કૃષ્ણ ને માથે મોરપંખ?
મારે હવે ભગવાન શ્રીકૃષ્ણ સાથે હોટ લાઈન થઇ ગઈ છે. જયારે કોઈ સવાલો ઉઠે ત્યારે ખબર નહિ રાત્રે ભગવાન સાથે મુલાકાત થઇ જાય છે. કોઈ વિનાતાર(વાયર લેસ) જોડાણ લાગી ગયું છે. ભગવાનને પણ કુરુક્ષેત્રમાં ફરવાનો મોહ લાગેલો છે, કેમ કે મહાભારતનું યુદ્ધ ત્યાં થયેલું. પણ એનો દોષ ઘણા શ્રીકૃષ્ણ માથે પણ નાખે છે. એ રોકી શક્યા હોત એમ માને છે. હવે જે લોકો ખરા કારણભૂત હતા તેમને કોઈ દોષ ના દે અને જે રોકી ના શક્યા તેને દોષ દેવો કેટલો ઉચિત? એટલે ભગવાન પણ હરિયાણામાં આવેલા કુરુક્ષેત્રની મુલાકાતે આવીને જૂની યાદો વાગોળતા હોય છે. અમારી તો દુનિયા જ થઇ ગયું છે કુરુક્ષેત્ર. મેં પૂછ્યું,
‘ભગવાન! આ આપને માથે મોરપિચ્છ જ શામાટે રાખતા હતા?’
‘બસ એમજ , મોરપંખ બહુ મનમોહક હોય છે માટે, દેખાવમાં સુંદર હોય છે.’
‘પણ મેં તો એક જગ્યાએ સાંભળ્યું કે મોર ખાલી પીંછા ફેલાવી નાચે અને એની આન્ખમાંથી આશું પડે તે ઢેલ પી ને ગર્ભવતી થાય, માટે મોર કામી નથી તેમ આપ પણ બ્રહ્મચારી ગણાવ માટે આપ પણ કામી નથી માટે મોરપંખ રાખો છો.’
‘ના ભાઈ નાં! આતો કોઈ મુર્ખ કવિની કલ્પના લાગે છે.’
‘એવું કેમ?’
‘જુઓ પ્રાણી માત્રમાં બ્રહ્મ હોય તેવું સમજે તે બ્રહ્મચારી, એમાં કામ(sex) ને શું લેવા કે દેવા, અને કામરસ પણ ભગવાને જ બનાવેલ છે માટે તે પણ બ્રહ્મ જ છે.’
‘તો આપ એવા બ્રહ્મચારી હતા ખરું?’
‘હા! અને કોઈ પણ સજીવમાં નર અને માદાના મિલન વગર ગર્ભ ધારણ નાં થાય, આન્શુઓમાં સ્પર્મ ક્યાથી આવતા હશે?’
‘એ વાત સાચી! પણ ટેસ્ટ ટ્યુબ બેબીમાં ક્યા મિલનની જરૂર હોય છે?’
‘સાચી વાત પ્રત્યક્ષ મિલન ના હોય, પણ એકના સ્પર્મ અને બીજાનું અંડ તો હોય જ ને, અપરોક્ષ મિલન તો કહેવાય જ ને.’
‘તો ભગવાન મોર અને ઢેલ શારીરિક મિલન કરતા જ હશે ખરું ને?’
‘ચોક્કસ કરેજ, પણ એક વાત છે જે મોરના પીંછામાં પેલા મનમોહક ચાંદલા વધારે હોય તેને જ ઢેલ મિલન કરવા દે ઓછા હોય તેને નહિ.’
‘એવું કેમ ભગવાન?’
‘ઈવોલ્યુશનનો નિયમ છે, નારીને બેસ્ટ પાર્ટનર પસંદ કરવાનો હક છે મોર એનું બેસ્ટ ઉદાહરણ છે.’
‘આ તો કોઈ બી.એડના વિદ્યાર્થી પાસે મોર નાચે ને ઢેલ આશું પીવે તેવું વાચેલું, એટલે મેં પૂછ્યું ભગવાન.’
‘હશે કોઈ મૂરખ, પણ આ ભારતના વિદ્યાર્થીઓને થયું છે શું?’
‘કેમ! ભગવાન?’
‘કોઈ સ્ત્રીઓના મોઢા ના જોનારા ગુરુની આગળ પાછળ ફર્યા જ કરતા હોય છે?’
‘ભગવાન, નારી નરકની ખાણ છે, એનો ફેસ જોઈ જાય તો લપસી જવાય ને નરકમાં જવાય માટે જોતા નહિ હોય ગુરુજી.’
‘અરે વત્સ! નારી તો કુદરતે ઘડેલી બેનમુન, સુંદરતમ પ્રતિમા છે, પ્રેમની ગંગા છે, એની ભળેલી મીઠાશ વગર તો દરિયો પણ અધુરો છે.’
‘તો પછી આ ગુરુજીનું શું માનવું?’
‘અરે વત્સ! નારીનો પ્રેમ પામ્યા વગરનો એ ગુરુ જીવતું નર્ક જ ભોગવી રહ્યો હશે, એ ભલેને નારીને નરકની ખાણ સમજતો.’
‘પણ ભગવાન આ દરિયો તો ખારો હોય છે એના અર્ક ને “મીઠું”કેમ કહેતા હશે?’
‘પ્રેમની ગંગાની મીઠાસ એમાં ભળેલી છે, એની ખારાશને ગુણકારી બનાવી દીધી છે, એનાથી બ્રેનનો વિકાસ થાય છે.’
‘એટલે મીઠું ખાવું જરૂરી છે એમ?’
‘હા! સપ્રમાણ આયોડીનવાળું ખાવું જોઈએ બ્રેનના વિકાસ માટે જરૂરી છે, પણ અતિ નહિ કરવાની.’
‘પણ પેલા યુવાનો વિષે શું કહેતા હતા?’
‘ભારતનું યુવાધન અવૈજ્ઞાનિક અભિગમવાળું ને મુર્ખ બની રહ્યું છે, માટે ભારતના ભવિષ્યની ચિંતા થાય છે.’
‘પણ ભગવન હવે આપણાં હાથની વાત નથી રહી શું કરીએ?’
‘સમજાવો લોકોને.’
‘ભગવાન ના સમજે કોઈ ભારે ડીટરજન્ટથી બ્રેન ધોવાઈ રહ્યા છે, હું તો રોજ લખું છું એના વિષે.’
‘વત્સ! ભણેલા જ નાં સમજે તો અભણનો શું વાંક કાઢવાનો.’
ઓચિંતા મારી આંખ ખુલી ગઈ એલાર્મ જો વાગેલું. મારે જોબ જવાનો સમય થઇ ગયેલો. ફરી પાછા ભગવાન આવશે તો આપ લોગન ને જણાવીશું શું વાતો થઇ તે….
સુંદર સંવાદ ભગવાન સાથેનો. અરે વત્સ!નારી તો કુદરતે ઘડેલી બેનમુન,સુંદરતમ પ્રતિમા છે! નારી નો પ્રેમ પામ્યા વગરનો એ ગુરુ જીવતું નર્ક જ ભોગવી રહ્યો હશે,એ ભલે ને નારી ને નરક ની ખાણ સમજતો.’ સાચી વાત. આ વિશે એક ફિલ્મ ચિત્રલેખાનું એક ગીત છે.
યે ભોગ ભી એક તપસ્યા હૈ
તુમ ત્યાગ કે મારો કયા જાનો
અપમાન રચયિતા કા હોગા
રચના કો અગર ઠુકરાઓગે
LikeLike
મીતાજી,
એ ગીત અને મુવી પણ સારું હતું.
“સંસાર સે ભાગે ફિરતે હો,
ભગવાન કો તુમ ક્યા પાઓગે?
ઈસ લોક કો ભી અપના ન શકે,
ઉસ લોક મેં ભી પછતાઓગે.
યે પાપ હૈ ક્યા યે પુણ્ય હૈ ક્યા?
રીતોં પર ધર્મકી મહોરેં હૈ.
હર યુગમેં બદલતે ધર્મો કો
કૈસે આદર્શ બનાઓગે?
હમ કહેતે હૈ યે જગ અપના હૈ,
તુમ કહેતે હો જૂઠા સપના હૈ.
અપમાન રચયિતા કા હોગા,
રચના કો અગર ઠુકરાઓગે.
યે ભોગ ભી એક તપસ્યા હૈ,
તુમ ત્યાગ કે મારો કયા જાનો?
હમ જનમ બિતાકર જાએંગે,
તુમ જનમ ગંવાકર જાઓગે.
LikeLike
ખૂબ સરસ બાપુ, તમારે તો વગર વાયરે શ્રી કૃષ્ણ સાથે જોડાણ થઇ ગયું. બાકી ઘણાને તો ગમે તેવા જાડા વાયર નાખો તો પણ જોડાણ નથી થતું …
LikeLike
દંભ ના ઝાડા વાયરો આમાં કામ નાં લાગે.
LikeLike
Lord krishna is “PREMDEVATA” and if someone get glimpses of his ‘darshan’ even in dreams, is blessed!
LikeLike
આપનો ખુબ ખુબ અભાર.
LikeLike
એક સુંદર મજાની વાત ગમી..
“અરે વત્સ!નારી તો કુદરતે ઘડેલી બેનમુન,સુંદરતમ પ્રતિમા છે,પ્રેમ ની ગંગા છે,એની ભળેલી મીઠાશ વગર તો દરિયો પણ અધુરો છે.”
ઈશ્વર સાથે ચેટિગ ચાલૂ રાખો.કયુ મેસેન્જર યુઝ કરો છો ? 😉
LikeLike
મારું પોતાનું ખાનગી મેસેન્જર છે.રાઓલ મેસેન્જર.એનાથી ગુજરાત માં પણ ઘણી જગ્યાએ કનેક્શન કરું છું.રોજ રાતે ગુજરાત માં ચેટીંગ ચલાતુજ હોય છે.
LikeLike
મોરપિંછના પ્રતિક વિશે મારો વિચાર:
જે વ્યક્તિ યોગમાં આગળ વધી હોય છે તેની આભા (સૂક્ષ્મ શરીર)નો કિર્લીયન ફૉટોગ્રાફ લેવામાં આવે તો તેના માથા પરની આભાનો આકાર સપ્તરંગી મોરપિંછ જેવો દેખાતો હોય છે! કૃષ્ણ જેવા અષ્ટાંગ યોગસાધ્ય વ્યક્તિ માટે આ સ્વાભાવિક પ્રતિક થયું ગણાય.
બીજું, તે સમયે માથા પર પટ્ટી બાન્ધી વચ્ચે કીમતી પદાર્થ જડવાનો રિવાજ હતો (લોથલથી મળેલા અવશેષો સાક્ષી પુરે છે). એ ન્યાયે, કૃષ્ણ મોરપિંછ પહેરતા હોય એ શક્ય છે.
તમારા સંવાદ સૂતેલાને જગાડવાનું સામર્થ્ય ધરાવે છે.
LikeLike
માથા પર પટ્ટી બાંધી મનમોહક મોરપિચ્છ લગાવતા હશે.લોથલ ના અવશેષો સાક્ષી પૂરે છે,એ વાત સાચી.મોર કીમતી પ્રાણી છે માટે એનું બહુમાન કરવું જોઈએ.છતાં હજુ એ ભારત માં મોર મારી ને પણ લોકો ખાઈ જાય છે.અને રાષ્ટ્રીય પક્ષી છે છતાં એ લોકોને કોઈ ખાસ પકડતું પણ નથી.
LikeLike
પોતાના નબળા મનોબળનો દંડ અડધોઅડધ માનવજાતને આપનારાઓ પોતાને મહાન આધ્યાત્મિક વ્યક્તિ ગણાવે અને આપણે ગણીએ તે કેવી અનુચિત વાત છે!
LikeLike
રામ અને કૃષ્ણ ભારત ની પ્રજા ના લોહીમાં વણી નાખેલા છે.એટલે એમના બહાને હું તો મારી ફિલોસોફી ઝાડ્યે રાખું છું.
LikeLike
શ્રી ભુપેન્દ્રસિંહજી,
આપને ત્યાંથી નકામો ISD ચાર્જ લાગતો હશે ! આપની હોટલાઇન અમને ટ્રાન્સફર કરી દો, અમારે અહીં લોકલ ચાર્જ લાગશે !!
“પ્રાણી માત્ર માં બ્રહ્મ હોય તેવું સમજે તે બ્રહ્મચારી” (કેટલી સીધીસાદી વ્યાખ્યા)
“નારી ને બેસ્ટ પાર્ટનર પસંદ કરવાનો હક છે” (બચારા નરને તો આટલો અમથોય હક્ક નહીં !)
માથે મોરપીંછ ધારણ કરવા બાબતનું કૃષ્ણનું આ ક્લેરીફીકેશન ગમ્યું.
આભાર.
LikeLike
નર ના ભાગે બીજા નર સાથે લડવાનું ને જીતી જાઓ તો નારી પસંદ કરે.પણ હવે નવા જમાના પ્રમાણે નવી ક્ષમતાઓ પેદા કરાવી પડે,જેવી કે બુદ્ધી,ધન,પદ કે પ્રતિષ્ઠા.
LikeLike
ભારતના લોકોને જેમ સ્વપન આવે એવા આફ્રીકાના લોકોને પણ આવે. ૧૦૦૦ ગાયોનો માલીક આફ્રીકન મસાઈ ગાયનું દુધ ન પીએ એતો સીધો એનું લોહી જ પીએ. જરુર કયારેક સ્વપનામાં આવશે.
LikeLike
આપણે પણ ત્યાંથી જ આવીએ છીએ.પહેલા બીફ પણ ખાતા હતા અને હવે ગાયો માં તેત્રીસ કરોડ દેવતા દેખાય છે સારું કહેવાય ને?એ બહાને ગાયો તો બચી ગઈ?બ્રાહ્મણ ગ્રંથો,ઋગ્વેદ અને મહાભારત માં બીફ ખાવા ના કેટલાય શ્લોકો છે.ભીષ્મ યુધીષ્ઠીર ને કહેતા હતા કે શ્રાદ્ધ વખતે પિતૃઓને રેડ ગોટ અને ગેંડા નું માંસ ધરાવીએ તો લાઈફ ટાઈમ તૃપ્ત રહે.
LikeLike
વાહ ભાઈ વાહ………તમારે ભગવાન ક્રિશ્ન સાથે સારી હોટ -લાઈન છે….!!!
મહાભારતના કુરુક્ષેત્ર મા ભગવાન કૃષ્ણ એ “ગીતાજ્ઞાન” આપ્યું ,
વર્ડપ્રેસના “કુરુક્ષેત્ર” મા ભુપેન્દ્રસિંહજીએ જીવનજ્ઞાન આપ્યું……!!!
રહી વાત સ્ત્રીની, તો પુરુષને પેદા કરતી સ્ત્રીને જ જો પુરુષ નરકની ખાણ સમજે તો એ એની જ મૂર્ખતા છે….!!!! બાકી કુદરતે બક્ષેલા દરેક ઇન્દ્રિયના આચરણોનો સમજપૂર્વકનો ભોગ એ જ સાચું જીવન….
નહિ તો કુદરતનું ચક્ર જ અટકી પડે….!!! એક સાધુ જો સ્ત્રી જોઈને અતીઆવેગ અનુભવે કે ઈચ્છાઓ પર કાબુ ના રાખી શકે તો એ સાધુ થવાને લાયક જ નથી. જો કે મોટા પેટવાળા સાધુઓ ખોરાક પર પણ કાબુ નથી રાખતા એટલે કાઈ કહેવાય નહિ…..!!!!!
તો કુરુક્ષેત્ર યુનિવર્સીટીનાં વિદ્યાર્થીઓને હવે પછીના ટોપિકનો ઇન્તઝાર છે….
LikeLike
મૌસમી બહેન,
આપની ઉત્તમ લાગણી બદલ ખુબ આભાર.હવે સાધુઓ ના ઈ મેલ આવવા માંડ્યા છે.અસર થવા માંડી છે.
LikeLike
very good article sir, the definition you’ve given for ‘brahmachari’ is appropriate. ‘જુઓ પ્રાણી માત્ર માં બ્રહ્મ હોય તેવું સમજે તે બ્રહ્મચારી’ this little sentence gives the idea of ‘vashudheiv kutumbakam’.
LikeLike
A short but still descriptive article uncle. I like all definitions which allmost everyone has appreciated and also like the respect which you give to so called “Nirbal” or “weak people” of scoiety.
LikeLike
રાઉલજી… ધન્યવાદ. વિષય, રજૂઆત અને ચર્ચા… તમામ રીતે જમાવટ કરવા બદલ.
અમે કહ્યું હતું તે બરાબર જ હતું કે: આવા બ્લોગની જરૂર છે.
LikeLike
શ્રી યશવંત ભાઈ,
ખુબ ખુબ આભાર,આપે જ પ્રથમ ઉત્સાહિત કરેલા છે અને કરી રહ્યા છો.બાકી આટલે સુધી પહોચ્યાજ ના હોત.અગેઇન થેન્ક્સ લોટ.
LikeLike
શ્રી યશવંત ભાઈ,
“અસર” થવા માંડી છે.સાધુઓ ના મેલ આવવા માંડ્યા છે.પણ એમનું કહેવું છે કે મને દયાનંદ સરસ્વતી નો રોગ લાગ્યો છે,’સત્યાર્થ પ્રકાશ’ બાય દયાનંદ સરસ્વતી નો કોઈ અર્થ નથી એવું કહેવામાં આવી રહ્યું છે.
LikeLike
નારીને બેસ્ટ પાર્ટનર પસંદ કરવાનો હક છે મોર એનું બેસ્ટ ઉદાહરણ છે.’ gr88
ભણેલા જ નાં સમજે તો અભણનો શું વાંક કાઢવાનો … very true 111
LikeLike
આમ આપણે ઇશ્વર ને માનીયે છીએ,અને આમ તેની દરેક રચના નો વિરોધ કરીએ છીએ. આપણે કેટલા વિરોધાભાસ માં જીવીયે છીએ..!
LikeLike