માતા પણ એક સીધી સાદી સ્ત્રી છે.
માતૃ દિવસ, મધર ડે એ પશ્ચિમના જગતમાં માતાના અગણિત ઉપકાર માટે આભાર માનવાનો દિવસ છે. આજે ગુજરાતી બહેનોનું એક ગ્રુપ પેન્સીલ્વેનીયામાં આવેલા વ્રજ મંદિર જવા નીકળેલું છે. એમાં મારા શ્રીમતીને પણ જવાનું હતું. એમને મૂકીને દૂધ લેવા સ્ટોરમાં ગયો તો એક વીસેક વર્ષ ની ગોરી માતા એના નાના ટેણીયા ને કાર્ટ માં બેસાડી એની માતા માટે ફૂલ ખરીદવા આવેલી જોઈ. મને થયું આ માતાને એકદમ ભગવાન બનાવી દેવાથી શું એ કોઈ સામાન્ય ભાવનાઓ ધરાવતી સ્ત્રી મટી જવાની? માતાને ભગવાનનો દરજ્જો આપ્યો છે એ બહુ સારી વાત છે. પણ શું એ સ્ત્રી થોડી મટી જવાની? એને દુન્યવી લાગણીઓ ના હોય? ને એ લાગણીઓ તૃપ્ત કરવાની ઈચ્છા ના થતી હોય? શું એ સંસારિક કાવાદાવા ઓ થી પર થઇ જવાની?
વર્ષો પહેલા મેં છાપામાં વાચેલું ફોટા પણ જોએલા કે એક સામાન્ય મજદૂર શ્રમિક ગણાતી સ્ત્રી એના પતિ સિવાય બીજા કોઈ જોડે કહેવાતા અનૈતિક સબંધો ધરાવતી હતી ને એક રાતે એનો નાનો છોકરો આ બધું જોઈ ગયો તો બંને જણા એ માતા અને એના પ્રેમીએ ભેગા થઇ ને પેલા છોકરાનું કાસળ કાઢી નાખ્યું. હું તો વાંચી ને હાલી ગયો. જે માતા સંતાનો માટે જીવ આપી દે એજ જીવ લઇ લે? દરેક માતા ભગવાન નથી હોતી!!!!
“સંદેશ” માં લીલાબેન પટેલ ના ‘જીવન ના અતરંગ’ નામની એક સવાલ જવાબ ની કોલમ આવતી. એમાં લોકો સવાલ ખાસ તો સ્ત્રીઓ જ પૂછતી ને લીલાબેન એનો જવાબ આપતા. બહુ સરસ સામાજિક ને મનોવૈજ્ઞાનિક છણાવટ કરી ને જવાબ આપતા. પોતાની દીકરીઓનાં ઘર ભગવતી, એમની કમાણી ખાતી, કમાણી ખાવા લગ્ન ના થવા દેતી, કમાણી ખાવા ડિવોર્સ કરાવી દેતી માતા વિષે એક નહિ હજારો દાખલા વાંચ્યા છે. આ દીકરીઓ પણ માતાને ભગવાન સમજતી ને પોતાનું ભવિષ્ય ના જોઈ શકતી, એમને એ ભગવાન ની છબીનું સાચું પોત લીલાબેન સમજાવતા. એજ લીલાબેનની કટાર નો એક આર્ટીકલ મેં કટિંગ કરીને સાચવી રાખેલો. એમાં એક અમેરિકા આવેલી માતા એની જેઠાની અને એમના પોતાના દીકરા દીકરીઓ સાથે ગ્રુપમાં મુક્ત સેકસાચાર માણતાં, એમાંથી છૂટવા માટે શું કરવું તે લીલાબેન ને પૂછતી હતી. અહીની એક ગુજરાતી માતા ને હું જાણું છું. જે કપડાની જેમ બોય ફ્રેન્ડ બદલે છે. એનો દીકરો રાતદિવસ મહેનત કરે છે. ડબલ જોબ કરે છે. ઘર નો, એની એક નાની બહેન નો ખર્ચ પૂરો કરે છે.
બીજી એક જૈન માતા એના બે સંતાનો સાથે ગેરકાયદે આવી છે. એ પણ ગલઢા ૭૦ વર્ષ થી વધારે ઉમરના મિત્રો સાથે ફરી ને એની કમાણી ના પૈસા એના છોકરાને હુકો પીવા ને રખડવા માટે આપે છે. જયારે એની દીકરી આખો દિવસ ઘરમાં ભરાઈ રહે છે. દીકરી માટે એક ડોલર એની પાસે નથી જયારે દીકરાને હુકો પીવા પૈસા આપે. દીકરાએ સ્કુલ, હા!!ભાઈ હા!!!હજુ સ્કુલ માં જ છે પણ છોડી દીધી છે. પુરા અઢારનો હજુ થયો નથી. માતા પણ સંતાનો વચ્ચે ભેદ ભાવ રાખે છે, દેશમાં પણ ને અહી પણ.
એક એવી માતાને પણ ઓળખું છું સત્ય ઘટના છે. પોતે ઓપરેશન કરાવી નાખેલું. એક નો એક દીકરો ૧૯ વર્ષ નો થઇ ને એક્સીડેન્ટમાં ગુજરી ગયો. માથે આભ તૂટી પડ્યું. એક વારસદાર તો જોઈએ એવી માન્યતાઓ. આ માતાએ એના પતિદેવ ને ફરી પરણાવ્યો જોડે રહીને. નવીના છોકરા થયા એ પોતે જ મોટા કર્યા છે. માતૃત્વની બધી ભાવના શોક્ય ના છોકરાઓને મોટી કરવામાં ઠાલવી દીધી. પેલા નાના છોકરાઓ એની સગીમાં પાસે જાય જ નહિ એવું મેં જાતે જોએલું છે. મારા સગામાં બનેલી ઘટના છે. કોઈ વાર ફોન પર વાત કરી લઉં છું.
માતા પણ દુન્યવી લાગણીઓ થી પર કઈ રીતે હોઈ શકે? માતાને પણ રાગ છે દ્વેષ છે. ગમા છે અણગમા છે. માતા ને પણ કોઈ પણ ઉંમરે પ્રેમ ની ભૂખ હોય છે. તે શારીરિક પણ હોઈ શકે માનસિક પણ હોઈ શકે. માતાને ભગવાનનું કોચલું પહેરાવી દો પછી ક્યાં જાય? બિચારી મનોમન પીડાયા કરે, દુણાયા કરે, દુખી થયા કરે, માનસિક રીતે રોગી થયા કરે, બીમાર રહ્યા કરે, સહાનુભુતિ મેળવવા પણ બીમાર રહ્યા કરે. ભગવાનને કશાની જરૂર પડે ભાઈ? એની એક વાર પૂજા કરી લેવાની, પછી એની સામે કોણ જુએ છે? મધર્સ ડે ઉજવી લેવાનો, એના ગુણગાન ગઈ લેવાના, કવિતાઓ બનાવી લેવાની. ફૂલ આપી દેવાના. એને પુચ્છ્યું ખરું માં તારે શું જોઈએ છે? માથે હાથ ફેરવ્યો? હા!!ભાઈ હા!!માથે હાથ ફેરવાનારી ને પણ કોઈ એના માથે હાથ ફેરવે એવી ઈચ્છા થતી હોય છે. “ગરમ લોહીના પ્રાણી માટે સ્પર્શ એક શારીરિક જરૂરિયાત હોય છે.” માતા ભલે એંસી વરસ ની થઇ હોય પણ એના માથે દિવસમાં એકવાર હાથ ફેરવો. એણે આખી જીંદગી તમારા માથે હાથ ફેરવ્યો છે. માટે તમે જીવતા રહ્યા છો.
સ્પર્શ નું વિજ્ઞાન જાણવું હોય તો મારા બ્લોગ માની ‘માતૃત્વ ની કેડીએ ‘ લીંક પર જાઓ ને કાંગારું પદ્ધતિ વિષે જાણો. અધૂરા કે અવિકસિત જન્મેલા બાળકો ને માટે કાંગારું જેમ એના પેટ નીચે રહેલી કોથળીમાં બચ્ચા ને રાખી ને મોટા કરે છે, એમ આવા અવિકસિત ને ઓછું વજન ધરાવતા બાળકોને માતાની છાતીએ પૂરો સ્પર્શ થાય તેમ રાખવાના હોય છે. બાળકોનું વજન આશ્ચર્ય જનક રીતે વધી જાય છે. એમાં વિડીયો કલીપ પણ મુકેલી છે. મધર્સ ડે ઉજવ્યો પણ માતાને માથે વહાલથી કેટલા જણાએ હાથ ફેરવ્યો?
i like this article…
LikeLike
માડી, તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો.
LikeLike
આપણાં જીવન સૂર્ય નો ઉદય પણ માંના ખોળે જ થાય ને?
LikeLike
સરસ.. એકદમ સ-ચોટ પોસ્ટ છે કે હવે કોમેન્ટમાં શબ્દનો દુર્વ્યય કરીને પોસ્ટની ખૂબ સુરતી બગાડતો નથી…
LikeLike
દરેક માતા ભગવાન નથી હોતી.
There are always exceptions
but i believe in that –“God is not every where so he created Mother.”
LikeLike
ભગવાન તો આપણે જોયા નથી,માં ને રોજ જોઈએ છીએ.માં ની કાળજી વધારે રખાય માટે આ લેખ લખ્યો છે.અપવાદ રૂપ દાખલા વાંચી કોઈ ગેર સમજ ના કરે.
LikeLike
સરસ આર્ટિકલ…અપવાદને બાદ કરતા “માં તે માં બીજા બધા…..!” 😉
LikeLike
“માં તે માં બીજા બધા વગડા ના વા”.અપવાદ તો હોય એની શું ચિંતા?માતા પણ કોમન સ્ત્રી છે,માતા ને ભગવાન બનાવી પછી આપણે એની કોઈ ફિકર કાળજી લેતા નથી.એને શું જોઇશે એ કદી પુછતા નથી.માં ની ચિંતા ને એના અસીમ પ્રેમ નો આભાર માનવા લેખ લખાયો છે.
LikeLike
સરજી,તે સાચી વાત છે કે માતા પણ કોમન સ્ત્રી છે..મને કાલ્પનિક ભગવાન પ્રત્યે એટલી આસ્થા નથી જેટલી આસ્થા મારા વાસ્તવિક માતા-પિતા પ્રત્યે છે.
પણ એ વાત સાથે સહમત છુ કે “દરેક માતા ભગવાન નથી હોતી”
LikeLike
તદ્દન સાચી વાત છે.જેના જીન્સ આપણા માં છે એના પ્રત્યે આસ્થા કેમ ના હોય?આપને ધન્ય છે!
LikeLike
સરસ સચોટ, મોસ્ટ એક્સેલન્ટ લેખ. શબ્દો ઓછા પડે. ૨૦ વર્ષ પહેલાં એક મેગેઝિનમાં વાંચેલું બાળકના જન્મ પછી પાંચ વર્ષ સુધી માતા દિવસમાં ઓછામાં ઓછું ૨૦ મિનિટ બાળકને પાસે સુવડાવી વહાલથી હાથ ફેરવે તો માતા અને બાળક વચ્ચે અતૂટ આત્મીયતા બંધાય છે.
LikeLike
ડો મૌલિક શાહ ના માતૃત્વ ની કેડીએ માં જોયું કે બાળક ને બે થી ચાર કલાક છાતીએ ચાંપીને રાખીને બાળક ને વિકસિત કરી શકાય ને વજન પણ વધારી શકાય છે.આમાં પિતા પણ ભાગ લઇ શકે એ પણ આવું કરી શકે છે.અધૂરા,અવિકસિત બાળકો બચી જાય છે.પિતા પણ કાંગારું ઝોળી માં બાળક ને ભરાવી આ પધ્ધતિ નો લાભ બાળક ને આપી શકે છે.
અપવાદ રૂપ દાખલા એટલા માટે લખ્યા છે કે બધા સત્ય છે ને મારા જોએલા છે,ને માતા પણ કોમન સ્ત્રી છે એટલું સમજો ને એને પણ પ્રેમભાવ,હુંફ ને વહાલ જરૂર હોય છે કોઈ પણ ઉંમરે એંસી વર્ષે પણ તે સમજો તો એના ગુણગાન ગાવા સાર્થક થાય.
LikeLike
Very nice article.
LikeLike
લેખ વાંચ્યો અને ગમ્યો તમે જ એટલું સરસ લખ્યું અને કાહ્યું કે હવે મારે માટે કશું
બાકી જ ના રહ્યું.
LikeLike
અત્યંત વાસ્તવિક વાતો કહી છે. ભાવુક થઈને કોઈ પણ બાબતને જોવામાં કેટલીક વાસ્તવિકતા નજરઅંદાઝ થઈ જતી હોય છે.
અલબત્ત, સારી વાતને ટેકો આપીને પણ મદદરૂપ જ થવાય. આ બધા દાખલાઓ સાવ સાચા અને આપણને તટસ્થ બનાવવારા ગણી શાકાય. ધન્યવાદ.
LikeLike
એકદમ સાચી વાત..મા પણ આખરે એક માણસ છે..એક જીવનત વ્યક્તિ છે..એનામાં દરેક ગુણનું આરોપણ કરીને એને કોઇ પણ ભોગ આપવા મજબૂર ન કરી શકાય..કે ઇમોશનલી બ્લેકમેઇલ ન કરી શકાય… છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર ન થાય..એ માન્યતા આજે અનેક જગ્યાએ ખોટી પડતી દેખાઇ રહી છે.
આ જ સન્દર્ભમાં ધીરુબેન પટેલે એક સુંદર કાવ્ય લખેલું છે… મા..
u can read it on
http://paramujas.wordpress:com
મા, જગતભરના કવિઓએ તને પ્રશંષાના પુષ્પૉમાં દાટી દીધી……….
LikeLike
સામા પુરે તરવા માટે શક્તિ અને હિંમત જોઇએ, ખબર નહીં આ શક્તિ જન્મજાત હશે કે પછી બહારથી આવતી હશે !! અત્યારે તો એટલું જ કહીશ કે સત્ય કદી છેડાઓ પર નથી હોતું, ક્યાંક વચ્ચે હોય છે ! પરંતુ સત્ય પચાવવા માટે પણ મજબુત કોઠો જોઇએ. હજારો શરણાઇઓનાં સંગીતમાં આપનો આ નગારે પડેલો ઘા આકર્ષી ગયો ! સંપૂર્ણ સહમત. જો કે મારા મતે સંપૂર્ણ માનવ સંસ્કૃતિમાં આ મધર-ફાધરને માટે ’ડે’ રાખવા પડે તે પણ શરમજનક બાબત છે !!!
માતાને ’ભગવાન’નો દરજ્જો આપી અને ક્યાંક ક્યાંક તેની હાલત ’ગાયમાતા’ જેવી પણ કરી નખાય છે !!! તો સામે બાજુ, ઘરમાં નવી વહુ આવે પછી માથાકઢી હોય તો તો વાંધો નહીં ! નહીંતો ક્યારેક દહેજ માટે કે ક્યારેક દીકરા પર હક્ક કરવા બાબતે તેને માર અને ક્યાંક મરણશરણ કરનાર પણ ’માતા’ જ હોય છે ને ! સંબંધો બધા કાચના ટુકડા જેવા હોય છે, ઈમાનદારી અને જવાબદારી પૂર્વક જળવાય તો ઠીક છે, બાકી તુટેલા અરિસામાં દેખાતા ચહેરાની માફક સ્વયંને પણ પોતાના બે-પાંચ ચહેરા દેખાય છે. માતા એ, જેનામાં મમતા હોય, અને મમતા કદી ભેદભાવ ભરેલી ન હોય શકે. એક ગમેલો લેખ :
‘હું મારા દીકરાને ક્યારેય શ્રવણ થવાનું નહીં કહું’ (http://www.divyabhaskar.co.in/2010/05/06/never-i-dont-tell-my-son-make-shravan-944914.html)
આભાર.
LikeLike
મા પ્રથમ મનુષ્ય અને બાદમાં સ્ત્રી છે. મા માં રહેલી લાગણી કુદરતી દેન છે. મનુષ્ય સીવાય પશુ-પક્ષીમાં પણ માનું જ હૈયું ધબકતું જોઈ શકાય છે. જ્યાં સુધી પોતાના બચ્ચા જાતે ખાવાનું શોધતા કે પાંખ ફેલાવી ઉડતા ના શીખે ત્યાં સુધી મા બની બરાબર ઉછેર કરે છે અને બાદમાં પાંખો કે પગ આવી જતાં તેમના વિકાસ માટે કોઈ અવરોધ શારીરિક કે માનસિક રીતે કરી ઈમોશનલ બ્લેકમેઈલીંગ કરતા નથી. ભાઈ અશોકે ઉલ્લેખ કરેલી વાત મને પણ બહુ જ સ્પર્શી ગયેલી હું ધારું છું કે ભાષ્કરની પૂર્તિમાં વર્ષા પાઠકે લખેલી !
‘હું મારા દીકરાને ક્યારેય શ્રવણ થવાનું નહીં કહું’ (http://www.divyabhaskar.co.in/2010/05/06/never-i-dont-tell-my-son-make-shravan-944914.html)
બાકી તો ગુજરાતીમાં કહેતી છે મા તે મા બાકી બધા વગડાના વા ! અસ્તુ !
LikeLike
Namaskar,
Aape ganu lakhyu che, ghanu saaru pan che,
so far so when subject concern to MOTHER, one never describe it as common, all it is upto you, Time and situation are scu which create incident and take place to our history.
MOTHER has no option & no alternate, Even God also is not a solution. Sorry i am not ready accept MOTHER as common lady. It is more than GOD. Regards.
Sanjay/India
+91 98250 17080
LikeLike
સંજય ભાઈ,
આપની માતા પ્રત્યેની ભક્તિ ની અમે કદર કરીએ છીએ.મારો આવું લખવાનો હેતુ ફક્ત એટલોજ છે કે માતા ને ભગવાન બનાવી એની કાળજી લેવાનું ના ભુલાઈ જાય.પણ આપ જેવા દીકરા હોય તો પછી આવા લેખ લખવાની જરૂર જ ના પડે.આ લેખ આપના માટે નથી.મેં એક દીકરા ને એની માતા ને સોટીએ સોટીએ ફટકારતો જોએલો એવા દીકરાઓ માટે આ લેખ છે.આપ ભગવાન કરતા માતા ને વધારે માનો છો તે આપની માતા માટે ગર્વ સમાન છે.પણ એના માથે દિવસ માં એક વાર વહાલથી હાથ ફેરવવાનું ભૂલતા નહિ.
LikeLike
ek dam jor dar ane mane pan tame thoda gana tamara vicharo aapata rehajo…
LikeLike
pla share that column of Leelaben patel , i m searching it on net n landup in ur bolgs
LikeLike