गणानांत्वा गणपति|

 
એક મિત્રે કોફી બ્રેક માં પુછ્યુ કે ગણપતિ વિષે શુ માનો છો?
નરી કલ્પના અથવા કોઈ ટ્રાઈબલ ગ્રુપ કે ગણના વડા હોઈ શકે અથવા તેવી કલ્પના. કોઇ પ્રતીક રુપે કોઇએ વાર્તા બનાવી કાઢી હશે. આપણે પુરાણો લખ્યા છે, ઇતિહાસ નહી. પુરાણો પરથી ઇતિહાસના સંદર્ભ શોધીયે છીયે. પુરાણોમા કવિતાઓ જ છે. કવિઓની કલ્પનાના ઘોડાને કોઇ લગામ હોતી નથી. એ પ્રતિકો આજે વાસ્તવીક બનીને દેશને ખર્ચના ખાડામા ઉતારી રહ્યા છે. દેશની જનતાની મહેનતના રુપિયા આડેધડ વપરાય છે. જનતા પણ મુર્ખ બનીને એમા જોડાય છે. પાર્વતી સ્નાન કરવા બેઠા અને નાના દીકરાને કહી ને બેઠા કે ધ્યાન રાખજે. કોઇ આવીના જાય. પિતાને ખબર ના હોય કે મારે એક દીકરો છે તે અસગંત લાગે છે. નાનુ બાળક રોકે તો એમા ગુસ્સો શેનો આવી જાય? વહાલ કરવાનુ મન થાય તેવા બાળકનુ માથુ ઉડાવી દો તેવો ગુસ્સો? કોઇ ક્રેઝી છો કે શુ? ઉપરથી ખુશ થવુ જોઇએ કે બાલક એની ફરજ સારી રીતે બજાવી રહ્યુ છે.
ખેર માથુ તો ગયુ. હવે કોઇ ડોક્ટરને પુછી લઇ યે કે એક નાના બાળકની ગરદનની સાઇઝ શુ હોય? એના ઉપર હાથીની ગરદનની સાઇઝ ફિટ થાય ખરી? નાનાંમાં નાનાં મદનીયાની ગરદન પણ ફીટ ના થાય. અને મેડિકલ સાયન્સ રીતે જોઇન્ટ થાય ખરી? હવે આ વાર્તાનો મોરલ સંદેશો શુ હશે? કે બાળકે પિતાની આજ્ઞાનુ પાલન કરવુ જ. પણ ખબર જ નહોતી કે આ મારો બાપ છે તો? માથુ ગયુ. આમા શીખવા જેવુ છે શુ? આવી જ વાર્તા દક્ષ રાજાની છે. શકંર ભગવાનના સસરા થાય. શંકરજી કાયમ માથા વાઢી નાખવા માટે જાણીતા છે. દક્ષનું  માથુ પણ ગયેલુ પછી કોઇ સર્જનની જેમ બકરાનુ માથુ લગાવી દીધું. પશુઓના અંગ ખાસ તો માથુ લગાવી શકાય તે અશક્ય છે. હા એમના અદંરના કોઈક જ  પાર્ટ્સ વપરાય છે. પણ પશુઓના હાથ, પગ, નાક કે બીજા બાહ્ય અંગો વાપરી શકો તે હાલ તો અશક્ય જ છે. વળી પહેલા ક્યા આટલુ બધુ મેડીકલ સાયન્સ આગળ વધેલુ હતુ? અને એવુ માનીયે તો આપણો દંભ જ છે. ચરક ફીજીશિયન હતા, અને શુશ્રુત સર્જન હતા. આ લોકો ભારતના કે દુનિયાનાં પણ પહેલા ડોક્ટર્સ કહેવાય. પણ આ લોકો એ પણ કોઇ પ્રાણીનુ માથુ માનવના ધડ ઉપર લગાવ્યુ હોય તેવુ ક્યાય નથી.
મુલ વાર્તા જ કાલ્પનીક છે. આપણે જે બ્રહ્માસ્ત્ર અને અગ્ન્યાસ્ત્ર કે બીજા શસ્ત્રોની વાતો કરીએ છે તે નરી સાયન્સ ફિક્શન જેવી કલ્પનાઓ જ હતી, જે દુર ભવિષ્યમાં સાચી પડે. જે આજે સાચી પડી છે જેતે સમયે નહિ. હવે આજે તમે જે કોઈ નવું સાયન્સ ફિક્શન રચો છો તે આજે કલ્પના છે ભવિષ્યમાં સાચી પાડી શકાય. જેમ વિકાસ થાય તેમ સાચું પડે તરત ના પડે. જો એ વખતે સાયન્સ એટલું બધું આગળ હતું તો ક્યા ગયું? એ વખતે પશુઓના માથા માનવ ધડ ઉપર લગાવી શકતા હતા તો એ વિદ્યા ગઈ ક્યા? આજે વિદ્યા કોઈ ભૂલી જતું નથી ઉલટાનું નવું સંશોધન થઇ ને આગળ વધતી જાય છે. પુષ્પક વિમાનની કલ્પના કરી હતી તો વર્ષો પછી પછી વિમાન શોધ્યા. હવામાં કોઈ વાહન દ્વારા ઉડી શકાય તેવી કલ્પનાજ ના આવી હોત તો એવા સાધન કે વાહન શોધવાનો પ્રયત્ન જ કોઈ ના કરે. પહેલા કલ્પના આવે છે પછી શક્ય બનતી હોય છે.

        ગણપતિ એટલે ગણ એટલે લોકોના પતિ એટલે કોઈ લીડર હોઈ શકે. એક લીડરના કેવા ગુણો હોવા જોઈએ તે દર્શાવતું કાલ્પનિક પાત્ર કોઈ બુદ્ધિના મહાસાગરે રચેલું હોવું જોઈએ. મોટું માથું બુદ્ધિશાળી, નાની આંખો તીક્ષ્ણ દ્રષ્ટિ, મોટું પેટ બધું પેટમાં રાખવાની આવડત માને સિક્રેટ રાખી શકવાની ક્ષમતા, હાથમાં હથિયાર યાને દંડ દેવાની પણ તાકાત હોવી જોઈએ. લાંબુ નાક, આવનાર ભયને અગાઉથી સુંઘીને જાણી લેવાની આવડત. હાથીની સુંઘવાની શક્તિ ગજબની છે. પવન અનુકુળ હોય તો બે માઈલ દુર થી એને ખબર પડે કે કોણ આવી રહ્યું છે. માટે હાથી અવારનવાર સુંઢ હવામાં ઉંચી કરતા હોય છે. કુતરા કરતા અનેક ઘણી એની સુંઘવાની ક્ષમતા છે. બસ એક પ્રજાનો  લીડર કેવો હોવો એટલું કહેવા માટે આ કલ્પના કરવામાં આવી છે.

પહેલા ગણપતિ સારા નહોતા. વિઘ્નકર્તા હતા. આ ટ્રાઈબ નેતા આર્યોને હેરાન કરતો હોવો જોઈએ. પછી પ્રથમ તારી પૂજા કરવામાં આવશે તને પ્રસાદ-ભાગ બધું મળશે કહી શાંત પાડ્યા હોવા જોઈએ. પછી ગણપતિ વિઘ્નહર્તા બન્યા. મૂળે શંકર દ્રવિડીયન ભગવાન હતા તેમને સ્વીકારતા પહેલા ભૂતડાના ભગવાન કહીને ખૂબ મજાક કરાઈ છે. ના છુટકે અપનાવી લેવાયા હશે. એમના ચિરંજીવીને પણ આમ અપનાવી લીધા હશે. માતાપિતાને સર્વસ્વ સમજનારા ગણપતિની પૂજા કરનારા માબાપને અનાથ આશ્રમમાં ધકેલી દેતા હોય છે. મૂળ ગણેશોત્સવ લોકમાન્ય તિલકે શરુ કરેલો. ત્યાર પહેલા આવા ધૂમધડાકાભેર ગણેશોત્સવ યોજાતા નહોતા. લોકો એમના ઘરોમાં સ્થાપના કરતા અને પધરાવી આવતા. મને યાદ છે વડોદરા સિવાય બાકીના ગુજરાતમાં ગણેશોત્સવનો આવો ક્રેઝ હતો જ નહિ. વડોદરામાં મરાઠી ભાઈ લોગન ખૂબ માટે ત્યાં ગણેશોત્સવ ધામધુમથી ઉજવાતો. હવે દેખાદેખી બધે આ પાગલપન છવાઈ ગયું છે. બાકી ગણપતિ ચોથ આવે અને જતી રહે ખબર પણ નહોતી પડતી. એક અંગત ઉત્સવને મૂળ રાજકીય હેતુ માટે ઉભો કરાયેલો મહાઉત્સવ કહી શકાય. ઉત્સવો ઉજવવા સારી વાત છે. પણ એનાથી નાહક બીજા લોકોને અડચણ થવી ના જોઈએ.

આપણ મુરખોને ખબર હોવી જોઈએ કે જે ગણેશોત્સવ થાય છે તે બધા નહિ પણ મોટાભાગે બુટલેગરો યોજતા હોય છે, કે કરોડો રૂપિયા તમે લાલબાગનાં ગણેશોત્સવમાં ચડાવો છો તે કોના ગજવા ભરે છે? એટલા રૂપિયા કોઈ સમાજ સેવામાં વપરાયા હોય તો લેખે લાગે અને ગણની સેવા થાય તો ગણપતિ રાજી થાય. આપણી શ્રદ્ધા એ આપણું પાગલપન છે એમાં બુદ્ધિનું કોઈ તત્વ નથી.

33 thoughts on “गणानांत्वा गणपति|”

  1. ગણપતિ વિશેનો લેખ વાંચ્યો. લીડરના પ્રતીક તરીકે તો છે જ, પરંતુ, એ પાછળથી વિકસાવેલી કલ્પના છે. પ્રોફેસર દેબી પ્રસાદ ચટ્ટૉપાધ્યાય એમના પુસ્તકમાં ગણપતિની ચર્ચા કરતાં લખે છે કે એ કોઈ ટ્રાઇબની કથા છે, જ્જેમ આજે રાષ્ટ્રધ્વજ હોય છે , એમ એ જૂથનું પ્રતીક હાથી હશે. પછી એ પ્રતીક જ માણસ બની ગયું. એમના કહેવા મુજબ આર્યોને એ ટ્રાઇબ કનડતી હશે. એમણે એના સમર્થનમાં મહાભારતનો એક શ્લોક પણ ટાંક્યો છે (અત્યારે એ પુસ્તક મારી પાસે નથી એટલે હવાલો આપી શકું એમ નથી). એ શ્લોક પ્રમાણે ગણપતિને વિઘ્નકર્તા માન્યો છે! અને એને બધા શુભ કાર્યોથી દૂર રાખવાની વાત કરી છે! એ ટ્રાઇબના સરદાર સાથે સમાધાન થયા પછી એને પહેલાં સંતુષ્ટ કરવાની પ્રથા બની. અને પછી ગણપતિ
    વિઘ્નહર્તા બની ગયા,એટલું જ નહિ,્પહેલાં સમાજ ગણો માં જ વહેંચાયેલો હતો. એટલે કેટલાક ગણ આર્ય તરફી હતા, કેટલાક વિરુદ્ધ! આ સ્થિતિમાં ગણપતિ પણ ઘણા હતા. મહાભારતમાં દુશ્મન ગણના નેતાનો ઉલ્લેખ હશે.
    પરંતુ, ધાર્મિક કથાઓને આપણે એમના સામાજિક સંદર્ભમાં જોવાનો પ્ર્યાસ કરીએ તો આ જ કથાઓ મારફતે ઇતિહાસ સુધી પહોંચી શકીએ.

    Like

    1. આપની વાત સાચી છે.કામ માં વિઘ્ન નાખે તેને પહેલો ખુશ કરવો પડે તેવી રીતે દરેક શુભ કાર્ય ની શરૂઆત માં ગણપતિ ને ખુશ કરવાની વિધિ હશે.વિઘ્નકર્તા હવે વિઘ્નહર્તા બની ગયા છે.અને ખાસ તો ધંધા નું સાધન બની ચુક્યા છે.આપ મારા બીજા અનેક લેખો માં સમય મળે પ્રતિભાવ આપશો તો આપના જ્ઞાન નો લાભ મળશે.અહી વિવિધતા છે,જ્ઞાન,વિજ્ઞાન,ધર્મમાં રહેલી ગરબડો સાથે હાસ્ય રસ પણ પીરસ્યો છે,કોઈ કોપી પેસ્ટ વગર…. ખુબ ખુબ આભાર

      Like

  2. મારા બ્લોગ ઉપર ગણપતિ વિષે મેં ઓગષ્ટ 2008માં સૌ પ્રથમ લેખ મૂકેલો છે તે જોઈ જવા મારી ખાસ વિનંતિ છે. તેની લીંક નીચે આપી છે.

    ગણપતિ


    આ ઉપરાંત ગત ગણેશ ચતુર્થી ઉપર પણ આ દિવસ વડિલ અભિવાદન દિન તરીકે મનાવવા સુચવેલું તેની લીંક પણ નીચે આપી છે.

    ***** ગણેશ ચતુર્થી – “વડિલ અભિવાદન દિન મનાવો !!!” *****

    આભાર સાથે
    અરવિંદ

    Like

  3. @ Bhupendrasinh Raol :

    આપણે મુરખો એને સાચી માની ને હજુ આજે પણ એની પાછળ ધૂમધડાકા કરીએ છીએ. આપણ મુરખો ને ખબર હોવી જોઈએ કે જે ગણેશોત્સવ થાય છે તે બધા નહિ પણ મોટાભાગે બુટલેગરો યોજતા હોય છે, કે કરોડો રૂપિયા તમે લાલબાગ નાં ગણેશોત્સવ માં ચડાવો છો તે કોના ગજવા ભરે છે?

    Like

  4. ગણપતિ વૈદિક દેવતા છે તેમ અનેક દેવી દેવતાઓ છે. મનુષ્ય મનુષ્યત્વ પામે, દેવત્વ પામે, અને બ્રહમત્વ પામે ઉતતરોત્તર વિકાસ સાધે તે હેતુથી અનેક સિદ્ધાન્તોને અનુલક્ષી દેવતાઓનું સ્વરુપ નીરુપણ થયું છે સમગ્રતાપૂરવક અભ્યાસ હોવો ઘટે તે સિવાય તો જેમ આવે તેમ શું પરંપરા કે શું સન્ક્રુતિ કે શું વેદ કે શું દેવતા દેવતા મૂકો અર્થાત સળગાવી દો અગ્નિને, સૂર્યને પણ વેદકાળથી દેવતા માની પૂજ્યત્વ સ્વીકાર્યુ છે..હવે અગ્નીનો દુરુપયોગ પણ થાય, સદ ઉપયોગ પણ..દુઋપયોગ પણ સત્ય પામનાર કદી અવિવેકે થી કે સત્યના શસ્ત્રથી ખંડન નહિ કરે સત્યશ્રદ્ધા,વૈદિક સંસ્ક્રુતિ આદર્શ, અને સદધરમના સિદ્ધાન્તોનું. મનુષ્યત્વ પામનારો પણ વિકસિત અને આદર્ને પાત્ર બને છે ત્યારે દેવત્વ તો તેનાથી આગળની વાત છે..દેવતાના દશ અર્થ પાણિની દરશાવે છે
    ક્રીડા,વિજીગીષા,વ્ય્વહાર ધ્યુતિ,સ્તૂતી, મોદ, મદ,શ્વપ્ન,કાન્તિ, અને ગતિ. વિદેષના વિદ્વાનોએ પણ ૪૦ વર્ષ અભ્યાસ કર્યો અને પછી પોતાનો મત આપ્યો..જ્યારે આપપણએ પણ કહીએ કે મારો મત આમ છે તેમ છે..કહી ષકાય પણ એચ. ડી. ગ્રીસસ્વોલ્દ જેવા પણ કહે છે કે,
    The multiplicity of the Vedic gods, reflects the multitudenous aspect of nature and of life; and the unity which, on the whole, pervadas the diverse activities of the gods and reflects, in like manner, the unity of nature, the fact that the universe is a cosmos, an ordered whole.
    સારાંશ એ છે કે વેદધર્મમાં રુતનિ સુમહાન ઇવ્ચાર કે ખ્યાલ સરવ દેવોને ‘એક’માં બાન્ધવા સમર્થ છે..તે જ અએકમ સત વિપ્રા
    બહુધા ભવન્તિ….
    આપને વધુ તલશ્તર્શી વ્યાપક અભ્યાસ માટે શુભેચ્છા

    Like

    1. દેવતાઓ ની વ્યક્તિ તરીકે ની કલ્પના મનુષ્યત્વ ને ઊંચું લાવવા માટે સારી છે.દેવતાઓ કુદરત ની વિવિધ એનર્જી ના ફોર્સ રૂપ હોય જેમ કે ઈન્દ્રદેવ વરસાદ અને વાવાઝોડા ના દેવ છે.કે વરુણ દેવ વરસાદ લાવે એમ ગણપતિ એ લોકો ના લીડર રૂપેણ હોય કે કોઈ પણ હોય.હવે આ દેવો ના નામે આજે ખુબ વેપાર ચાલે છે,ત્યાં મારો વિરોધ હોય.ગણપતિ ના વ્યક્તિત્વ માંથી કશું શીખવાને બદલે આપણે એમને મંદિર માં બેસાડી ને કે મૂર્તિ સ્થાપી અને ડુબાડી ને પ્રદુષણ,ઘોંઘાટ અને પૈસા અને સમય નો વ્યય જ કરીએ છીએ.આમાં ગણપતિ રાજી નાં હોય.ગણ ની સેવા કરો સમાજ સેવા કરો તો ગણપતિ રાજી થાય.

      Like

  5. આપનો લેખ ખુબજ ગમ્યો આ લેખ ના આપ ના વિચારો સાથે સમ્પૂર્ણ સહમત છું આજે તો માં-બાપ ને ઘરડા ઘર માં મુકનારા પણ માં-બાપ ને સમગ્ર વિશ્વ રૂપ માનનારા ગણપતિ ની પૂજા કરે છે ત્યારે રોવું કે હસવું એ જ ખબર નથી પડતી …

    Like

  6. દરેક જીવમાત્રમાં જિજ્ઞાસાવૃત્તિ હોય છે પશુપક્ષીઓમાં મર્યાદિત સ્વરૂપમાં હોવાથી આપણા ધ્યાનમાં નથી આવતી પરંતુ માણસમાં તે સ્પષ્ટપણે જોવા મળે છે. અને માણસની બુદ્ધિના વિકાસની સાથે આ જિજ્ઞાસાવૃત્તિ વધે છે. જિજ્ઞાસાવૃત્તિ હોય એટલે તર્કો અને અનુમાનો કરીએ અને તેમાંથી જ ઈશ્વર વિશેની કલ્પના પેદા થયેલી છે. ઈશ્વર કેવો છે તેનું શુદ્ધ જ્ઞાન કોઇની પાસે નથી. ઈશ્વર વિશેની કલ્પનામાંથી શ્રદ્ધા, ભાવના અને ભક્તિનો ઉદભવ થયો છે.

    આપણે જે કાર્ય કરતાં હોઇએ તેની આજુબાજુ અનેક પરિબળો કામ કરે છે. આપણે એ પરિબળોની ગહનતા, જટિલતા કે માયાજાળને સમજી નથી શકતા. એટલે કાર્યમાં કુદરતી રીતે કે માનવસર્જિત અડચણો આવે છે. આ અડચણો વખતે એવું વર્તન રાખવું જોઇએ કે તે વિધ્ન જ ફાયદાકરક બને. ગણપતિ વિધ્નકર્તા તરીકે અને વિધ્નહર્તા તરીકે માનવાનો અર્થ એટલે કે આ બ્રહ્માંડમાં આપણે એકલા કાર્ય નથી કરતા કુદરતના પરિબળોને અનુકૂળ થઇને આપણે કાર્ય કરવાનું છે. ગણેશની પૂજા કાર્યના પ્રારંભમાં કરવી એટલે પાણી પહેલાં પાળ બાંધવી એટલે કે કાર્યના પ્રારંભમાં સફળતાની ચિંતા કે શંકા દૂર કરવાનો હેતુ.

    પરંતુ આજના સમયમાં ઉજવાતા ગણેશઉત્સવો જે ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલા તેવો ઉદ્દેશ નથી રહ્યો. દેખાવ અને માત્ર દંભ વધી ગયો છે. ઉત્સવોનો જે સાચો અર્થ છે તે ના રહેતાં તકલીફદાયક અને ધૂમધડાકાવાળાં બની ગયાં છે. ધર્મ દિલમાં નથી રહ્યો માત્ર રોડ ઉપર ઉતરી આવ્યો છે. હમણાં જ ઉજવાઇ ગયેલો ગણેશઉત્સવનો એક મેં જોયેલો પ્રસંગ. અનંતચૌદશને દિવસે ગણપતિવિસર્જન માટે લોકો જઇ રહ્યા હતા. જાહેરમાર્ગ પર પિક અવર્સમાં લોકોને પડતી તકલીફનો ખ્યાલ કર્યા વગર લોકો પોતાની જ મસ્તીમાં નાચતાગાતાં જતા હતા. અને સૌથી દુઃખદાયક બાબત એ કે ગીતો વાગતાં હતાં તે ” દેખા તુઝે તો યાર દિલમે બજી સિતાર, હો રહા હૈ નશા( કયો નશો?). બીજું ગીત કાલા કૌઆ કાટ ખાએગા….હવે આને ધર્મ કહેવાય? આને ઉત્સવ કે તહેવાર કહેવાય? . ગણપતિ વિસર્જન વખતે આવું વર્તન શોભનીય ગણાય? માત્ર ગણેશ ઉત્સવ નહીં આવા દરેક તહેવારનો મૂળ ઉદ્દેશ ભૂલાઇ ગયો છે.

    Like

    1. મીતાજી,
      દરેક જીવમાત્રમાં જિજ્ઞાસાવૃત્તિ હોય છે પશુપક્ષીઓમાં મર્યાદિત સ્વરૂપમાં હોવાથી આપણા ધ્યાનમાં નથી આવતી પરંતુ માણસમાં તે સ્પષ્ટપણે જોવા મળે છે. અને માણસની બુદ્ધિના વિકાસની સાથે આ જિજ્ઞાસાવૃત્તિ વધે છે. જિજ્ઞાસાવૃત્તિ હોય એટલે તર્કો અને અનુમાનો કરીએ અને તેમાંથી જ ઈશ્વર વિશેની કલ્પના પેદા થયેલી છે. ઈશ્વર કેવો છે તેનું શુદ્ધ જ્ઞાન કોઇની પાસે નથી. ઈશ્વર વિશેની કલ્પનામાંથી શ્રદ્ધા, ભાવના અને ભક્તિનો ઉદભવ થયો છે.
      બહુ અગત્ય ની વાત કરી.શુદ્ધ જ્ઞાન કોઈ ની પાસે નથી.બધા ફક્ત અનુમાનો જ છે.ઉત્સવો ઉજવવા જોઈએ.થોડો આનંદ પ્રમોદ રહે,થોડું ટેન્સન ઓછું થાય.પણ બીજા ની તકલીફ નો વિચાર પણ કરવો જ પડે.’હો રહા હૈ નશા’અંધ શ્રદ્ધા નો નશો બીજો કયો?આભાર.

      Like

    2. બાપુ,
      હવે આથી વધુ સારૂં તો કશું હું ના જ કહી શકું ! માટે, શ્રી મીતાબહેન શાથે શતઃપ્રતિશત સહમત.
      (ગણેશજી બાબતે વિકી પર બહુ લાંબી ચર્ચા મિત્રો શાથે થયેલી છે. અહીં તે ચર્ચાની લિંક જાણ માટે આપું છું, મારા વિચારો ત્યાં છે જ. અને વિકીની ખાસ વાત એ છે કે ત્યાં કોઇની શરમ રાખ્યા વિના ઉગ્ર ચર્ચાઓ થાય છે, અને સસંદર્ભ ચર્ચા કરવી પડે, જો કે અમે તો બહુ સાલસતાથી આ ચર્ચા કરેલી છે. )
      * http://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%97%E0%AA%A3%E0%AB%87%E0%AA%B6
      આભાર.

      Like

  7. મીતાબહેન તમે કહો છો કે “ધર્મ દિલમાં નથી રહ્યો માત્ર રોડ ઉપર ઉતરી આવ્યો છે.”
    આવું તો થવાનું જ હતું. દિલમાં હતો એટલે જ રોડ પર ઊતર્યો છે અથવા મંદિરોમાં જાય છે અથવા બાપુઓ અને ગુરુઓની શોધ કરેછે. આવો કોઈ ધર્મ દિલમાં જ ન હોય તો? વાંધો ખરો?

    Like

    1. ધર્મ દિલ માં જ નાં હોય તો?સાચી વાત.પણ લોકો નાં દિલ માંથી કાઢવો મુસ્કેલ,આપાણા દિલ માંથી કાઢી શકીએ તેટલું જ ગનીમત.

      Like

  8. શ્રી દિપકભાઇ, ભુપેન્દ્રસિંહજી.
    જીજ્ઞાસાવશ એક તકનિકી સવાલ છે, આપે કહ્યું કે “ધર્મ દિલમાં જ ના હોય તો ?”
    હવે સાદી સમજ પ્રમાણે અજવાળું ન હોવુંનો અર્થ શું થાય ? ’અંધારૂં હોવું’ !! આપનો હેતુ કદાચ ધર્મને કારણે ઉત્પન્ન થયેલા દુષણો તરફ અંગુલીનિર્દેશ કરવાનો માત્ર છે, પરંતુ યોગ્ય પરિપ્રેક્ષ્ય કે યોગ્ય સમજુતી આપ્યા વગરનું વિધાન કેવળ અવઢવ ઉત્પન્ન કરી શકે છે. ધર્મની વ્યાખ્યા ફક્ત હું કે આપણે સૌ કરીએ તેવી જ સૌની સમજણમાં ન પણ હોય. ’ધર્મ’ એટલે માત્ર પૂજા-પાઠ, વિધી-વિધાન, સંપ્રદાય, તહેવારો, ઉજવણીઓ, (દરેક ધર્મમાં), આવું જ માત્ર નથી. એથી પણ આગળ ઘણું છે. તે ફરજ છે, કર્તવ્ય છે, નિષ્ઠા છે, તે વિશ્વના તમામ લોકોની આંગત જીવન પધ્ધત્તિ છે. સુઃખ અને દુઃખમાં ચોક્કસ દિશાએ ચિંતન કરવાનું માર્ગદર્શન આપી અને તેને પચાવવાની શક્તિ આપતો એક સ્રોત છે. વિવિધ સમસ્યાઓ કે પ્રશ્નો સમયે માર્ગદર્શન અને પ્રેરણા આપતું એક તત્વ છે. મને લાગે છે કે ’ધર્મ’ને આપે તેમના વિશાળ આયામમાં લેવાને બદલે માત્ર સંકુચિત અર્થમાં લઇ અને ’દિલમાં થી ફેંકી દેવાની’ સલાહ આપી છે. ’ધર્મ’ની મુળ વ્યાખ્યા જ એ છે કે ’ધારણ કરવું’ (ક્યાં ? ’દિલમાં’ !!). મીતાબહેનના વિધાન શાથે માટે જ હું સહમત થયો છું કે, ધારણ કરવાની બાબતને રસ્તાઓ પર ફેંકવી તેનો વિરોધ કે તે બાબતે સમજાવટ યોગ્ય છે. પરંતુ આગળ કહ્યું તેમ, દિલમાં (અહીં દિલ એટલે પેલું જેને બદલે પેસમેકર પણ ચાલી જાય તે અંગમાત્ર નહીં પણ મનુષ્યની સમગ્રતાનું પ્રતિક ગણવું) ધર્મ નહીં રહેવાનો સીધો અર્થ ’અધર્મ’નું રહેવું થશે તો ? અથવા તો તેની અવેજીમાં શું હોવું જોઇએ તે સમજણ પ્રથમ મળે તે ઈષ્ટ ગણાશે. દિલ ખાલી જ રાખવાની વાત નહીં કરતા !! જીવંત મનુષ્ય માટે તે શક્ય નથી ! કેમ કે તે તો જડતા કહેતાં મૃત્યુની નિશાની છે ! અને હું નથી માનતો આપ જેવા વિદ્વાનો સમાજને જડ કે મૃત બનવાની સલાહ આપતા હો !
    ટુંકમાં, અંધશ્રદ્ધા, આડંબર, ભ્રષ્ટ આચાર વિચાર, સડો, નકામા કે અણસમજ્યા રિવાજો, વગેરે વગેરે બધું એક પ્રકારનો રોગ છે. અને આ રોગ વિશ્વના તમામ ધર્મો, સમાજોમાં ફેલાતો હોય છે. જેમ વારંવાર માથું દુઃખવું (મસ્તક શૂલ) એ કારણે આપણે કંઇ માથું કાપીને ફેંકી નથી દેતા !! તેનો વારંવાર યોગ્ય ઊપચાર કરીએ છીએ, દુઃખવાના કારણો શોધીએ છીએ, અને ફરી દુઃખાવો ન થાય તે માટે ઉચીત પગલાંઓ લઇએ છીએ. અહીં પણ એ જ કરી શકાય. ગણપતિ એ હજારો વર્ષના ભારતિય સંસ્કૃતિના ચિંતન પછીની એક સુંદર વિભાવના છે, જ્ઞાનપ્રદ સમજણ છે, તેનો દુરઉપયોગ કે તેના વિશે ખોટી સમજણ ફેલાઇ તેનો પ્રતિકાર કરી સાચી સમજણ આપી શકાય. પરંતુ દુઃખાવાના કારણે ’માથું’ જ કાપી નાખવું તેવી સલાહ વિદ્વાન લોકો પાસેથી મળશે તો ભયંકર અવ્યવસ્થા જ સર્જાશે.
    કશો અવિનય હોય તો ક્ષમા ચાહીશ. સૌ ને વધુ મનોમંથન કરવા માટે પ્રેરવાનો આ એક નમ્રપ્રયાસ માત્ર છે. આભાર.

    Like

    1. ફરજ કર્તવ્ય,નિષ્ઠા એને કોઈ ધર્મ માને છે ખરું?ધર્મ નાં હજાર અર્થ થાય છે.પણ લોકો કયા અર્થ ને સમજે છે?અતુલભાઈ એ દાખલો આપ્યો તેમાં ધર્મ જ આડો આવ્યો.હવે ત્યાં ધર્મ ચુકાઈ ગયો ધર્મ ના કારણે.કોઈ બીમાર ને જલ્દી સારવાર મળે તે જરૂર નું હતું કે બીજું કાઈ? રસ્તો બ્લોક કરવા માં કઈ ભક્તિ દેખાણી હશે?અહંકાર હતો કે અમે ધાર્મિક છીએ ગણેશોત્સવ ઉજવીએ છીએ,અમને મહાન લોકો ને કોઈ કશું કહી ના શકે.આપે જે રોગ નાં નામો ગણાવ્યા તેને જ તો લોકો ધર્મ માને છે.એવા ધર્મ ને દિલ માં રાખી ને શું કામ છે?ફરજ,નિષ્ઠા,કર્તવ્ય જેવા ધર્મ ને કોઈ દિલ માંથી ફેંકી દેવાનું કહે પણ ખરું?અરે એ દિલ માં વસે તે માટે તો પેલા રોગો ને વખોડીએ છીએ.અને એવા રોગીષ્ઠ ધર્મ ને ફેંકી દેવા સમજાવીએ છીએ.કારણ પ્રજા તમે જે ગણાવ્યા તે રોગો ને જ ધર્મ સમજે છે,માટે અમે ધર્મ શબ્દ વાપરીએ ત્યાં તમને ઝટકો લાગી જાય છે,અતુલભાઈ ને ખાસ લાગી જાય છે.કામચોરી એ ભારત માં ધર્મ બની ગયો છે.મહેનત કર્યા વગર મફત માં ખાવું ધર્મ બની ગયો છે,એમાજ ૫૦ laakh saadhuo pedaa thayaa છે.vare ghadiye google indic ને bandh thai javu eno ધર્મ બની ગયો lage છે.fari lakhishu.thanks lot

      Like

  9. દિલમાં નૈતિકતા હોવી જોઈએ. કારણ કે માણસ કોઈના શીખવ્યા વગર જ નૈતિક હોય છે. નૈતિક્તા એટલે બીજા પ્રત્યેનો વ્યવહાર, નૈતિકતાને પણ માનવની ઉત્ક્રાન્તિ સાથે સીધો સંબંધ છે. નૈતિકતા સહકારના આધારે વિકસે છે અને સહકાર જીવનના વિકાસ માટે જરૂરી હતો, ધર્મને નામે જે દેખાડો થાય છે તેમાં બીજાની જરૂરિયાત કે તકલીફ તરફ ધ્યાન નથી અપાતું. એટલે એમાં સામાજિક નૈતિકતાનો ભોગ લેવાતો હોય છે. પરંતુ આપણે એ ન ભૂલવું જોઇએ કે રાજકીય પક્ષોના આવા જ તમાશા થયા જ કરતા હોય છે. અને એમાં પણ સામાજિક નૈતિકતાનો ભોગ લેવાતો જ હોય છે. .

    Like

  10. અશોકભાઇએ મારા નામજોગ પ્રતિભાવ આપ્યો છે, જેના પર મારૂં કદાચ ધ્યાન નહોતું ગયું. ધર્મને હું નૈતિકતા માનું છું, જે વ્યક્તિએ વ્યક્તિ પ્રત્યે દાખવવાની છે. આનો સરવાળો કરતાં સમાજ પ્રત્યેની સામાજિકતા બને છે. આમાં આપણે કોઈ પ્રકારની આસ્થા ધરાવીએ છીએ કે નહીં એને કશો સંબંધ નથી. એટલે ધર્મને આપણે પ્રચલિત અર્થમાં લઈએ તો એવી ચિંતા થાય કે અધર્મ પ્રવેશી જશે તો શું થશે! પણ એનો અર્થ એ પણ થશે કે ધર્મ જ નૈતિકતા છે, ખરેખર રોજિંદા વ્યવહારમાં સાદી સીધી નૈતિકતાની જરૂર છે કે આજે હું કોઈનું સમજી વિચારીને નુકસાન નહીં કરૂં. આને જે નામ આપવું હોય તે આપો. માત્ર પ્રોબ્લેમ એ છે કે ધર્મ શબ્દ એટલો રૂઢ થઈ ગયો છે કે એનીપાછળ ગુરુઓ, અને અંધવિશ્વાસો પણ દિલમાં ઘુસવાનો રસ્તો લેતા હોય છે.

    Like

    1. શ્રી દિપકભાઇ, આભાર.
      “ધર્મને હું નૈતિકતા માનું છું, જે વ્યક્તિએ વ્યક્તિ પ્રત્યે દાખવવાની છે. ” બસ આટલી ચોખવટ, સર્વે વાંચકમિત્રોના લાભાર્થે હું કરાવવા માંગતો હતો !! એટલે જ તો આગળ મેં લખ્યું પણ છે; “આપનો હેતુ કદાચ ધર્મને કારણે ઉત્પન્ન થયેલા દુષણો તરફ અંગુલીનિર્દેશ કરવાનો માત્ર છે,” ઉદ્દેશ માત્ર વિચારને વધુ સ્પષ્ટતાપૂર્વક સમજવાનો જ હોય છે. અને યોગ્ય પ્રશ્ન કર્યા વગર યોગ્ય જ્ઞાન પ્રાપ્ત ન પણ થાય. અમારે ઘણાં વેપારીઓને ત્યાં આ સુત્ર જોવા મળે છે, “નીતિ એ જ ધર્મ” (જો કે પાલન થવામાં ક્યાંક ફેરફાર હોય પણ ખરો !!). આપના પ્રતિભાવો અને ભુપેન્દ્રસિંહજીનાં લેખો કશુંક નક્કર વિચારવા પ્રેરે છે, (નક્કર કામ કેટલું થાય તેની વાતો વળી આગળ ક્યાંક કરીશું) જો કે મનમાં વિચાર હશે તો ક્યારેક નક્કર કાર્ય પણ થશે જ. આભાર.

      Like

  11. સરસ લેખ,લિડર વાળો મુદ્દો સરસ સમજાવ્યો છે.
    જેમણે બનાવ્યા છે તેમણે ચાલો ગણેશજી કાલ્પનિક બનાવી પણ નાખ્યા.પાછૂ તેમાં પણ લોચાવાળુ કામકાજ છે.તે કાલ્પનિક ગણેશના પણ પ્રકાર છે.ચતુભૂંજ ગણેશ,એકદંત,ભાલચંદ્ર વગેરે ઘણા….ભાઈ ગણેશજીને બે જ હાથ હતા.ચતુભૂંજ કેમ ? પાછા ઉંદર પર બેસીને સવારી કરે.હવે ઉંદરની સાઈઝ કેટલી અને ગણપતિબાપાની સાઈઝ કેટલી ? ગણેશજીની કથાઓ માંથી જે શિખવાનું છે તે કોઈ શિખતુ નથી.તિર્થસ્થાનોમાં ફાફા મારવા કરતા માતાપિતાની સેવા કરવાનું ગણેશજીએ કહ્યુ છે.

    Like

    1. રાજાની ભાઈ,
      કલ્પનાઓના ઘોડા ને કોઈ લગામ હોતી જ નથી.અવળા મોટા ગણપતિ ને ઉંદર પર બેસાડ્યા.જાત જાત નાં અર્થો નીકળી શકે છે.માતા પિતા ની સેવા કરાવી તે જ બહેતર છે.એ જીવતા તીર્થ છે.પણ આપણે તો લખવામાં માતા ભગવાન પિતા દેવ અને વ્યવહાર માં?માતા વિરુદ્ધ લખી જુઓ તો?મા ને રોજ ધોકા મારવાવાલો પણ તમને ધોકો લઇ ને મારવા નીકળી પડશે.એય માતા ભગવાન છે ખબરદાર જો માં વિરુદ્ધ બોલ્યો છે તો!પાછો ઘેર જઈ ને માતા ને ધોકાટસે. આપણે વાતો અને તે પણ ઉચ્ચ આદર્શો ની કરવામાં નિષ્ણાત છીએ,વ્યવહાર માં મીંડું.

      Like

  12. ’બાપુના બ્લોગ’ પર બરહાની બિરદાવલી! Baraha સારૂં છે. હું સામાન્ય રીતે એ જ વાપરૂં છું પણ એમાં gnaan લખવું હોય તો જે ગ્ન ધ્વનિ આપણે બોલીએ છીએ તેનું ‘જ્ઞ’ ધ્વનિચિત્ર નથી. વળી એ પૅડ પર જ ટાઇપ કરીને copy-paste કરવું પડે છે. ઉલ્ટી માત્રા લખવા માટે તમારે tab ની ઉપર જે key છે તે shift સાથે દબાવવી પડે છે. વેબપેજ પર અથવા વર્ડમાં સીધું ટાઇપ કરવામાં એ કેમ ઉપયોગી થાય તે મારે પણ સમજવું છે.
    પ્રમુખ ટાઇપ પેડ સારૂં છે. એમાં ઉલ્ટી માત્રા માટે માત્ર shift સાથે a e i o u દબાવો કે caps વાપરો. એમાં જ્યાં સીધું ટાઇપ કરવું હોય ત્યાં થઈ શકે છે. પણ અશોકભાઈને વિનંતિ કે મને પણ નવા Barahaની link મોકલશો.
    બરહામાં formattingની પણ સગવડ છે.

    Like

    1. શ્રી દિપકભાઇ, બરહામાં ’જ્ઞ’ ટાઇપ કરવા માટે j~ja (અડધા જ્ઞ્‍ માટે માત્ર j~j ) ટાઇપ કરવું.
      વેબપેજ પર, નોટપેડ કે ઓફીસ પ્રોગ્રામમાં સીધું ટાઇપ કરવા માટે ‘Baraha Direct’ નામના પ્રોગ્રામ પર (જે બારાહ ઇન્સ્ટોલ કરતાં જ પ્રોગ્રામગૃપમાં દેખાશે) ક્લિક કરી શરૂ કરશો એટલે નીચે ટુલબારમાં EN લખેલું ટુલ આવી જશે. તેના પર રાઇટ ક્લિક કરી લેન્ગવેજ માં જઇ ગુજરાતી યુનિકોડ કરશો એટલે ત્યાં પીળા ચોકઠામાં GU લખેલું આવશે. બસ ત્યાર પછી જ્યારે અંગ્રેજી-ગુજરાતી ફેરવવું હોય ત્યારે F12 કી દબાવતા તે વારાફરતી ચેન્જ થતું રહેશે. આશા છે આપને આ મારૂં મતિમુજબ કરાયેલું સુચન કામ લાગશે. વધુ કોઇ સેવા હોય તો જરૂર જણાવશોજી. આભાર.

      Like

  13. અશોકભાઈ, તમે જ્ઞાન ને લગતો મોટો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો! નહીં તો લોકો કહેતા હોત કે આવ્યો મોટો જ્ઞાનની વાતો કરનારો. પણ જ્ઞાનનો જ્ઞ પણ જાણતો નથી!

    Like

  14. ગણપતિ એ વેદીક કે આર્ય સંસ્કૃતિમાં … એ ગણપતિ આર્ય પહેલા ભારતમાં જે સંપ્રદાય કે ધર્મ હતો તેના દેવતા/ઈશ્વર .આદ્ય દેવ. ગણ એટલે સમગ્ર બ્રહ્માંડ. ગણેશ ચતુર્થી કદાચ વિશ્વ નો શ્રેષ્ઠ તહેવાર કહી શકાય જેમાં આખા બ્રહ્માંડ રચાયિતા ને પ્રતિકાત્મક રીતે ઘરે પાંચ દિવસ આપણે મહેમાન ની જેમ લાવી એ અને આદર સત્કારથી આસ્તાગાસ્તા કરી છે.અને અતિ માન ભેર વિદાય કરી એ છીએ. …. આનાથી બાળકોમાં અતિથી પ્રત્યેની માનની ભાવના અને સમજ કેળવાય. ભારત માં ૩(ત્રણ) વિચારા ધારાના સંગમથી આજ નો હિન્દુ ધર્મ ચિત્રમાં આવ્યો છે.

    Like

  15. પ્રિય બાપુ,

    એક વાત યાદ આવી…એકવાર એક દરજી અને એની બકરી બંને ટ્રેઇન નીચે આવી ગયા અને બંને વચ્ચેથી કપાય ગયા. ડોક્ટરે કહ્યું કે બકરીનું ઉપરનું અંગ અથવા માણસનું ઉપરનું અંગ બાકી અડધુ અદલા બદલી થઈ શકે તેમ છે. નક્કી એવું થયું કે ઉપરનું અંગ દરજીનું અને નીચેનું અંગ બકરીનું રાખવુ. થોડા સમય પછી લોકો ખબર કાઢવા આવતા થયા એટલે જવાબ મળતો

    “હવે ખૂબ સારુ છે. કપડા સીવે છે અને સાંજ પડ્યે ૨ લીટર દૂધ પણ આપે છે”

    મને આવું જ કંઇક અહીં લાગે છે… :-))

    સેમ

    Like

  16. ભૂપેન્દ્રસિંહજી,…ધર્મ ના નામે દુષણો જે ફેલાય છે તેનો હું પણ વિરોધી છું,….છતાં હું ઘણીવાર કહું છું કે આપણા મંદિરો એ આધ્યત્મિક રહસ્યો ધરાવતા પ્રતીકો છે,,જેણે તે સમજ મા નહી આવે ત્યાં ગેરસમજ થવાનો પુરતો અવકાશ રહેલો છે….આપની નિંદા સ્તુત્ય છે પરંતુ અર્થઘટન ગેરસમજ ફેલાવનાર બની શકે,પ્રત્યેક શિવમંદિર મા ગણપતિ છે,સામે હન્માંનજી છે….આ શા માટે ?આ પ્રશ્ન ના જવાબ વિના ગર્ભ ગૃહ મા પ્રવેશ ક્યાંથી શક્ય બને ?અને છતાં લોકો લોટે લોટા ચડાવ્યે રાખે છે.ગણેશ .ગણ +ઈશ …સિકંદર ના સમય સુધી ભારત મા ગણરાજ્ય હતું…એક વ્યક્તિ કરતા ગણ ની તાકાત કેટલી હોય,(ગણ એટલે જ્યાં સમૂહ છે તે )..આ માત્ર શાબ્દિક અર્થઘટન થયું છે….અને જેણે ગણપતિ થી સાધના ની શરૂઆત કરી છે તે ક્યારેય ગણપતિ ના મંદિરે નથી ગયા…
    ……………….આ ટોળા શાહી છે ,અને આચાર્ય રજનીશજી કહેતા ટોળામાં બુદ્ધિ નથી હોતી .નરસિંહ મેહતા ની રાજા એ પરીક્ષા કરી હતી,અને પ્રમાણ મળતા વાત ને સ્વીકારી હતી,આમ બધું સાચું પણ નથીહોતું અને બધું ખોટું પણ નથી હોતું..

    Like

    1. આખા ભારતમાં ગણરાજ્ય હતું નહિ.ક્યાંક ક્યાંક નાના નાના ગણરાજયો હતા વૈશાલી જેવા,પણ રાજા બિન્દુસારે એનો નાશ કરેલો,વિડમ્બના એ છે કે દુનિયાને લોકશાહીનો ખ્યાલ આપનાર ભારત હતું પણ આજે ભારતની પ્રજા ગણરાજ્ય માટે જરાપણ લાયક નથી.
      એક પ્રતિક તરીકે મંદિરને માનવું હોય તો સારી વાત છે,પણ એવું બનતું નથી,ભારતની ચાર દિશામાં પ્રતિક તરીકે ચાર મંદિર જોઈએ ઇનફ છે.પણ અહીં તો પરમમુરખ મહારાજ રોજ નીતનવા મંદિરો બાંધી પ્રજાના પૈસા વેડફી રહ્યા છે.લાખો લોકો પાસે બે ટંક પૂરતું ખાવા નથી,એજ્યુકેશન માટે સગવડ નથી અને અબજો રૂપિયા આ પથ્થરના પ્રતીકો પાછળ ખરચાય છે.

      Like

  17. કલ્પનાને વાસ્તવિકતાનું રૂપ અભણ નહિ પરંતુ ભણેલા મૂર્ખાઓએ આપ્યું અને દેશના અભણોનો રીવાઝ છે ભણેલા મૂર્ખાઓને અનુસરવાનો હહાહાહાહા
    ભોગવ્યે જ છૂટકો આ બધું આજે મારા ઘરે જાવા માટે મારે ના છુટકે ત્રણ શેરી વાયા કરવી પડી ગણેશબાપાની સ્થાપના થઇ ચુકી છે, અને વિસર્જનમાં તો શુરાલયો છલકાય હહાહાહા, અમુંક જગ્યાએ તો પીપી કરતાં રોકવાં માટે દેવી-દેવતાઓની મૂર્તિઓનો ઉપયોગ કરવાંમાં આવે છે… આને ધાર્મિક્તા કહેવી કે ઢોંગ?…

    બાપુ કોઈ પણ ધર્મના પાત્રો કે આલેખન મારી દ્રષ્ટીએ તો માત્ર કાલ્પનિક જ હોય છે, તું મને કે હું બધાને કહું , કુરાન કે ગીતામાં જે નથી લખ્યું એનાથી વિપરીત હિંદુઓ અને મુસ્લિમો કરે છે

    Like

  18. ગણપતિ ને પ્રતીકાત્મક રીતે જ લેવા જોઈએ…એમના શરીર ના વિવિધ અંગો ઉપરથી એક આદર્શ લીડર ની ઈમેજ બને છે….માથું કપાયા ના પ્રસંગ માં પણ જોઈએ તો એક રીતે સારો મેસેજ જ છે, શિવજી એ માથું કાપ્યું, એટલે કે અહંકાર કાપ્યો..એક રીતે માથું એ અહંકાર નું પ્રતિક છે….પછી કપાયા પછી હાથી ની મોટું માથું લગાડ્યું, એટલે કે અહંકાર જાય પછી જ જ્ઞાન આવે….સીધી વાત છે, આજે કોઈ ફિલ્ડ માં આપણે શરૂઆત ની એબીસીડી શીખીને હવા કરતા ફરતા હોય, તો ક્યારેક સામે એ જ ફિલ્ડ નો ખાં આવીને ઉભો રહે, તો આપણું માથું પણ કપાઈ જ જાય…ટૂંક માં, માથું મોટું કરવા માટે માથું કાપવું પડે, જ્ઞાન મેળવવા માટે વિનમ્રતા જરૂરી..

    Like

  19. અઢળક કાળું નાણું કમાનાર પાસે મહા આરતી કરાવીને .. પોતાની (અ) સામાજિક અને રાજકીય ક્ષમતા વધારવાની સાથોસાથ અંધશ્રધાના આધારે ચાલતી વેપાર વૃતિ નું બાહુલ્ય જોવા મળે છે .

    Like

  20. ગણપતી ઉત્પાત કરનારો, દરેક સારા કામોમાં વિઘ્નકરનાર હતો એટલે કતરકામ ઉંદરવૃત્તી ને સીમ્બોલ બનાવી અપાયું. જે એની પુંજા કરે પ્રાર્થના કરે એને બાપા સડી ના કરે. એટલે વિઘ્નહર્તા. બાકી હાથીનું મસ્તક ધારણ કરનાર મહાકાય ગણેશ ઉંદર ઉપર બેસી શકે..?

    Like

Leave a comment