ભક્તોની ભરમાર.

ભક્તોની ભરમાર.
મિત્રો અગાઉના લેખમાં મેં એક વાક્ય સારરૂપ લખેલું લાલ અક્ષરે કે પુરુષનો સ્વભાવ વસ્તુલક્ષી અને સ્ત્રીનો સ્વભાવ માનવીય વધુ સમજવો.હવે આગળ વાંચો.

ભારતમાં આટલાં બધા ભક્તો કેમ પાક્યા?આટલાં બધા સંતો,મહંતો,સંપ્રદાયો,ભક્તો બીજા કોઈ દેશમાં નહિ હોય.અહી કેમ?છતાં કોઈ પ્રગતિ,કોઈ સુધારણા કેમ થતી નથી?કોઈ નૈતિકતા કેમ અમલમાં મુકાતી નથી.સરેરાશ ભારતીય પુરુષ ફીમેલ બ્રેઈનથી વધુ વિચારતો હોય છે.કોઈતર્ક,ગણિત કે લોજિક એમાં દેખાતું નથી.બધી વાતો હવામાં અદ્ધર,જમીન પર પગ હોતા નથી.દરેક વાતમાં ફક્ત અને ફક્ત ભગવાન જ દેખાય છે.જે કશું ભારત માટે વિશેષ કરવાનો નથી કે કરતો નથી,કારણ ભગવાન માટે આખી દુનિયાના દરેક માણસો,પ્રાણીઓ,દેશ અને જાતી સમાન છે.ભારત માટે વિશેષ પ્રેમ હોય કે પક્ષપાત હોય તેવું કદાપિ ના હોય,જો ભગવાન હોય તો.અને જો પક્ષપાત રાખે તો એ ભગવાન ના કહેવાય.
એક તત્વજ્ઞાનનાં અધ્યાપક શું કહે છે,તે જુઓ.એમના કહેવા પ્રમાણે ભારતને આઝાદી ભગવાને અપાવી.ભલે ગાંધીજી અને બીજા ફ્રીડમ ફાઇટર લડ્યા કે મહેનત કરી,પણ ખરેખર ભારતને આઝાદી ભગવાને અપાવી છે.તો ગાંધીજીએ મહેનત નકામી કરી,અને ગોળીઓ ખાધી.ચાલો એમનો તર્ક માણીએ.એમનું કહેવું છે કે ભારત આઝાદ થયું ત્યારે બ્રિટનનો વડાપ્રધાન એટલી હતો,જે મજૂર પક્ષનો હતો.એના પહેલા બીજા વિશ્વયુદ્ધ વખતે ચર્ચિલ વડાપ્રધાન હતો જે ભારતને આઝાદી આપવાનાં સમર્થનમાં ના હતો.બીજા વિશ્વયુદ્ધમાં જીતવા છતાં પછીની ચૂંટણી ચર્ચિલ હારી ગયો.હવે મજૂર પક્ષના વડાપ્રધાન એટલી આવ્યા અને ભારતને આઝાદી આપી દીધી.ત્યાર પછી વર્ષો લગી મજૂર પક્ષ સત્તા પર આવ્યો નહિ.એટલે ભગવાને આયોજન કર્યું,ચર્ચિલ હાર્યો,એટલી આવ્યા.આઝાદી અપાઈ ગયા પછી વર્ષો લગી મજૂર પક્ષ સત્તા પર આવ્યો નહિ.આ બધું આયોજન ભગવાને કર્યું અને ગાંધીજીએ નફામાં ગોળીઓ ખાધી.ના કોઈ લોજિક ના કોઈ ગણિત.જુઓ ભારતના એક તત્વજ્ઞાનનાં અધ્યાપકની શોચ.તો પછી ભારતને ૮૦૦ કે ૯૦૦ વર્ષની ગુલામી કોણે આપી? ત્યારે ભગવાન ક્યાં હતા?ભગવાને આવા નાટક શું કામ કરવા પડે કે પહેલા ગુલામી આપો,પછી ચર્ચીલને હરાવો પછી આઝાદી અપાવો.
શ્રી કૃષ્ણનાં માથે મોરપંખ કેમ?બીજું કશું કેમ નહિ?ચાલો એક ભારતીય વિધાર્થીની શોચ જોઈએ.એણે ઘણા મહિના વિચાર કર્યા,મગજનું દહીં કર્યું પછી એને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું કે મોર શારીરિક સંસર્ગ ઢેલ સાથે કરતો નથી,મોરના આંસુ પીને ઢેલ ગર્ભવતી બને છે,માટે રીયલ બ્રહ્મચારી છે.કૃષ્ણ પણ બાલબ્રહ્મચારી ગણાય છે માટે મોરપંખ માથે લગાવે છે.ના કોઈ તર્ક ના કોઈ જ્ઞાન ના કોઈ વિજ્ઞાન.એવરેજ ભારતીય ધાર્મિક વધારે હોય છે.રોજ પૂજા પાઠમાં સમય વ્યતીત વધારે કરતો હોય છે.પૂજા પહેલી કામ પછી.ઇવન ડૉક્ટર,સાયન્સ ગ્રૅજ્યુએટ,તર્ક શાસ્ત્રનો નિષ્ણાત,એન્જીનીયર કોઈ પણ હોય ધાર્મિક પૂજાપાઠમાં સમય વ્યતીત કરતો હોય અને અતાર્કિક વાતોમાં બીલીવ કરતો હોય છે.ભણતર ખાલી ટેક્નિકલ માહિતી બની જતું હોય છે.
અતાર્કિક વાતોમાં લાગણીનું તત્વ વધુ હોય છે.અતાર્કિક વાતો ફીમેલ બ્રેઈન વધુ કરી શકે,મેલ બ્રેઈન નહિ.ભારતીય સમાજ ઉપર ભક્તોની ખૂબ મોટી અસર છે.ભક્તો એટલાં બધા થઈ ગયા છે કે યાદ પણ ના રહે.નારદે ભક્તિ સૂત્રો લખ્યા છે.મીરાં,દયા,સહજોબાઈ,કબીર,ચૈતન્ય,વલ્લભાચાર્ય,સુરદાસ,અષ્ટસખા,એકનાથ,તુકારામ,નરસિંહ,જીવણ,ગંગાસતી ભરમાર એટલી બધી છે કે યાદ કરવું મુશ્કેલ.ભારતનો કોઈ ભાગ,પ્રાંત,જિલ્લો કે તાલુકો બાકી નહિ હોય જ્યાં કોઈ મહાન ભક્ત પેદા થયો ના હોય.આશરે ૨૫૦૦૦ કરતા વધારે સંપ્રદાયો છે,બધા ભક્તિ સંપ્રદાયો છે.કોઈ યોગ માર્ગના કે અદ્વૈત માર્ગના હોય તેવું બહુ ઓછું હશે.યોગ,રાજયોગ એ મેલ બ્રેઈનનું ઉત્પાદન છે.ભક્તિ ફીમેલ બ્રેઈનનું ઉત્પાદન છે.યોગમાં એક પધ્ધતિ છે,નિયમસર છે.પુરુષ જયારે ભક્ત બને ત્યારે વધારે પડતી કલ્પનાઓ કરતો હોય છે.કોઈને વિઠોબા દેખાય છે,કોઈ બાળકૃષ્ણ સાથે રમે છે.કોઈ મહાકાળી સાથે વાતો કરે છે.કોઈનું ધરાવેલું દૂધ કૃષ્ણ આવીને પી જાય છે.કોઈને રાસલીલાના પ્રત્યક્ષ દર્શન થાય છે.૫૦૦૦ વર્ષ પહેલા થયેલો એક ઐતિહાસિક પુરુષ આજે નવરો હશે?મેં જાતે એક ભાગવત કથાકારને રડતા જોયા છે વ્યાસપીઠ ઉપર.હવે ૫૦૦૦ વર્ષ પહેલા થયેલા બાળક વિષે કોઈ આધારભૂત માહિતી હોય કે ના હોય પણ એને યાદ કરીને આજે રડવું તે ફીમેલ બ્રેઈન જ કરી શકે.જે વસ્તુ હાજર ના હોય છતાં એને જોવી એક્ષ્ટ્રીમ ફીમેલ બ્રેઈન નું કામ છે.જેને પેરનાઈડ સ્કીજોફ્રેનીયા કહેવાય.બસ આ ભક્તોની ભરમારે આખા દેશને સ્કીજોફ્રેનીક મનોદશાના પ્રવાહમાં તરતો કરી દીધો.બધાને જ્યાં અને ત્યાં ફક્ત ભગવાન જ દેખાય છે.ભારતને આઝાદી ભગવાને અપાવી ને ગુલામી કોણે અપાવી?આઝાદી અપાવવી હતી માટે ગુલામી અપાવી? આટલાં બધા સોશિયલ રીફોર્મર પેદા થયા પણ કોઈ વ્યવસ્થિત સોસાયટી ઊભી થઈ નહિ.કોઈ શિસ્તબદ્ધ સમાજ પેદા થયો નહિ.મેલ બ્રેઈન ટાઈમ કોન્શિયસ હોય છે.શિસ્ત,આયોજન,એક ચોક્કસ પધ્ધતિ,તર્ક અને ગણિત એ મેલ બ્રેઈનનો સ્વભાવ છે.સ્ત્રીઓ ટાઈમ કોન્શિયસ હોતી નથી તે સહુ જાણે છે.ભારતમાં કોઈ કામ નિયમસર અને ચોક્કસ સમય મર્યાદામાં થતું નથી.એવરેજ ભારતીયોની વાત છે બધાની નહિ.ભારતમાં મેલ બ્રેઈન અને ફીમેલ બ્રેઈનનું બેલેન્સ જળવાયું નહિ.અને મેઈલ બ્રેઈન ધરાવતા આક્રમણકારીઓ જીતી ગયા.વધારામાં આક્રમણકારીઓના ભારે દબાણ હેઠળ જીવતી પ્રજા લડવાને બદલે,સામનો કરવાને બદલે વધારે ને વધારે ભગવાન તરફ ઢળતી ચાલી.વધારે ને વધારે કમજોર બનતી ચાલી.દુષ્ચક્રનો કોઈ અંત જ નહિ.મુસ્લિમ આક્રાન્તાઓ આવ્યા પછી ભક્તિ મુવમેન્ટ ખૂબ જોર પકડવા લાગી.લોકો નિસહાય બની ભગવાનને પોકારવા લાગ્યા.પ્રજા એક ભ્રાંત દિલાસામાં રાચવા લાગી.ભગવાન આવશે,સબ ઠીક હો જાયેગા.મોટાભાગના ભક્તો આ સમયગાળામાં થયા છે.
કોઈ પણ વિષય કે બાબત હોય લાગણી,ભાવનાઓનું પાગલપન હોવું તે ભારતની ઓળખ બની ગઈ છે.ક્રિકેટ હોય કે રામ મંદિર,બાબરી મસ્જિદ હોય કે ગણેશોત્સવ,ઉત્તરાયણ હોય કે દશામાં,હોળી હોય કે સાંઈબાબા.પાગલપન સિવાય કશું દેખાતું નથી.ક્રિકેટ સારું છે પણ એનું પાગલપન ખોટું.તહેવારો સારા છે પણ એનું પાગલપન ખોટું.સાંઈબાબા,ગણપતિ,હનુમાનજી બધા સારા પણ એમનું પાગલપન ખોટું.ઉત્તરાયણ પહેલા એક દિવસની મેં જોઈ છે,હવે બે દિવસની થઈ ગઈ છે.ક્રિકેટ મેચના દિવસે કચેરીઓમાં સ્વૈચ્છિક હડતાલ જેવું હોય છે.૯૯% ભારતીયો ભાવનાઓના પ્રવાહમાં તણાઈ જતા હોય છે.અરે એક નારો એક સિમ્બોલ એક ચિત્ર ભારતને લાગણીના પ્રવાહમાં તાણી જઈ શકે છે.’ગરીબી હટાવો’ એક નારો અને કોંગ્રેસ જીતી જાય છે,એની પાછળ કોઈ તર્ક છે કે નહિ ?કોઈ નહિ વિચારે કે ભાઈ ગરીબી રાતોરાત ના હટે.ગાય વાછરડું ચિન્હ રાખો અને ચુંટણી જીતી જાઓ.આપણે શિસ્તબદ્ધ પ્રજા નથી તેવું કહેવું જરાય ખોટું નથી.માટેજ એક નાનકડા દેશની શિસ્તબદ્ધ પ્રજા આપણા ઉપર ૨૦૦ વર્ષ રાજ કરી ગઈ.એક આક્રમક સ્વભાવનું નાનકડું જૂથ ૭૦૦ વર્ષ રાજ કરી ગયું.પાગલપન ના તર્કનું હોવું જોઈએ,ના લાગણીઓના પાગલ પ્રવાહમાં ડુબકા ખાવા જોઈએ.
શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે?ઇવોલ્યુશનરી મનોવિજ્ઞાન શું કહે છે?આવતા અંકમાં જોઈશું.

31 thoughts on “ભક્તોની ભરમાર.”

  1. સરસ , બહુ જ સરસ
    આપણે ત્યો , સાધુ સંતો , લાગણીઓનો , વેપાર કરી ,પોતાનો તરભાણો, ભારે છે ,
    શ્રદ્ધા નાં નામે ,ઈશ્વરને ય ,છેતરે છે ,
    પાગલપન ના તર્કનું હોવું જોઈએ,ના લાગણીઓના પાગલ પ્રવાહમાં ડુબકા ખાવા જોઈએ ,

    Like

  2. શબ્દેશબ્દનું સમર્થન કરવાની સાથે હું તમારા મૂલ્યાંકનને આગળ એશિયા સુધી લંબાવવા માગું છું; બધા ભગવાનો, ધર્મો એશિયામાં જ કેમ થયા? ભારતમાં દસ દસ અવતાર (કલ્કી પેંડિંગ), અને તે પછી બુદ્ધ, મહાવીર, મહર્ષિ અરવિંદ અને છેલ્લે, આચાર્ય રજનીશ ભગવાન રજનીશ બન્યા અને ઓશોમાં પરિણમ્યા. (અમેરિકામાં જેલમાં જવું પડ્યું એ વાત જુદી છે). તાઓ, શિન્તો, લાઓત્ઝે, કન્ફ્યૂશિયસ, ઇઝરાઈલમાં યેહોવેહ, મોઝિસ, ઇસા મસીહ આરબોમાં.મહંમદ પયગંબર… ગણ્યા કરો, ખૂટશે નહીં. યુરોપમાં કેમ કોઈ ધર્મ પેદા ન થયો?
    મને લાગે છે કે ઇતિહાસ જોઇએ તો જણાશે કે આ બધા સમાજોમાં કબીલાઈ ભાવનાઓ પ્રબળ રહી. વ્યક્તિનું મહત્વ ઓછું અને સમૂહનું મહત્વ વધારે. એનો અર્થ એ કે સમૂહના નેતાનું મહત્વ સૌથી વધારે. એટલે સતત નેતા શોધવાની, કોઇ આધાર શોધવાની ટેવ બની ગઈ. કબીલાઇ મેન્ટાલિટીને કારણે જ આજે લડાઈઓ પણ એશિયામાં જ થાય છે. (અહીં હું સામ્રાજ્યવાદી સતાઓની ભૂમિકાની વાત હમણાં નહીં કરૂં, એશિયાની આંતરિક સમસ્યાપર જ વિચાર કેન્દ્રિત રાખું છું).
    બીજું આ બધા સમાજોમાં પુત્રનું મહ્ત્વ વધારે રહ્યું. એટલે સ્ત્રીઓ્ને વિકાસની તક ઓછી મળી. આમ આખા એશિયા વિશે વિચારવાની શક્યતા છે.
    તમે ભારતને આઝાદી મળવા વિશે જે પ્રોફ઼ેસરસાહેબનો દાખલો આપ્યો છે તે મેં પણ વાંચ્યો છે. તમે તો વાંચીને એનો તર્કબદ્ધ જવાબ આપ્યો છે પણ મેં તો વાંચીને કમ્પ્યૂટર જ shutdown કર્યું, પાંચ મિનિટ પછી ઊંડો શ્વાસ લઈને ફરી ઓપન કર્યું. કૃષ્ણે મોરપિચ્છ શા માટે ખોસ્યું એનો ખુલાસો તો પ્રોફ઼ેસરસાહેબ કરતાં પણ વધુ રસપ્રદ છે. ખરી વાત એ કે કૃષ્ણને પીંછું ખોસવાનું મન થયું એટલે ખોસ્યું. નાનાં બાળકો તો આવું ઘણું કરતાં હોય છે.

    Liked by 1 person

  3. શ્રી ભુપેન્દ્રસિંહજી,
    “શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે?ઇવોલ્યુશનરી મનોવિજ્ઞાન શું કહે છે?” — આ પ્રશ્નનો ઉત્તર જાણવાની જીજ્ઞાસા નિરાંતે ઊંઘવા પણ નહીં દે ! જરા ઝડપ રાખજો ! આભાર.
    (અમારી સાથે સાથે સમાજની ઊંઘ પણ ઉડી જાય તો કેવું સારું !!)

    Like

    1. અશોકભાઈ,
      હું જવાબ આપવાનો પ્રયત્ન કરૂં?
      સર્વાઇવલની જરૂરિયાતને કારણે જીન પરિવર્તનો થતાં રહ્યાં અને જીવો ટકી રહ્યા.એમનાં શારીરિક ફેરફારો પણ થયા – કેટલાક બાહ્ય અને કેટલાક આંતરિક. માણસનું મગજ વિકસ્યું એટલે કુદરતે સર્વાઇવલ માટેના રસ્તા શોધવાની અમુક જવાબદારી માણસ પર જ છોડી દીધી. એણે મગજનો ઉપયોગ કર્યો અ્ને જુદા જુદા રસ્તા શોધ્યા. આમાં એક હતો સહકારનો. એકબીજાને સહારે જીવવાનો. આમાંથી નૈતિકતાનો વિકાસ થયો,જે ખરેખર તો સર્વાઇવલનો જ ઉપાય છે.
      કુદરતે બધું માણસ પર છોડ્યું એટલે જ માણસના બાળકના પૂર્ણ વિકાસમાં અઢાર વર્ષ લાગી જાય છે. બીજાં પ્રાણીઓ કરતાં આ પ્રક્રિયા ધીમી હોવાથી પૂર્ણ વિકાસ માટે પ્રમાણમાં લાંબી આવરદા પણ મળે છે. નીતિમાંથી ધર્મ બન્યો. એટલે આજે આપણે ધર્મનું જે રૂપ જોઈએ છીએ તે ન હોય તો પણ ચાલે. નૈતિક આધારે જીવી શકાય કારણ કે આપણી વિલંબિત વિકાસ પ્રક્રિયામાં એ આવશ્યક સાધન છે. આમ માણસ ધાર્મિક બનવા સર્જાયો છે એવું નથી.એ માત્ર મગજની પ્રવૃત્તિ છે.
      ધર્મ અને ભગવાન માણસની શોધ છે. ગાય-ભેંસ કે સિંહ, હરણ વગેરે પણ ધર્મ કે ભગવાનના ખ્યાલ વિના જીવે જ છે. એમના પર કુદરતના કાનૂન સીધા જ લાગુ પડે છે. માનવીય મૂલ્યો ત્યાં લાગુ પડતાં નથી. જખમી પ્રાણીને મરવા માટે છોડીને સમૂહ આગળ વધી જાય છે; નવો ગર્ભ રહે ત્યારે માદા પહેલાં સંતાનને મારીને દૂધ છોડાવે છે. આપણે દયા ખાઈએ પણ એવી દયાનું કુદરતમાં કામ નથી. એ આપણાં મૂલ્યો છે. અને માણસ એના વિના જીવી પણ નહીં શકે કારણ કે એને સર્વાઇવલ માટે કુદરત તરફથી ઓછી મદદ મળે છે.

      Liked by 1 person

      1. દિપકભાઇ, આપની પાસેથી ખરે જ ઘણું જાણવા મળે છે, માહીતિઓ તો બરાબર પણ વિચારવાની અગોચર દિશાઓ પણ ક્યારેક ઉજાશમય થાય છે. ’ધર્મ અને ભગવાન માણસની શોધ છે.’ એ વાત શાથે સહમત થવું, વિચારી શકતા મનુષ્ય માટે, અઘરું નથી.
        અર્થાત ધર્મ અને ઈશ્વરને મનુષ્યકૃત માની લઇએ તો ઘણી વાતોના ખુલાસાઓ મળી જાય. જે કંઇ મનુષ્યની મર્યાદાઓ છે તે તેમાં પણ હોવાની જ. પછી કહેવાતો ધાર્મિક માણસ પણ લોભ, મોહ, સ્વાર્થ જેવા ગુણો કેમ ધરાવે છે તે વધુ સહેલાઇથી સમજાશે. કે ઈશ્વરોએ ફલાણું કે ઢિંકણું, ન કરવા યોગ્ય, કાર્ય કેમ કર્યું તે પણ સહેલાઇથી સમજાશે. કારણ કે મનુષ્ય જે રચશે તેમાં મનુષ્યની સ્વભાવગત મર્યાદાઓ તો રહેશે જ.

        એક માત્ર મૂલ્યોની વાતે આપના કથનને હું થોડું વિસ્તૃત કરીશ. મૂલ્યો માત્ર મનુષ્યને જ હોય તેવું પણ નથી. સર્વાઇવલ માટે લગભગ સમગ્ર જીવ જગતે પોતાનાં આગવા મૂલ્યો કેળવ્યા છે. જે ભલે સાવ આપણા મૂલ્યો જેવા ન હોય, પરંતુ સેવા, દયા, મમતા, મદદ, સમર્પણ જેવા મૂલ્યો અન્ય જીવજગતમાં પણ વિદ્યમાન હોવાનું જણાય છે.

        આપનું ઉમદા માર્ગદર્શન આપતા રહેશો. કશું ભુલજનક કે ખોટી માહીતિ હોય તો ટકોરજો પણ ખરા. આભાર.

        Like

        1. આપણે બહુ પાછળથી પેદા થયા છીએ.બીજા પ્રાણીઓ આપના કરતા ઘણા વહેલા એટલે લાખો વર્ષ પહેલા આવી ગયેલ.ઘણા બધા મૂલ્યો આપણે પ્રાણીઓ પાસે થી શીખ્યા છીએ.વફાદારી કુતરા પાસેથી શીખ્યા છીએ.ઓશો કહેતા કે વાત્સલ્ય આપણે ગાય પાસેથી શીખ્યા છીએ,માટે એક સમયે માનવ માનવને ભક્ષી જશે તો ચાલશે પણ ગાયનું ભક્ષણ કદાપી ના થવું જોઈએ.ઓશો સાચા છે કે ખોટા તે હું જાણતો નથી,પણ એમની ઉદ્દાત ભાવના દેખાઈ આવે છે.મૃત્યુ પછી બેસણાની વિધિ મને લાગે છે હાથી પાસેથી શીખ્યા હોઈશું.કોઈ વાર હાથીઓની લાઈફ સ્ટોરી સમય મળે જોઈ લેશો.

          Like

          1. હાથી, ડૉલ્ફિન જેવાં પ્રાણીઓમાં સહકારની ભાવના વિકસી છે અને એમાં આવા કેટલાક ગુણો જણાય છે. એમની આવરદા પણ લાંબી હોય છે. એમનાં સામાજિક નિયમો વિકસ્યા છે.

            Like

            1. સાચી વાત છે.કુતરાઓ વિષે હમણા ખૂબ રીસર્ચ થયું છે.એના વિષે એક લેખ લખવાનો છું.એકદમ નવુંજ જાણવા મળશે.ઇન્તજાર મેરે યાર!!!

              Like

  4. ’ગરીબી હટાવો’
    હટાવી જ ને! પ્રધાનોની ગરીબી હટાવી પ્રજાને આપી. “ગરીબી મિટાઓ” એમ તો નહોતું કહ્યું તેનું આ જ કારણ હશે?

    ‘પાગલપન ના તર્કનું હોવું જોઈએ,ના લાગણીઓના પાગલ પ્રવાહમાં ડુબકા ખાવા જોઈએ” સાવ સાચી વાત.

    Like

  5. : – ) અત્યારે P-4 પ્રોસેસર વાળી સિસ્ટમ વાપરું છું ! હવે કદાચ ક્વાડ્રાકોર પ્રોસેસર લાવવું પડશે !! અર્થાત સિસ્ટમ ધીમી પડે છે !!! (ટુંકમાં, બાપુ, પહેલાં લેખ સરખો સમજાય ત્યારેને ! ખોટી વાહ વાહ કે ખોટો વિરોધ બંન્ને કુરુક્ષેત્રનાં વિદ્વાન વાંચક-લેખક મિત્રોને નહીં ગમે.) એક વિનંતી, લેખમાં ઉલ્લેખાયેલ તત્વજ્ઞાનનાં અધ્યાપક વાળા લેખની લિંક, શક્ય બને તો મેઇલ કરશોજી. માત્ર અભ્યાસ અર્થે જ.

    દિપકભાઇએ કહ્યું તેમ, મારું પણ આ લેખના ’શબ્દેશબ્દનું સમર્થન’ . એકદમ તર્કબદ્ધ અને બેલેન્સ્ડ લેખ છે. અને સમગ્ર પૌર્વાત્ય સમાજોને લાગુ પડે છે. (આથીજ તો પૌર્વાત્ય અને પશ્ચિમી સંસ્કૃતિ એવા બે સ્પષ્ટ વિભાજન થયેલા છે.) કદાચ આ પૂર્વીય વિસ્તારોના સમાજોની ખામી પણ હોય કે ખુબી પણ હોય, એ તો આકલનકર્તા પર નિર્ભર છે પરંતુ અહીં ખામી-ખુબી જે કહો તે એકદમ ’જેમ છે તેમ’રૂપે આપે દર્શાવ્યા છે.

    રહી વાત ભારતની હાલની સમસ્યાઓ શાથે ભક્તો, ભક્તિ કે ધાર્મિકતાનાં જોડાણની. તો હજુ સાવ પાકેપાયે તો એમ ન માની શકાય કે આ એકમાત્ર કારણ છે. કારણ કે પૂર્વમાં જ જાપાનને લો તો તે કદાચ આપણાથી પણ વધુ ધાર્મિક છે અને પોતાની મુળ સંસ્કૃતિ શાથે જબ્બર એટેચમેન્ટ ધરાવે છે, છતાં તેમણે જબ્બર આર્થિક અને તકનિકી પ્રગતિ કરી જ છે. મધ્યપૂર્વને લો તો ત્યાંતો ધર્મનો સૌથી વધુ પ્રભાવ રાજ્ય અને સમાજ બંન્ને પર છે. છતાં તેઓની પ્રગતિ આકાશને આંબે છે. તો પછી આપણે જ (અન્ય પણ આપણા જેવા ઘણા છે, પણ આપણે તો હાલ માત્ર આપણી ચિંતા જ કરીશું) આ ધાર્મિકતા કે ભક્તિનાં કારણે કુંડાળામાં કેમ ફસાઇ ગયા ? ખામી ભક્તોમાં છે ? માર્ગદર્શકોમાં છે ? કે પછી આપણી સમજણમાં છે ? ઉત્તર કંઇ ઉપરછલ્લું ખોતરવાથી નહીં મળે, બહુ ઊંડેસુધી, લોહી નીકળી આવે ત્યાં સુધી ખોતરવું પડશે ! તેમાં ઉપરછલ્લા ખોતરવા જેવા ગલગલિયાં નહીં હોય, અસહ્ય વેદના પણ થશે. સાચો જવાબ મેળવવા માટેની આટલી કિંમત તો ચુકવવી પડે ને ?

    આપ આ ખોતરવાનું કામ ચાલુ રાખશો, સમાજ પર આપનો આ ઉપકાર થશે. બાકી એક શાયરે સુંદર સમજાવ્યું છે કે;
    કૌન કહેતા હૈ આસમાં મેં સુરાખ નહીં હોતા |
    એક પથ્થર તો તબિયતસે ઉછાલો યારો ||
    કશો ફાયદો નહીં થાય તો પણ, આપણને તો તબિયતથી પથ્થર ઉછાળવાનો આનંદ તો મળશે જ. આભાર.

    Like

    1. ભાઈ દીકરાઓએ ભેગા થઈને જન્મ દિવસે લેપટોપ નવું ડેલ નું આપ્યું છે.એમાં ઇન્ટેલ કોર આઈ ૩ ઇન સાઈડ એવું સ્ટીકર છે.અહી જોકે કદી ધીમું લાગતું નથી,કદાચ નેટ સ્પીડ વધુ હશે.

      Like

    2. ભાઈ, મેં અગાઉ માન્યતાઓએ આપી ધોબી પછાડ,અને દીવાલો જેમણે રોકી પ્રગતિ જેવી લેખમાળામાં બીજા ઘણા બધા કારણોની ચર્ચા કરી છે.હવે જાપાન વિગેરે દેશો એક તો આક્રમકતા ધરાવે છે.કોઈ પણ કામ હોય એમની આક્રમકતા છાતી થઇ જાય.આર્થીક પ્રગતિ હોય તો પણ આક્રમક રવૈયો.પ્રજા જુસ્સાવાળી છે.ત્યાં ધર્મ હશે,એનું પાગલપન નહિ હોય.લાગણીઓનો પ્રવાહ પાગલપનની હદનો ના હોય.ત્યાં ઝેન સંપ્રદાયનું જોર ખરું.પણ ઝેન એટલે મેલ બ્રેઈન.વળી બુદ્ધ ફિલોસોફી જુદી પડે.બુદ્ધની ફિલોસોફી કહે છે એકની એક નદીમાં ફરી બીજો પગ મૂકી ના શકો.ક્ષણે ક્ષણે જગત બદલાય છે.જયારે અહી ભારતમાં જુનું એટલું સોનું છે.કશું બદલાતું નથી.બદલાય તેની તરફ અવિશ્વાસ.જાપાનમાં ધર્મ અને નીતિ સાથે સાથે.અહી નીતિનિયમો અને ધર્મને કશું લાગે વળગતું નથી.અહી ધાર્મિક માણસો જ મહાચોર હોય છે.અહી ધાર્મિક ગુરુઓ મહાચોર અને ભ્રષ્ટાચારના જનક હોય છે.નામસ્મરણ કરો,પૂજા કરો,ગુરુઓને દાન આપો,મદિર બંધાવો અને પાપોમાંથી મુક્ત થઇ જાઓ.
      સામાન્ય જન ને માર્ગદર્શકની જરૂર પડે જ છે.આમપ્રજા ગુરુઓ અને નેતાઓની દોરવાયેલી ચાલતી હોય છે.એક જ વાક્ય ખાના ખરાબી કરી શકે છે.દરિયો ના ઓળંગાય એવું એક વાક્ય કોઈ મહાનાવિક કોલંબસ કે વાસ્કોદીગામાં જેવો ના પાક્યો.પહેલી ખામી માર્ગદર્શકોની બીજી આપણી સમજણની.જાપાનમાં ભૌતિકવાદનો,આધુનિકતાનો વિરોધ નથી.અહી છે.મર્સીડીઝમાં ફરનારો બાવો પણ ભૌતિકવાદને ગાળો દેતો હશે.જાપાન અને ચીનમાં ત્યાની માર્શલ આર્ટે પ્રજાને અગ્રેસિવ બનાવી અહી પ્રજા ભક્તિ કરી કરી કમજોર બનતી ગઈ.હિરોશીમા પર બોમ્બ ફેકાયા પછી પ્રજા મંજીરા લઇ બેસી ના ગઈ કે હે ભગવાન હવે અવતરો અને પાપીઓનો નાશ કરો.જાતે જ ઉભી થઇ ગઈ.ઉલટાની વધારે તમામ તાકાતથી ઉભી થઇ ગઈ.રહીસહી આળસ પણ ખંખેરી નાખી.અને અહી બોમ્બ ફેક્યો હોત તો લાખો ભક્તો પેદા થઇ ગયા હોત.ગામેગામ મંજીરા અને કરતાલોના સંગીત વાગતા હોત કે ભગવાન હવે અવતરો,ઘેર ઘેર યજ્ઞો થતા હોત.પોળે પોળે અને શેરીએ શેરીએ મહાન ભક્તો પેદા થઇ ગયા હોત.૨૫૦૦૦ સંપ્રદાયોને બદલે ૧૨૫૦૦૦ સંપ્રદાયો હોત.ઘરમાં બે ભાઈ હોત તો એક સાધુ બની ભગવાનને બોલાવતો હોત.ઘર ઘરમાંથી એક સાધુ અને એક ભક્તાણી પેદા થઇ ગઈ હોત.
      ટૂંક સાર એક કે ભારતમાં સમાજ અને સમજ ઉપર ફીમેલ બ્રેઈન હાવી છે.મેલ બ્રેઈન અને ફીમેલ બ્રેઈનનું એક બેલેન્સ જોઈએ જે ભારતમાં નથી.અહી હું કોઈને વ્યક્તિગત કે જાતિગત સ્ત્રૈણ કહેતો નથી,બ્રેઇનની વાત કરતો હોઉં છું.

      Liked by 1 person

  6. આદરણિય ભુપેન્દ્રસિંહજી.. મુખમાથી વાહ બોલિ જવાય એવો અદભુત લેખ

    આપણા દેશમા ગણા ભક્તો પેદા થયા.. પરંતુ રાશ્ટ્રિય પુરુશો કેટલા? મારી દ્રશ્ટિએ જેમણે આપણા સમાજના અને આપણા દેશના પ્રશ્નો હલ કરવાની કોશિશ કરિ એમને રાશ્ટ્રિય પુરુશો કહિ શકાય.. જેમકે ચાણ્ક્ય , ગુરુ ગોવિંદસિંહ , રાજા રામમોહન રાય, શિવાજી , ગાંધીજી , સુભાશ , ભગતસિંહ , દયાનંદ સરસ્વતી…વિગેરે..અને આપણો સમાજ ભક્તોના જેટલા ગુણગાન ગાય છે એટલા આ રાશ્ટ્રિય પુરુશોને ક્યાં અનુશરે છે ? આપણા ગુજરાત પુરતો એક સર્વે કરવામા આવે કે.. આપણા ઘરોમા સાધુ, ભક્તો ના કેટલા ફોટા છે અને રાશ્ટ્રિય પુરુશોના કેટલા ફોટા છે .? આ આકંડા નુ પ્રમાણ ઘણુ ચોંકાવનારુ હોવાનો સંભવ છે .હાં સ્વામિ વિવેકનંદ ના ફોટા થોડા હશે પણ એ એમના ભગવા પરિધાન ને કારણે.. જો શર્ટ અને પેન્ટ્મા સ્વામિજી ના ફોટા હોય તો સ્વામિજી તો એના એ છે .. પણ આપણા માટે હવે ફોટા પુરતા પણ લાયક નથી..
    જય સંતોષિ મા, જય દશા મા , જેવા ચલચિત્રો superhit .. અને ગાંધી , ગાંધી માય ફાધર , ખેલે હમ જી જાનસે . ભગતસિંઘ, જેવા ચલચિત્રો ફ્લોપ કેમ ?જો આપણે રાશ્ટ્રિય પરિપેક્ષ નો વિચાર ના કરિશું અને સમસ્યા ઉપર ધુળ નાંખતા રહિશું તો આ સમ્સ્યા આપણા માથા ઉપર બેસિ જસે..

    Like

    1. ભાઈ,બહુ સાચું આપે અવલોકન કર્યું.રાષ્ટ્રીય પુરુષો જેમણે સામાજિક સુધારા કર્યા તેમને આપણે હીરો માનતા નથી.અહી ફિલ્મી લોકો હીરો છે.ગુરુ ગોવિંદસિંહ એક વૈશ્ય પ્રજાને હાથમાં તલવાર પકડાવી આખી પ્રજાને ક્ષત્રિય બનાવનાર હતા.એમનું પોતાનું નામ ગોવિંદરાય હતું.ગાંધીજીના ફોટા નીચે બેસી નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે.રાજા રામમોહનરાય ને ભવિષ્યની પ્રજા ઓળખવાની પણ નથી.દયાનંદને ઝેર આપી મારી નાખ્યા.આવા અવલોકન કરતા રહો અને પ્રતિભાવ આપતા રહો.ધન્યવાદ.

      Like

  7. સશક્ત લેખ અને સાથે એવા જ પ્રતિભાવ દિપકભાઇ,અશોકભાઇ, વિજ્ઞાન સાથે અનેક વિવિધ વિષયો પર જ્ઞાન વર્ધક,વિચાર પ્રેરક ચર્ચા,
    બાપુ ”જોર કા જટકા ધીરે સે નહિ અહિ જોર સે લગે” અને બંદ પડેલા કટાઈ ગયેલા મજ્જા તંતુઓ જાગ્રત અવસ્થા માં આવે ,
    આપનો “વિચારે ગુજરાત” નો અભિયાન આગળ અને આગળ પ્રગતિ કરે તેવી શુભેચ્છા સહ

    Like

    1. આલે….લે..તને પણ વિચારતો કરી દીધો !!!!!
      હવે બાપુ ધારે તો પથ્થરમાંથી પણ પાણી કાઢી શકે !!!
      (ભ‘ઇ આ કુરુક્ષેત્ર છે, તું તો શકિલ છે, બાકી અહીં તો શિખંડીને પણ જુસ્સો ચઢી જાય ! : – ) )

      Like

        1. વિચારતો હોત !!! તો મને લંગોટીયો મિત્ર બનાવ્યો હોત ???
          અને બીજો પુરાવો,,, વિચારતો હોત !!! તો પરણવા ગયો ત્યારે અમારી સુશિખામણ જરૂર માન્યો હોત !!!
          જો કે હવે આપે તેને વિચારતા કરી દીધા છે તો જોઇએ શું ગુલ ખીલવે છે !

          Like

          1. બાપુ આ અશોક “જી” ને હળી કરવા કોઈ જોઇએ આ.. હુ ઝપટ માં આવી ગયો ખેર ….[એક બાજુ સિંહ ની ત્રાડો ને બીજી બાજુ વાઘ ના ઘુંરકીયા વિચારવું તો પડશે જ ને !]

            Like

  8. અહીના બાવા ફાવા માત્ર પેરેનોઈડ સિઝોફેનીયા જ નહી સાથે હેલ્યુસીઝન ડિસઑર્ડરના પણ શિકાર લાગે છે કાં તો ચાલાક મનો વિદ છે … જેને માનવીય સંવેદના ને સીધી ધર્મ સાથે જોડી ..માસ હિસ્ટીરીયાના પ્રયોગ કરતા રહે છે કોઈ ક્થાના નામે કોઈ આશ્રમ ના નામે..

    Like

    1. ભાઈ આ સીરીજ હું લખું છું તે ઇવોલ્યુશનરી સાયકોલોજી અને બાયોલોજી ઉપર લખું છું.આખો દેશ પેરનાઈડ સ્કીજોફ્રેનીક બનાવી દીધો છે આ ભક્તો અને બાવાઓએ.આપ બહુ રસ પૂર્વક સતત વાંચી રહ્યાં છો.લાગે છે ઊંઘવાનો ઈરાદો નથી.ખૂબ ખૂબ આભાર.

      Like

  9. ભગવાન માટે આખી દુનિયાના દરેક માણસો,પ્રાણીઓ,દેશ અને જાતી સમાન છે.ભારત માટે વિશેષ પ્રેમ હોય કે પક્ષપાત હોય તેવું કદાપિ ના હોય,જો ભગવાન હોય તો.અને જો પક્ષપાત રાખે તો એ ભગવાન ના કહેવાય…..bauj time pachhi kaik damdaar vanchva madyu.. good…

    Like

  10. Bhupendrasinh
    તમે ખરે-ખર માર ખાવા નાં થયા છો…
    અહીં Air-Port ઉપર ઉતરો ત્યારે તમારો આ FaceBook-friends હુર્યો બોલાવશે એ ચોક્કસ…
    આમ તે કઈ સફેદ-સચ્ચાઈ કહેવાતી હશે…? અને તમે તો આખા દેશ નાં સંપ્રદાયો નાં પાયા હચમચાવી દીધા …? કેટલા દુશ્મન ઉભા કરશો? કેટલા ને લાત મારી ને જગાડશો?
    આ દીવા-સ્વપ્ન માં રહેતી પ્રજા ને તો ફોસલાવી અને ધર્મ-નાં-ચમત્કારો (સત્ય સાઈબાબા ની જેમ) બતાવી ને ફોલી ખાવા ની જ હોય…
    આ બધી વગર પ્રતિકાર ની બુધ્ધુ-વનસ્પતિઓ છે…
    ધર્મ નું પાણી પાઓ અને પાક લણો…
    દીવા-સ્વપન બતાવો અને ચેતના હણો…
    ઊંઘવા દો…
    આ આશારામ-બ્રહ્મા કુમાંરીસ-નિત્યાનંદ ની સભા નાં ભક્તો ને કોઈ ફરક પડ્યો?… આ પ્રજા ગુલામી ને લાયકજ છે કારણકે તેઓ દીવા-સ્વપન જોવા વાળી ઊંઘતી પ્રજા છે…
    છોડો જવાદો…
    મરવાદો…

    Liked by 1 person

  11. Moti taklif e chhe ke dharmik babatoma vaicharik niskriyata,e aapni abhan hoy ke bhaneli ke khub bhaneli,prajano no maharog chhe. Shraddha na name evo buch mari devay chhe ke,pachhi bhakt mate andhalu anukaran j baki rahe chhe.

    Like

Leave a comment