયો
 
મારા આશ્રમમાં દંગો કરી શકે છે
                         ગુજરાતી આટલા નિર્વસ્ત્ર થઇ શકે છે.
બ્રિટીશ શાસનમાં મારી લંગોટી તો સલામત હતી
    અહી તો નપુંસક પણ બાળાત્કાર કરી શકે છે.
 
મને તો ડબ્બામાંથી ફેંક્યો માત્ર હતો…ને..
                       બ્રિટીશ રૂખસદીનો પાયો  નંખાયો હતો
અહી તો ડબ્બામાં રાખ માત્ર બચી હતી
             માનવતા કકળતી રહી,અમન હણાઈ ગયું,ને…
                       ભાઈચારાની લાશો ખડકાઈ ગઈ. 
 
બીજું જલિયાનવાલા થયું મારું જલી જલીને ગુજરાત
          ના  અહીના જનરલ(ડાયર)પર  ચાલ્યો ખટલો,
                      ના લાગ્યો બટ્ટો,ના મળી સજા. 
 
વેંત છાતી ફુલાવી જલસા કરે અહીના ડાયર
આગમાં શેકાયેલ ઘરોની માતાઓના રૂદનથી
                      ચીમળાઈ ગયા છે જેમના સ્તનો,
એમના લોહીના ખાબોચિયામાં છબછબિયાં કરવાના
               અભરખાંથી રતુંબડા લઇ ગાલ ફરે છે.
 
અહિંસક(?)…હિંદુ…ભારતમાતા…ના નામે માતાઓની
   મમતા કચડી,ઝૂમી , મખમલી આનંદ અનુભવતા 
                     મર્દ મૂછાળા મૂછે તાવ દઈ રહ્યા છે.
 
“અનુકંપા”? એ વળી કઈ નારીનું નામ છે?પૂછી રહ્યા છે–
           “લાવો, આજે તો એનુંય વસ્ત્રહરણ કરીએ…”
                         ગેલમાં અટ્ટહાસ્ય  કરી રહ્યા છે.
 
નગ્નતાનું તાંડવ ક્યા જઈ અટકશે?
                    ક્યાંય છે બીજો ગાંધી? 
 
મારું બાવલું બાળી દો,મારો દેશ…નિકાલ કરી દો, 
         હું નથી લાયક ગુજરાતને…
મારે તો ફરી ઉપડવું છે સાઉથ આફ્રિકાની  સફરે…પણ..
 
હવે,મારો સમાન ફેંકાશે તો…
હું નત મસ્તકે ઉભો રહી,
                                        આભાર માનીશ,
                                                   કરગરીશ,
 
મને બાળશો નહિ….મને બાળશો નહિ….
© ગૌરાંગી પટેલ —વિશેષ નોંધ:-‘ગૃહશોભા અસ્મિતા’ દ્વારા એવોર્ડ વિજેતા પ્રાપ્ત તથા મારી પ્રિય…પ્યારા મિત્રો ઉપરની કવિતા છે ગૌરાંગી પટેલની.એક આદર્શ ગૃહિણી,આદર્શ માતા,એક સારા ગાયક,મનમાં જાગતી ઉર્મીઓને કવિતામાં ઢાળનાર,એક બીઝનેસ વુમન,બેબી પર્લ સેન્ટરનાં સ્થાપક હાલમાં ગાંધીજી વિષે એક નોન કોમર્શીયલ ફિલ્મ બનાવી રહ્યા છે.ગોધરાકાંડ થયા પછી દિવસો સુધી એમને ખાવાનું ભાવ્યું નથી.કોમી હુતાશનમાં મરે છે તો નિર્દોષ જ ને?એમના વિહવળ હૃદયમાંથી ગાંધીજીને યાદ કરી રડી પડી એક કવિતા “હે રામ”–ગાંધી ફરી હણાયો.. 

 

Director : BABY-PEARL Playcenter & K.G. School

 

 

41 thoughts on ““હે રામ”…ગાંધી ફરી હણાયો”

  1. ટી.વી ઈન્ટરવ્યું મો જોયું અને સોભ્લ્યું , એક ચેનલ વાળાએ શરદ પવારના
    એન .સી .પી. ના એક પ્રવક્તા નું , કહેવું છે કે શરદ પવારે તો ચુંટણીઓ જીતીને
    બતાવી છે , અને બહુજ મોટી મેજોરીટી થી જીતી છે , તેઓ કહેછેકે. જો અન્ના હજારેમો
    તાકાત હોય તો શરદ પવાર સામે ચુંટણી જીતીને બતાવે .આ એક ભ્રસ્ટ નેતા નાં
    વખાણ કરતા તેમના આ મંત્રી અન્નાજીને ચેલેન્જ કરતાહતા, આપણા,દેશની પ્રજામો
    .અજ્ઞાનતા ,અને ગરીબીનો લાભ,લઇ ,ચુંટણી જીતી બતાવી એ, કોઈ મર્દનું કામ નથી .
    એવું હું માનું છું , કે દેશ ની ,ની પ્રજાની ભલાઈ કે સેવાનું કામ નથી,તેમના સ્વાર્થ માટે
    નાણોથી, અજ્ઞાન ,અને ગરીબો નાં વોટ ખરીદી ને ચુંટણી જીતે છે .,અને અન્ન જી ને
    તેમના થી ઉતરતી કક્ષા નાં ગણે છે .સામાન્ય માણસ ગણે છે . આ છે આપણા દેશ મો
    નેતાઓની કામગીરી ,
    અહી તો ગોંધી દર રોજ હણાય છે

    Like

  2. હા આ દેશના રાજકારણીઓ ભ્રષ્ટ અધિકારીઓ ગાંધીને રોજ હણે છે. જનલોકપાલની કમિટિના એક સભ્ય અને અન્નાજી સાથેના સરકારના મુખ્ય વાટાઘાટ કરનાર સીબ્બલ હવે કહે છે કે આવા લોક્પાલ નીમવાથી કોઈ અર્થ નહિ સરે ! બોલો છે ને કાકીડા રંગ બદલતા જરા પણ શરમ નથી કે વાર પણ લાગતી નથી. સાચું પૂછો તો ભગવાન ગાંધીજીને પુનઃ અવતાર આપે તો આ દેશમાં જ જન્મ ધારણ કરવો જોઈએ અને ભગવાન સાથે એક પૂર્વ શરત જન્મ ધારણ કરતા પહેલા રાખવી જોઈએ કે હે પ્રભુ મને હિંદુસ્તાનમાં જ જન્મ આપો પણ જ્ન્મતા સાથે જ એક એવી સ્ટેનગન પણ આપજો કે જેમાં હું ના ઈચ્છું ત્યાં સુધી ગોળીઓ ખૂટે નહિ ! અને દુનિયાએ ક્યારે ય ના જોયો હોય તેવો હિંસક પૂરુષ જોવા મળે ! અસ્તુ !

    Like

  3. -ગાંધી માત્ર ગુજરાતમાં જ ફરીથી નથી હણાયો.
    – દેશના ખૂણે ખૂણે ફરી ફરીથી હણાયો છે.
    -માત્ર ગુજરાત જ આ કારણસર કરુણ ગાન માટેનો વિષય!
    – શું ગુજરાત આટલું બધું ભયંકર છે?
    – ગુજરાતને આવાં પ્રમાણપત્રોની જરૂર છે?
    -ગાંધી હૂકમનું પાનું! ધારો ત્યાં અને ધારો ત્યારે ઉતરી શકો!
    – ગુજરાતમાં આંતરડી કકળે એવું થયું છે તો આંતરડી ઠરે એવું પણ થયું છે..અને થઈ રહ્યું છે.
    -કવિતા કવિતાની જગ્યાએ બરાબર હશે પણ ગુજરાતની આ સાચી અને પૂરી ઓળખાણ નથી.
    – ક્ષમા કરજો.

    Like

    1. Huun, Gandhi naa mukhe thi, Gandhi nee vyatha, kavita roope vyakt karwano praytna kari rahi chhe…e background samajavani jaroor chhe.Jem, Bhupendrabhai e comment karij chhe…e mujab…
      Riots ne Gandhi ni vyatha naa udbhav sthaan tarike raakhyu chhe.Ha, Gandhi ghani badhi jagya e haanaata aavyaaj chhe…ema koi vivaad nathi…

      Like

  4. ગૌરાંગી બેન ની આ પોસ્ટ વાંચી આનંદ થયો. રુબરુ મળેલ હોઈ તેમને જાણવાનો અવસર મળેલ છે. સુંદર અને સચોટ વ્યક્તિત્વ.

    Like

  5. યશવંતભાઈની વાત પણ સમજવા જેવી છે. ગોધરા કાંડ પછી

    (૧) અક્ષરધામનો આતંક થયો ત્યારે ગુજરાતમાં શાંતિ રહી હતી કે નહીં?

    (૨) કેટલા મુસ્લિમ ગુજરાતીઓ હિજરત કરી ગયા?

    એક બનાવને કારણે કાયમ માટે ગુજરાતને વગોવ્યા કરવું વ્યાજબી છે?

    એકવીસ વાર ભયાનક નરસંહાર કરનાર પરશુરામને આપણે ઈશ્વરનો અવતાર માનીએ છીએ ત્યાં સુધી હિંસા નાબુદ તો નહીં થાય પણ ઘટશે પણ નહીં.

    Like

    1. shun tame evu ichchhta hata ke muslimo hijarat kari jay? are bhai have to Modiji Muslimo ne Tickect aape chhe. Modiji Fakt Tamar eklana nathi.
      khali potani jatne Modiji ni na ganavo. plz BharatMata na Tukda na karo.
      VANDEMATARAM

      Like

      1. રાગિણી,પર્શનલી હું રશ્મિકાંતભાઇને જાણું છું.મુસ્લીમો હિજરત કરી જાય તેવું કદાપી ના ઈચ્છે.ભગવાન ગણાતા પરશુરામનો કરેલો નર સંહાર એમણે યાદ કર્યો છે.”એકવીસ વાર ભયાનક નરસંહાર કરનાર પરશુરામને આપણે ઈશ્વરનો અવતાર માનીએ છીએ ત્યાં સુધી હિંસા નાબુદ તો નહીં થાય પણ ઘટશે પણ નહીં.”આ એમનું વાક્ય સમજો.

        Like

  6. આ કવિતા ગોધરાકાંડ થયો ત્યારે રચાઈ હતી.એ સમયની પરિસ્થતિ લક્ષમાં લઈને રચાઈ હતી.ગુજરાતી એટલે બંને કોમ આવી જાય,ગુજરાતી મુસ્લિમ અને ગુજરાતી હિંદુ.
    “અહી તો ડબ્બામાં રાખ માત્ર બચી હતી”આ પંક્તિ કોનું કામ દર્શાવી જાય છે?ગોધરાકાંડ સમયે ગુજરાતીઓ નિર્વસ્ત્ર થઇ ચુક્યા હતા તેમાં બંને આવી જાય ને?ગોધરામાં મુસ્લિમ અને બાકીના ગુજરાતમાં?
    કવિતા તે સમયે રચાયેલી હમણા નહિ.

    Like

    1. બરાબર છે. જે થયું તે ખૂબ જ ખરાબ હતું. ના જ થવું જોઈએ. વિશ્વમાં ક્યાંય ન થવું જોઈએ.
      પરંતુ આ વાત પર વારંવાર ગુજરાતને જ ગોદા મારવામાં આવે છે.
      વાલ્મીકી રામાયણ લખવા બેઠા ત્યારે બીજાઓએ એને ગોદા માર્યા હોત કે:ભાઈ વાલિયા,તું બધું ભૂલીને હવે કયા મોંઢે ગ્રંથ લખવા બેઠો છે? તું તો કાળા કામાનો કરનારો!
      તો આજે માત્ર વાલિયાના કાળા કામોની ઇનામ વિજેતા કવિતાઓ જ વંચાતી હોત!
      ગુજરાત કે ગુજરાતીઓ વાલિયાથી પણ ગયેલાં છે કે એને જૂનું ભૂલીને નવું સર્જન કરવાનો પણ હક નહીં?

      Like

      1. જુનું ભૂલીને નવું સર્જન કરવાનો હક કેમ ના હોય?આજે ગુજરાતમાં શાંતિ છે,ખૂબ વિકાસ થઇ રહ્યો છે.ગૌરાંગી બહેનને કહીશું કે કોઈ નવી કવિતા બનાવે.

        Like

        1. Jee, navi kavita banavish, tyaare jarur moklish.
          Upper naa tamam jawabo, vaanchva vinanti.Ek khaas ghatna ne paripeksh maa raakhi ne, Gandhi ni avyakt peeda tadashya rite raju karel chhe: Je te: Godhra pachhi naa riots darmiyaan vakhate…
          aaama “navsarjan” no haque nahi nee vaat chhej nahi.
          Haju, aajey “Aushwitz” (sorry, sp is mistaken, sudhari ne vaachvu),camp visitors thi bharel hoi chhe: tourists, jova jaay chhe-pin drop silence thai jaay chhe-manomanthan no process churn thava maande chhe-shana maate?

          Like

        2. રાઓલજી,
          આ વાત પણ બરાબર નથી!કવિતા બનાવવાની માંગણી ન થાય. કવિતા રચનારને આઝાદી છે. એને બંધનમાં ન રખાય. ફરમાઈશ પ્રમાણે કવિતા રચાય તો એ પણ ઠીક નહીં.
          આ વાત એવા સમયે નજર સામે આવી છે કે જે સમયે ગુજરાતની પ્રશંસા કરવી એ કોઈ એક નેતાની પ્રશંસા કરવા બરાબર માનવામાં આવે છે!
          એક સમયગાળો ગમે તેટલો બિહામણો હોય પણ એમાંથી છૂટવું જ રહ્યું!

          Like

          1. Nahi nahi, bandhan samji ne kavita lakhvanu aamantran chhe, evu mane laagyu pan nathi…
            amuuk jakhmo ne bulata samay laagej chhe…parantu, history repeat naa thai, ena pan tamam praytno thavaj joiye…!

            Like

  7. આપણા નેતાઓએ અને અધિકારીઓએ ગોધીજીને ચીથરે હાલ કરવામો કાઈ બાકી રાખ્યું છે ?

    Like

  8. 76 ( હુલ્લડો )
    ” હુલ્લડો બીજી કોમ નો નાશ કરવા કરતા પોતાની કોમ નું અસ્તિત્ત્વ બચાવવા માટે થતા હોય છે .

    Like

  9. શોષણ, અત્યાચાર, અન્યાય વગેરેથી આપણે ઘણી વખત એટલા બધાં હતાશ થઈ જઈએ છીએ કે.આપણા હૈયામાંથી ચિત્કાર નીકળી ઊઠે છે કે: આના કરતાં તો અંગ્રેજોનું રાજ ઘણું સારું હતું!
    એ દલીલને વાજબી ઠેરવે એવા તર્કો પણ આપણી પાસે હોય છે. આ કવિતામાં પણ એક તર્ક એવો છે કે: જે રીતે અંગ્રેજોએ ન્યાય કર્યો એવી રીતે અહીં ન્યાય ન થયો.
    – એ વાત પણ કદાચ માની લઈએ કે, એ શાસનમાં ગાંધીજીની લંગોટી સલામત હતી.
    અરે ગાંધીજીની લંગોટી જ નહીં પણ કેટલાયના ધંધા અને રજવાડા સલામત હતાં. એ લોકોને તો કદાચ જે હતું તે બરાબર જ લાગતું હતું. છતાંય ગાંધીજી અને આપણા દેશવાસીઓએ એ શાસન સામે લડત ઉપાડી. કારણો તો હશેને? કદાચ બધાં સપનાં પૂરા નથી થયાં તો એ માટે એક પ્રજા તરીકે પુરુષાર્થ કરી શકાય છે. કરી રહ્યા છીએ.

    Like

    1. બંગાળમાં હિંસા થઈ હતી તો ગાંધીજીએ ત્યાં હિંસા અટકે ત્યાં સુધી અડ્ડો જમાવ્યો હતો. આફ્રિકા ભાગી જવાની વાત કરી નહોતી!

      Like

      1. Haa, nahotij kari…ahinsak takkar lidhi hati…parantu, ahi darshavavama em aavyu chhe, ke: Gandhi ket ketli hade vyathit thai gaya hataa, ke, hatashha maa sari jai ne, aam pratyaghaat aapi bethaa…himaat tutee gai…haari gaya…bus, koi ne kai lead kari ne samajavava jevu emne naa rahyaa ni pidaa kahi udhya: aana karat to, angrjo ne kargarish, to mane kam se kam, baale to nahi;ahi to etlo gaando taandav khelai chukyo chhe, (hato), ke koi ne kaij kaheva panu arthheenaj hovanu-evi laagni/vyatha kavita dwara vyakt karai chhe…
        Aatla badha remarks aavya chhe, e batave chhej ke aapne satark thai rahya chhe…je, heto Gandhi no pan chhe/hato…

        Like

  10. 160
    ((( ગોધરા કાંડ ))).
    ધરમ ના ત્રાજવે અધર્મ ને અહંમ મૂલવ્યતા ,
    પૂરાવા ના દે લાશો, તેથી જીવતા ને જલાવ્યાતા ,
    છકી ઉશ્કેરતા લોકો ને ખુદ ને આળપંપાળી ,
    ઘણા ઘર ના ચીરાગો આગ થી “ઘાયલ” બુજાવ્યાતા .
    અમિત પંડ્યા”ઘાયલ બીજો”.

    Like

  11. શ્રી ભુપેન્દ્રસિંહજી અને ગૌરાંગીબહેન.
    અમને તો કાવ્યશાસ્ત્રની કંઇ સુધબુધ નહીં પણ વ્યથા પરખવામાં ક્યાં કોઇ શાસ્ત્રની જાણકારી જરૂરી છે ! બહેનજીએ જે તે સમયની સાંપ્રત ઘટનાઓથી દ્રવિત થઇ અને હૃદયમાં ઉદ્‌ભવેલી વ્યથા સૂપેરે કાગળ પર ઉતારી છે. તે એક કવિનો હક્ક છે. આપણે કવિની લાગણીનું વિશ્લેષણ કે દિશાનિર્દેશન ન કરી શકીએ.
    “મારું બાવલું બાળી દો,મારો દેશ…નિકાલ કરી દો,” એમ તો કોઇપણ લાગણીશીલ માણસને, ગાંધીના બાવલા સામે ઉભો હશે ત્યારે, સંભળાશે. મને નથી લાગતું કે ગાંધી માટે ’ડબ્બાની અંદરની’ અને ’ડબ્બાની બહારની’ એમ હિંસાના ભેદભાવ હોય. ગાંધી માટે તો માત્ર ’ભાઈચારાની લાશો ખડકાઈ ગઈ’ એ જ ભયંકર દુઃખની વાત બની રહે.

    અને રહી વાત ’ભુલી જવાની’, તો એ માત્ર પોથીમાંનું રીંગણ છે ! ન્યાયની ઇચ્છા ન રાખવી તે અન્યાયને પ્રોત્સાહન આપવા સમાન છે. જો કે એ ચર્ચા અહીં અસ્થાને ગણાય.

    અંતે, આદર સાથે, યશવંતભાઇએ એક વાત સારી કરી પરંતુ અસ્થાને કરી !!! કે; ’..એને જૂનું ભૂલીને નવું સર્જન કરવાનો પણ હક નહીં?’ કોઇએ ગુજરાતની પ્રશસ્તિનું ગાન કર્યું હોય ત્યાં કોઇના વિરોધના ઉત્તરમાં આ વાત ઠીક લાગે. અહીં તો ઉલ્ટૂં લાગે છે. શું ગુજરાતમાં હવે કોઇને પોતાના મનોભાવો વ્યક્ત કરવાનો પણ હક્ક નહીં ? અનુભવાય તેવું કહેવું એ કવિનો હક્ક છે, સારૂં અનુભવાય ત્યારે સારૂં અને ખરાબ અનુભવાય ત્યારે ખરાબ. આપણે તો માત્ર ભાવ નાં ઝીલનારા.
    કશો અવિવેક હોય તો ક્ષમા. આભાર.

    Like

  12. કોઈ કવિને પોતાના મનોભાવો વ્યકત કરવાનો હક નથી એવું અમેં કહ્યું નથી. કવિને પૂરતો હક છે. આગળના પ્રતિભાવમાં એ વાત જણાવી જ્ છે.
    એક વાચક તરીકે અને એક ગુજરાતી તરીકે અમને પ્રત્યાઘાત આપવાનો હક છે એમ માનીને એ હક ભોગવવાની ચેષ્ટા કરી છે. કોઈપણને એને કુચેષ્ટા માનવાનો હક છે.
    “ડબ્બાની અંદર ની હિંસા” અને “ડબ્બાની બહારની હિંસા” એટલે કે હિંદુ અને મુસ્લિમોની હિંસા વચ્ચેના ભેદભાવની વાત અમે કરી નથી.
    ગુજરાતમાં હિંસા અને ગુજરાત બહારની હિંસા વચ્ચે ભેદભાવ કરનારા જરૂર કરે છે!
    અમે એક પ્રતિભાવમાં એમ પણ લખ્યું હતું કે;અમારી વાત કોઈની દૃષ્ટિએ ગલત પણ હોઈ શકે છે.
    પણ એ પ્રતિભાવ કદાચ સરખી રીતે રવાના થયો નહીં હોય એટલે ફરીથી કહીએ છીએ કે: અમારી વાત બધાં જ લોકો સાચી માને એવી અમારી જિદ નથી.
    ખેર, આ તો રાઓલજીએ એક જગ્યાએ લખ્યું હતું કે અમે એમના બ્લોગ પર અસહમતિ પણ નથી દર્શાવતા.
    રાઓલજી અને કાવ્ય રચયિતાની ક્ષમા સાથે આ વાત પૂરી કરીએ છીએ.
    હે રામ.
    રામ રામ.

    Like

  13. રાઓલજી મને ક્યારેય ગાંધીજી કે તેના અનુયાયી સમજાયા જ નથી કારણ ગાંધીના આદર્શોને સમ ખાવા પુરતા પણ ફોલો નથી કરતા તેવા લોકો તેના સ્તુતિ ગાન ગાય છે …. વાત હજમ થતી જ નથી અને થસે પણ નહી….બકરી નુ દુધ પીઓ હાથ વણાટના કપડા પહેરો વગેરે વગેરે…. શુ કામ બધાના માથે ગાંધી ને થોપો છો??????? અમેરીકા કોઈ જ્યોર્જ વોશિંગ્ટન ને આવી રીતે રજુ કરે છે???????????? ઈંગ્લેન્ડ ખુદ ફડચામાં હતુ અને આઝાદી આપી દીધી તેમાં તો……… ૭૫૦૦ સંપ્રદાય સાથે એક વધુ સંપ્રદાય

    Like

  14. You are correct in your observation:People do use “gandhi” as a brand name-value & actually misuse it for its “market value”, though, I even hate to write this terminology, but I have heard it from many…with no remorse in their tone…

    Like

  15. બધી વાતો અને ચર્ચા કવિતાના વિચાર વિષે થઇ. હું તો તેના પિંગળ ની રાહ જોતો હતો. કોઈ કંઈ તો લખો? વિચાર સાથે સંમત – અસંમત કંઈ પણ હોઈ શકે પરંતુ અહી જે કંઈ કવિતા બને છે – કે નથી બનતી – તેની વાત કરી એ તો કવિને વધુ પ્રોત્સાહન મળી શકે. આ મારું નમ્ર સુચન છે.

    Like

  16. Gandhi nu sharir maryu chhe vichar nahi

    vichar to tyarno taiyar thai betho chhe

    jo male koi bijo mohan k mohandas

    Ghandhi hanayo bhale pan kyak khune chhupay rahyo chhe aaj sudhhi

    Samay koinu chhodato nathi jarur par khuno pan khali thase

    Like

Leave a comment