કાવ્યગોષ્ઠી, મોરારીબાપુ અને સુરેશ દલાલના સાનિધ્યમાં.

કાવ્યગોષ્ઠી, મોરારીબાપુના સાનિધ્યમાં, ન્યુ જર્સીમાં…
હમણા અહી ન્યુ જર્સીના એક્સ્પો હોલ, રેરીટન સેન્ટર, એડીસનમાં મોરારીબાપુની કથા ચાલે છે. ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકા એ આ બધું આયોજન કરેલું છે. કથામાં તો મને રસ પડે નહિ. કથાનું  ધૂમ એફ. એમ રેડિયો પર લાઈવ પ્રસારણ થાય છે. આજે શુક્રવારે બાલકાંડ પૂરો થયો. અને હવે શનિ અને રવિ બે દિવસ રહ્યા. બે દિવસમાં તો બાલકાંડથી લંકા પણ જીતાઈ જવાની. બાપુની એ કાબેલિયત છે. સાંજે આજે કવિ સંમેલન હતું. તો હું પણ પહોચી ગયો. સ્થાનિક અમેરીકાના કવિઓ સાથે સુરેશ દલાલ અને રઘુવીર ચૌધરી પણ હતા. ચિનુ મોદી પણ હતા. શ્રોતાઓમાં ભાગ્યેજ કોઈ યુવાન શ્રોતાઓ હતા. જે હતા એ માતાપિતા સાથે આવેલા હોય તેવું લાગ્યું. મૂળ તો આખા અમેરિકામાંથી લોકો કથા સાંભળવા આવેલા છે. એના લીધે નજીકની હોટેલો માં કન્સેશન થી રૂમો ભાડે મળે તેવું પણ ગોઠવાયેલું છે. હવે આ કથાઓમાં વૃદ્ધો સિવાય ખાસ કોઈ હોતું નથી. એટલે કવિ સંમેલનમાં  ગયો ત્યારે કોઈ વૃદ્ધાશ્રમમા આવી ગયો હોઉં તેવું લાગ્યું.
કથાની અસરનો એક દાખલો જોયો. એક યુવાન સ્ત્રી ખાદીની સફેદ સાડીમાં સજ્જ ઉઘાડા પગે ત્યાં ફરતી જોઈ. એના હાથમાં રામ નામ લખેલું કપડું ઢાંકીને માળા રાખી રામ નામ જપતી હશે તેવું  લાગ્યું. મને તો કોઈ ઓબ્સેશન જેવો દાખલો લાગ્યો. લોકો અભિભૂત થઇ જાય આવું જોઇને. મને રુગ્ણતા લાગે.
ખેર પોણો કલાક તો ઊંચા અવાજે માઈક બુમો પાડતું હતું કે ગમે તેટલું પણ ડોનેશન આપો અને પુણ્ય કમાવો. છેવટે સાત ને બદલે સાડા સાતે બાપુ પધાર્યા એટલે પ્રાથમિક વિધિ બાદ સંમેલન ચાલુ થયું.
સંમેલનની શરૂઆત કરી શ્રી સુરેશ દલાલે. ખુબ હસાવ્યા બધાને. ચાલતા કોઈનો સહારો લેવો પડે છે, પણ એક વાર માઈક આગળ આવે તો કોઈ ના કહે વૃદ્ધ હશે. એજ જોશથી બોલે. કદાચ લખવામાં એટલા હસાવતા નહિ હોય વાચકોને, એટલા બોલવામાં હસાવે. સ્ત્રીઓ વિષેના એમના અનુભવો કહીને હસાવવામાં બહુજ ખીલી ઉઠે. દલાલ સાહેબ ને કોઈ સ્ત્રીએ પૂછ્યું કે તમે કવિતા કઈ રીતે લખો છો? દલાલ સાહેબ કહે હું તો સુરેશ દલાલ છું, તરલા દલાલ નથી કે કવિતાની રેસીપી કહું? છતાં કહ્યું કે ગુલાબી કાગળ લો, લીલા રંગની શાહી લો અને કાગળ ને લમણે ટકરાવો કદાચ દિમાગમાંથી કવિતા ફૂટી નીકળે. બધા ખુબ હસ્યા. એક વાત બહુ સરસ કહી. તમને તારાઓની બારાખડી વાચતા આવડે છે? હા હોય તો લખો. આંખોમાં ધસી આવેલાં વાદળને ના વરસાવીને રોકતા આવડે છે? હા હોય તો લખો કવિતા. તમને ભીડમાં પોતાની જાત સાથે રહેતા આવડે છે? તમને મેઘધનુષના રંગ ને સુક્કી ધરતી  પર ઉતારતા આવડે છે? જો હા હોય તો લખો કવિતા. એમને સાભંળવાની મજા આવી. એક વસ્તુ બહુ મહ્ત્વની કહી કે કવિતા સંમેલનોમાં કવિતા એવી રીતે કહો કે સાભંળનારને એવુ લાગે કે કાનમા પીંછુ ફરી ગયુ છે.
જોકે સંમેલનના સંચાલકનુ ગળુ બેસી ગયુ હશે. જેથી કાનમા અપ્રિય  લાગતુ હતુ. અને કાનમા જાણે બોમ્બ ફોડતા હોય તેવુ લાગતુ હતુ. શીકાગોથી આવેલ કવિયત્રી બહેને સુરેશ દલાલે કહેલુ તેમ કાનમા પીંછુ ફરી જતુ હોય તેમ એમની રચનઓ બોલી બતાવી. સ્ટેજ ઉપર ચાર તો કવિયત્રી બહેનો હતી. બે  નામ યાદ છે, એક હતા જાણીતા પન્ના નાયક અને બીજા હતા પ્રિતી સેન્ગુપ્તા. પન્ના નાયક પહેલી વાર ભારતથી આવ્યા હશે ત્યારનો અનુભવ કહેતા હતા. ન્યુયોર્ક એરપોર્ટ પર સાડી પહેરી ને ઉભા હશે, ભાલ મધ્યે મોટો ચાંદલો કંકુનો લગાવેલો હશે. એક નાનો અમેરિકન બાળક એ જોઇને એની મોમને કહેતો હશે કે મોમ જો આના કપાળમાંથી લોહી નીકળે છે. ત્યારે પન્ના બહેનને લાગેલું કે અરે આ તો ભારત પાછળ છૂટી ગયું. એ વિષય પર એમણે વાર્તા પણ લખેલી છે, અને આજે કવિતા પણ કહી. કોઈ પણ કવિ એની કવિતા સંમેલનમાં વાંચે તો કવિતા કઈ રીતે સ્ફૂરી, એના મનમાં એના વિષે બે શબ્દો કહે પણ ખરો. પણ આયોજક અને સંચાલકને કવિ સમય બગાડતો હોય તેમ લાગે છે. એમ પન્ના બહેનને સંચાલક કવિશ્રી ચંદ્રકાંત ટોકે કે બહેન કવિતા વાચો ત્યારે ખરેખર સારું નાં લાગે. મને તો ના ગમ્યું. અને પોતે દરેક વખતે બે કવિઓ બદલાય એમની કવિતા રજુ કરતા ત્યારે વચ્ચે વચ્ચે ‘મરીજ’ના શેર કહ્યા વગર રહી શકતા નાં હતા. એકાદ ‘મરીજ’ નો શેર નાં કહ્યો હોત અને પન્ના નાયક જેવા વડીલ ઘડાએલા  કવિયત્રી ને બે શબ્દો વધારે બોલવા દીધા હોત તો એમનું માન જળવાત અને એમની લાગણીયો સાભળવા મળત. એમણે પોતે બ્લ્યું જીન્સ અને બહેચરભાઈ પટેલની કવિતા કરી ને લોકો ને હસાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે કોઈ કવિએ વ્યર્થ  પિષ્ટપેષણ કરીને સમય બગાડ્યો હોય તેવું લાગ્યું નહિ. એક ભાઈએ એમની કવિતા સાજ વિના(તરન્નુમ) ગાઈને સંભળાવી એમાં એમણે એક કવિતા કહેવાની છોડી દીધી. જેથી સમય બગાડ્યાનું કોઈ કહી ના જાય .

હું તો ખાસ ચિનુ મોદી, રઘુવીર ચૌધરીને સાંભળવા બેસી રહેલો. આયોજકો હોશિયાર આ બેને છેક છેલ્લે બોલાવ્યા. ચિનુ મોદી એમની લાક્ષણિક શૈલીમાં બોલ્યા. ખુબ મજા આવી. થોડા હસાવ્યા પણ ખરા. રઘુવીર ચૌધરી તો મારા ગામ માણસાની બાજુના ગામ બાપુપુરાનાં. એમને તો હું ઘણી વાર મારા અભેસિંહનાં માઢ આગળ ઉભો હોઉં ત્યારે બજારમાં જતા આવતા જોતો. ઉંચી પાતળી દેહયષ્ટિ, પાતળું લાંબુ રોમન નાક, લાંબા વાળ કોઈ રોમન યોદ્ધો ઝબ્ભો અને લેંઘો પહેરીને જતો હોય તેવા લાગે. એમણે તો કવિતા કરી જાણે હૃદય પર પીંછું ફરી ગયું, “મેં તો મને કહ્યું હતું પણ તમે સાંભળી લીધું” વાહ ભાઈ વાહ!! રાજસ્થાન વિષે સરસ કવિતા એમણે કહી, પણ બધા સમજ્યા હોય તો સારું. એક ભાઈ એ અમદાવાદ વિષે કવિતા કહી.

છેલ્લે આવ્યા પાછા સુરેશ દલાલ. અહીના ગુજરાતીઓ કેવું ગુજરાતી અંગ્રેજી મિક્સ ગુજરેજી બોલે છે તેની કવિતા કહી બધાને ડોલાવી દીધા. અહીના કોઈ કવિને  કવિ શ્રી રમેશ પારેખ એવોર્ડ અપાયો. દિવંગત કવિશ્રી ગઝલકાર  આદીલ મન્સૂરી વગરના સંમેલનમાં એમનો ખાલીપો બધાયે અનુભવ્યો. એમના પત્ની અને સુપુત્ર બંને સ્ટેજ ઉપર આવ્યા અને કવિશ્રી આદીલ મન્સૂરીના નામનો એવોર્ડ હવેથી આપશે તેમ જાહેર કરી ને પહેલો એવોર્ડ ચિનુ મોદી ને આપ્યો. ચિનુ મોદીએ વાતાવરણ ને શોકમગ્ન બનાવ્યા વગર પરમ મિત્ર આદીલ સહેબ ને શ્રદ્ધાંજલિ અર્પી. અને આમજ સંમેલન પૂરું થયું. ખુબ મજા આવી. મને થયુકે મારા વાચકોને પણ મારા આનંદમાં ભાગીદાર બનાવું. એટલે આ લખ્યું છે. મને કોઈ અંદાઝ હતો નહિ કે આવી ને આના ઉપર લખીશ માટે કોઈ નોંધ કરેલી નહિ, બાકી સારી સારી પંક્તિઓની મજા પણ માણવાં મળત. જેટલું યાદ રહ્યું તેટલું લખ્યું છે.

23 thoughts on “કાવ્યગોષ્ઠી, મોરારીબાપુ અને સુરેશ દલાલના સાનિધ્યમાં.”

  1. સરજી, એકદમ સુંદર અને સચોટ પ્રસંગાલેખન, હુ દિલ્હિમાં પણ જાણે એકસ્પો હોલમાં પ્રોગ્રામ માણી રહ્યો હોઉ એવુ લાગતુ હતુ…ઉત્તમ પ્રયાસ…..ધન્યવાદ અમને યાદ રાખ્યા બદલ…..

    Like

    1. રાજેશભાઈ
      ખુબ આભાર.હું કાગળ પેન લઈને બેઠો હોત તો ઓર મજા આવત.મને કવિતા કરતા નાં આવડે પણ માણતા તો આવડે છે,જેમ મને શાસ્ત્રીય સગીત માં સમજ નાં પડે પણ સાભળીને ડોલતા જરૂર આવડે .

      Like

  2. ભૂપેન્દ્રસિંહજી આ પન્નાબહેન ની વાર્તા મેં સાંભળેલી છે તેમાં એમણે સાહિત્યના ડાયસ્પોરાની વાત લખી છે. એટલે કે એક ભારતીય સ્ત્રી પોતાનો દેશ છોડીને બીજા દેશમાં જાય ત્યારે તેની મનોદશાનું વર્ણન છે. ભારતીય સંસ્કૃતિ અને બીજા દેશની સંસ્કૃતિ સાચવીને સ્ત્રીએ કેવી મનોદશા અને તકલીફો સાથે રહેવાનું હોય છે તેનું વર્ણન છે તે વાર્તામાં. અત્યારે તો કદાચ પરિસ્થિતિ બદલાઇ ગઇ હશે. પરંતુ તેઓ જ્યારે અમેરિકા ગયા ત્યારની વાત છે આપે જે કપાળમાં ચાંદલાની વાત લખી છે તે અને બીજી પણ સ્ત્રીઓની મનોદશાની વાતો તે વાર્તામાં છે. મારા એક માસી આજથી ચાલીશ વર્ષ પહેલાં અમેરિકા ગયેલા. તે જ્યારે આવે ત્યારે તેઓ પણ અમને આવી બંને સંસ્કૃતિને જાળવીને રહેવાની વાતો કરતા.

    આપનો આભાર અમને કવિ સંમેલનની ઝલક આપવા બદલ. સરસ પ્રયાસ.

    Like

    1. મીતાજી,
      પન્ના નાયક એક નીવડેલા વાર્તાકાર છે.બે સંસ્કૃતિઓ વચ્ચે જીવવું ભારે અકળાવનારું હોય છે.એમણે બહુ સરસ મનોભાવો કવિતા માં દર્શાવેલા છે.ખાસ તો સ્ત્રીઓ ને વધુ તકલીફ થતી હોય છે.બે સંસ્કૃતિઓ વચ્ચે સંતુલન જાળવી રાખવું અઘરું છે.આભાર.

      Like

  3. ભુપેન્દ્રભાઈ, વીડીયો લીધો હોત તો અમારી આંખોમાં અને કાનમાં પીંછું ફરી ગયું હોત! જો કે, આ વાંચીને હ્રદયમાં તો પીંછું ફરી જ ગયું છે!

    Like

    1. ચિરાગભાઈ,
      હું તો તમને શોધતો હતો.ત્યાં કદાચ મળી જાઓ.પણ કોઈ નાં મળ્યું.હું તો વડોદરા પણ કાવ્ય સંમેલનો થાય તો પહોચી જતો ગાંધીનગર ગૃહ માં.ગની દહીવાલાને પણ એવી રીતે સાંભળેલા હતા.હિન્દી ના હાસ્ય કવિઓના સંમેલન માં એકવાર બહુ મજા આવેલી.જગજીતસિંહ ને સાંભળવા નું બહુ ગમે.બરોડા પણ સાંભળેલા,અને અહી એલીઝાબેથ પણ.

      Like

  4. ભુપેન્દ્રભાઈ તમે સરસ હેવાલ રજૂ કર્યો. દિવસ દરમ્યાન નોકરી પતાવીને હું તો રોજ સાંજે પહોંચી જતો હતો. અને ઇચ્છા હોવા છતાં સમયના અભાવે કાંઈ પણ લખી ના શક્યો. પણ તમે તો રાત્રે મોડા પહોંચ્યા હશો અને છતાં સમય કાઢીને આ લેખ લખી નાખ્યો એ ધન્યવાદને પાત્ર છે. અને ખાસ કોઈ નોંધ વગર પણ જે અગત્યની અને જરૂરી વાતો અને પંક્તિઓ યાદ રાખીને તમારા લેખમાં સરસ રીતે વણી લીધી એના માટે અભિનંદન. જે બીજા બે કવયિત્રીઓના નામ તમને યાદ નથી તો જણાવું કે એક હતા ડૉ. મધુમતી મહેતા અને બીજા ઊર્મિસાગર.કોમ વાળા મોના નાયક. જે કવિએ અમદાવાદની કવિતા કહેલી તે શ્રી. સુમન શાહ. અને રમેશ પારેખ એવૉર્ડ જે કવિને મળ્યો હતો તે શ્રી. વિરાફ કાપડિયા. જેમણે તરન્નુમમાં કવિતા સંભળાવી હતી તે શ્રી. હરિશ્ચંદ્ર જોશી. આ સિવાયના કવિઓમાં ડૉ. અશરફ ડબાવાલા શ્રી. નટવર ગાંધી ડૉ. નીલેશ રાણા. સ્ટેજ માઈક અને કૅમેરાના કામણથી બચી શકે એવા જૂજ લોકો જ હોય છે.

    Like

    1. શ્રી જગદીશભાઈ,
      બીજા દીવસે સવારે લખું તો યાદ નાં આવે બધું.મેં નોટ પેન રાખી હોત તો સારું એવો પસ્તાવો પણ થયો.હવે આપે એની પુર્તી કરી દીધી.હવે આપે લખ્યા તો નામ યાદ આવ્યા.કવિતા કહેવાની રીત ડો મધુમતી મહેતા ની મને તો ખુબ સારી લાગી.રાત્રે બે વાગે સુતો હતો.આપનો ખુબ ખુબ આભાર.

      Like

  5. સરસ, નિખાલસ.

    જો કે શ્રી સુરેશ દલાલનું જે વક્તવ્ય આપે કહ્યું તે અમે અહીં અસ્મિતાપર્વમાં પણ સાંભળેલું… હસવાની ખૂબ મજા આવી હતી….

    Like

  6. ખુબ સુંદર આલેખન મજા પડી આપે યાદ રાખી સારુ લખ્યું મન પહોચી ગયું..આદિલ્જીની ખોટ સાલી સાવ સાચ્ચી વાત..સન્ચાલક કોણ હતા ? ચન્દ્રકાન્ત કે અંક્તિ કે શોભિત દેસાઈ !! મને લાગે અંકિત હશે..

    Like

    1. દિલીપ ભાઈ,
      ઘણા દિવસે પધાર્યા છો,કેમ છો?
      ચંદ્રકાંત સંચાલક હતા.એમણે ‘બ્લ્યુ જીન્સ અને બહેચરભાઈ ને કઈ લેવા દેવા નહિ’નામની રચના કહેલી.પણ એમનું ગળું બેસી ગયેલું હતું.આભાર.

      Like

      1. hello; this is Chandrakant Shah here; you should be in my shoe; where i had lost my voice completely and i had to address 5000 people; not just address but entertain; where no one else was available (Ankit was assigned 2nd part of it- thats how it works) initially we were told we had only till 9:30 pm; and try to squeeze every second to give time to all poets.; all were briefed to read poems only and no other story telling or explaining poems. You should not make comments without knowing the full story. and yes; it was not pleasant for me to speak as well; so i can guess it was not pleasant listening to me; seems like your report is right for your audience.

        Like

        1. શ્રી ચંદ્રાકાન્ત્ભાઈ,
          આપનું ગળું બેસી ગયેલું હતું તે પણ મેં લખેલ જ છે.એમાં આપનો કોઈ દોષ નથી.આપની વાત સાચી પણ હશે કે કવિઓ ને પોતાની કૃતિ રજુ કરવા માં સમય નો ખ્યાલ નાં રહે.પણ મને જરા એવું લાગ્યું કે આપ પોતે એકાદ શેર જતો કરી શક્યા હોત.જો કે કવિઓ ની પણ ફરજ છે કી સમય નો ખ્યાલ રાખવો જોઈએ.દરેક કવિ એકની એક પંક્તિ બે વાર બોલે તો સારું લાગે પણ ચાર વાર બોલે તો સમય બરબાદ થાય.રઘુવીર સાહેબે તો એકજ વાર બોલી બતાવી હતી ને?ખાલી પન્ના બહેન ને જ ટોકવામાં આવેલા માટે મેં લખેલું.આપની બ્લ્યુ જીન્સ પણ સરસ હતી.ભાઈ માઠુ નહિ લગાડવાનું.મને કથા માં રસ નહિ પણ કવિતાઓ માં રસ હતો માટે જ આવેલો.અને રીપોર્ટ લખવાનો કોઈ ઈરાદો પણ હતો નહિ.થયું કે આટલી સરસ મજા આવી તો મારા વાચકોને આનંદ માં ભાગીદાર કરું.ભારત ને ભરમાવી રહેલી રામાયણ માં મને રસ જ નથી.આતો રોટલા રળવાનું સાધન માત્ર જ છે.આભાર.

          Like

  7. સરસ અહેવાલ. જહેમત ઉઠાવી તરતોતરત અમારા સુધી પહોંચાડ્યું એ બદલ આભાર.

    Like

  8. ઝલક વાંચવાની મઝા આવી.ખુબ સાદી ભાષામાં,સરળ રીતે, સરસ, સંક્ષિપ્ત અહેવાલ રજૂ કર્યો.

    Like

  9. શ્રી ભુપેન્દ્રસિંહજી, આપે તો અમને પણ કવિસંમેલનમાં સામેલ કરી લીધા. સ_રસ રિપોર્ટિંગ કર્યું. જો કે હવે પછી અમારા જેવા વાંચકો માટે પેન અને કાગળ શાથે રાખવાની તકલીફ ઉઠાવવા વિનંતી ! આ કથાને “માનસ સુમતિ કુમતિ” નામ આપવામાં આવેલ છે. આ કથાનો સાર (અંગ્રેજીમાં) ક્રમશઃ અહીં દર્શાવેલી સાઇટ પર વાંચવા માટે મુકાશે. (http://www.iiramii.net/katha688_manas_sumati_kumati.html)
    બાકી આપનો લેખ વાંચીને અમારા મનમાં પણ જાણે પીંછુ ફરી ગયું ! આભાર.

    Like

  10. Saaheb;
    Fari maraa zaza juhaar. maari comments vaanch te badal abhaar.
    kavi sammelan ni ghani vaato ‘insider’ hoy chhe je saambhalnaara ne na khabar pade; sanchalaan nu kaam e chhe ke kavi sammelan ma loko no ras jaal vi raake; etle be kavi vachhe loko ne em naa laaage ke maja nathi aaavti. – hun ek ek sher j bolto hato; e absolutely minimum kahevaay; baaaki sanchaalko kavi veish bole aagla kavi ni kavita vishe bole etc etc. maatr kavi o ne ek pachhi ek kho j aapya kariye to be tran nabli rajuvaat vala kavi aaave tya shrota o baga sa khaaava maande. tamne pannaben ni kavita ma ras padyo etle aa badho vaank dekhaay chhe. overal kavi sammelan 3 kallak pachhi jene maza aaavi hoy e j kharo anubhav kahevaay. ame aa kaam 30 varas thi kariye chhiye. badhi vaat no khyaal raakhva no pryatna karie kyaarek ema dhil pan padi jaay.

    Like

    1. શ્રી ચંદ્રકાંતભાઈ,
      સાચી વાત છે.મને કોઈ પક્ષપાત છે જ નહિ.કે કોઈ એક પન્નાબેન ની કવિતાજ ગમી હોય.લગભગ દરેક કવિ ની રચનાઓ સરસ હતી.પણ મને યાદ કઈ રહી?બહેચરભાઈ ને બ્લ્યું જીન્સ સાથે કઈ લેવાદેવા નહિ.સંચાલન કરવું એતો અઘરી બાબત છે.રસ જળવાઈ રહે તે પણ અગત્યનું જ છે.એ તો જેનું કામ હોય તેજ કરી શકે.અમે તમારું કામ નાં જ કરી શકીએ.એમ તમે અમારું કામ ના કરી શકો.સુરેશ દલાલ કેહતા હતા ને કે વિવેચક માં થી ‘ચ’ કાઢી લો તો વિવેક રહે જ પણ એમને વિવેચકો ગમતા ના હોય તે સ્વાભાવિક છે,માટે કહી દીધું કે વિવેચકોમાં વિવેક ના હોય.ઘણી વાર તેઓશ્રી ફક્ત હસાવવા માટે ચીપ મજાક કરી લેતા હતા.વિવેચક તો કોઈ ને ય નાં ગમે.મનેય કે તમનેય ના ગમે.એટલે જેનું કામ હોય તે કરે.દાખલા તરીકે તમે મોરારીબાપુ ની ભૂલો કદી જોઈ શકો?નાં,, અમને દેખાય છે તો જાહેર માં કહીએ છીએ.મારો “સદભાવના પર્વ યોજાઈ ગયું આનંદો”ને અને નર્કારોહણનાં ૯ ભાગ મુક્યા છે વાચી લેશો તો સમજાઈ જશે.સંચાલન ની બાબત માં તમે નિપુણ છો તે માનીએ છીએ.એટલે ખોટું ના લગાડશો.હું પણ કદાચ ખોટો હોઈ શકું ને?બસ હવે બીજા આર્ટીકલ વાંચી ને આપની કોમેન્ટ ક્યારે આપો છો?

      Like

  11. very nice representation.i don’t have words to say.ur presentation left long lasting impression in my mind for u,ur interst,ur know-how etc.i can’t write in guj.otherwise i can write more.

    Like

  12. દલાલ સાહેબ કહે હું તો સુરેશ દલાલ છું, તરલા દલાલ નથી કે કવિતાની રેસીપી કહું? છતાં કહ્યું કે ગુલાબી કાગળ લો, લીલા રંગની શાહી લો અને કાગળ ને લમણે ટકરાવો કદાચ દિમાગમાંથી કવિતા ફૂટી નીકળે. hasva hasvama pan ketli sachi vat kahi emne.

    તમને તારાઓની બારાખડી વાચતા આવડે છે? હા હોય તો લખો. આંખોમાં ધસી આવેલાં વાદળને ના વરસાવીને રોકતા આવડે છે? હા હોય તો લખો કવિતા. તમને ભીડમાં પોતાની જાત સાથે રહેતા આવડે છે? તમને મેઘધનુષના રંગ ને સુક્કી ધરતી પર ઉતારતા આવડે છે? જો હા હોય તો લખો કવિતા. એમને સાભંળવાની મજા આવી. એક વસ્તુ બહુ મહ્ત્વની કહી કે કવિતા સંમેલનોમાં કવિતા એવી રીતે કહો કે સાભંળનારને એવુ લાગે કે કાનમા પીંછુ ફરી ગયુ છે.ketlu saras!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s