ભયાવહ(Fight or Flight)!!!!!

Dante and Virgil in Hell
Image via Wikipedia
Great fire London

ભયાવહ(Fight  or Flight)!!!!!

મિત્રો ભયની લાગણી એ સામાન્ય લાગણી છે.ભયની લાગણી આપણા જીન્સમાં હોય છે.ભયની લાગણી સર્વાઈવ થવા માટેની જરૂરી મજબુત લાગણી છે.સર્વાઈવલ ઇન્સ્ટીકટ છે.ભયની લાગણી નાં હોત તો માનવ જાત આજે પૃથ્વી પર ફરતી નાં હોત.ભય લાગે છે માટે બચવા માટે ભાગીયે છીએ,અથવા પ્રતિકાર કરીને લડીને બચીએ છીએ.સૌથી મોટો ભય એ મૃત્યુ નો ભય  છે.ચાલો થોડા પ્રાથમિક અને આદીમ ભય વિષે જાણીએ.આ તમામ ભય આપણને વારસામાં જીન્સમાં આપણા પૂર્વજો આદી માનવો પાસેથી મળેલા છે.ભલે તમે આજે  ભયનાં આ પ્રકારના અનુભવ ના કરતા હોવ પણ આ ભયોની ભૂતાવળ તમારા અચેતન મનમાં સમાયેલી છે.
૧) Eat alive –આપણે કોઈ જંગલી પ્રાણીને જોઇને ભાગીયે છીએ.કેમ?જીવતા ખવાઈ જવાનો ભય છે.આપણા પૂર્વજો જંગલો માં રહેતા હતા.મેન ઈટર પ્રાણીઓ ચારેકોર વસતા હતા.ખાસ તો આજના સિંહ કે વાઘ કરતા બમણું મોટું કેટ વર્ગનું એક પ્રાણી હતું જે માનવ ભક્ષી હતું.હાલ તો એ સમાપ્ત થઇ ગયું છે.આ ભય તમને નિર્ણય લેવામાં મદદ કરે છે કે હવે ઉભા રહેવું કે ભાગવું?ભય તમારા લોહીને વધારે પગ તરફ ધકેલે છે.જેથી તમે ભાગી શકો.
૨) Snake –સર્પનો ભય પણ આદીમ ભય છે.માનવ જંગલો અને ગુફાઓમાં રહેતો હતો.સર્પ પણ લગભગ દરેક જગ્યાએ હોય છે.દક્ષીણ ધ્રુવ સિવાય સર્પ દરેક જગ્યાએ હોય છે.બીજા પ્રાણીઓ વચ્ચે ટકી રહેવા સર્પે એક મહા ભયાનક કેમિકલ ટેકનીક વિકસાવી છે.ઝેર!!કાતિલ ઝેર એનું શસ્ત્ર છે.જો કે બધા સર્પ ઝેરી હોતા નથી.આદી માનવો અવારનવાર સર્પ દંશથી મરી જતા હશે.માટે સર્પનો ભય આપણા અચેતન મનમાં સમાયેલો છે.પણ આજ ભય સર્પ સાથે દોસ્તી કરવા માટે પણ પ્રેરણા આપે છે.અને એ દોસ્તી ઘણીવાર જીવલેણ પણ નીવડી છે.
૩)Burried  alive —જીવતા દટાઈ જવાનો ભય.આ પણ એક આદીમ ભય છે.ગુફામાં રહેતા આદી માનવો જીવતા દટાઈ જતા હશે.જમીન ધસી જવાથી કે ભૂકંપ અને એવી કુદરતી ઘટનાઓમાં જીવતા દટાઈ જવાતું હોય છે.આજે પણ ગુજરાતમાં માટી ખોદવા જતા ઘણા લોકો જીવતા દટાઈ ગયાના સમાચાર આપણે વાંચીએ છીએ.જે દેશોમાં મૃત્યુ પામેલા લોકોને ભૂમીગત નિકાલ કરવામાં આવતા હોય છે ત્યાં આ ભય ખાસ હોય છે.ઘણી વાર કોમામાં પડેલા જીવતા માણસને કોફીનમાં મૂકી ને દાટી દેવાતો હતો.એના પુરાવા પણ મળ્યા છે.જોકે ભાનમાં આવીને ભાઈ પાછા મૃત્યુ ને શરણ જ થવાના હોય.પણ બહાર નીકળવા પ્રયત્ન તો કરેલા હોય એના પુરાવા મળ્યા પછી ખાસ પ્રકારના કોફીન બનાવવામાં આવતા હતા.મૃતકના પગના અંગુઠે દોરી બાંધવામાં આવતી જે બહાર એક ઘંટ સાથે બાંધેલી રહેતી.અને કોફીનમાં પ્રાણવાયું જઈ શકે તેવી એક પાતળી પાઈપ રાખવામાં આવતી.જેથી કોઈ જીવતું થાય અને બચવા માટે પગ હલાવે તો બહાર ઘંટ સંભળાય.એટલે જીવતા દટાઈ જવાનો ભય પણ એક પ્રાથમિક ભય છે.
૪) Hell –નર્કનો ભય.મર્યાં પછી નર્કનો ભય એ શીખવેલો ભય ગણાય.જનતા ઉપર કંટ્રોલ રાખવા આ પ્રકારનો ભય મંદિરો અને ચર્ચ અને ધર્મો દ્વારા ઉભો કરવામાં આવેલો.દરેક ધર્મનાં નર્ક અલગ અલગ હોય છે.એમાં મળતી સજાઓ ના પ્રકાર થોડા જુદા જુદા પણ ભયાનક હોવાના જ.ભગવાનનો ડર રાખો ભાઈ એવું આપણે ઘણા મુખે સાંભળીયે છીએ.એટલે લોકો થોડા સખણા રહે અને નર્કનાં ભયના કારણે સીધા ચાલે એવો આશય હતો.પણ પછી એ ભય બતાવી બતાવીને લોકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે.બીજું આ એક બદલાની ભાવના છે કે સારું નથી કર્યું હેરાન કર્યા છે તો નર્કમાં જવાના અને બદલો મળી જશે.આ એક કાલ્પનિક ભય છે જે શીખવેલો છે.
૫)Monsters —દૈત્ય અને રાક્ષસનો ભય.આ પણ એક કાલ્પનિક શીખવેલો ભય છે.આને આપણે બકાસુર ભય પણ કહી શકીએ.આમાં જાત જાતનાં કાલ્પનિક પાત્રોની કલ્પના કરવામાં આવેલી છે.આપણા મહાભારતમાં બકાસુર નું પાત્ર એનું ઉત્તમ ઉદાહરણ છે.આવા મોન્સ્ટર ને માથે શીંગડા હોય,માથાની જગ્યા એ સાપ હોય,અર્ધું અંગ સિંહનું અને અર્ધું માણસનું હોય.આમ પશુ અને માણસનું કોમ્બીનેશન હોય છે.વળી આવા મોન્સ્ટરને મારીને કોઈ વીરલો હીરો બની જતો હોય.આમાં એક બહાદુરીની ભાવના પણ હોય છે.જેમ કે બકાસુરને મારી ને ભીમ હીરો કહેવાતો.દરેક દેશોમાં અને પ્રાચીન સંસ્કૃતિમાં આવી વાતો હોય છે.અત્યારે વેમ્પાયરના મુવી બહુ ચાલે છે.લોહી ચુસતા ડ્રેકુલા અને વેમ્પાયર અને વરુ બધા આવી જાતના ભય છે.આમાં ભય સાચો પણ કલ્પના ખોટી હોય છે.ભૂત પ્રેત,ચુડેલ,ડાકણ,જંડ વિગેરેનો ભય એ આવો કાલ્પનિક ભય જ છે.એક દંતકથા મુજબ મહુડી નાં ઘંટાકર્ણ વીર એક શિકારી કોમનાં હતા.હાલ પણ એમની મૂર્તિ જુઓ કાનમાં ઘંટનાં આકારનાં કર્ણ ફૂલ અને હાથમાં તીર અને કામઠું છે.અને મર્યાં પછી આવા મોન્સ્ટર બની ત્યાના જંગલો ને ધ્રુજાવતા હતા.એમને જૈન મુની બુદ્ધિસાગર મહારાજે સાધના કરી સાધી ને ત્યાં બેસાડી દીધા.હવે લોકો એમને સુખડી ધરાવે છે.અને એ લોકોના કામ કરી આપે છે.લોકો સુખડીની બધા રાખે છે.જે સુખડી મહુડી ગામ બહાર લઇ ના જવાય તેવી માન્યતા છે.ભયમાંથી ભગવાન પેદા થાય.ભય વિના પ્રીત નહિ.ભયના લીધે ભગવાન પેદા થાય અને ભગવાનનાં ભયને લીધે લોકો વધારે ભયભીત થાય.આમ દુષ્ચક્ર ચાલે જ જાય છે.
૬)Drowning —પાણીમાં ડૂબીને મરવાનો ભય.આપણા પૂર્વજો નદી નાળાં,સમુદ્ર અને પાણીનાં પુરમાં ડૂબી ને મર્યાં હશેજ.આજે પણ લોકો આવી ઘટનાઓમાં મરે છે.આ એક બેઝીક કુદરતી કંડીશનિંગ ભય છે.નેચરલ ડીઝાસ્ટર ને કારણે ડૂબી ને મરી જવાનું સામાન્ય હતું.સુનામીમાં કેટલા બધા લોકો મરી ગયેલા?આ એક બહુ પ્રાચીન અને પ્રાથમિક ભય છે.પ્રલયનો ભય મૂળ તો ડૂબી જવાનો ભય જ છે.હિમયુગો પુરા થયા હશે ત્યારે ગ્રેટ ફલડમાં મોટાભાગની માનવ જાત ખતમ થઇ ગઈ હશે.આ ભય પાણી નો પાવર પણ બતાવે છે.
૭)Burned alive —-જીવતા સળગી મરવાનો ભય.આ પણ ઉપર મુજબનો જ ભય છે.જ્વાળામુખી,જંગલોમાં લગતા દવ આ ભયનાં કારણ રૂપ છે.સપ્ટેમ્બર ૨,૧૬૬૬માં ગ્રેટ ફાયર લંડનમાં લાગેલી.પાંચ દિવસ ચાલેલી એક જ  મહાજ્યોત આગમાં પુરા દસ હજાર ઘર સળગી રહ્યા હતા.એક બેકરીમાંથી શરુ થયેલી આગ માં કુલ ૧૩૨૦૦ ઘર અને ૮૭ ચર્ચ નો સફાયો બોલી ગયેલો.૮૦,૦૦૦ લોકો નિરાધાર થઇ ગયેલા.
૮)Terrorism —-આદી માનવોમાં પણ એક બીજાનાં સમૂહ એક બીજા ઉપર ટેરર ફેલાવતા.રાત્રે ઓચિંતા હુમલા કરી એક બીજા પર ત્રાસવાદ ફેલાવવામાં આવતો.એટલે આ ભય પણ પ્રાથમિક જ છે.પણ ટેરર  શબ્દ ફ્રાંસથી આવ્યો છે.ફ્રેંચ રીવોલ્યુશન વખતે પેરીસમાં હજારો લોકો ને Guillotine વડે કતલ કરી નાખવામાં આવેલા.વિકટીમને બાંધી ને સુવડાવી દેવામાં આવતો એક ચોકઠા પર અને ઉપર થી મોટી લોખંડ ની બ્લેડ છોડવામાં આવતી એક ઝાટકે માથું જુદું.અજાણ્યા ભય ઓળખવાની અદ્ભુત શક્તિ માનવમાં હોય છે.ભારત તો વર્ષો થી ટેરરીઝમનાં ભય થી પીડાય છે.૯-૧૧ પછી ટેરરીઝમનાં એક નવા યુગ માં પ્રવેશ્યા છીએ.
૯)Rat —ફીયર ઓફ રેટ,, ઉંદર ભાઈ વર્ષોથી આદીમ યુગ વખતથી માનવ જાત પર  ટેરર ફેલાવતા આવ્યા છે.ગુફાઓમાં માનવ રાત્રે સુતો હશે ત્યારે પગ અને હાથ મો પર કરડી ને ટેરર ફેલાવતા ઉંદરનો ભય પણ પ્રાથમિક છે.ભાઈ મગર કરતા વધારે મજબુત ઝડબા ધરાવે છે.૭૦૦૦ પાઉન્ડ પ્રેશર પર સ્ક્વેર ઇંચ પર કરી શકતા આ ભાઈનાં હાથમાંથી કોઈ પણ વસ્તુનું છટકવું મુશ્કેલ છે.આજ સુધી પ્લેગ ફેલાવી ને લાખો લોકો નેમારી ચુક્યા છે.એક સમયે યુરોપમાં થી ત્રીજા ભાગના પોપ્યુલેશનને પ્લેગ વડે નદારદ કરી દીધેલું.
                    નુકશાનમાંથી બચવા માટે ઘણા બધા ફીયર શીખવેલા હોય છે,અને ઘણા બધા કંડીશનિંગ થી મેળવેલા હોય છે.ભય થી શું થાય?
૧)હાર્ટ રેટ વધી જાય.હૃદય ઝડપથી ધબકતું થાય.જેથી જેતે અંગોને લોહીની જરૂર વધારે હોય તેને પુરવઠો મળી રહે.
૨)બ્લડ પ્રેશર ઊંચું જાય.
૩)મસલ્સ ટાઈટ થાય.જેથી વધારે મજબૂતાઈથી કામ કરી શકે.
૪)જ્ઞાનેન્દ્રિયો તેજ થાય.જેથી સેન્સની સમજ આવે.શું કરવું તે સમજ આવે.
૫) આંખની કીકીઓ મોટી થાય જેથી વધારે પ્રકાશ અંદર પ્રેવશી શકે.
૬) શરીર નાં તાપમાન ને જાળવવા પરસેવો થાય.
       બીજા જાતજાતનાં ભય હોય છે.એ વિષે ફરી ક્યારેક જણાવીશું.ભય એ કોઈ ખરાબ લાગણી નથી.હીણપત ભરી લાગણી નથી.સર્વાઈવલ થવા માટેની મજબુત લાગણી માત્ર છે.

30 thoughts on “ભયાવહ(Fight or Flight)!!!!!”

  1. મહત્વની જાણકારી. અન્ય ભય બાબત પણ લખજો.
    આજે માણસને જાત જાતના ભય સાથે પનારો પડે છે. અકસ્માતનો ભય… ખાડાઓનો ભય… કૂતરાઓનો ભય… ટેલિફોનનું બિલ વધારે આવી જવાનો ભય… વ્યાજ રેટ વધી કે ઘટી જવાનો ભય…

    Like

  2. “ભય એ કોઈ ખરાબ લાગણી નથી.હીણપત ભરી લાગણી નથી.”
    સિવાય કે તે ભય ખોટું કે ખરાબ કરતાં પકડાઈ જવાનો હોય.

    મને તો વાઘ સિંહનો ભય નથી લાગતો; એ ક્યાં મને કરડવા અહી આવવાના હતા? ભય લાગે કૂતરાનો ને તેના કરતાં વધારે તો પેલા ચૌદ ઇન્જેકશનોનો.

    Like

    1. સાચી વાત છે.ખોટું કરતા પકડાઈ જવાનો ભય હોય છે,પણ ઘણા ને તે ભય પણ લાગતો નથી.બિન્દાસ્ત ખોટું કર્યા કરતા હોય છે.

      Like

  3. શ્રી ભુપેન્દ્રસિંહજી, એકદમ ’હટકે’ માહિતીઓ પિરસી છે. આટલો ’ભયાનક’ ! લેખ ગુજરાતીમાં આપી અને બહુ ઉત્તમ કાર્ય કર્યું. મારા જેવાને ખાંખાખોળાનો નવો વિષય મળ્યો. આપની આ મહેનત ધન્યવાદને પાત્ર છે, આ વિષયે હજુ વધુ લખશો તેવી વિનંતી છે. ચાલો ! ફરી પાછો ત્રાસ આપવા આવીશ !! (આપણે બ્લોગરોને એક ભય આ પ્રતિભાવકોનો પણ ગણાય !) આભાર.

    Like

    1. ભાઈ,
      Primal ફીયર નામની એક ડોક્યુમેન્ટ્રી જોતો હતો.એમાંથી થોડી નોંધ કરી ને આ લેખ લખ્યો છે.આપણે ભય વિષે ડર વિષે જનતા જ હોઈએ છીએ,પણ આ જરા હટકે લાગ્યું.મૂળ ડર મૃત્યુ નો હોય છે,પણ મૃત્યુ જુદાજુદા રસ્તે આવતું હોય છે માટે ભય પણ વિવિધ હોય છે.આભાર આપનો.

      Like

    1. ભય ના ઘણા બધા પ્રકાર હોય છે,પણ આ બધા જે છે તે મૂળભૂત પ્રાથમિક અચેતન માં સમાયેલા પૂર્વજો દ્વારા મળેલા છે.બાકી તો જાત જાત નાં ફોબિયા હોય છે.

      Like

  4. આદરણીય શ્રી ભુપેન્દ્રસીહજી ,
    આપે વિસ્તૃત સંશોધન કરી ભય વિષે અમુલ્ય દિશા સૂચનો
    દર્શાવતો લેખ આપી ખુબ જ ઉપયોગી માહિતી આપી છે.
    આપનું વિશાલ વાંચન અને નવું નવું શોધી લેખ રૂપે
    પ્રગટ કરવાની પ્રબળ શક્તિ અને દ્યેયને મારા શત શત
    વંદન. આપ જેવાના બ્લોગમાંથી શક્તિ અને વિચારો મેળવી
    અમો નવોદિતો કૈક લખી શકીએ છીએ તે આપ જેવાને આભારી છે.
    સુંદર લેખ બદલ અભિનંદન. ધન્યવાદ.

    સ્વપ્ન

    Like

    1. ભાઈ,
      હું હંમેશા વર્ષો થી સાયન્સ ચેનલો અને ડોક્યુમેન્ટ્રી જોઉં છું.એટલે બધો દેતા મગજ માં સ્ટોર હોય.આ પણ થોડા દિવસ પહેલા જ જોએલું.એમાંથી લેખ રચાઈ જાય.આભાર આપનો.

      Like

  5. શ્રી ભુપેન્દ્રસિંહભાઈ,
    આપે એક નવા વિષય પર સુંદર રીસર્ચ કરીને સરળ ભાષામાં લખ્યું છે. મને આમાંથી ઘણાનો ભય લાગે છે….!!! આના સિવાય પણ બીજા તો ખરા જ…!! મહત્વની વાત એ છે કે આપે કહ્યું તેમ તેના માટે હીણપત અનુભવવી ન જોઈએ. જોકે સામાન્ય રીતે દરેકને કોઈ ને કોઈ ભય સતાવતો જ હોય છે. કોઈ સ્વીકારે કે ન સ્વીકારે…!! સુંદર, લોજીકલ, માહિતીસભર લેખ માટે આભાર….

    Like

    1. મૌસમી બહેન,
      સાયન્સ વિષે ની ડોક્યુમેન્ટ્રી જોવાનો રસ એનું આ પરિણામ છે.આ બધા ભય તે આપણાં અચેતન માં સમાયેલા જ છે.એનાથી સર્વાઈવ થવાય છે.એમાં કોઈ નુકશાન નથી.

      Like

  6. ભુપેન્દ્રભાઈ, લેખ ઘણો માહિતીપરદ છે. કાલ્પનિક ભય (દૈત્ય કે નર્ક) પણ વારસાગત છે. આંખ/નાક/કાન પારખી ના શકે એવી જગ્યે મન દોડી પડે છે અને એ કલ્પના કરવા લાગે છે.

    Like

  7. ભૂપેન્દ્રસિંહજી, સરસ માહિતીસભર લેખ.

    આપણે મનથી કે મગજથી હંમેશા તંદુરસ્તી, સ્વસ્થતા અને સંપૂર્ણ સલામતી ઈચ્છતા હોઇએ છીએ. પરંતુ જ્યારે સંબંધો, વિચારો કે માન્યતાઓને કારણે આપણે સંપૂર્ણ સલામતીનું જીવન મેળવી શકતા નથી. ત્યારે આપણાં મગજમાં ભય પેદા થાય છે. આપણી સ્મરણશક્તિ કે સ્મૃતિમાં જે ભૂતકાળમાં બની ગયું હોય તે રહેલું હોય તેથી ભવિષ્યમાં પણ તેવું જ બનશે તેનો ભય રહેતો હોય છે. મોટાભાગના સામાન્ય પ્રકારના ભય પહેલાં મનમાં જ સર્જાતા હોય છે.

    Like

    1. મીતાજી,
      આપણાં તો ખરાજ પણ આપણાં પૂર્વજો નાં મનમાં ઉગેલા ભય પણ જીન્સ માં વારસા માં મળે છે.આભાર.

      Like

  8. દુનિયામાં માત્ર બે પ્રકારનાં ભય હોય છે:

    ૧. વંદાનો ભય,
    ૨. કામવાળો આવતી કાલે ન આવવાનો ભય.

    બાકી બધા ભય બેકાર છે.

    😛
    (કોકી આ વાંચશે તેવા ભય સાથે)

    Like

  9. Dear brother,
    BHAY OF BHAI(bombay wale), wife,Garibi(poverty), Teachers, Exams, Boss, and so on.The fear factor is what no body wants but can not escape from it.I know one man who is not afraid of anything in this world, the dead man.BUT,but you can conquer the fear in case when you become a “NO MAN”, that is when you are as good as a dead person. When your EGO is toucing zero you have no fear. GOOD ARTICLE INDEED!

    Like

  10. Nice write up……. excellent information about fear….
    We can classify fears broadly as:
    Real or tangible fears: Such fears that are experienced acutely and evoke tension and terror, for example, the total terror of a war or a mishap, social catastrophe like hurricane or inferno, terrorist attack or personal danger. Common fears include the unknown circumstances due to ambiguity, changing, and/or taking risks, “losing control” (fear of emotional overwhelm and disorientation – e.g. from intimacy, conflict, and intense feelings), success (shame and guilt), social and/or internal ridicule and rejection (abandonment), and fear of loss (securities, bonds, and comforts, including hope).

    Emotional or intangible fears: Such fears originate from your mind for any reason, real or imaginary and are chronic, unexpected emotions. These fears are more benign, and express themselves in many forms like tension, worry, suspicion or doubt. These fears are recurring in nature, long term and are often repressed by the subject. As a result, various emotional as well physical disorders can develop. Excessive fear may cause a person to take the wrong course of action or may lead him or her to indecisive or inaction – which could possibly be even worse than trying and failing.

    Like

  11. ખરેખર મનનીય
    લેખ છે. ખરૂં જોતાં ખોટું બોલવું એ પણ સર્વાઇવલનું સાધન છે. જ્યારે એ ચિંતા ન હોય ત્યારે માણસ સાચું બોલે છે. દરેક વાતમાં ભય લાગે એટલે ખોટું બોલવું એ ટેવ બની જાય. (ગાંધી જયંતીના દિવસે આ વાત લખું છું!).
    પરંતુ નર્કનો ભય મઝેદાર છે. ત્યાં જઈએ એટલે કડક્ડતાછ તેલમાં નાખી દેતા હોય
    છે. કોઈ પૂછતું નથી કે આટલો બધો તેલનો પુરવઠો ક્યાંથી આવતો હશે? નર્કમાં ભોંય શિંગ થતી હશે? ગુજરાતમાંથી નિકાસ થતી હોય તો આપણે તો નર્કની આ મુખ્ય પ્રવૃત્તિ તરત જ બંધ કરાવી શકીએ! ભય શાનો?

    Like

  12. સુંદર અને અતિ માહિતી પ્રદ લેખ. કદાચ આવો લેખ દાળ-ભાત સાહિત્યમાં પ્રથમ હશે.

    Like

  13. સાયકોલોજીમા સહજ્વ્રુત્તીઓવિષીનુ એક ચેપ્ટર ભણવામા આવ્યુ હતુ, તેમા મનુષ્યમા સામાન્ય રીતે ચૌદ પ્રકારની સહજ્વ્રુત્તીઓ રહેલી છે એમા “ભય”નો પણ એક સહજ્વ્રુત્તીમા સમાવેશ કરેલો છે.આપે જે જુદા જુદા
    પ્રકારના ભય દર્શાવ્યા એ માનવિમા રહેલી ભયની સહજ્વ્રુત્તિનુ એને થયેલા અનુભવનુ પ્રત્યાર્પણ હોયછે જે માનવિના મનમાથી એ ભયને દૂર કરવો એ બહુ મુસ્કેલીભર્યુ કામ છે.આપે બહુ સરસ વિસ્ત્રુત અને માહિતીસભર
    સાથે ભયની સહજ્વ્રુત્તિનુ આલેખન બહુજ સહજ રીતે સરળ ભાષામા સમજાવ્યુ છે.આપના જ્ઞાનનેતો દાદ દેવી ઘટે.

    Like

  14. ઘણોજ માહિતીપ્રદ લેખ છે ,દરબાર શ્રી (ડર બાર) ઉપરથી અપભ્રંશ બનેલો શબ્દ છે.
    ……જો કે મારી કોમેન્ટ આપને વિચિત્ર જ લાગશે ,પણ હું રજુ ના કરું તો ઇ પણ મારો ભય ગણાય….સમજ છે એટલે ભય છે,બાળક નાગ પાસે આરામથી રમશે ,તેનો બાપ ભાગી જશે…આ સ્થિતિ થયીજાય તો ભય ગાયબ ના થયી જાય….અથવા સમજ ગાયબ કરીદયીએ તો….?

    Like

Leave a comment