નર્કારોહણ-5
આજે નર્કારોહણનો પાંચમો દિવસ હતો. રશ્મિભાઈ કહે, ‘આજે તો કોઈ દેખાતું નથી અહીં ઉપવનમાં ક્યારના આંટા મારીએ છીએ.’
અમે થોડા વધારે દૂર ગયા. તો એક ઝાડ નીચે બેત્રણ ભાઈઓ જેવા બેઠેલા. જરા નજીક ગયા તો એક જાડિયો ખુબ બળવાન લાગતો હતો. અહીં પેલી સ્ટ્રોન્ગેસ્ટ મેન ઇન વર્લ્ડની હરીફાઈના કોઈ સ્પર્ધક જેવો. બીજો એક સોહામણો મજબૂત ઉંચો ને એક સાવ ઢીલાં પોદળા જેવા ચહેરા વાળો હતો.
રશ્મિભાઈ કહે, ‘આ તો ભીમ, અર્જુન અને યુધિષ્ઠિર લાગે છે.’
મેં કહ્યું, ‘નક્કી પેલો ઢીલાં પોદળા જેવો દેખાય છે તે જ આપણો અધર્મરાજા હોવો જોઈએ.’
રશ્મીભાઈ કહે, ‘એવું ના બોલો એ તો આખા હિન્દુસ્તાન માટે ધર્મરાજા છે.’
મેં કહ્યું, ‘જુઓ આજે આખો દેશ યુધિષ્ઠિર મેનીયાથી પીડાઈ રહ્યો છે. ઢીલાં પોદળા જેવું બની રહેવામાં ગર્વ અનુભવી રહ્યો છે. ધર્મરાજા કહેવડાવવાની લ્હાયમાં માર ખાધે જ જાય છે. આ માણસનું અનુકરણ કરવામાં દેશ પાયમાલ અને કાયર બની રહ્યો છે. નેતાઓને ધર્મરાજા બનવું છે. માટે ના તો કોઈ ગુનેગારને સજા કરી શકે છે. બસ અમે તો ક્ષમા આપવાવાળાં. શાંતિ રાખોના ગાણાં ગાયે જવાના. મને ઇતિહાસનાં આ પાત્ર ઉપર સખત નફરત.’
પણ આવ્યા છીએ તો બે બોલા મળી લઈએ.
અમને જોઈને ખુદ કાપુરુષ ઉભા થઈ ગયા ને બોલ્યા, ‘આવો! ભગવાન શ્રી કૃષ્ણે અમને જણાવી દીધેલું કે તમે લોકો અમારી ખેંચવા આવ્યા છો.’
‘હું તો આપને ધર્મરાજા નહિ કહી શકું, જ્યાં જ્યાં ધર્મરાજા આપને માટે લખ્યું હોય છે ત્યાં ત્યાં આગળ “અ” લગાવીને જ વાચું છું.’
‘તમારી મરજી, અમને કોઈ વાંધો નથી. પણ એકલાં તમારા કહેવાથી ભારતના લોકો માનવાના નથી. કારણ દેશમાં મારા જેવાની બહુમતી છે.’
‘એક તો પહેલું એ કે મોટાભાઈનાં નાતે આપે નાના ભાઈઓને ખોટી રીતે વશમાં રાખ્યા અને કાયમ કદ પ્રમાણે વેતરતા રહ્યા.’
‘એ તો હજુ આજે પણ એવું જ ચાલે છે. મોટાભાઈઓ એમનું મહત્વ બતાવવા એવું જ કરે, તમારા અડવાણી કાયમ એવું જ કરે છે ને? નાના ભાઈઓ બલિદાનો આપવા માટે જ હોય છે.’
‘દ્રૌપદીના કેસમાં પણ આપ લુચ્ચાઈ રમી ગયા, અને વગર મહેનતે એ જમાનાની સુંદરતમ સ્ત્રી ઉપર હક જમાવી લીધો.’
‘જુઓ ભાઈ, એ જમાનામાં શ્રેષ્ઠતા સાબિત કર્યા વગર આવી સ્ત્રી મળે નહિ. જે અમારો એક અર્જુન જ કરી શકે તેમ હતો.’
‘પણ એમાં આપ રમત રમી ગયા, અર્જુનની મહેનત કૌશલ્ય અને ફાયદો બધાએ લીધો.’
‘જુઓ એ જમાનામાં બહુ પતિત્વનો રિવાજ હતો, અને અમે જાણતા હતા કે અમારા માતુશ્રી દરેક વસ્તુ સ્વાભાવિક બધા ભાઈઓ વહેંચીને ખાઓ એવું જ હંમેશા કહે છે. એનો અમે લાભ લઈ લીધો. માતાશ્રીને એવું કહ્યું જ નહિ કે સ્ત્રી લાવ્યા છીએ.’
‘એટલે સ્ત્રીને વસ્તુ સમજવી આસાન હતું કેમ?’
‘લગભગ એવું જ, અને માતાશ્રીની આજ્ઞાનું પાલન કરવું પડે તેવું સમજાવી અર્જુનને આગળ બોલવા જ ના દીધો, અને અમારું કામ થઈ ગયું.’
‘આપને લોકો ધર્મરાજા કેમ કહેતા હશે તેની જ નવાઈ લાગે છે, એક પત્નીને જુગારમાં કઈ રીતે મૂકી શકો?’
‘જુઓ ભાઈ, એ જમાનામાં પત્નીને વસ્તુ સમજતા ને પથારીમાં રમવા રમકડું જોઈએ, બસ પૈસા ને મિલકત ખૂટ્યા તો એને મૂકી દીધી.’
મેં કહ્યું, ‘અધર્મરાજ હું તો આગળ કશા સવાલ કરવા માંગતો નથી. મને તો આપના ઉપર બહુ ગુસ્સો આવે છે. આપે એક તો ભાઈઓને ધર્મના નીતિનિયમોના નામે કશું કરવા દીધું નહિ. જ્યાં લડવાનું આવ્યું ત્યાં ભાઈઓને આગળ કર્યા. અને બાકીની જગ્યાએ આગળ રહીને માન ખાટ્યે જ રાખ્યું. પાંચમાંથી ફક્ત બે જ ભાઈ ભીમ અને અર્જુન જ શક્તિશાળી હતા. એમનો ખુબ ઉપયોગ કર્યો ને જરૂર પ્રમાણે ધર્મના નામે; નીતિના નામે કદ પ્રમાણે વેતરે રાખ્યા. જે કીલર આક્રમકતા જોઈએ સર્વાઈવલ થવા માટે તે તમારામાં હતી નહિ અને બે ભાઈઓમાં હતી તેને ઠંડી પાડતાં રહ્યા. બિનજરૂરી આજ્ઞાપાલન કરાવતા રહ્યા. એટલે જ આજે આખો દેશ આજ્ઞાપાલક બની ગયો છે.’
રશ્મિકાંત બોલ્યા, ‘નેતાઓ ઇચ્છે કે પ્રજા અમારી આજ્ઞાનું પાલન કરે. અને નીચેની કેડરના નેતાઓનો ભોગ લીધા કરે. આજ નેતાઓ પાછાં બીજાની આજ્ઞા પાળે, ખાસ તો અમેરિકાના નેતાઓ કે પ્રમુખની આજ્ઞા પાળવામાં ગર્વ અનુભવે. આપણી જ સરહદમાં વાડ કરવા ગયા ને ચીની ભાઈ નારાજ થયા તો બંધ કરી દીધું. હિન્દી ચીની ભાઈ ભાઈ, ભાઈ નારાજ ના થવો જોઈએ. પછી ભલે ઘરમાં આવીને મારી જાય. ઘણી વાર તો એવું લાગે કે દુર્યોધન તમારાથી સારો. નપુંસક તો ના લાગે. અને મહાભારતકારે પણ લખ્યું છે કે એક રાજા તરીકે દુર્યોધન શ્રેષ્ઠ રાજા હતો.’
મેં કહ્યું, ‘એક તો દ્રૌપદીને પણ જીભ ઉપર કાબુ રાખવા સમજાવી ના શક્યા. એક પોતાની પત્નીને ભરી સભામાં જ્યારે નાલાયકો નગ્ન કરી રહ્યા હોય ત્યારે નીચું ઘાલીને જોઈ રહ્યા હતા. ભીમ કે અર્જુન જેવાને પણ બકવાસ નીતિનિયમોની આડમાં ઉભા થવા ના દીધા. એટલે જ આજે જ્યારે કોઈ અફજલ કે કસાબ નામનું મચ્છર ભારત માતાના ચીર આખી દુનિયાની સભા વચ્ચે ખેંચીને નગ્ન કરી નાખે છે ત્યારે ધર્મરાજાઓ(નેતાઓ) નીચું મો ઘાલી બેસી રહે છે. કૃષ્ણ ક્યારે આવે તેની રાહ જોવામાં ભારત માતાને નગ્ન થતી અટકાવવાનું એક પગલું જાતે ભરતા નથી. કાયમ અમેરિકા સામે લાચાર નજરે જોઈ રહે છે. અમને મદદ કરો.’
અધર્મરાજ નીચું ઘાલી ને ટેવ પ્રમાણે સાંભળી રહ્યા હતા. ભીમ અને અર્જુન પણ મોટાભાઈ સામે નારાજગી ભરી નજરથી જોઈ રહ્યા હતા. પણ વર્ષો જૂની આદત શું બોલે? ઊંઘમાં પણ આજ્ઞા પળાઈ જાય એટલી હદે ભારતીયોના મન કુંઠિત થઈ ગયેલા છે. ઢીલાં પોચા અને નબળા લોકોને આપણે ધર્મરાજ કહીને બિરદાવીએ તો લોકો તો એવા બનાવામાં ગૌરવ જ અનુભવે.
અમારે માતા કુંતીને મળવું હતું; પણ ક્યાંય દેખાયા નહિ. મારું મન જરા ધર્મરાજ સાથે વાતો કર્યા પછી ઉદ્દીગ્ન થઈ ગયું હતું. માતુશ્રી ક્યાંય દેખાય તો એમને પણ થોડા સવાલો કરી લઈએ. ખેર કાલે જોઈશું વિચારી અમે ભીમ અને અર્જુનને વિચારમાં મૂકીને ચાલતી પકડી.
રશ્મીભાઈ કહે, ‘તમે તો જબરું ભાષણ ઠોકી દીધું. મને તો બીક લાગતી હતી.
મેં પૂછયું કેમ? ‘તમે પણ ગુસ્સો ઉતાર્યો જ હતો ને?’
તો રશ્મીભાઈ કહે, ‘આ ધર્મરાજને ખોટું લાગી જાય ને પેલાં ભીમને આજ્ઞા આપે કે માર આ લોકોને, પછાડી ને પટકી નાખ, તો ભીમ કાયમની ટેવ પ્રમાણે અચેતન રૂપે આજ્ઞા પાળી લે તો આપણે તો મરી જઈએ. આપણું મિશન અધૂરું રહે.’
મને પણ થયું કે વાત તો સાચી. એ વખતે ખ્યાલ ના રહ્યો. પણ હવે ઝડપ કરો ચાલો ભાગો. અમે તો ભાગ્યા. સાચી જ વાત છે ને આજે પણ ધર્મરાજાઓની આજ્ઞા પાળીને લોકો નથી તૂટી પડતાં? વિચારે જ ક્યાં છે?
મંદિર તોડો, મસ્જિદ તોડો, તોડો ગુરુદ્વાર,
બંધના એલાનો આપો દેશ કરો ખુવાર.
અત્યુત્તમ.
હવે આપણે નવજાત બાળકીને રઝળતી છોડનાર માનવતાવિહીન, ત્રિશંકુને અધવચ લટકાવનાર, હરિશ્ચન્દ્રને પારાવાર પજવનાર ત્રાસવાદી, વસિષ્ઠના સો પુત્રોને મારનાર હત્યારા અને તેમને ડૂબાડી દેવાનો પ્રયાસ કરનાર કાવત્રાખોર ‘બ્રહ્મર્ષિ’ વિશ્વામિત્ર અને પોતાને પ્રણામ કરવાથી બધા દુષ્કૃત્યો માફ કરીને તેમને તે પદ આપનાર વસિષ્ઠને પણ મળવાનું છે.
LikeLike
I must say, on this idea…one TV serial should be there. imagine 33 crore GOD/GODESS… atleast 33 crore episodes :)))
LikeLike
હિરલજી,
લગભગ સાડા ત્રણ માણસે એક દેવતા છે,છતાં ભારતનો નાગરિક બિચારો કેમ છે?આ દેવો સ્વર્ગ માં જલસા કરે અને અહી અપને દુખી થવાનું.અનંતકાળ લાગી ચાલે તેવી ટીવી સીરીયલ બનાવવાની.છે કોઈ પ્રોડ્યુસર?આ એકતા કપૂર ને કોઈ ઓળખો છો?આભાર
LikeLike
First of all, don’t address me “hiralji”. I am not at that level (neither in knowledge nor in age) :). And yes, if i would know Akta Kapoor, would have tell you that before….but you surely find out her. This idea and serial will make impact on people who blindly believe saints, GODs…but don’t believe themselves 😦
You can contact new director and his team “better half” movie’s director. (Gujarati hit new movie – I heard)
LikeLike
If Akta kapoor will get chance to work on this project; believe me she will change her negative image (after making useless daily episodes – I mean that multiple marriages and house politics etc)…it will be her honor to work on such TV serial which will help Indian people to believe in them selves.
LikeLike
હીરલજી,
પાછુ હીરલજી?જુઓ અમે રાજપુત ઘરાના ના છીયે.અમારે ત્યા નાના બાળક ને પણ માન થી જ બોલાવવા મા આવે છે.અમારી પત્ની ને પણ તુકારે બોલાવવાનો રીવાજ નથી.એટલે અમને ટેવ પડી ગયેલી છે.હવે આપ જ સુચવો કે અમે આપને શુ કહીયે?ઘણા ને તુ કહો તો જ આત્મીયતા લાગે.અને અમને કોઇ તુ કહે તો અપમાન લાગે.જેવા જેના સન્સ્કાર અને જેવી જેની રહેણી કરણી.એકતા કપુર ને આવી બબતો મા રસ ના પડે.અને મારા લેખ વચી ને ઘણ મિત્રો વિચારતા હસે ક્યારે ઘાટ મા આવે અને ઠપકારીયે.આપની ઉમ્મર પુછવાની ગુસ્તાખી ના થાય.સ્ત્રીઓની ઉમ્મર અને સાધુના કુળ ના પુછાય.
LikeLike
એ તો ઠિક,પણ ગંગાપુત્ર ભિષ્મનો વધ કરવાની તાકાત પાંચ ભાઈ માંથી કોઈની ન’હોતી.આખરે શ્રીખંડી નામના કિન્નરનો આશરો લેવો પડ્યો.યુધિષ્ઠીર ડરપોક હતો.બહાદુર બાળક અભિમન્યુ હતો.
LikeLike
રજની ભાઈ,
ભીષ્મ સાથે નો પણ ઈન્ટરવ્યું આવશે.લખાઈ રહ્યો છે.બહુ જ્ઞાની છે.પરશુરામ ના ચેલા છે.
LikeLike
દરેક ઇતિહાસપ્રસિધ્ધ વ્યક્તિ સમ્પૂર્ણ ના હોઈ શકે. ગાન્ધીબાપુનું જીવન પણ માનવીના અવગુણોને અતિક્રમવાના પ્રયાસનું જ પ્રતિબિમ્બ છે, જે આપણી સામે છે.
આપણે મનુષ્યને સારો કે ખરાબ માનવા કે મનાવવા કરતા તેના જીવનની પ્રેરણા લઈને આપણા પોતાના અવગુણો દૂર કરીએ એ વધુ જરૂરી છે.
ભુપેન્દ્રભાઈ, તમારા લેખ મહામનુષ્યોની મનુષ્યતા છતી કરે છે. સલામ… વાચકો વિચારે અને નવી સમજ કેળવે એ અપેક્ષા…
LikeLike
ભૂપેન્દ્રસિંહજી, આપનું નર્કારોહણનું મિશન તો સારું ચાલી રહ્યું છે. ઘણા મહાનુભવો આપની ઝપટમાં આવી રહ્યા છે. અચેતનરૂપે આજ્ઞા પાળનારાથી બચતા રહેવું સારું નહીં તો મિશન અધૂરું રહે.
LikeLike
મીતાજી,
એટલે અમારે હવે બોડી ગાર્ડ રાખવા પડશે કે શું?
LikeLike
ભૂપેન્દ્રસિંહજી, બોડીગાર્ડ રાખવાની જરૂર નથી. આપની સાથે રશ્મિકાન્ત ભાઇ જેવા અનુભવી વ્યક્તિ છે તેમની સલાહ લેતા રહેવાની. બળથી નહી પણ કળથી કામ લેતાં શીખવશે આપને.
LikeLike
Hats off to you….. as always don’t have words to say anything else.
‘એટલે સ્ત્રી ને વસ્તુ સમજવી આસાન હતું કેમ?’…… and yes , this is one thing which what I have always felt true about ‘Mahabharat’ thanks for putting it so nicely.
LikeLike
પારુ બેન,
ખુબ ખુબ આભાર.એક વાર એવું બનેલું કે હું મારા થેરાપીસ્ટ ને ત્યાં હતો ને રીસેપનીસ્ટ ને મારી નવી એપોઇન્ટમેંટ માટે વાત કરતો હતો,તેવા માં હું બોલ્યો કે સંડે હો યા મન્ડે રોજ ખાઓ અંડે.તો એક ટીલાં ટપકા વાલા યુવાન બોલ્યા કે તમારા લીધે અમને શાક ભાજી સસ્તા મળે છે.હવે હું તો મજાક કરતો હતો.પછી જરા વધારે ચર્ચા થઇ તો કહે બધા માંસાહારીઓ નર્ક માં જવાના.મને થયું કે હું પણ નર્ક માં જવાનો એવું આ ભાઈ નું કહેવું છે.તો થયું ચાલ રામ સીતા અને બધા પૌરાણિક પાત્રો માંસાહારી હતા તો મને બધા ત્યાં મળવાના.હવે હું વેજી છું કે નોન્વેજી તે પણ એમણે પૂછ્યું નહિ અને મને નર્ક માં ધકેલી દીધો.બસ એમાંથી મને લખવાનો નવો આઈડીયા આવ્યો છે.આપનો આભાર.વાચતા રહેજો.
LikeLike
ભુપેન્દ્રસિંહજી,
ચંદ્ર ની ચાંદની ને પણ કાળી બાજુ હોયછે. દરેક મનુષ્ય ને પણ કર્મ કરતાં જાણે અજાણે બંને બાજુ નો સામનો કરવો પડેછે. ત્યારે કટોકટી ની પળ મા નિર્ણય લેતા આપનું લખાણ જરૂર મદદ કરે તેવી ઉમદા રીતે લખાયેલ છે. અભિનંદન…
LikeLike
ડો સાહેબ,
આભાર,કાળી બાજુઓ પહેલી જોઈ લેવી સારી કે એમાંથી બચી જવાય.પણ જ્યારે વ્યર્થ ભક્તિભાવ માં તણાઈ જઈએ તો અંધ બની જવાતું હોય છે.હું દરેક નું નાના બાળક નું પણ રીસ્પેક્ટ રાખું પણ વ્યર્થ ભક્તિભાવ મને નાં ગમે.
LikeLike
આપ થોડા વ્યસ્ત (busy) હતા ત્યારે કુંતા માતા પણ મળી ગયા. મેં પૂછ્યું, “અરે! આપ પણ અહીં છો?” તો કહે. “મને પોતાને જ ખુબ પસ્તાવો થયો કે અનાવશ્યક કુતુહલ ને વશ થઇ સૂર્યનારાયણ ને બોલાવ્યા, કર્ણને જન્મ આપીને તરત જ તેનો ત્યાગ કર્યો. તેને બિચારાને ખુબ અપમાન, અન્યાય અને છેતરપીંડી સહન કરવા પડ્યા તો યે હું કશું જ ન બોલી. અંતે પણ તેની ભલાઈનો દુરુપયોગ કર્યો. તેથી મેં જ યમરાજને વિનતી કરી ને અહી પ્રવેશ મેળવી લીધો.”
‘મહાપુરુષો’ ના બચાવ કરનારાઓને કહેવાનું કે
જેઓ કેવળ અવગુણ જુએ છે તેઓ ગાઢ અંધકારમાં પ્રવેશે છે. તેનાથી પણ ગાઢ અંધકારમાં કેવળ ગુણ જોવાવાળાઓ પ્રવેશે છે.
LikeLike
રશ્મી ભાઈ,
અંધકાર શાશ્વત છે.પ્રકાશ તો ઇંધણ પૂરું થતા હોલવાઈ જવાનો.ભલે અબજો વર્ષ લાગે ઇંધણ ખૂટતા.માતુશ્રી ને મળવાનું તો છે જ.
LikeLike
ભુપેન્દ્રસિંહજી, આ યુધિષ્ઠિરે અમને પણ બહુ તમાચા ખવરાવ્યા છે ! ગુજરાતીના સાહેબ એક આ અને એક ’ધુસ્ટધુમન’ (કદાચ હજુ પણ ખોટું નામ જ લખ્યું) એ બેને લખવા અને ઉચ્ચારવા પર બહુ ઢીબતા !
જો કે આપે પુરો ઇન્ટર્વ્યુ ન લીધો ! અમારા મનમાં ધરબાયેલા કેટલાક પ્રશ્નો (જે ફરી ક્યારેક મળે તો ચોક્કસ પૂછશોજી)
’નરો વા કુંજરો વા’ કર્યા પછી (અ)ધર્મરાજના મનમાં શું ભાવ હતો તે પણ જાણ્યું હોત તો ઠીક થાત. સ્વર્ગના માર્ગે, ભાઇઓમાં નહીં ને કુતરામાં મોહ કેમ રહ્યો, એ પણ જરા જાણ્યું હોત તો સારૂં રહેત. બહુપતિત્વનું ચલણ ત્યારે હોય જ તો દ્રોપદી સીવાય અન્ય કોઇનું ઉદાહરણ કેમ ત્યાં જોવા નથી મળતું ? ધર્મ તો કહે છે કે નાનાભાઇની પત્નિને પૂત્રી સમાન ગણવી, તો ધર્મરાજાનું આ ધર્મપાલન બાબતે શું માનવું હતું ?
બાકી આ ધર્મરાજાની નેતાઓ શાથે સરખામણી બરાબર, યોગ્ય જ રહી. અને છેલ્લો શેર ! તો સવાશેર !! રહ્યો.
“મંદિર તોડો, મસ્જીદ તોડો, તોડો ગુરુદ્વાર,
બંધના એલાનો આપો દેશ કરો ખુવાર”…… વાહ ! વાહ !!
LikeLike
શ્રી અશોકભાઈ,
સવાલો તો ખુબ છે પણ વાચકો ની એક સાથે બેસી ને વાચવાની ક્ષમતા ઓછી થઇ ગઈ છે,ઘણા બધાની ફરિયાદ હોય છે કે લેખ બહુ લાંબા હોય છે.મને રસ પડી જતો તો આખી રાત બેસી ને ગુજરાત નો નાથ પૂરો વાચી નાખતો.હવે વચે ગુજરાત ના આંદોલનો ચલાવવા પડે છે.આભાર.
LikeLike
ભુપેન્દ્રસિંહજી,
આ બધા ની સાથે મારી જેવા પંચાતીયાઓ ના પ્રિય અને ત્રણે લોકના લાઈફ ટાઇમ વિઝા ધારક, તંબુરા વાદક અને બે પથ્થરોને પણ ઝઘડા કરાવનાર “નારદ” મુની ને પણ યાદ કરજો.
LikeLike
શૈલેશ ભાઈ,
આ નર્ક માં મોટા ભાગે માંસાહારીઓ જ જોવા મળવાના.નારદ શું ખાતા હતા તે જાણી લાવશો જરા.
LikeLike
નર્કારોહણ-૧ મથાડામાં એક ચીત્ર છે. નરકના અધીકારીઓ આગ ઉપર મોટી કડાઈમાં માણસો અને સ્ત્રીઓને સજા કરે છે. જયારે અહીં ભીમડો, અર્જુનીઓ અને બાળા (યુધીસ્ઠીર) તો આરામ કરે છે. પહેલાં બધાને તાવડામાં નાખો. બધા અધમુઆ થાય પછી મુલાકાત જીવંત લાગશે.
LikeLike
યુધિષ્ઠિરને તેમની પોતાની અલાયદી બે રાણીઓ હતી એવો મને ખ્યાલ છે. કોઈ જાણકાર તે સાચો કે ખોટો તે જણાવી શકે? મુદ્દો એ છે કે જુગારના દાવમાં તે બે પત્નીઓને કેમ ના મૂકી? ભાઈઓની અન્ય પત્નીઓ જેવી કે સુભદ્રા વગેરેનું શું થયું? તેઓ પણ દાસ થયેલા પુરુષોની પત્નીઓ હોવાથી દાસી ન ગણાય?
LikeLike
રશ્મી ભાઈ,
આગવી પત્નીઓ જુગાર માં નાં મૂકી.અને સહિયારી મૂકી દીધી.અર્જુન તો પાછો માયા લોકો ની બે સ્ત્રીઓ પણ પરણી લાવેલો.મય દાનવ જેને લાક્ષાગૃહ બનાવી આપેલું.
LikeLike
પાંડવોને જુગાર રમતી વખતે દ્રૌપદી એક જ પત્નિ હતી. 14 વર્ષના વનવાસમાં તેમણે બીજી પત્નિઓ કરી હતી! જો કે, ભીમ એ બધામાં “સિનિયર” હતો. લાક્ષાગૃહ વખતના વનવાસમાં તેણે હેડમ્બા સાથે લગ્ન કર્યા હતા. આમ, ભીમ હેડમ્બાને દાવમાં મૂકી શક્યો હોત, પણ હેડમ્બા કદાચ પંચમહાલના વનવિસ્તારમાં ફરતી હતી.
LikeLike
ચીરાગ ભાઈ,
હેડમ્બા સારી હતી જો જુગાર માં મૂકી હોત તો દુશાશન ને જીવતો જ ખાઈ જાત.કૃષ્ણ ને દોટ મુકવી નાં પડી હોત.આભાર
LikeLike
આમ તો મોટાભાગ ની વાતો આપના લેખ માં આવી જ ગયી છે , માટે મારી કોમેન્ટ માં પુનરાવર્તન જ થવા નું ,, પહેલી વાત તો એ કે એ જમાના ના ધર્મ પ્રમાણે ત્યાર ના રાજા , પ્રજા , ધર્મગુરુ ઓ સ્ત્રી ને કોઈ વ્યક્તિ તરીકે નું મહત્વ જ નહોતા આપતા સ્ત્રી એટલે એક વસ્તુ , કરન્સી ,,,,, જેને ખરીદી શકાય , વેચી શકાય , દાવ ઉપર લગાવી શકાય ,,અને કરન્સી ના તો માલ મિલકત ની જેમ ભાગ પણ પડી શકાય? માટે જ દ્રૌપદી ને પહેલા અર્જુને જીતી ,, અહી એ ચોખવટ કરવી જરૂરી છે કે દ્રૌપદી એ આજ ની આઝાદ સ્ત્રી ની માફક અર્જુન ને પસંદ નહોતો કર્યો પણ અર્જુને દ્રૌપદી ને બાણ વિદ્યા ની પરિક્ષા માં જીતી હતી હવે આને સ્વયંવર કેવી રીતે કહેવાય? અર્જુન ની જગ્યા એ દુર્યોધન જીત્યો હોત તો દ્રૌપદી દુર્યોધન ને પરણત ,{ હવે આવા દાખલા ક્યાય જોયા કે સચિન સદી મારશે તો કોઈ આજ ની કોઈ રાજકુમારી સચિન ને પરણે અને દ્રવિડ સદી મારે તો દ્રવિડ ને અત્યારે આવું કોઈ છોકરી કરે તો એને શું કહે? },, હવે જે દ્રૌપદી ને અર્જુને જીતી હતી એ અર્જુન ની માલિકી ની પત્ની ને માતા ની આજ્ઞા થી પાંચ ભાઈઓ એ વહેચી નાખી { પાછો આનો વિરોધ ધર્મરાજ થી માંડી ને દ્રૌપદી કે એના પિયરીયા સુધી કોઈ એ નથી કર્યો બસ વહેચી નાખી કેમ? તો કહે કે એની માલિકી અર્જુન ની હતી હવે આ માલિકી હક ૫ ભાઈઓ માં વહેચાયો } ,,,, હવે ૫ ભાઈઓ ની મજિયારી પત્ની દ્રૌપદી રોજ રાત્રે વારાફરતી ૫ ભાઈઓ ની સેવા કરતી હતી ,, જુગાર રમતી સમયે ધર્મરાજા બધું હારી ગયા માલ મિલકત રાજ પાટ, અને છેવટે બાકી બચ્યું એ દ્રૌપદી , હવે જે દ્રૌપદી ને(અથવા એ નામ ની કરન્સી ને ) જીતવા માં , વહેચવા માં કોઈ ને વાંધો નહોતો પડ્યો એ દ્રૌપદી ને દુર્યોધને જીત્યા પછીએનું અપમાન કર્યું આ અપમાન નો વિરોધ ધર્મરાજા કે બીજા અધર્મ રાજા કયા મોઢે કરે? ,, કેમકે દ્રૌપદી નું સહુથી પહેલું અપમાન તો પાંડવો એ જ કર્યું હતું એને વહેચી ને , બીજું અપમાન પણ પાંડવો એ કર્યું એને જુગાર માં મૂકી ને ત્રીજું અને છેલ્લું અપમાન દુશાશને કર્યું ,, જેનું પરિણામ મહાભારત ના સ્વરૂપે પુરા દેશે ભોગવ્યું ,,,,,,,,,,, રહી વાત આજની તો મહાભારતના યુદ્ધ પછી ,ચંદ્રગુપ્ત , અને અશોક સિવાય દેશ એક બની ને ક્યારેય લડ્યો જ નથી ,,,,, હજાર વરસ મુસ્લિમો અને મોગલો નો માર ખાધા પછી અંગ્રેજો આવ્યા એના સામે છૂટાછવાયા રાજાઓ એ પણ પોત પોતા નું રાજ્ય બચાવવા ,, {દેશ બચાવવા માટે નહિ }લડ્યા જેની વાર્તાઓ સાંભળી ને આપને આજે પણ રાજી થયીએ છીએ ,, એ પછી આવ્યો આઝાદી નો અહિંસક જંગ {કેમકે આપણે હિંસક લડાઈ માં ના જીતત એની એ સમય ના નેતાઓ ને ખાતરી હતી (જુવો ને અત્યારે પણ ક્યાં એક થયી ને લડી શકીએ છીએ? )માટે અહિંસક જંગ લડ્યા અને સામે જેન્ટલમેન અંગ્રેજો હતા માટે જીત્યા પણ ખરા (જો હિટલર કે કોઈ મુસ્લિમ શાશક હોત તો હજુ સુધી આપણે ગુલામ જ હોત એની ગેરંટી જો કોઈ એવું માનતું હોય કે કોઈ શાશક બીજા વિસ્વયુધ થી થાકી ને આપણ ને આઝાદ કરી ગયો તો એ મુર્ખાઓ ના સ્વર્ગ માં જીવે છે કેમકે ઈતિહાસ સાક્ષી છે કે કોઈ પણ શાશક પોતા ના પૈસે નહિ પણ ગુલામ પ્રજા ના પૈસે વહીવટ ચલાવે છે ), હવે જ્યાં આપણીપ્રજા અને રાજા એક ના થઇ શકતા હોય તો કોઈ શું કરે ? આપણે તો ભારત માં ગુજરાત , ગુજરાત માં કચ્છ, રાજકોટ , અમદાવાદ ,,,અને અમદાવાદ માં પાછુ પટેલ , મુસ્લિમ જૈન બધા અલગ અલગ રહેવા નું , જીવવાનું , લડવા નું અને મરવા નું હવે આમાં દેશ તમ્બુરા માં ઉંચો આવવાનો છે ?
LikeLike
ખૂબ ખૂબ આભાર.
LikeLike