ક્રીકેટોન્માદ

“ક્રીકેટોન્માદ”
  ૨૮ વર્ષે ફરી ભારત ક્રિકેટમાં વર્લ્ડ કપ જીત્યું.અત્યાર સુધીમાં બે વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડીઝ,બે ભારત,એક પાકિસ્તાન,એક શ્રી લંકા અને ચાર ઓસ્ટ્રેલીયા જીત્યું છે.ઓસ્ટ્રેલીયા અકસ્માતે હારી જાય છે,અને ભારત અકસ્માતે જીતે છે.વર્લ્ડ કપનો મેનીયા ખુબ ચાલ્યો.આમેય એવરેજ ભારતીય ફીમેલ બ્રેઈન વડે વિચારે છે.તર્ક અને ગણિત એના બસની વાત જ નથી.હંમેશા ઉન્માદ,ભાવનાઓ,લાગણીઓ,કલ્પનાઓમાં રાચતો ભારતીય સારાસારનો વિવેક ખોઈ બેસે છે.એક સ્કીજોફ્રેનીક મનોદશામાં સાવ વેવલું ગાંડપણ ક્રિકેટની પાછળ ચાલ્યું.ક્રિકેટર્સ એમના લાભ,શોખ અને પૈસા માટે રમે છે.વર્લ્ડ કપ જીતવાથી દેશનો વિકાસ થઇ જતો નથી,ગરીબી ઓછી થઇ જતી નથી,આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું માન વધી જવાનું નથી.
ભારતીય સંસ્કૃતિના રક્ષકોએ જાણી લેવું જોઈએ કે ક્રિકેટ ભારતની રમત નથી.વેલેન્ટાઇન ડે જેવા પરદેશી તહેવારોની ઉજવણી વિરુદ્ધમાં સ્ત્રીઓને મારનારા સંસ્કૃતિના રક્ષકોને શું ખબર નથીકે આ શ્રીમંત અંગ્રેજોની ટાઈમ પાસ રમત છે?રમતને રમતની રીતે જોવી જોઈએ.ઘણા લોકોએ તો ક્રિકેટ નામના ધર્મની કલ્પના પણ માંણી લીધી.હું કોઈ ક્રિકેટને એક રમત તરીકે વખોડતો જરાપણ નથી.પણ એની પાછળના ગાંડપણને જરૂર વખોડું છું.હું કોઈ ક્રિકેટર્સને જરાપણ વખોડતો નથી.એમની પાછળ પ્રજા પાગલ બને છે તે પાગલપનને ધિક્કારું છું.
હવે ક્રિકેટર્સ ઉપર ઇનામોની ધોધમાર વર્ષા થશે.કોના બાપની દિવાળી?BCCI એક એક કરોડ આપશે.દિલ્હીના શીલા દીક્ષિતે કેપ્ટન માટે બે કરોડ જાહેર કર્યા.પ્રજાના પૈસા છે.ટેક્સ ભરે છે પ્રજા.શીલાદીક્ષીતે એના ખીસામાંથી બે કરોડ આપવા જોઈએ.પ્રજાના પૈસા પ્રજાના હિતમાં વાપરવા જોઈએ કે નહિ?પણ જ્યાં પ્રજા જ ગાંડી બનતી હોય ત્યાં સોચે કોણ?કોઈ પણ ગવર્નમેન્ટને પ્રજાના પૈસા આવી રીતે કોઈ એક પાછળ વેડફવાનો હક કોણે આપ્યો?ગુજરાત સરકારે એકલવ્ય એવોર્ડ જાહેર કર્યો ગુજરાતના ક્રિકેટર્સ માટે,બહુ સારું કર્યું.ગુજરાતનું નામ રોશન કર્યું છે,આપવો જોઈએ.પણ એક લાખ આપ્યા તો મૂરખ પ્રજાને એમાં ખેલાડીઓનું અપમાન દેખાયું.કારણ બીજાની સરખામણીએ નીચાજોણું દેખાય છે.
               ડાહ્યા કટાર લેખકોને પણ એમાં અપમાન દેખાણું.ફટાફટ લેખ લખાઈ ગયા.એકતાની વાતો થવા લાગી.ક્રિકેટમાં ધર્મ દેખાવા માંડ્યો.’રાજકારણ તોડે,ક્રિકેટ જોડે’ એવા સ્લોગન રચાઈ ગયા.અલ્યા કેટલા દિવસ ક્રિકેટ જોડવાનું છે?જ્યાં સુધી માનસિકતા નહિ બદલાય ત્યાં સુધી એક ઉન્માદની જેમ ચાર દિવસ જોડવાની ડાહી ડાહી વાતો થવાની પછી હતા તેના તે.પત્રકારોને યુસુફ પઠાણ સચિનને તેડીને ફર્યો એમાં સેક્યુલારિઝમ દેખાવા માંડ્યું.ફુલાઈને ફાળકો થઇ ગયા.અલ્યા પેલા અફજલ અને કસાબને ફાંસી તો આપી જુઓ?રમતવીરો તો સેક્યુલર જ છે.બધા એક થઈને જ રમે છે.નહીતો જીત્યા ના  હોત.જે ભેદ છે તે આપણી માનસિકતામાં છે.માટે કોઈ મુનાફ સચિનને તેડીને ફરે ત્યારે જ સેક્યુલારિઝમ દેખાય છે,તે પહેલા દેખાતું નથી.જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ હોય છે ત્યારે જે ઉન્માદ છવાય છે તે શું છે?શેનો  ઉન્માદ છે?કે ભારત પાક વચ્ચે જે યુદ્ધ થઇ શકતું નથી તેની પ્રતિક્રિયા છે?જે વોર કરી નથી શકતા,તે ખેલના મેદાનમાં ખેલાય છે.એક મહાયુદ્ધ,એક મહાસંગ્રામ એવા શબ્દો કેમ વપરાય છે?વર્લ્ડ કપ ના જીતાય તો કઈ નહિ પણ પાકિસ્તાન સામેની મેચ જરૂર જીતવી પડે.કેમ આવું બોલાય છે?
એકલવ્ય એવોર્ડનું ધારાધોરણ લાખ રૂપિયાનું હોય તો લાખ જ આપાય ને?કરોડ થોડા અપાય?નહીતો પછી બીજી રમતના કે કબ્બડીના ખેલાડીને પણ કરોડ આપવા પડે.એકલવ્ય એવોર્ડ વિજેતા ક્રિકેટરને કરોડ અને એકલવ્ય વિજેતા કબ્બડીના ખેલાડીને એક લાખ એવો ભેદભાવ કરાય ખરો? આ ક્રિકેટર્સ એમના હિત અને રૂપિયા માટે રમે છે.આ લોકો ખૂબ પૈસા ઉતારે છે.એમની પાછળ પ્રજાના પૈસા કોઈ ગવર્નમેન્ટને ભેટ આપી દેવાનો હક કોણે આપ્યો?પ્રજા ટેક્સ ભરે છે અને આ કરોડપતિઓને ઉપરથી  પ્રજાને પૂછ્યા વગર કરોડ ગીફ્ટ કરવાના?લાખો ગરીબ બાળકોને ભણવાનું નસીબ નથી.બાળ મજૂરોથી ભારત ઉભરાય છે.ટેક્સના નાણા એવા કામોમાં વાપરો.સચીન દસ ફરારીના ટેક્સ ભરી શકે તેવો છે એને માફી??ક્રિકેટ સિવાય ભારતમાં કરવા જેવા અનેક કામ છે.ક્રિકેટર્સના ફોટા મુકાય,દીવા થાય,યજ્ઞો પૂજા થાય,ક્રિકેટનો કોઈ ઉન્માદ,કોઈ પાગલપન ઉભું થાય.સાલું આ પ્રજામાં કોઈ બુદ્ધિ છે કે નહિ?ક્રિકેટને રમત તરીકે જ સમજવી જોઈએ.સારી રમત છે.મેં પણ ભારતની જીતનો આનંદ માન્યો છે.મેં પણ ધોનીના વખાણ કર્યા છે.૨૮ વર્ષે માંડ માંડ કપ જીત્યા તેનો આનંદ મેં પણ લીધો છે.
                       અક્ષરધામ ગાંધીનગરમાં ત્રાસવાદીઓ ત્રાટક્યા હતા.ત્યારે કમાન્ડો સુઝાન સિંહ ઘવાયો હતો,લગભગ દસ વર્ષ કોમમાં રહ્યો.હમણા થોડા વખત પહેલા ભાનમાં આવ્યા વગર મૃત્યુ પામ્યો.કોઈએ એની કે એના કુટુંબીઓની નોંધ લીધી?એ લોકો શું ખાય છે ક્યાંથી પૈસા લાવે છે કોઈએ …જાણ્યું?કમાનારો દસ વર્ષ બેભાન રહ્યો.હવે આ વાત કરીશું તો લોકો કહેશે એતો એની જોબ હતી.તો આ ક્રિકેટર્સ અને ફિલ્મી ટટુઓ કઈ જોબ કરે છે?એમના હિત માટેતો રમે છે.આ દેશના હીરો સોલ્જર્સ નથી.આ ઉન્માદ ભરેલી પ્રજાને ક્રિકેટર્સમાં ભગવાન દેખાય છે.કોઈ પોલીસવાળો ત્રાસવાદીની ગોળી ખાઈ મરે તો એની જોબ છે.સચિન કે બચ્ચનને તાવ આવે તો અડધું ભારત બીમાર પડી જાય.યજ્ઞો,હવન,મંદિરોમાં પ્રાર્થના થાય.કમાન્ડો સુઝાનસિંહને કયો એવોર્ડ આપ્યો?કેટલા રૂપિયા આપ્યા?કોઈએ અવાજ ઉઠાવ્યો કે આને ઇનામ કેમ ના આપ્યું?
               ૧૯૭૧ ના યુદ્ધના ભારતીય અફસરો હજુ પાક જેલમાં છે.કેટલા હજુ જીવતા હશે ભગવાન જાણે.એમના કુટુંબીઓએ ૪૦ વર્ષ લાંબી લડાઈ લડી પણ કોઈ ફાયદો નહિ.આપણે ૯૩૦૦૦ પાક સૈનિકો પાછા આપી દીધા.જીનીવા ટ્રીટીનો છેડચોક અનાદર પાકિસ્તાને કર્યો.આ બહાદુર અફસરો પાક જેલમાં હતા તેના પુરાવા પણ હતા.એમના કુટુંબીઓ ઉપર શું વીતતી હશે?ફિલ્મી લોકો અને ક્રિકેટર્સ પાછળ પાગલ પ્રજાએ કોઈ અવાજ ઉઠાવ્યો??
હવે ૧૫ ખેલાડીઓ આજીવન બાલબચ્ચા સાથે ટ્રેનમાં અને પ્લેનમાં મફત મુસાફરી કરશે.અને પેલા ત્રાસવાદીઓની ગોળીઓ ખાઈ મરેલા પોલીસવાળા અને સૈનિકોની વિધવાઓ પેન્શન માટે ધક્કા ખાશે,હરખ તું હિન્દુસ્તાન.

53 thoughts on “ક્રીકેટોન્માદ”

  1. અરે, તમને ખબર નથી? મેં સમાચારમાં જોયું હતું કે ભારતમાં કોઈક જગ્યાએ છોકરીઓએ વાર્ષિક પરિક્ષા ચાલતી હોવા છતાં આખો દિવસ ઉપવાસ કર્યો હતો, ઘેલીઓ એ અને ઘેલા એમના મા-બાપ કે ડોબીઓને ઉપવાસ કરવા દીધો. અને એથી વધારે ઘેલા ટીવી ચેનલો વાળા કે એમની મહાન તપસ્યા સમાચારમાં બતાવે. શું કરવું આવા ભારતનું?

    Like

    1. ધવલભાઈ,
      લોકો ધોની અને સચિનના ફોટા મૂકી દીવાબત્તી કરતા હતા.ઉપવાસ,યજ્ઞો,હવન કરતા હતા.જાણે બીજું કશું કામ જ ના હોય.

      Like

  2. ખરેખર તો ભારતના લોકોમાં ‘નાગરિકત્વ’ નામનું તત્વ જ નથી.પાકિસ્તાની જીત અને વર્લ્ડ કપની જીત બાદ સુરતના મૂખ્ય રસ્તાઓ પર પાણીના પાઉચ,પ્લાસ્ટીકની બૉટલો,ફાટેલા રાષ્ટ્ર ધ્વજ,ગુટખાના પાઉચ અને બીજો ઘણો કચરો નજરે પડે લો . અહીંયા લોકોને આપણી વસ્તુ છે એવો ક્યાંરેય અહેસાસ થતો જ નથી.બસ જાહેર વસ્તુ,સ્થળોને નુકશાન કર્યા કરો અને ટેક્સ ભર્યા કરો.અહ્યાં તો તમે ઘણા સવાલો જ સવાલો પૂછ્યા છે,તેનો જવાબ એક ભારતીય નાગરિક આપી શકે.બાકી જૂનુનવાદીઓ ગાળો સિવાય કશું જ આપી શકે તેમ મને નથી લાગતું. ક્રિકેટને સીધૂ જ દેશભક્તિ સાથે જોડી દેવું એ માત્રને માત્ર મૂર્ખતા,ગાંડપણ,પાગલપણ અને પણ જ પણ છે.રમત રમત છે તેને રમત જ રહેવા દો.જે ટાઈમ પાસ છે ,જોઈને ટાઇમ પાસ કરો.જુનુન દેશ માટે રાખો.બીજુ શું !

    Like

    1. આપણે નાગરિકત્વ વગરની પ્રજા છીએ,એવું કહેવું યોગ્ય લાગશે.જાહેર સ્થળો આપણાં પોતાના જ છે તેવું ભાન તો થવું જોઈએ ને?ઉન્માદમાં જીવનારી પ્રજા છીએ.

      Like

  3. મિત્ર ભૂપેન્દ્રસિંહ રાઓલ,
    ધન્યવાદ.
    આજકાલની આબોહવામાં આવું સ્પષ્ટ લખાણ બીજે ક્યાંય વાંચવામાં આવ્યું નથી! કારણ કે – આવું લખનારને અવનવાં તર્કો દ્વારા નીરસ, નિરાશ, રમત વિરોધી, મનોરંજન વિરોધી, ક્રિકેટ વિરોધી, ધર્મ વિરોધી, ઇશ્વર વિરોધી, દેશ વિરોધી માની લેવામાં આવે એવી સંભાવના છે! જેમની પાસેથી સ્પષ્ટ લખાણની આશા હતી તેઓ પણ વંટોળિયાની ઝપટમાં આવી ગયા છે.
    થોડાં વર્ષો પહેલાં જ ગુજરાતના મુખ્યમંત્રીએ ખેલાડી માટે ઇનામ જાહેર કરવામાં એકાદ દિવસનો વિલંબ કર્યો તો એમના પર ભેદભાવના આરોપો મૂકાઈ ગયા હતા! ધરાયેલાઓને ધરાવવામાં થોડો વિલંબ પણ સહન ન થયો!
    જો હાર્યા હોત તો આ જ ધોની પર માછલાં ધોવાની તૈયારી રૂપે તર્કો પણ તૈયાર જ હશે! નેહરાને લીધો તે વાત પર મરસિયાં પણ ગવાવા લાગ્યા હતાં! તેને બે વિકેટ્સ મળી તો તે બચી ગયો. પછી એજ લોકોને ધોનીના વખાણ જખ મારીને કરવા પડ્યા ! જો કે ખેલાડીઓને આ બધું જ સહન કરવાના આટલા બધાં નાણાં મળે છે એમ માનવું રહ્યું!
    તમારાં લખાણમાંથી ગમતું લખાણ અહીં મૂકવા જઈશ તો કદાચ આખો લેખ જ કૉપી કરવો પડશે.
    ચાલો બીજે નહીં તો બ્લોગ લેખન ક્ષેત્રે કોઈક તો સાચી વાત કહેનારું છે.

    Like

    1. ભાઈ નરેન્દ્ર મોદીએ એકલવ્ય પુરસ્કાર અને લાખ રૂપિયા ઇનામ જાહેર કર્યું તો ક્રિકેટ ઘેલાઓને ખેલાડીઓનું અપમાન લાગ્યું.દોઢ ડાહ્યા કોલમિસ્ટ લોકોને પણ ખેલાડીઓનું અપમાન દેખાયું.એમણે લેખ પણ ઝાડી નાખ્યા હશે.આ લાલચુ મેચ ફિક્સિંગ કરીને દેશની પ્રજાને ઉલ્લુ બનાવતા ખેલાડીઓ વિરલાઓ,અને બહાદુર જીવ આપી દેતા સૈનિકો?હું પોતે કોઈ રમત વિરોધી નથી.ફિક્સિંગ ચાલુ થયા પછી હું કદી મેચ જોતો નથી.પણ આ વખતે મેં મેચ જોઈ હતી.અને જીતનો આનંદ માન્યો હતો.પણ પાગલપન જોઈને મગજ હટી જાય છે કે સાલું આ દેશની પ્રજામાં બુદ્ધિ ક્યારે આવશે?

      Like

  4. ધવલભાઈની કૉમેન્ટ્સ હંમેશાં વાંચવાની મઝા આવે છે. પણ આ વખતે એમણે એક ભૂલ કરી છે. ટીવી ચૅનલો વાળાને ઘેલા કહ્યા છે. ના. એ તો ઘેલા કરનારા છે!
    હાલમાં શ્રી જુગલભાઈના બ્લૉગ પર આ જ મુદ્દો હતો. જે દેશમાં વાસ્તવિક સમસ્યાઓ પરથી જનતાનું ધ્યાન બીજે વાળવાનું શાસક વર્ગને અનુકૂળ જણાતું હોય ત્યાં અ-રાજકારણી બાબતો મુખ્ય બની જાય. અ્નેક સમસ્યાઓથી ઘેરાયેલો માણસ જ્યારે એ પણ જાણતો હોય કે એનાથી કશું થઈ શકશે નહીં કારણ કે નીંભરને ખાઈબદેલું તંત્ર એને કશું કરવા દેશે નહીં ત્યારે એ બીજે ધ્યાન વાળીને મનને ‘feel good’તરફ લઈ જાય છે. આ દુનિયામાં કઈંક તો સારું લાગવું જોઈએ! એટલે ક્રિકેટનો ઉપયોગ અફીણની જેમ કરે છે. માર્ક્સે કહ્યું જ છે કે લોકો ધર્મનો ઉપયોગ અફીણ તરીકે કરે છે.
    આમ જૂઓ તો સ્પ્અર્ધાત્મક જીવનમાં જીતવું અને એનો આનંદ થવો- વ્યક્તિગત જીત હોય કે આપને જેની સાથે આઇડેન્ટીફાય કરતા હોઈએ એની જીત થાય તો (સ્કૂલ કે કૉલેજની ટીમ જીતે તો પણ) આનંદ થતો હોય છે. જ્ઞાતિની કોઈ છોકરી આખા રાજયમાં પહેલો નંબર મેળવે તો એને જ્ઞાતિનું ગૌરવ ગણવામાં આવે.એની બુદ્ધિપ્રતિભાનાં વખાણ થાય (એ છોકરીનાં લગ્ન થવાનાં હોય ત્યારે એ જ જ્ઞાતિ એને બુદ્ધિમાન ગણવાનો ઇન્કાર કરે!) આવી સામુદાયિકતા અને એકસરખું ફીલ કરવું એ તો સૌ માટે સામાન્ય હોય છે. પણ તમે સારા સવાલ ઉઠાવ્યા છે. આ સામુદાયિકતાની ભાવનાનો બીજે ક્યાંક અર્થસાધક ઉપયોગ પણ થવો જોઈએ.

    Like

    1. અરે ફેસબુકમાં ક્રિકેટ નામના ધર્મની વાતો થવા લાગી અને તે પણ જાણીતા કોલમિસ્ટના પ્રોફાઈલમાં.કેટલા ધર્મ ઉભા કરવા છે?ધર્મ હોય કે રમત આ પ્રજાને અફીણ વગર ચાલતું નથી.કમજોર પ્રજા અફીણ ખાઈ ખાઈને જીવતી લાગે છે.

      Like

      1. અરે થવા દો, એક નવો ધર્મ, આટલા ધર્મો છે તો એક વધુ. અને એટલિસ્ટ એક એવો ધર્મ હશે જેમાં ભગવાનો હજરાહજૂર હોય, અને ભક્તોનું દિલ એ ભગવાનથી ભરાઈ જાય તો ભગવાનને પદભ્રષ્ટ પણ કરી દે. જો એ લોકો આવો કોઈ ધર્મ બનાવશે તો હું બે ધર્મો પાળતો થઈ જઈશ… મહાન અકબરે પણ દીને-ઈલાહીની સ્થાપના તો કરી જ હતી ને, ભલેને પછી તેના સિવાય અન્ય કોઈ અનુયાયી ના બન્યા તો શું થઈ ગયું?

        અને દિપકભાઈ, ભલા માણસ, તમે મારી કોમેન્ટ્સ અહીં વાંચીને મજા કરશો તો ભૂપેન્દ્રભાઈ મને બ્લોકલિસ્ટ કરી દેશે. મહેરબાની કરો ભાઈસા’બ.

        Like

        1. વૈચારિક મતભેદ ગમે તેટલા હોય,અને હોય તેમાં ખોટું શું છે?મનભેદ ના હોવો જોઈએ.મારી અલોચના કરો તો મને ગમે કારણ એમાં મારો વિકાસ છે.મારે નવેસરથી વિચારવું પડે.હું બધી બાબતોમાં સાચો ના પણ હોઉં.અને હું સાચો હોઉં તો પણ મારે બીજાને પ્રેશર કરી વાત મનાવવાની ના હોય.એટલે હું તમને બ્લેક લીસ્ટ કરી દઈશ તે માનવું વધારે પડતું છે.મનગડન્ત અને લેખને અનુરૂપ ના હોય તેવી કોમેન્ટ્સ કરી,ખોટા આક્ષેપો કરી વારંવાર હેરેસ કરનારા મિત્રોને બ્લેક લીસ્ટ કર્યા પણ છે.તમને મારા કોઈ શબ્દોથી ખોટું લાગ્યું હોય તો માફ કરશો.બાકી મારા જેવા બોલ્ડ લખાવાવાલાને બોલ્ડ માણસો જ વધુ ગમે.દંભી અને ધર્મ પુસ્તકોમાંથી સદાચારની ઉચ્ચ આદર્શોની વાતો કરી તેને પાળવા નહિ તેવા માણસો પણ બ્લોગ જગતમાં છે.અહી ભારતમાં તો ગુરુએ ગુરુએ નવો ધર્મ અને અચાર વિચાર છે.અને વિડમ્બના એ છે કે બધા સનાતન ધર્મનો ઠેકો લઈને બેઠા છે.અને સનાતન ધર્મ શું છે તેની કોઈને જાણ નથી.

          Like

          1. મુરબ્બી, બહુ મોટી વાત કરી દીધી, અને એકદમ મુદ્દાની. મતભેદ હોય, પણ મનભેદ ના હોય. અને તમને મેં શરૂઆતથી જ મારા વડીલ ગણ્યાં છે, એટલે તમારી એકેય વાતનું ખોટું લાગવાનો તો સવાલ જ નથી. ચર્ચાઓ કરવાથી જ જ્ઞાન વધે છે, અને તે હું સ્વિકારૂં છું. વધુમાં, ચર્ચા ફક્ત સુપાત્ર વ્યક્તિ જોડે જ થાય, કુપાત્ર સાથે કરેલી ચર્ચા થુંક ઉડાડ્યા બરાબર ગણાય, અને માટે જ મેં તમારી સાથે અત્યાર સુધી ચર્ચાઓ અને દલીલો કરી છે. બ્લેક લિસ્ટની કોમેન્ટ મેં ફક્ત મજાક પુરતી જ કરી હતી, જો તમારે તેમ કરવું હોત તો તમે ક્યારનાય કરી ચુક્યા હોત. મેં તમને કાંઈ ઓછા ઇરિટેટ નથી કર્યાં. અને મારી ઘણી કડવી કોમેન્ટ્સને પણ તમે જેમની તેમ જ એડિટ કર્યા વગર અપ્રુવ કરી છે, તે હું કેમે ભુલી શકું તેમ નથી. તમારી પાસેથી ચોક્કસ જાણવા મળ્યું છે, અને માટે જ તમારા લખાણ વાંચું છું. માફ કરજો મારી મજાક તમને ક્યાંક ઠેસ પહોંચાડી ગઈ હોય તો દિલગીર છું. હું પોતે ધાર્મિક વૃત્તિનો માણસ છું એટલે ધર્મનાં પક્ષમાં હંમેશા બોલવાનો, કેમકે તે મારી માન્યતા છે, પરંતુ હા, ધર્મને નામે ચાલતાં અધર્મને પારખતાં પણ આવડે છે, અને માટે જ તે બંને વચ્ચે ભેદ પારખીને ઘણી વખત તમારી સાથે ચર્ચામાં ઝંપલાવ્યું છે. કદાચ આગળ પણ આ બાબતે આપણે આમને-સામને આવતાં રહીશું. મારો ધર્મને જોવાનો દૃષ્ટિકોણ કાંઈક અલગ છે, તે વિષે ફરી ક્યારેક વિગતે ચર્ચા. પણ આપના કરતાં ઉંમરમાં ઘણો નાનો હોવાથી, ઉચ્છૃંખલ બાળક (જોકે મારે બે બાળકો છે, એટલે હું હવે બાળક ના ગણાઉં) ગણી નિભાવી લેજો..

            Like

            1. ભાઈ હું તો પરમ નાસ્તિક છું જેવાકે બુદ્ધ હતા.તમે ધાર્મિક હોવ અને હું નાસ્તિક તેમાં આપણી મિત્રતાની આડે શું આવે?અશોકભાઈ પણ ધાર્મિક છે.પણ ભાઈ જેવા છે.હવે એમની મદદ વડે અનુક્રમણિકા બનાવી દીધી છે.તેમાંથી જુના લેખો વાંચી લેશો,બહુ શોધવા નહિ પડે.મને કોઈ ઇરીટેશન થયું નથી.દરેકના આગવા દ્રષ્ટિકોણ હોય.અને હોવા જ જોઈએ.બસ પ્રતિભાવ આપતા રહેશો.ચર્ચા કરતા રહેશો.ધન્યવાદ.પણ આ અશોકભાઈ બેત્રણ લેખ મુકાઈ ગયા કોઈ કોમેન્ટ્સ અઆપી નથી.વાઘ દુકાનમાં બીઝી થઇ ગયો લાગે છે.કે ક્રિકેટના મેનીયામાં સપડાઈ ગયો છે કે શું?

              Like

              1. અચ્છા, તો તમે ભગવાન બુદ્ધ જેવા નાસ્તિક છો, એનો અર્થ કે તેમની જેમ નવા ધર્મની સ્થાપના કરવાના એમ ને? અશોકભાઈ વિષે હું પણ આજે જ વિચારતો હતો કે એમની કોઈ ટિપ્પણી કેમ દેખાતી નથી? જોકે બહુ વ્યસ્ત તો લાગતા નથી કેમકે મારી સાથે વિજાણુ પત્રાચાર તો ચાલું છે.

                Like

                1. હું તો ધર્મોનોજ વિરોધી છું.એટલે એવું પાપ ના કરું.વાઘ મને અનુક્રમણિકા કેમ બનાવવી શીખવી શિકારે ગયો.એમાંથી ટાયટલ વાંચી પસંદગીના લેખ વાંચી નાખો.જ્ઞાન,વિજ્ઞાન,હાસ્ય સાથે બધુજ ભરેલું છે.

                  Like

        2. ધવલભાઈ,
          ભૂપેન્દ્રસિંહભાઈના હાથમાં તો અખાનો ચાબખો છે જ, પણ તમારા હાથમાં પણ એવો જ ચાબખો છે. આ કારણે મારા જેવાને મઝા આવે (મારા જેવા મઝા કરે, એમ મેં નથી કહ્યું!) તો લેવા દો ને આવી મઝા.
          અહીં પણ હાજરાહજૂર ભગવાનોની વાત મઝા આવી જાય એવી જ છે.
          સૌ તૈયાર રહેજો, હવે આઈપીએલ આવે છે! હવે દેશભક્તિ કેવી રીતે દેખાડીશું? એક ધંધાદારી ટીમ બીજી ધંધાદારી ટીમ સામે રમતી હોય એમાં કોના પક્ષે રહી શકાય? પણ દરેક ટીમ સાથે શહેરનું નામ જોડાયેલું છે. લોકોમાં ઉન્માદ જગવવા માટે જ ને? હવે લોકો શહેરના નામે ગાંદા થશે.

          Like

          1. પણ દીપકભાઈ મારા લેખ વિષે કોઈ કોમેન્ટ્સ ના આપી ધવલભાઈના વખાણે ચડી ગયા.આતો સરાસર અન્યાય કહેવાય,હોટ લીસ્ટમાં મુકવા પડશે.

            Like

            1. કોમેન્ટ એટલા માટે ન આપી કે વાંચતાં વાંચતાં મને ભ્રમ થયો કે આ મેં પોતે જ લખ્યું છે કે શું?! આમાં પોતાનાં તો વખાણ પણ ન કરાય અને ટીકા પણ નહીં. એટ્લે તમારી વાતમાં જ ટોળાનું મનોવિજ્ઞાન જોડી દીધું!

              Like

                1. અરે, હું સમજી ગયો હતો. ખરેખર તમે મારા અને સૌ કોઈના મનમાં ઊભા થતા પ્રશ્નો જ ઊઠાવ્યા છે.

                  Like

  5. ભુપેન્દ્રભાઇ,

    ચાલો ગાંડીયા અને ગાડરિયા ટોળામાંથી કોઇ એકે તો અલગ પડીને વાસ્ત્વદર્શી વાત કરી. આ વાતની માત્ર નેટ જગત જ નહી પણ આખા જગતને જાણ થાય એવુ ન કરી શકો?
    ક્રિકેટરના બદલે કમાન્ડો માટે વિચારતા થાય એવુ ક્યારે બનશે?

    Like

    1. આપ જ કહો જગતને જાણ થાય માટે શું કરી શકું?અરે ખાલી ગુજરાત જાણે તો પણ બહુ છે.છાપાઓમાં તો મારા લેખને સ્થાન મળે નહિ.ના મીડિયામાં આની કોઈ ચર્ચા થાય.પત્રકારો જ આ ગાંડપણમાં સામેલ છે.તો મારું કોણ છાપવાનું હતું?મેં ૧૯૭૧ ના યુદ્ધમાં પાકની જેલમાં રહી ગયેલા ભારતીય અફસરોની સ્ટોરી ‘ફર્ગોટન હિરોસ’ પાંચ ભાગમાં લખી હતી.આપે વાંચી હશે.મેં અભીયાનના તંત્રીને ઓફર કરેલી કે મારે પ્રસિદ્ધિ કે પૈસા કશું જોઈતું નથી.પણ પ્રજા આ કમાન્ડો વિષે વિચારે માટે છાપો,પણ કોઈ જવાબ નહિ.જોઈશું એવો જવાબ આપી ટાળી દીધું હતું.પ્રતિભાવ બદલ ધન્યવાદ.

      Like

  6. શ્રી ભુપેંદ્ર્સિંહજી
    આપે મેરે મન કી બાત હી લીખલી હૈ ! માનશો મારાં મનમાં આવું જ કંઈક બ્લોગ ઉપર મૂકવાનૂં ઘોળાઈ રહ્યું હત્તું અને ત્યાં આપનો આ લેખ વાંચ્યો ! મજા પડી ગઈ ! અરે મારા ભાઈ આ દેશમાં પેલી છોકરીઓએ તો ઉપવાસ કર્યો પણ અહિ તો અનેક સ્થળોએ યજ્ઞ થયા માતાજીને ચૂંદડીઓ ચડાવાઈ અને રાજકારણીઓને થોડો સમય ભ્રષ્ટાચારના આકરા તાપમાંથી થોડી રાહત મળતા સોનીયાજી પણ નાચ્યા ! મોટાભાગના સત્તાધીશોએ પોતાના બાપના પૈસા હોય તેમ લ્હાણી કરવાની જાહેરાત કરી ! વધુ શું લખવું આવી ઘેલછા પાછળ જ આ દેશને પરદેશીઓ ગુલામ બનાવતા રહયા છે અને લોકો તે માટે પણ ગૌરાવ અનુભવે તેવી માનસિકતા ધરાવનારા જ જોવા મળે છે. જો ઈશ્વર હોય તો આ દેશ કદાચ બચી શકે તો બચી શકે !

    Like

    1. આપની વાત સો ટકા સાચી છે.સોનિયાજી નાચ્યા એમાં તો પત્રકારોના પેન્ટ ઉતારી ગયા અતિ ઉત્સાહમાં.ઈશ્વર પોતે આવું ગાંડપણ જોઈ ભાગી જાય તેવું છે અહીં તો.

      Like

  7. Nice article. I felt ‘too much’ about media hype on this matter.
    I have seen last 2 match’s last 30 balls. Enjoyed watching it. After many years I did watch cricket.

    This time, Day before match (India+Pak), due to media hype, initially I got interest. But that day, media hype was so much….I just lost interest to watch cricket. News channels were irritating me.

    Frankly speaking, I never understand this game’s craze, as one small ball -> many people play around it….and other people are crazy about it like anything…..

    I like sports, participated in school/college games. but I don’t like sport at these extent, where in people were crazy like anything….
    sports for self fitness….good
    sports channel for enjoyment or timepass…good.
    sport as career and play for country…good
    ……but sports for time waste ….not good at all…there are many more important task.

    Did you watch Youvraj’s speech in presentation area? and then his mother’s interview on NDTV? They gave credit to some Baba -> It was so irritating….
    I thought, You will write an article on it 🙂

    Like

    1. મેં યુવરાજ કે એની મધરનો ઇન્ટરવ્યું જોયો નથી.જોકે એમાં નવાઈ નથી,એવું બોલ્યા જ હશે.અહી તો બાબાઓની કૃપા હોય તો જ બધું ચાલે છે ને?આભાર.

      Like

      1. But, Victory is always victory. I enjoyed happy India atmosphere videos on Youtube….It was happy weekend for almost all. Memorable for all.
        Feel Good factor across India 🙂 Sounds so good….

        Yes, other important issues also need such unity across India….But, I guess, now gradually it will happen…

        Like

        1. શેની વિક્ટરી?૨૮ વર્ષે માંડ માંડ જીત્યા.ટીમ તો ઓસ્ટ્રેલિયાની કહેવાય.ચાર વર્લ્ડ કપ જીતી ગઈ છે.ઓસ્ટ્રેલિયા અકસ્માતે હારે છે,ભારત અકસ્માતે જીતે છે.એક ત્રાસવાદીને સજા કરી જુઓ તેને વિક્ટરી કહેવાય.આતો ધંધો છે.આ લોકો જીતે કે હારે એમના પૈસા સાચા જ છે.મુરખ તો આપણે જોવાવાળા બનીએ છીએ.જોકે મેં પણ જીતનો આનંદ રમત તરીકે માણ્યો છે,પણ ક્રેઝી બનીને નહિ.

          Like

  8. Adhiso varasni gulami kai aekdam thodi jati rahe!?? Aek dhandho thai gayo chhe…ahi to koine sharam aavati nathi….deshnu je thavu hoy te thay pan aapanu khissu bharay…

    Like

    1. એક બાજુ અંગ્રેજોને ગાળો દઈએ છીએ અને એમની રમત પાછળ ગાંડા થઈએ છીએ અને આપણી રાષ્ટ્રીય રમત હોકીને ભૂલતા જઈએ છીએ.

      Like

      1. મને એ નથી સમજાતું કે હોકીને પડતી મેલી ક્રિકેટને આપણી રાષ્ટ્રીય રમત જાહેર કેમ નથી કરાતી ? ખરેખર એમ કરાય તો કશું જ ખોટું નથી.

        Like

        1. હા સાચી વાત છે ક્રિકેટને રાષ્ટ્રીય રમત જાહેર કરી દેવી જોઈએ.હોકીને ભૂલી જવી જોઈએ.

          Like

  9. જે રીતે રાજકારણી સત્તાધીશો ક્રિકેટરને પોતાના બાપના નાણાં હોય તે રીતે ઈનામો જાહેર કર્યા કરતા હતા ત્યારે જ મને વિચાર આવેલો કે આ દેશમાં એવું કોઈ નહિ હોય કે જે આવી બેજવાબદારી ભરી અને બેઈમાની ભરી ચેષ્ટાને દેશની સર્વોચ્ચ અદાલતામાં જન હિતની અરજી કરી પડકારે ? મને આપને જણાવતા આનંદ થાય છે કે કોઈક તો માઈનો લાલ નિકળ્યો અને આ ચેષ્ટાને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવી છે તેવા સમાચાર આજના ગુજરાત સમાચારે પ્રસિધ્ધ કર્યા છે. ચંડીગઢના ઓલ ઈંડીયા ફોરમ ફોર રીકન્સીલીએશન નામની એનજીઓએ જાહેર હિતની અરજી કરી છે અને આ રીતે અપાતી જંગી રકમનો ઉપયોગ વિકાસ કાર્યો માટે થવો જોઈએ તેવી રજૂઆત કરી છે. અલબત્ત આ અરજીનો ચુકાદો તો જે આવે તે પણ આવી જાગૃકતા આવી રહી છે તે જાણી થોડો આનંદ જરૂર થાયા છે અને આપને પણ થશે તેમ ધારું છું.ચાલો આવજો !

    Like

    1. આવા શુભ સમાચાર આપવા બદલ ધન્યવાદ.આપણે ગુજરાતમાં પણ આવી અરજી કોર્ટમાં કરવી જોઈએ.

      Like

  10. ભૂપેન્દ્રસિંહજી, ખૂબ ખૂબ સરસ લેખ. એક ગાડરિયા પ્રવાહમાંથી અલગ દ્રષ્ટિકોણથી લખાયેલો લેખ. આપે દરેક મુદ્દાને આલેખી લીધો છે અને ખૂબ સરસ પ્રતિભાવો પછી કંઇ અલગ લખવાનું રહેતું નથી. પણ અરવિંદભાઇ અને રશ્મિકાંતભાઇની જેમ આપે મારા મનની વાત લખી છે તેમ લાગે છે. ૨૮ વર્ષે વર્લ્ડ કપ જીતવાની ખુશી જરૂર થાય. પણ રમતને રમત સુધી બરાબર છે. પણ તે હવે ખરેખર ઉન્માદ જ બની ગયો છે. એક મહિનાથી વધારે સમયથી વર્લ્ડ કપ રમાયો અને હવે આઇપીએલ ચાલુ થશે. લોકો પણ કંટાળ્યા છે લોકોને પણ કરવા જેવાં બીજા કામ છે. કોઇ પણ અતિરેક નકામો. યશવંતભાઇની વાત સાચી છે ધરાયેલા તો ધરાતા નથી. કરોડોની બોલી બોલાય છે તેમની. ૨૮ વર્ષે વર્લ્ડ કપ જીતવાનું કારણ સચીનના નામે ઘણાં બધાં વર્લ્ડ રેકોર્ડ નોંધાયા પણ ૨૧ વર્ષથી વધુની કારકિર્દીમાં વર્લ્ડ કપનો રેકોર્ડ નહોતો. એટલે ટીમ સચીન પ્રત્યેની લાગણીને કારણે આ વર્લ્ડ કપ જીતવા માંગતી હતી દેશના માટે નહી.(એટલે દેશ માટે રમે છે તે માનવું પાગલપન છે) એટલે દેશભક્તિ જેવું નહોતું. ભાઇ એ તો વ્યક્તિપ્રેમ-સેલિબ્રેટીપ્રેમ હતો.

    Like

    1. દેશપ્રેમ!! એ વળી શું કહેવાય?.મેચ ફિક્સિંગ કેમ કરતા હોય છે?એ તો બેઈમાની કહેવાય.

      Like

  11. શ્રી ભુપેન્દ્રસિંહજી, પ્રથમ તો સૌ મિત્રોએ મને પેટભરીને (એટલે કે ખાઇ-પી ને 🙂 ) યાદ કર્યો એ બદલ આભાર.
    કહેવા જેવું તો બધું કહેવાઇ ગયું. લેખ અને એક પણ પ્રતિભાવનો કેન્દ્રિય વિચાર એવો નથી જેમાં હું સંમત ન હોઉં. (જરા આડવાત: મોડો પડવા બદલ ક્ષમા)

    સાચું કહું તો મારી છાપ ક્રિકેટનો “ક” પણ ન જાણનારની છે. જો કે આ ફાઇનલ અંતભાગે જોયેલો, બાકી ભાગ્યે જ ક્રિકેટ જોવાનું બને છે. આપની જેમ જ, આ ફિક્સીંગ, સટ્ટા વગેરે સંભળાવા માંડ્યું ત્યારથી તો જે થોડોઘણો રસ પડતો તે પણ ઉડી ગયો છે. આપે સાચું જ કહ્યું છે, ક્રિકેટરો હોય કે કલાકારો કે કોઇપણ વ્યવસાઇક, તેમની તેમના ક્ષેત્રમાં નિપૂણતા પૂરતું તેમને માનપાન યોગ્ય છે. પરંતુ આ જે ગાડરીયો પ્રવાહ ચાલે છે તેમને ’ભગવાન’ બનાવવાનો તે દિપકભાઇએ કહ્યું તેમ અફિણનો નશો જ છે.

    એક બ્લોગ પર પ્રતિભાવમાં મેં લખેલું તેનો સાર ફરી કહું તો; મુળે પ્રજાને મુળભુત પ્રશ્નોથી ભટકાવી મારી અને તેમાં ઉછાળે ચઢતા ક્રાંતિનાં મંડાણને સમયે સમયે આવો એકાદ મારગ કરી આપવામાં આવે છે ! બસ હવે ભ્રષ્ટાચાર, મોંઘવારી, ગરીબી, કુપોષણ જેવી હજારો વાસ્તવિક સમસ્યાઓને ભુલી જાઓ, અને આપે કહ્યું તેમ “હરખ તું હિન્દુસ્તાન”. આપણે નાના બાળકને શાંત રાખવા જેમ તેનાં મોં માં ’લોલિપોપ’ પધરાવી દઇએ તેમ આ બધી ’લોલિપોપ્સ’ છે ! ચૂસે રાખો !! મજા બહુ આવશે, પણ પેટ નહીં ભરાય !! છો ન ભરાતું, રડતાં તો બંધ થશે ને ? અને વેપારી છું એટલે થોડી ખબર હોય ! અમુકને આ લોલિપોપની એજન્સી મળેલી હોય તો તેને તો પેટ ભરવાનો બંદોબસ્ત થઇ જાય જ !! કદાચ મને, આપને અને આપણા મિત્રોને એજન્સી મળી નથી ! 🙂 (જો કે સિંહ ભુખ્યો મરી જાય પણ ઘાંસ ખાતો નથી ! એટલે જ તો આ બધા ક્યાંક ક્રિકેટનાં લીલાછમ મેદાનમાં ચરવાને બદલે અહીં ’કુરુક્ષેત્ર’નાં સમરાંગણમાં લડે છે !!)

    વાત ક્રિકેટની છે તો મારા તરફથી એક ’મને બહુ ગમેલો ફટકો’ જાહેર કરૂં : “સત્તાધીશો ક્રિકેટરને પોતાના બાપના નાણાં હોય તે રીતે ઈનામો જાહેર કર્યા કરતા હતા” — અરવિંદભાઇ.

    આપનો અને સૌ પ્રતિભાવક મિત્રોનો આભાર. કારણ આપ સૌને વાંચી મારા મનને પણ થોડી શાતા વળી. આભાર.

    Like

  12. ભુપેન્દ્રભાઈ, તમે આ લેખ દ્વારા જે મુદ્દા રજુ કર્યા છે એમાંના દરેક સાથે સહમત છું, સિવાય કે વિજયોન્માદ. માણસ પહેલેથી યુદ્ધખોર રહ્યો છે અને છેલ્લા સો વર્ષોમાં યુધ્ધો પરથી રમત પર ઉતરી આવ્યો છે. પહેલા યુદ્ધ વિજયના ઉજવણા થતા હવે રમત વિજયના. આપણા દેશમાં સમગ્ર દેશ એકસાથે કોઈ મતભેદ કે મનભેદ વગર એકજુથ થતો હોય એવી બહુ ઓછી ક્ષણો આવી છે. ભલે, ક્રિકેટ વિજયને બહાને આવી ઉજવણી થતી.

    ક્રિકેટ ઇંગ્લેન્ડની રમત છે એટલે આપણે ના રમવી એ ખોટી વાત છે. વિશ્વના મોટાભાગના દેશો પોતે શોધેલી રમતો નથી રમતા. જો દેશને ક્રિકેટ સિવાય બીજી રમતોમાં જોતરાવો હોય તો ગલીએ ગલીએ ક્રિકેટને બદલે એ રમત રમાય એ શક્યતા વિચારવી પડે, બાકી તો ક્રિકેટ હવે ઊંડા મૂળ જમાવી ચુક્યું છે. વળી, ખેલાડીઓ આ જીત સચિન માટે મેળવી એમ કહેતા હોય તો એમાં કાઈ અજુગતું નથી. મોટા ભાગના ખેલાડીઓ માટે સચિન રોલ મોડેલ છે અને એ પ્રેરણા લઈને એ લોકો સારું પ્રદર્શન કરી શકતા હોય તો એમાં શું વાંધો?

    દરેક દેશને પોતાનો કોઈ એક ઉન્માદ પ્રેરે એવો ખ્યાલ હોવો જ જોઈએ અને એ હોય છે પણ ખરો. આપણે માટે એ ક્રિકેટ છે.

    સૈનિકો વિષે તમારું મંતવ્ય પુરેપુરી રીતે લાગુ પડે છે. ઉજવણી માટે ટોળે વળતા લોકોમાંથી ૧% પણ સૈનિક બનવા તૈયાર નહિ હોય. બધાને આઇપિએલની ફટાફટ ક્રિકેટ રમી પૈસા રળવા છે, પછાત અને ગરીબ લોકો ભલે સૈન્યમાં જોડાતા.

    Like

    1. ક્રિકેટ ના રમવી તેવું તો મેં કહ્યું જ નથી.એક રમત તરીકે સારી છે.એને રમત તરીકે લેવી જોઈએ.એક ગાંડપણની જેમ નહિ.

      Like

  13. I agree with you on Cricket. But do not on your point that – આમેય એવરેજ ભારતીય ફીમેલ બ્રેઈન વડે વિચારે છે.તર્ક અને ગણિત એના બસની વાત જ નથી. This is Male chauvinism.

    Like

  14. તમારા બધા લેખોમાનો આ ટુ ધ ફેક્ટ આર્ટીકલ છે. સાલું ભારતીઓમાં બુદ્ધિ છે કે નહીં ? તે પ્રશ્ન અસ્થાને છે. હવે આ ન પૂછાય. બુદ્ધિ કદાચ હશે પણ સેન્સ તો નથી જ. મુદ્દાઓની છણાવટ અતિ સુંદર કહેવાની જરૂર નથી. ટીવી વાળા દૂનીયા જીતી લીધી તેમ કહે છે. બહુ સારું. ધોનીએ ટકો કરાવીને તેને હીરો સમજવાવાળાને માનતા, બાધા , આખડીના અંધકારમાં ધકેલી દીધા. સમાજમાં ખોટો મેસેજ ગયો. જીતની મને ખુશી છે પણ આ ગાંડપણનો ગમ અતિ છે મારા ભાઈ હું બહુ દુખી છું.

    Like

  15. સૌથી પહેલી વાત તો એ છે ભૂપેન્દ્ર ભાઈ કે એ ટીમ, ટિમ ઇણ્ડિયા છે જ નહીં, એ તો બી સી સી આઈ ની ટીમ છે અને બી સી સી આઈ ને જ વફાદાર છે.
    પછી કોઈ પણ મુખ્યમંત્રી એમને ઇનામો ની જાહેરાત કેવી રીતે કરી શકે છે? જો કે યેદુરપ્પા ને મોડે થી આ વાત સમઝાઈ અને પ્લૉટ આપવાની વાત પર થી ફરી ગયા. 🙂
    આપના કડક લેખો (એમની ભાષા થી) થી ઘણી વાર અસહમત થાઊં છૂં પણ આજ ના લેખ તો બહુજ ગમી ગયો. એને હિન્દી માં અનુવાદ કરવાની ઇચ્છા છે, જોઈયે ક્યારે સમય મળે છે.
    ગુજરાતી લખવામાં વ્યાકરણ દોષ સંભવ છે, એના માટે ક્ષમા યાચના.

    Like

  16. સારું કર્યું કે હું મોડો પડ્યો. આટલી સરસ ચર્ચા વાંચવા મળી. સિંહ અને વાઘ બન્નેના લેખો–વિચારો એવા સચોટ હોય છે કે એની અસર લાંબા સમય સુધી રહે છે.

    આ બન્ને લેખકો–વિચારકો (સિંહવાઘ)માં હું એક ઉમેરો કરીશ,અરવિંદભાઈનો. આપણા બ્લોગજગતમાં આ ત્રણ તો ખાસ એમની વિચારધારા માટે માન મેળવી રહ્યા છે. હું પણ ધાર્મિક નથી. જનોઈ, ધરમધ્યાન, ટીલાંટપકાં વગેરેથી જોજનો દૂર રહી શક્યો છું. અરવિંદભાઈનો એક લેખ ગુજરાતી નેટજગતનો કદાચ સૌથી વધુ કોમેન્ટસનો રેકોર્ડ ધરાવનારો છે.

    ક્રિકેટ સંદર્ભે રાઓલજીનું એકેએક વાક્ય અંતરને હલાવી ગયું છે. એમાંય સૈનિકની શહિદીને એમણે જે અંજલિ આપી છે, એણે સમગ્ર લેખને કરુણ અને કરુણાસભર બનાવી દીધો છે. ક્રિકેટ સાથે આ બાબતને જોડીને આપણા લોકમાનસને અને સરકારી, વહીવટી ને ન્યાયી ગતિવિધિઓને તાર સ્વરે રજૂ કરી છે. હું એમને સલામી આપું છું ને આપણે આમાં કાંઈ કરી શકતા નથી એની શરમ અનુભવું છું.

    આ જ વાતમાંથી મને બીજી વાત જે સ્પર્શી ગઈ તેનેય રજૂ કરી દઉં. રાઓલજીએ લખ્યું કે મારા લેખો કોઈ મીડિયા લેતું નથી…પણ હવે એની જરૂર પણ નથી. સ્ટુનિશિયા, ઈજિપ્ત, લિબિયાનાં આંદોલનોમાં “નેટ–વર્ક” જે કામ કરી ગયું તેનું મૂલ્ય આંકી શકાય નહીં તેવું ને તેટલું છે. બે દિવસ હું ટાઈમ્સની એક ઈન્ટરનેટી સેવામાં ખુંચેલો રહ્યો. મેં જોયું કે ટાઈમ્સમાં લોકભાગીદારીની સગવડથી દર સેકન્ડે કેટકેટલા લોકો અણ્ણાજીને પોતાનો ટેકો દર્શાવી રહ્યા હતા !! http://www.avaaz.org/en/anna_hazare_victory/97.php?cl_tta_sign=7af8bc9a042ba62059ef180bb62a6908 આ લીક પર તો મેંય કોમેન્ટસ મૂકીને એ સાઈટની સેવાઓને આનંદ,આશ્ચર્ય અને અભીભૂતતાથી માણી હતી…! ગાંધીના સમયમાં આ સેવા ઉપલબ્ધ હોત તો ?! આ દિવસોમાં નેટજગતે જે કામો કર્યાં છે તે વિજ્ઞાનદીધી સેવાઓમાં શિરમોર છે…હું નતમસ્તકે ને ભીની આંખે આ સેવાઓને માણતો હતો.

    ભૂપેન્દ્રસિંહ, તમારી વાતો આ એ જ નેટસેવા પર પથ્થરકી લકિર બની રહેવાની છે, જોજો. તમારો આક્રોશ વ્યર્થ જવાનો નથી. આ જ નેટ–સેવા આ દેશની કેટલીક વેવલી ધાર્મિકતાઓને, કેટલાક ઉન્માદોને, કેટલાં….ય અનિષ્ટોને વીણીવીણીને મૂલવવાનું કામ કરશે. હું એને જ ધાર્મિકતા કહું છું…જે સૌને સાંકળે, સૌને બાંધે ને સૌને ચોખ્ખા માર્ગે લઈ જાય જે સર્વજન સુખાય, સર્વજન હિતાય હોય.

    ચર્ચામાં ભાગીદાર સૌને ને એની મશાલ પેટાવનારને તો ખાસ, મારી વંદના.

    Like

  17. hello bhupendra bhaai..ekdam saachi vaat che aa..hu pan aa vaat saathe pure puro sahemat chu…tamari thinking ne hu salaam karu chu..aasha che k aavij post kartaa rahesho…thanking you…

    Like

  18. DEAR MINISTERS,
    OUR CRICKETERS HAVE WON WORLD CUP IN ONE OF THOUSANDS OF GAMES PLAYED IN INDIA. THEY ARE PAID IN RANSOM FOR IT. CRICKET IS GAME DISCOVERED BY BRITISHERS TO UTILIZING & KEEP THEIR SLAVES BUSY
    BY GIVING THEM LAKHS OF RUPEES & LANDS AT THE COST OF TAX PAYERS MONEY IS NOT FAIR. BY DOING THIS YOU ARE INSULTING OTHER INDIANS WHO ARE ADDING GLORY TO NATION, WHO ARE PROTECTING THIS NATION. IF YOU HAVE LOTS OF LOVE FOR CRICKET THEN PAY FROM YOUR POCKET.

    Like

  19. સમસ્યાઓ ક્યા નથી હોતી? ઉન્માદ દરેક વસ્તુ નો હોય છે પણ એના થી રમત ને દોષ ન દઈ શકાય. આપણે ક્રિકેટ પાછળ તો યુ,કે ફૂટબોલ પાછળ,ન્યુઝીલેન્ડ રગ્બી પાછળ,ઓસ્ટ્રેલીયા ફ્રૂટી પાછળ કે પછી અમેરિકા બેઝબોલ કે એન.બી.એ પાછળ પાગલ છે જ. હા એ લોકો કદાચ ખેલાડીઓ ને ભગવાન નથી માનતા પણ રમત નો શું વાંક?

    Like

    1. સિદ્ધાર્થભાઈ મેં સ્પષ્ટ લખેલું જ છે કે રમતને રમત તરીકે જોવી જોઈએ, દોષ રમતનો નહો આપણો છે. અમેરિકામાં બેઝબોલ અને સુપરબોલ પાછળ લોકો પાગલ હોય છે, પણ સમય પુરતા. આહી આખું વર્ષ પાગલપન ચાલતું હોય છે. બીજું જોવાનો બહુ શોખ હોય તો રજા લઇ લે આપની જેમ ચાલુ કામે કે ઓફિસે રમત ના જુએ.એક ફરક એ પણ છે કે અહી અમેરિકન ફૂટબોલ, બાસ્કેટબોલ, બેઝબોલ, ટેનીસ આવી ઘણીબધી રમતોને સરખું પ્રાધાન્ય મળતું હોય છે જ્યારે ભારતમાં ક્રિકેટ સિવાય બીજી કોઈ રમતને નહિ. એમાં આપની રાષ્ટ્રીય રમતની કઢી થઇ ગઈ છે. આવું પગલાપન હોકી, બાસ્કેટબોલ, વોલીબોલ અને વ્યક્તિગત ગણાતી રમતો પ્રત્યે રાખ્યું હોય તો ઓલોમ્પીકમાં સાવ નામોશીભરી હાલત છે તે નહોત.

      Like

Leave a comment