*મૂળ હિન્દુવીચારધારા ભલે ખુબ પ્રાચીન રહી, પણ આજનો હિંદુ ધર્મ એ પહેલાના જેવો પ્રાચીન હિંદુ ધર્મ નથી. હિન્દુઈઝમ કોઈ એક ધર્મ નથી. જુદી જુદી હજારો વિચારધારાઓનો મેળો છે. દરેક સંપ્રદાયની અલગ વિચારધારા છે. જો બધા એકજ હિંદુ ધર્મને માનતા હોય તો અલગ અલગ અચાર વિચાર કેમ? દરેક ને પોતાના અલગ અલગ આચાર વિચાર, નીતિ નિયમો ઉમેરીને પાછું હિંદુ જ કહેવડાવું છે. આ એક હિંદુ ધર્મની મજબૂરી છે.
*પ્રથમ સિંધુ નદીના તીરે સિંધુ નદીની સંસ્કૃતિ(Before 2000 BCE) વિકસી . આ એક નગર સંસ્કૃતિ હતી. શહેરની સંસ્કૃતિ હતી. બે મુખ્ય શહેર હરપ્પાને મોહેંજો ડેરો મળી ચુક્યા છે. ૪૦,૦૦૦ લોકો બહુ ઊંચું શહેરી જીવન જીવતા હતા, પાણી પુરવઠા ને ગટર યોજના સાથે. અનાજ એ અર્થવ્યવસ્થાનું મુખ્ય અંગ હતું. બહુ મોટા અનાજના ભંડાર ટેક્સ રૂપે ઉઘરાવેલા હોય તેના મળેલા છે. છેક ગુજરાતના લોથલ, કચ્છના ધોળાવીરાથી હિમાલયના પશ્ચિમ વિભાગથી માંડીને ઈરાનની બોર્ડર સુધી આ સંસ્કૃતિના શહેરો હતા. આ એક સ્વતંત્ર રૂપે વિકસેલી સંસ્કૃતિ હતી. અહી કઈ ભાષા હતી તે ખાસ ખ્યાલમાં આવ્યું નથી. ધર્મ વિષે પણ કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. પણ પ્રાણીઓના બલિદાન અપાતા હતા. ટેરાકોટાના શિલ્પો થી લાગે છે કે ભગવાનની જગ્યાએ પુરુષ ને બદલે સ્ત્રીને બેસાડેલી હશે. પવીત્રસ્નાન, બલિદાન અને સ્ત્રી ની ભગવાન તરીકે ની પૂજા બીજા પ્રાચીન ધર્મો ની વિચારધારા પણ રહી છે. પછી થી આવનાર હિંદુ ધર્મનો પાયો અહી પણ હોઈ શકે.
* પછી આવ્યો વેદિક યુગ(1500-500BCE). એક મત એવો છે કે આર્યો મધ્ય એશિયાથી અહી આવ્યા. પહેલા અત્યારની સ્વાત ખીણમાં વસ્યા ને પછી ધીરે ધીરે ઉત્તરથી મધ્ય ભારત તરફ વસવાનું ચાલુ કર્યું. બીજો મત એવો છે કે આર્યન સંસ્કૃતિ એ સિંધુ નદીની સંસ્કૃતિનો જ વિકાસ હતો. એટલે આર્યો બહાર થી આવ્યા નથી. પણ આખું વૈદિક સાહિત્ય વેદિક સંસ્કૃતમાં રચાએલું છે. યુરોપની ઘણી બધી ભાષાના શબ્દો ને સંસ્કૃતના શબ્દો સાથે સામ્યતા છે. કોઈ પ્રાચીન ઇન્ડો યુરોપિયન ભાષા ગ્રુપ સાથે આ બધી ભાષાઓ સંકળાએલી હોઈ શકે. અને બીજું સિંધુ સંસ્કૃતિમાં ઘોડા નું કોઈ સ્થાન હતું નહિ. જયારે આર્યન સંસ્કૃતિમાં ઘોડા મહત્વનું સ્થાન ધરાવતા હતા. ઘોડાના બલિદાન અપાતા હતા, અશ્વમેઘ. મતમતાંતર તો ચાલ્યા જ કરવાના.
*ભલે હાલના હિંદુ ધર્મના દમ્ભીઓ ના માને પણ વેદિક પીરીયડ આખો બલિદાનો ને એના દ્વારા મળેલા ખોરાક ને વહેચીને ખાવામાં રમમાણ હતો. અને અનેક જુદા જુદા ભગવાનને પૂજવા વાળો હતો. કુદરતની મળેલી દરેક સંપદાનો એક અલગ ભગવાન હતો. વાયુ, ઇન્દ્ર, મરુત, અગ્નિ, આકાશ, બ્રહ્સ્પતી, વિષ્ણુ વિગેરે વિગેરે. આમાં પર્યાવરણ અને ઇકોલોજીની પૂજા આવી જાય એનું બહુમાન પણ કહેવાય. જુદા જુદા અવતારોની થીયરી શરુ થઇ. પહેલો થયો મત્સ્યાવતાર પછી કુર્મ, વરાહ એમ આગળ ચાલ્યું આ હતું ઈવોલ્યુશનનું વિજ્ઞાન. સમુદ્રમાં પહેલા વ્યવસ્થિત સજીવો માછલા હતા. જીવન શરુ થયું પાણી એટલે કે સમુદ્રમાં અને એનું પોષણ પણ સમુદ્રમાં થયું. માટે પાલનહાર વિષ્ણુને સમુદ્રમાં બેસાડ્યા. દરેક ભગવાન કે અવતારને વાહન તરીકે કોઈને કોઈ પ્રાણી કે પક્ષી કે કોઈ બીજો સજીવ આપેલો છે. દરેક સજીવોનું મહત્વ ગણેલું છે. ઉંદર જેવું નકામું લાગતું પ્રાણી પણ ગણેશનું વાહન બનાવેલ છે. ઉંદર લગભગ બધું કાતરી ખાય છે. રીસાયકલીંગ માટે કદાચ કામ લાગતો હશે અથવા પછી બીજા પ્રાણીઓનો ખોરાક બની કામ લાગતો હશે. આજે આધુનિક દવાઓના સંશોધનોમાં સૌથી વધારે ઉંદર જ વપરાય છે.
* પછી આવ્યો પુરાણ કાળ(500BCE-500CE) અહી મહાભારત, રામાયણ જેવા મહાકાવ્યો, ધર્મસુત્રો અને શાસ્ત્રો રચાયા. મહાભારતની અંદર અર્જુન અને શ્રી કૃષ્ણના સંવાદ રૂપે ગીતાની રચના થઇ. જે ભારતની ઓળખ બની ચુકી છે. ભવિષ્યમાં કોર્ટ માં ખોટા સોગંધ લેવા એની જરૂર પડવાની હતી. કોર્ટ માંથી ગીતાને હટાવી લેવી જોઈએ, આતો એનું બહુ મોટું આપમાન રોજે રોજ થઇ રહ્યું છે. આ પુરાણો ની વાર્તાઓ હજુ પણ ખુબજ પ્રચલિત છે. નિયમ, કર્તવ્ય, અને સત્ય આ ત્રણ ધર્મ સુત્રો અને શાસ્ત્રોમાં મુખ્ય વિષયો હતા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વાતો થવા લાગી. અહી યજ્ઞો ઓછા થયા. પશુઓના બલિદાનો પણ ઓછા થયા. અને શરુ થઇ પૂજા. આ સમય લગભગ બુદ્ધનો સમય પણ હતો. ગુપ્ત સામ્રાજ્યનો ઉદભવ થયો. પૂજા પાઠની સાથે મંદિરો બંધાવા શરુ થયા. મૂળ વેદિક પીરીયડ યજ્ઞો એટલે અગ્નીપુજા ને બલિદાનો નો હતો. એમાં મંદિરોને સ્થાન ના હતું. અહી થી શરુ થાય છે વૈષ્ણવ(વિષ્ણુ), શૈવ(શિવ) અને શાક્ત(દેવી) સંપ્રદાયો નું અસ્તિત્વ. અહી થી વિચારધારાઓ જુદી પડવાનું શરુ થાય છે. ભક્તિ અને મંદિરો સાથે કાવ્યાત્મક સાહિત્ય પણ રચાયું.
* હવે જોઈએ મધ્યયુગ(500CE-1500CE)ગુપ્ત સામ્રાજ્યની પડતી શરુ થઇ. નાનામોટા રાજ્યો બનતા ગયા. પ્રાદેશિક રાજાઓએ વૈષ્ણવ, શૈવ, અને શાક્ત સંપ્રદાયોને મહત્વ આપવા માંડ્યું હતું. દક્ષીણમાં ચૌલ રાજાઓએ શૈવ સંપ્રદાય ને અપનાવ્યો. તાન્જાવુંરમાં શિવનું મોટું મંદિર એની સાબિતી છે. ભવ્ય મંદિરો બનવા લાગ્યા. પુરીમાં જગન્નાથજીનું ભવ્ય મંદિર બન્યું. ધર્મ અને સત્તાનું કેન્દ્ર મંદિરો બનવા લાગ્યા. આ યુગમાં ભક્ત કવિઓ, સંતો ને ગુરુઓ સાથે આચાર્યો વધવા લાગ્યા . સંસ્કૃતની સાથે પ્રાદેશિક ભાષામા ભક્તિ સાહિત્ય રચવા લાગ્યું. શંકરાચાર્ય (૭૮૦-૮૨૦)આખા હિન્દુસ્તાનમાં ફરી શાસ્ત્રાર્થ ફરી અદ્વૈત અને વેદાંતનો ઝંડો ફરકાવી દીધો. વૈષ્ણવ ફિલોસોફર રામાનુજ અને માધવ હવે મેદાનમાં આવ્યા. સાથે સાથે અભિનવ ગુપ્તે તંત્ર ઉપર સાહિત્ય રચ્યું. વામમાર્ગ પણ સાથે સાથે જ મેદાનમાં હતો. મદ્ય, માંસ, મત્સ્ય, મૈથુનનો છૂટ થી ઉપયોગ તંત્ર માર્ગીઓ કરવા લાગ્યા. એકલા ભોજ રાજાએ હજારો તાંત્રિકોને લટકાવી દીધા હતા. તાંત્રિકો ત્યાર પછી ભૂગર્ભમાં પ્રવૃત્તિ ચલાવતા અને હજુ પણ મળે. સ્વામી વિવેકાનંદને પણ એનો કડવો અનુભવ થયેલો.
* ૧૫૦૦ થી ૧૭૫૭ સુધી મુસ્લિમ યુગ શરુ થઇ ચુક્યો હતો. આ ગાળામાં ભક્તો ને સંતોની બોલબાલા રહી. ઘણા બધા મંદિરો તોડી પડાયા. તુકારામ, સુરદાસ, મીરાબાઈનો આયુગ હતો. ૧૭૫૭ થી ૧૯૪૭ સુધીના બ્રિટીશ યુગમાં હિંદુ ધર્મમાં પેસી ગયેલા કુરિવાજો દુર કરવા ને એને નવું સ્વરૂપ આપવા રામ મોહન રાય ને દયાનંદ સરસ્વતી પ્રયત્નો કરી રહ્યા હતા. મુર્તીપુજાની વિરુદ્ધ અને એકજ ભગવાનની માન્યતા પાછી લાવવાના એમના પ્રયત્નો આજે આપણે જાણીએ છીએ કે વિફળ થયા છે. સર્વધર્મ સમભાવને ભક્તિ નો સંદેશ લઇ આવ્યા રામકૃષ્ણ પરમહંસ(૧૮૩૬-૮૬)એમના શિષ્ય સ્વામી વિવેકાનંદે(૧૮૬૩-૧૯૦૨) એમના વિચારો આગળ ધપાવ્યા અને રાજકીય રીતે અખંડ ભારત નું સ્વપ્ન સેવ્યું. અહિંસાનો સંદેશો લઇ આ સ્વપ્ન આગળ ધપાવ્યું રાજકારણી સંત ગાંધીજીએ(૧૮૬૯-૧૯૪૭). એમના પછી કોઈ રાજકારણી સંત જેવો ના પાક્યો. ભાગલાની કડવી યાદો સાથે લઇ ગાંધીજી વિદાય થયા એમની હત્યા થવાથી. સાવરકર જેવા રાજકારણી ને આઝાદીના અગ્રેસીવ લડવૈયાઓએ હિન્દુત્વના ખયાલ અમલમાં મુક્યા. રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ ને વિશ્વહિન્દુ પરિષદની સ્થાપના થઇ. હાલ પણ ભાજપા જેવી પાર્ટીના સમર્થને એમની તતુડી વગાડ્યા કરે છે.
* દરિયા પાર ભારતીયો વસવા લાગ્યા. તો એમની પાછળ સંતો ને ગુરુઓ પણ પ્રચાર માટે જવા લાગ્યા છે. મંદિરોની સંસ્કૃતિ ફરી પાછી જોર માં આવવા લાગી છે. દરેક ને પોતાનો અહંકાર આડે આવે છે, ને રોજ એક નવો સંપ્રદાય ઉભો થાય છે. હિંદુ કોઈ એક વિચારધારા રહ્યો નથી. એક શંભુમેળો બની ચૂક્યો છે.
Hmm… Very knowledgeable article.
LikeLike
જેવી રીતે અમેરિકાને કેટલાક લોકો મેલ્ટીંગ પોટ અને બીજા કેટલાક રજાઈ (quilt) કહે છે તેવી રીતે હિંદુ ધર્મને એક છત્રી (umbrella religion) ગણી શકાય?
LikeLike
ખૂબ ખૂબ સરસ માહિતીસભર લેખ.
LikeLike
Informative …..
Hinduisum is the way of life.
The culture we see is a trnsformation before and after partition of people living on Indus river and their migration all over the world.
Rajendra trivedi,M.D.
http://www.bpaindia.org
LikeLike
ઓહો..! હિંદુઈઝમનો આખો ઈતિહાસ ખુંદી વળ્યા.હિંદુનો અર્થ ચોર,લુટારુ,ગુલામ એવુ કઈક ભગવદ્રોમંડલમાં છે.મને તેના વિશે માહિતી અભિવ્યક્તી માંથી મળી હતી.
LikeLike
very nice topic, and very good infirmation.
LikeLike
વૈદિક સમય એ ઘણો જુનો કાળ છે. અને અને તે સમયના ભારતીયોએ પ્રકૃતિસાથે કેવીરીતે તાલ મેળવીને જીવવું અને સમરસ થઇને જીવવું તે જાણ્યું હતું.
અશ્વીની નક્ષત્રને પૂર્વમાં ઉગતું વર્ણિત કર્યું છે તે દર્શાવે છે કે તે સમય ૬૦૦૦ કે ૩૬૦૦૦ વર્ષ પહેલાંનો હોઇ શકે. વેદ વાક્યોને પ્રમાણ ગણવા તેમ સાતત્ય પૂર્વક અતિપ્રાચીન થી અર્વાચિન યુગ સુધીના યુગના ભારતીય સંસ્કૃતિના ચાહક વિદ્વાનો કહેતા આવ્યા છે. તેથી આમાં કોઇ વિરોધી વાત નથી. કોઈ પણ ભારતીય સંપ્રદાયવાળા વેદનો વિરોધ કરતા નથી.
વેદોમાં નગરોનો ઉલ્લેખ છે. જેવા અસુરોના નગરો હતા તેવા સુરોના નગરો પણ હતા. કામોની વહેંચણી હતી. પસંદગીનો અવકાશ હતો. સૌએ પોતે પસંદ કરેલા કામને સામાજીક સેવા તરીકે બજાવવાનું હતું. ધર્મ એટલે ફરજ. એ ભારતીય સંસ્કૃતિની પરિભાષા રહી છે.
પણ ભારતની બહાર ખાસકરીને પાશ્ચાત્ય પંડિતોએ “વાડા”ને ધર્મ કહ્યો. અને આપણા માંના “અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ” એવા કેટલાક આ વ્યાખ્યા સ્વિકારીને સંશયગ્રસ્ત થયા.
આર્યો બહારથી આવ્યા તે ટકી શકે તેવું નથી. વેદોમાં ભારતના સ્થાનોનો જ ઉલ્લેખ છે. જ્યારે તે પછી હજારો વર્ષ પછી લખાયેલા પુરાણોમાં ભારતની બહારના પ્રદેશોના ઉલ્લેખો છે. અને બૃહદ ભારત (જમ્બુદ્વિપ) નું વર્ણન તો વિસ્તાર થી છે. વૈદિક સંસ્કૃતિ એ સરસ્વતી સંસ્કૃતિ છે. ભારતીય લોકો દેશ વિદેશ જતા. આજે પણ આ પ્રક્રિયા ચાલુ છે.
સમુદ્ર મંથન પણ પૃથ્વીને ખેડવાનું એક જોઈન્ટ વેન્ચર હતું.
વેદોમાં પ્રચ્છન્ન મૂર્તિપૂજા પડેલી છે. જે કાળક્રમે વધુ વિકસિત થઇ.
ઈશ્વર ને કેવીરીતે પૂજવા તે સામાજીક વ્યવસ્થા છે. ઈશ્વર કોણ છે? હું કોણ છું? સજીવ સૃષ્ટિ કેવી છે? બ્રહ્માન્ડ કેવું છે? વિગેરે વિગેરે સઘળા વિજ્ઞાન અને તર્કશાસ્ત્ર ના વિષયો છે. ભારતમાં આ બાબતોની ચર્ચા આવકાર્ય ગણાતી. વેદમાં તે ગુઢ રીતે અને ઉપનીષદોમાં સ્પષ્ટ તાર્કિક રીતે આ બધું વર્ણવ્યું છે.
હિન્દુધર્મ કે જેને સનાતન ધર્મ તરીકે ગાંધીજી સહિત ના દેશપ્રેમીઓ ઓળખે છે તે વિષે સરળ રીતે સમજવું હોય અને શંકાઓ અને રુઢિગત તિરસ્કારોને દૂર કરવા હોય તો ગાંધીજીએ લખેલ “હિન્દુ ધર્મ શું છે?” પ્રકાશક “નેશનલ બુકટ્રષ્ટ ઈન્ડીયા”, દ્વારા “ભારતીય ઈતિહાસ સંશોધન પરિષદ”, જે ગાંધી બુક સેન્ટરોમાં સુલભ્ય છે.
LikeLike
બહુ સુંદર ને માહિતીપ્રદ અભિપ્રાય.
LikeLike
દવે સાહેબ,
‘બહુ સુંદર ને માહિતીપ્રદ અભિપ્રાય’આટલું લખ્યું ને ગુગલ ઈન્ડીકે કામ કરવાનું બંધ કર્યું.ઘણી વાર વી આર વેરી સોરી લખીને બંધ થઇ જાય.ખેર આપનો પ્રતિભાવ જાણવા ને માણવા લાયક છે.બે વિચાર ધારાઓ છે એક તો આર્યો ભારત માં જ હતા ને બીજી બહાર થી આવ્યા.પણ મને આપની એક વાત બહુ સચોટ લાગી કે સમુદ્ર મંથન એ પૃથ્વી ને ખેડવાનું એક જોઈન્ટ વેન્ચર હતું.કદાચ સમુદ્ર ને ખેડવાનું જોઈન્ટ વેન્ચર પણ હતું.ખુબ આભાર આપનો.
LikeLike
ખરેખર આજે પણ એ આશ્ચર્યની વાત છે કે હિંદુ ધર્મ વિશે કોઇને જાણ નથી.
હિંદુ ધર્મનો ઉદય આજ થી ૪૨૦૦૦ વર્ષ એટલે કે ઇ.સ. પૂર્વે ૪૦૦૦૦ વર્ષ પહેલા થયો હતો. હિંદુ ધર્મ નો પાયો નાખનાર મહર્ષિ મનુ હતા. તેમને હિંદુ ધર્મ નો પ્રચાર જાણીતા ચાર વેદો દ્વારા કર્યો હતો. હિંદુ ધર્મ ની શરૂઆત નીચે મુજબ હતી જે આજે આપણે કંઇક આવી રીતે જાણીએ છીએ.
ભુતકાળ નો ઇતિહાસ જણવો જરા કઠિન છે. કારણ કે અત્યારે જે કંઇ પણ જાણીએ છીએ તે કોઇ શાસ્ત્રમાં કે પુરાણમાં લખેલુ છે. જે પણ કોઇ શાસ્ત્રો કે પુરાણ ની રચના થઇ એ ધરતી ની રચના પછી થઇ છે. સીધી ભાષામાં જણાવું તો જયારે પૃથ્વી ની રચના થઇ ત્યારે કોઇ શાસ્ત્ર લખવામાં આવ્યું ન હતું પરંતુ સમય જતા આપણા પૂર્વજો એ પોતાની બુધ્ધી, તર્ક અને આધ્યાત્મીક ભાવ થી રચના કરેલ ગ્રંથ એટલે આપણા આજ ના શાસ્ત્રો. બીજુ એ કે જે શાસ્ત્રો આપણે આજે વાંચીયે છીએ તે બધા રૂપક રીતે લખાયેલા છે. પુરાણકારો એ પુરાણો ને એવા વસ્ત્રો પહેરાવેલા છે કે સામાન્ય દ્રષ્ટી થી જોનાર તે દેખાશે નહીં. પણ સુક્ષ્મ દ્રષ્ટી થી જોનાર ને તેના અંદરનું મહાન તત્વ દેખાશે. હાલમાં મારા અનેક પ્રવચન માં કરેલ વાર્તાલાપમાં મને જાણવા મળ્યું કે અત્યાર ના માનવો જે પણ કંઇ જાણે તે માત્ર દંતકથા ના રૂપમાં જાણે છે. પરંતુ તેના અંદર છુપાયેલા સત્ય ને કોઇ જાણતું નથી. પરંતુ આ શાસ્ત્રો પર સમય જતા ઘણા બધા સંશોધનો થયા અને છેલ્લે તો વિજ્ઞાન ની ભાષા થી પણ સંશોધન કરતા તે ખરા ઉતરી આવેલ છે. તેથી આજ પણ આપણે શાસ્ત્રોમાં વિશ્વાસ ધરાવીએ છીએ.
જો આપણે તેને સમજવા માટે થોડા ઉદાહરણો લઇ તો જાણવા મળશે કે આ બધા શાસ્ત્રોમાં લખેલી બધી જ વાત તદન સત્ય છે.
1. રાવણ સીતા ને પુષ્પક વિમાનમાં બેસાડી ને સીતા નુ હરણ કરી જાય છે. જે અત્યારે આપણે આસમાનમાં વિમાન ઉંડતા જાણી શકીએ છીએ કે ત્યારે તે સંભવ હતું.
2. મહાભારતમાં ભીમ જ્યારે હાથી ને આસમાનમાં ઉડાવે છે ત્યારે તે નીચે નથી આવતો. તો અત્યારે આપણે જાણીએ છીએ કે તે બ્લેક હોલમાં ગયો હોવો જોઇએ. જયાં કોઇ પણ જાતનું ગુરુત્વાકર્ષણ બળ નથી. તેથી ત્યાં થી કોઇ વસ્તુ પાછી ન આવે.
3. હાલમાં વિજ્ઞાનીકોએ સંશોધન કરેલ પૃથ્વીના પ્રથમ કણ ની જેમાં તેઓ એ માન્યું કે શીવ નુ જે તાંડવ નૃત્ય છે તે થીયરી પર થી જ ખરેખર પૃથ્વી ની ઉત્પતી થયેલી જણાય છે.
આપણા જાણીતા ‘શીવલીંગ પુરાણ’ ગ્રંથ મુજબ આજ થી ૧૫ અબજ વર્ષ પૂર્વે જયારે આ પુરુ વિશ્વ એક થંભ હતુ. ત્યારે ૐ ધ્વની ની રચના થઇ અને આ ૐ પુરી કાયનાત માં ગુજતો રહ્યો. તે જયાં જયાં ફેલાયો ત્યાં આકાશ ની રચના થઇ. આકાશ થી વાયુ ની ઉત્પતી થઇ. વાયુ થી જે થંભ હતો તે ધ્વસ્ત થયો તેથી બ્રહ્માડ ની રચના થઇ. બ્રહ્માડ થી તેજ (અગ્ની) ની ઉત્પતી થઇ. તેજ થી જલ ની ઉત્પતી થઇ. આપણા જાણીતા ‘મત્સ્ય પુરાણ’ ગ્રંથ મુજબ જલ થી પૃથ્વી પર મત્સ્ય (જળચર વાસી પ્રાણી) ની ઉત્પતી થઇ. આપણા જાણીતા ‘કૃમ પુરાણ’ ગ્રંથ મુજબ મત્સ્ય થી પ્રાણી કૃમ – કાચબો (જળસ્થળ વાસી પ્રાણી) ની ઉત્પતી થઇ. આપણા જાણીતા ‘વરાહ પુરાણ’ ગ્રંથ મુજબ કૃમ થી વરાહ (સ્થળ વાસી પ્રાણી) ની ઉત્પતી થઇ. આપણા જાણીતા ‘નરસિંહ પુરાણ’ ગ્રંથ મુજબ વરાહ થી અર્ધમાનવ (વિશિષ્ટ સસ્તન ધારી પ્રાણી) ની ઉત્પતી થઇ. આપણા જાણીતા ‘વામન પુરાણ’ ગ્રંથ મુજબ અર્ધમાનવ થી સંપૂર્ણ માનવની રચના થઇ.
મત્સ્યાવતાર:
મત્સ્યાવતાર માટે બે માન્યતાઓ છે. તેમા ની એક વાત એમ છે કે નદીકિનારે મહર્ષિ મનુ તપ્સ્યા કરતા હતા. ત્યાં તેમની નજરે એક માછલી આવી. મનુ તે માછલીને ઘરે લઇ આવ્યા. મનુ એ તેમને એક વાટકામાં સ્થાન આપ્યું. માછલી તો મોટી થવા લાગી. ને દિવસે ન વધે એટલી રાત્રે વધે. રાત્રે ના વધે એટલી દિવસે વધે. તેથી મનુ એ તેને એક હાંડા માં મુકી. તે વધુ મોટી થઇ એટલે તેને કુવામાં સ્થાન આપ્યું. પછી તળાવમાં મૂકી અને ત્યારબાદ દરીયામાં મુકી દીધી. જતાં જતાં માછલીએ કહ્યું કે તમે મારા આશ્રય દાતા છો. તેથી તમને જયારે પણ જરૂર પડે ત્યારે બોલાવજો. તમને જ્યારે કોઇ અડવણ પડે ત્યારે હું તમને મદદ કરીશ.
એક વખત સખત વરસાદ થયો –પ્રલયકાળ નો વરસાદ અને બધે જ પાણી પાણી! બધું જ જળબંબાકાળ થઇ ગયું. આ વરસાદ માં મનું પોતાના ચાર શીષ્યો ને લઇને એક હુડકામાં (નાવમાં) જતા હતાં અને પ્રબળ વરસાદી તોફાન માં હુડકુ પાણી માં ડુબવાનું હતુ કે એટલામાં માછલી આવી અને હુડકુ સંભાળી રાખ્યું. એનુ નામ મત્સ્યાવતાર.
મત્સ્યાવતાર માટે બીજી વાર્તા આવી છે: શંખાસુર નામનો રાક્ષસ દક્ષિણ તરફ સમુદ્રમાં રહેતો હતો. સમુદ્રનો તે છોકરો હતો. અસુર હતો. તેને બધા વેદો ને પાણીમાં ડૂબાડયાં. શંખાસુર ને મારવા ભગવાને મત્સ્ય અવતાર લીધો અને વેદો ને બચાવ્યાં. સત્યવ્રત દ્રવિડેશ્વર ને રાજ્ય ઉપર બેસાડયા. આ મત્સ્યાવતાર લીધેલા ભગવાને જે પુરાણ સંભળાવ્યું તે ‘મત્સ્ય પુરાણ’.
કથા સમજણ:
ઇ.સ. પૂર્વે ૨૫૦૦૦ થી ૩૦૦૦૦ વર્ષ પાછા જાઓ તો આની કલ્પના આવશે. હિમપુરુષના યુગ વખતની ભૂગોળ જુઓ. તે વખતે ભારત ના બે ભાગ પડી ગયા હતા. ઉપરના ભાગમાં વિંધ્યપર્વત હતો અને નીચે દક્ષિણમાં દરિયો હતો. દક્ષિણમાં કેટલાક લોકો પાણીમાં જ રહેતા હતા. દરિયામાં જ ફરવાવાળા, નૌકામાં જ જીવન ગાળવાવાળા અને તરવામાં નિષ્ણાંત હતા. તમે આજનું ઐતિહાસિક લખાણ વાંચશો તો ખ્યાલ આવશે કે ફ્રેન્ચ, અંગ્રેજ વગેરે પરદેશના લોકો પહેલાં હિંદુસ્તાનમાં આવ્યા ત્યારે સતત જલમાં ફરનારા તે જલચર કહેવાતા. તેમને ઉદેશીને લખાણ છે. દક્ષિણમાં રહેનારા આ લોકો મત્સ્ય કહેવાતા. તે પ્રદેશમાં મત્સ્યન્યાય પ્રચલિત હતો. જેમ મોટી માછલી નાની માછલીને ખાય તેમ બળિયો નબળા ઉપર નભે – जीवो जीवस्य जीवनम.
હિમાલયની પશ્ચિમ બાજુ કાંગડા જિલ્લામાં મનાલી ગામ છે. ત્યાં આ મનુનો આશ્રમ હતો. ત્યાં હજુ પણ દર વર્ષે મનુનો ઉત્સવ થાય છે. મનુ મહાન તપસ્વી હતા, જ્ઞાની હતા. સમાજનું કલ્યાણ કેમ થાય તે માટે અવિરત પ્રયત્નો કરતા હતા. ઉતર ભારતના બધા લોકોને તેમના પ્રત્યે અતિ શ્રધ્ધા હતી. તેમના આશ્રમને મહાપુરૂષ ના આશ્રમ તરીકે માનતા હતા. સાંસ્કૃતિક દ્રષ્ટીએ આ વર્ગ સારા પ્રમાણમાં ઉંચો હતો અને બધા જ તેને માનતા હતા.
ભારતની દક્ષિણ બાજુ જોશો, તો એકંદરે ચાર જાતિ રહેતી હતી. દક્ષિણ કિનારા ની પશ્ચિમ તરફ બે જાતી રહેતી હતી; એક ‘નાગ’ જાતિ અને બીજી ‘વાનર’ જાતિ. વિંધ્યપર્વતની દક્ષિણ ભાગની આજુબાજુ ‘ઋક્ષ’ જાતિ વસતી હતી અને તદન દક્ષિણ તરફ નો ભાગ એટલે કે આજના તામિલનાડુની આજુબાજુમાં અસુરો અને રાક્ષસો રહેતા હતા. આ બધામાં રાક્ષસો સુધરેલા હતા, ભણેલા હતા અને બુધ્ધીશાળી હતા. તેમનો દરીયાનો વ્યવહાર બહુ મોટો હતો. તેમના દરીયાપાર ના સંબંધો જાણવા જેવા છે. આફ્રિકા જોડે તેમના ગાઢ સંબંધો હતા. તેઓ સુધરેલા હતા તેથી તેમની પાસે સારા હથિયારો હતા.
ટૂંક્માં તેમની પાસે બધું હતું, ફકત દૈવી સંસ્કૃતિ ન હતી. તેમની સંસ્કૃતિ એટલે ખાવું, પીવું અને મઝા કરવી. હવે તેમની સંસ્કૃતિ ને જરા ઉંડાણ પૂર્વક જોઇએ તો ખાવું એટલે જમવું એવો એક અર્થ ન કરતા ધન, પૈસો, સોનુ એવો થાય છે. પીવું એટલે દારૂ, મદિરા, શરાબ એવો થાય છે અને મઝા કરવી એટલે સ્ત્રી, રતી સુખ, કામના, વાસના એવો થાય છે. જેમ જેમ રાક્ષસો ની સંખ્યા વધવા લાગી, તેમ તેમ તેની જગ્યાની જરૂરીઆત વધવા લાગી. જગ્યાની જરૂરીઆત વધતા તેમણે ત્યાં વસવાટ કરી રહેલા અભણ લોકો – મત્સ્યો ને ભગાડવા માંડયા.
આવા વ્યવહાર થી મત્સ્યો અને રાક્ષસો વચ્ચે સંધર્ષ ચાલતો હતો. તે સમયે એક જણ દરિયો ઓળંગી ઉતરમાં મનુના આશ્રમાં જઇ પહોંચ્યો. મનુએ તે મત્સ્ય ને આશ્રય આપ્યો અને કહ્યુ કે ‘તું પણ માણસ છે અને હું પણ માણસ છુ. તુ અહીં સુખેથી રહે.’ એક મત્સ્યને આશ્રય મળતાં સમય જતા ધણા મત્સ્ય લોકો ત્યાં આવ્યા. તો કદાચ તમને મનમાં એવો સવાલ ઉદભવશે કે તે મત્સ્ય તો પાછો ગયો નથી તો બીજા મત્સ્યોએ તેનો સંપર્ક કેવી રીતે મેળવીઓ. તો તમને જણાવી આપું કે સમય જતાં તેમના અમુક લોકો રખડતાં રખડતાં મનું ના આશ્રમે આવી પહોંચીયા તો ત્યાં તેમની જાતી ના એક મત્સ્ય ને જોઇને તેઓ ને આશા જાગી કે જો મનુ તેમને અહીં રહેંવા માટે આશ્રય આપતા હોય તો તેઓ ને પણ જરૂર આપશે. અને મનુ ને ખરેખર તેઓ બધા ને પોતાના આશ્રમમાં રહેંવા માટે ની વ્યવસ્થા કરી. મત્સ્ય એ મનુ સંસ્કૃતિનું પુનસ્થાપન કરનારી મહાન શક્તિ હતી. શાસ્ત્રો નો મૂળ સાર માછલી અનુક્રમે વધવા માંડી એટલે મત્સ્ય લોકો ની સંખ્યા વધવા લાગી એવો છે.
મનુ ખૂબ દયાળુ અને લાગણીશીલ હતા. થોડો સમય આશ્રમમાં પ્રસાર કરતાં મત્સ્યો ને લાગ્યું કે ખરેખર મનુ ની દૈવી વિચારધારા મહાન છે! અહીંના લોકો માં પણ કેટલો પ્રેમ છે! બધા લોકોના વિચારો પણ કેટલા દૈવી છે! જયારે તેઓ બધા તો રાત દિવસ ઝધડા માં સમય પ્રસાર કરતા હતા. ધીમે ધીમે બધા મત્સ્યો માં એક નવો દ્રષ્ટિકોણ ઉદભવવાં લાગ્યો. મનુ એ કહ્યુ કે તમે પણ આવી રીતે જ દૈવી જીવન જીવી શકશો તમે બસ વેદો નો અભ્યાસ કરો અને તેમનો પ્રચાર કરો. તેઓ એ મનુ પાસે થી દૈવી સંસ્કૃતિ ની દિક્ષા લીધી. સમય જતાં ઘણાં લોકો ને ત્યાં ના હવા પાણી માફક ન આવતાં તેઓ દક્ષિણ તરફ પાછા ફર્યા. પાછા ફરતી વખતે તેઓ ખાલી હાથ ન હતા પરંતુ તેમની પાસે તો વેદો નો ખજાનો સાથે હતો. જ્યારે તેઓ પાછા ફરતા હતા ત્યારે તેઓ એ મનુ ને કહ્યું કે તમે તો અમારા જીવન ને કૃતાર્થ કર્યું છે તેથી તમે અમારા ગુરૂ છો. જયારે પણ તમને અમારી જરૂર પડે ત્યારે બોલાવજો અમે બધા તમારી સેવામાં હાજર થઇ જઇશુ.
આ લોકો જયારે પાછા ફર્યા ત્યારે તેઓ પોતાની સાથે વેદો ને લેતા ગયા હતા. દિવ્ય વિચારો લેતા ગયા હતા અને તેઓ દૈવી જીવન ગુજારવા લાગ્યા. આ જોઇ ને રાક્ષસો ને ચીડ ચડી અને કહેવા લાગ્યા કે આ તે વળી કેવા ઢંગ ચાલુ કર્યા છે. ખાવું, પીવું અને મઝા કરવી તેના બદલે આ દૈવી વિચારો ના જીવન ને વિદેશમાંથી કયા ઉપાડી આવ્યા? ખાવું, પીવું અને મઝા કરવી એવું સર્વસ્વ માનનાર શંખાસુર નામના મહાન પ્રતિષ્ઠિત રાક્ષસે રાજસતા નો આશ્રય લઇ ને એક નવો કાયદો બનાવ્યો. એ લોકો ને વેદ વાંચતા બંધ કર્યા. તેણે કહ્યું કે ‘ આ બધા તમારા ગપ્પા છે. કોઇ એક સૃષ્ટિ નો પાલક છે – સૃષ્ટિ કોઇએ નિર્માણ કરી છે. આવી વાત અમારા મગજમાં ઉતરતી નથી. અમારે તમારી કોઇ વાત ને સાંભળવી નથી. તમારી બુધ્ધી નો વિકાસ ઓછો છે તેથી તમે સૃષ્ટિકર્તા ની આવી વાતોમાં માનો છો. અમે પણ જો તમારી જેમ આવી વાહીયાત વાતો માં વિશ્વાસ કરાવા માંડીશું તો અમારી પ્રજા પુરૂષાર્થહીન થશે, બધાનો વિકાસ અટકી જાશે અને પછાત બની જાશે. અમે તો સુધરેલા છીએ, અમારૂ જીવન ઉધ્વસ્ત થઇ જાશે.
અત્યાર સુધીના વિષ્ણુ ભગવાન ના જે જે અવતારો ને આપણે માનીએ છીએ તેમને જ હકિકત માં હિંદુ ધર્મ નો પ્રચાર અને રક્ષણ કરેલ છે. હિંદુ ધર્મ નો પુરો ઇતિહાસ (ભોગોલીક, આધ્યાત્મીક અને વૈજ્ઞાનિક ) બધી જ પ્રકાર ના પુરાવા સાથે ટુક સમયમાં જ આપણી વચ્ચે અમારી ‘લગ્ન પુરાણ’ ઇ-બુકમાં જોવા મળશે. જેમાં બધા જ ધર્મો નુ અસ્તિત્વ સાથે સચોટ રીતે દર્શાવવામાં આવેલ છે.
LikeLike
‘લગ્ન પુરાણ’ ઇ-બુક હવે તૈયાર થઈ ગઈ હશે. ગુગલ મહારાજમાં “થુકવું” લખ્યું એટલે અહીં કુરુક્ષેત્રમાં આવી પહોંચ્યો…
LikeLike
શરુઆતથી હિન્દુ હતા જ નહી છતાં હિન્દુત સેવાળ જેવું વળગી રહ્યું છે ?
LikeLike
શ્રી ભુપેન્દ્રસિંહજી, પ્રથમ તો ધન્યવાદ! આટલું ઉંડું ચિંતન કરવા બદલ. બીજું ક્ષમાપ્રાર્થના ! આપના આ લેખનાં એક મુદ્દા બાબતે વિચારભેદ માટે.
* “જો બધા એકજ હિંદુ ધર્મ ને માનતા હોય તો અલગ અલગ અચાર વિચાર કેમ? ” —— આ મુદ્દે હું કશું ન કહેતા સ્વામિ વિવેકાનંદ દ્વારા, અમેરિકાથી ભારત પરત આવ્યા પછી, દેશમાં વિવિધ શ્થળોએ અપાયેલા પ્રવચનનો અંશ રજુ કરીશ. કારણ કે હિન્દુ ધર્મ વિશે બોલવામાં અન્યો કરતા વિવેકાનંદજીનો પ્રભાવ વધુ રહેશે જ.
” ભારતમાંથી જ ઉઠેલી એક મહાન ઘોષણા આ છે: ”एकं सत् विप्रा बहुधा वदन्ति” (સત્ય એક જ છે, વિદ્વાનો, ઋષિઓ તેને અલગ અલગ વર્ણવે છે) આથીજ તો તમે દ્વૈતવાદી અને હું અદ્વૈતવાદી હોઉં; તમે પોતાને ’ઇશ્વરનો નિત્ય દાસ’ માનતા હો અને હું એમ જાહેર કરૂં કે ’હું ઇશ્વર શાથે એક છું – सोड्हम्’, છતાં આપણે બન્ને સારા હિંદુઓ હોઇએ. ધાર્મિક માન્યતાઓ માટે જગતમાં જે કાંઇ સહિષ્ણુતા છે, જે કાંઇ જરાતરા પણ સહાનુભુતિ છે, તે વ્યાવહારિક રીતે જોતાં અહીં જ છે” — વિવેકાનંદજી
* “ઇશ્વર વિશેની ભાવના આપણી આ માતૃભૂમિ જેટલી સંપૂર્ણતાથી બીજે ક્યાંય કદીયે વિકાસ પામી નથી, કારણકે એ ભાવના બીજે ક્યાંય કદી અસ્તિત્વમાં જ નહોતી” — વિવેકાનંદજી
બાકી આર્યોના મુળસ્થાન વગેરે મુદ્દાઓ તો વિવાદાસ્પદ રહેવાનાજ, હિંદુ શબ્દને પણ ભાષાકીય રીતે જોતા તો ઘણા અર્થો મળશે જ, એ તો મોટા ભાગના શબ્દોનાં એક કરતા વધુ અર્થ મળે છે. પરંતુ ઘણા કાળથી મુળ વૈદિક ધર્મને હિંદુધર્મ તરીકે ઓળખાવવાનું શરૂ થયૂં, તેથી હવે હિંદુધર્મ અને હિંદુ સભ્યતા (કે જે શબ્દ વિદેશીઓએ સિંધુનદીની સામે પાર વસતા લોકો માટે વાપરેલ) એ બન્ને અલગ બાબતો ગણાય છે.
અને કોઇ પણ સંપ્રદાય લો તેમણે તેમનો મુખ્ય આધાર તો ઉપનિષદોને જ બનાવેલ છે. એ ઉપનિષદો જેને માટે જર્મન દાર્શનિક શોપન હોઅરે કહેલું :” આખી દિનિયામાં ઉપનિષદના અભ્યાસ જેટલો લાભદાયી અને ઉન્નત બનાવનાર બીજો એકે વીષયનો અભ્યાસ નથી. મારી જિંદગીનો એ દિલાસો નીવડ્યો છે, મારા મૃત્યુનું એ આશ્વાસન નીવડશે.” (આમે આપણને વિદેશીઓએ આપણા વિશે કહેલી વાતો વધુ માનવામાં આવે છે, તેથી આ શોપન હોઅરને ટાંક્યો !!!)
બાકી જે કાંઇ ખરાબી છે તે આપણે જ ઉભી કરેલી છે, અને આપણે જ તેનો ઉપાય પણ શોધવાનો છે. આપના લેખના અન્ય વિચારવંત મુદ્દાઓ બહુ પ્રેરક જણાયા. આમ જ કશુંક નવું આપતા રહેશો, આભાર.
LikeLike
શ્રી અશોકભાઈ,
આપે ક્ષમા માંગવાની ના હોય.વિચારભેદ હોય,મતભેદ પણ હોય છતાં મન ભેદ ના થવો જોઈએ.મન ભેદ થવા લાગે ત્યાં મૈત્રી તુટવા લાગે.આપના અને મારા વિચારો સદાય એક હોય તેવું તો ના બની શકે.
હવે મૂળ વાત કે જયારે મેં લેખ માં લખ્યું કે એકજ હિંદુ ધર્મ ને માનતા હોય ત્યારે અલગ અલગ આછર વિચાર કેમ?ત્યારે મારા મનમાં તત્વજ્ઞાન ની વાતો હતી નહિ.જોકે મારે ફક્ત આચાર લખવાની જરૂર હતી.એક સત્ય જુદા જુદા અર્થમાં ભલે લોકો કહેતા.એક જ હિંદુ ને બંગાળી બ્રાહમણ રોજ માછલી ખાય ને ગુજરાતી બ્રાહ્મણ ને સંસ્કૃતિ નો નાશ થઇ જતો લાગે,આવું કેમ?એક હિંદુ ગુરુ કહેશે મેં કડી સ્ત્રીઓનું મોંઢું જોયું નથી ને બીજો ગુરુ કહેશે હું ખુદ કૃષ્ણ છું તમારી સ્ત્રીઓ મને ભોગવવા આપી જાઓ શું આ હિંદુ ધર્મ છે?મેં પોતે જ લખ્યું છે કે અદ્વૈતવાદ એ આજે વિજ્ઞાન કહે છે તે “લો ઓફ સીન્ગ્યુંલારીટી” છે. મને અદ્વૈતવાદ કે એવી બીજી તત્વજ્ઞાન ની વાતો માં જુદી જુદી માન્યતા હોય તેમાં વિરોધ નથી.તુંડે તુંડે મતિ ભિન્ના તો હોય જ.એક કહેશે બટાકા ખવાય,બીજો કહેશે લસણ ના ખવાય.શું હિંદુ ધર્મ આ ખવાય ને આ નાં ખવાય તેમાં રહી ગયો છે?આપે ધ્યાન દોર્યું તે બદલ આપનો ખુબ આભાર.
LikeLike
શ્રી ભુપેન્દ્રસિંહજી, વિચારભેદ પ્રકટ થવો તે મિત્રતાનું દઢ થવું સુચવે છે. (આપ ફરી મારૂં પેલું સિંહ અને ઘેંટા વાળું ચિત્ર યાદ કરો, હવે કદાચ આપ તેનો મર્મ પાકો સમજી ગયા હશો !) આપનું લખાણ જ સ્પષ્ટપણે બતાવી આપે છે કે ઢોંગીઓનાં હાથમાં સરી પડેલા આ કહેવાતા ધર્મે, ખરેખરા અને ઉપનિષદોમાં વર્ણવેલા વૈદિક (હવે હિન્દુ) ધર્મને કેટલું નુકશાન પહોંચાડ્યું છે. એક સમયે સ્વામિ દયાનંદે વિવિધ ધર્મો અને સંપ્રદાયોની અતી કડક ભાષામાં ટીકાઓ કરેલી, જે હાલમાં પણ આપણે કરતાં ધ્રુજીએ ! અર્થાત, રોગ તો આપણને સૌને ખબર જ છે. મારૂં નમ્રપણે માનવું એવું છે કે હવે રોગનો ઉપાય વિચારવાનો સમય છે. એક ઉપાય તો વ્યાવહારિક પણે અંધશ્રદ્ધા નિર્મુલનનો છે, જે મારા ઘણાં સારાસારા મિત્રો હાલમાં નિષ્ઠાપૂર્વક કરે જ છે. તેમાં પણ પૂર્વગ્રહોથી રહિત કે ધાર્મિકભાવનાઓથી પર રહી અને ફક્ત સામાજીક સદ્ભાવનાપૂર્વક આ કામ થાય તો વધુ સફળ થવાશે. શાથે બીજો એક ઉપાય છે, વૈચારીક સ્તરે સાચા ધર્મને સમજવાનો. જે માટે મારે ફરી ફરીને દયાનંદ કે વિવેકાનંદ જેવા ગણ્યાગાંઠ્યા મહાપુરુષોને જ યાદ કરવા પડે છે !! અંતે લંબાણનાં ભય છતાં વિવેકાનંદનાં પ્રવચનનો એક અંશ ટાંકીશ જેની વિશેષ સમજુતી આપ જેવા જ્ઞાનીને આપવાની ન જ હોય.
” એ ઉપનિષદો દરેક પ્રજાના, દરેક સંપ્રદાયનાં, દરેક જાતિનાં દુર્બળોને, દુ:ખીઓને અને દલિતોને રણશિંગું ફૂંકીને ઘોષણા કરે છે કે તમારા પગ પર ખડા રહો અને મુક્ત થાઓ ! ઉપનિષદોનો મૂળમંત્ર છે મુક્તિ – શારીરિક મુક્તિ, માનસિક મુક્તિ અને આધ્યાત્મિક મુક્તિ” અને આ કામ સિંહ જેવું સામર્થ્ય ધરાવતા લોકો જ કરી શકશે, ઘેટાંઓ નહીં !!!!! આભાર.
LikeLike
શ્રી અશોકભાઈ,
અ શ્રી વિવેકાનંદ સ્વામીએ જ ક્યાંક કહ્યું હતું કે પછાત અને દલિત જાતિઓ ને હિંદુસ્તાન માં જે ત્રાસ અપાયો છે એટલો બીજા કોઈ દેશ માં આપ્યો નથી.
LikeLike
સ્વામી વિવેકાનંદના હિંદુઈઝમ વીશેના વિચારો જાણવા નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://bhajanamrutwani.wordpress.com/2010/04/27/paper-on-hinduism/
LikeLike
લીંક મુકવા પધાર્યા તે બદલ ખુબ ખુબ આભાર. મિત્રો મેં ફક્ત ઈતિહાસ ને ધ્યાન માં રાખી લેખ મુકેલ છે.આમાં કોઈ ફિલોસોફી નથી.હવે તત્વજ્ઞાન ની દ્રષ્ટીએ હિન્દુઈઝમ વિષે જાણવું હોય તો ઉપર ની લીંક પર જઈ સ્વામી વિવેકાનંદજીના વિચારો વાંચવા જરૂરી છે.આવો લહાવો આપવા બદલ શ્રી અતુલભાઈ નો ફરીથી આભાર માની લઉં.
LikeLike
હીન્દુઓમાં જાતી વાદ પ્રાંતવાદનો ઠેર ઠેર પ્રચાર થયો. એના પછી મહીલાઓ, દલીતો અને બાળકો ઉપર અત્યાચારમાં વધારો થતો જ ગયો.
દાખલા તરીકે મહાવીરનો જન્મ બ્રાહ્મણીના પેટે અવતરી ન શકે એટલે ક્ષત્રીયાણીના ઘરે જન્મ આપ્યો. કુળ બાબત આટલા બધા અભીમાનનું રહસ્ય તો કંઈક ઓર જ છે. જૈનોને મહાવીરના આગલા ૨૭ ભવ ખબર છે અને મહાવીરની માતા ક્ષત્રીયાણી ત્રીસલા વીશે ૩-૪ લાઈનની પણ ખબર નથી.
૨૦૦ વર્ષ અગાઉ પુનામાં દલીતો ઉપર જે અત્યાચાર થતા એનું વર્ણન વાંચવા જેવું છે. મહાત્મા ફુલેની પત્ની સાવત્રીબાઈના શરીર ઉપર આ કહેવાતા હીન્દુઓ રોજ ગંદુ મેલું ફેકીં જે અત્યાચાર કરેલ છે એ વર્ણન પણ વાંચવા જેવું છે.
હીન્દુ અને જૈનોમાં બાળ દીક્ષા આજે પણ અપાય છે. હીન્દુઓ શકરાચાર્ય અને જૈનો હેમચંદ્રાચાર્યનો દાખલો આપે છે.
આ કહેવાતા હીન્દુઓમાં કર્મનો એટલો બધો પ્રભુત્વ છે કે આજે પણ હીન્દુઓમાં બીજાના કલ્યાણની ભાવના ઓછામાં ઓછી છે. જેમ કે ગમે ત્યાં ગમે ત્યારે થુકવું અને ભીડ ભાડ વખતે રસ્તામાં પગ ફેલાવી ઉભા રહેવું કે સાંકડી જગ્યામાં વચ્ચે ઉભા રહી જવું.
કર્મમાં માનવાને કારણે બીજાના કલ્યાણની ભાવના નાબુદ થઈ જાય છે. ભૃષ્ટાચાર પણ આ કર્મવાદને કારણે ફેલાય છે. કોઈ પણ સાધુને પુછો એ તમને કર્મનો જ ઉપદેશ આપશે. હીન્દુઓની આ કર્મવાદ માન્યતાને કારણે નવું વીચારવાની શક્તી હણાઈ ગઈ છે.
LikeLike
આપની વાતો નજર અંદાઝ કરીએ તો નર્યો દંભ કહેવાય.
LikeLike
આપના આ લેખ દ્વારા ઐતિહાસિક દ્રષ્ટિએ હિન્દુઇઝમ વિશે ઘણું જાણવા મળ્યું. અને અશોકભાઇના જ્ઞાનસભર પ્રતિભાવો વાંચવા મળ્યા. ‘ઉપનિષદોનો મૂળમંત્ર છે મુક્તિ – શારીરિક મુક્તિ, માનસિક મુક્તિ અને આધ્યાત્મિક મુક્તિ” અને આ કામ સિંહ જેવું સામર્થ્ય ધરાવતા લોકો જ કરી શકશે, ઘેટાંઓ નહીં !!!!!’ અને અતુલભાઇના પ્રતિભાવ દ્વારા સ્વામી વિવેકાનંદના તત્વજ્ઞાનની દ્રષ્ટિએ હિન્દુઇઝમ વિશે જાણવા મળ્યું. તે માટે આપનો ખૂબ જ આભાર
LikeLike
kharekhar superb article che…
LikeLike
Thanks for your effort to write.
Hindu Most of our people do not know about dharma.
Sanatan Dharma is now Called Hindu dharma.
We have to follow Shrimad Bhagwat Gita, Ramayana & Vedas
People follow Different things which is on different banner & name.
We have original version of all above books in India .
Pls, Find out , Read & Follow .
Do not follow Human like us.
Who only knows how to turn people & faith
Jai Shree Krishna Jai Shree Ram
LikeLike
Hinduism, as such is not a religion, it is a philosophy. Its emphasis is more on life than on living. Many get absorbed in ritualistic practices (applies to many religions) and miss the true meaning, and philosophy behind it. We often also get distracted by historical characters, which might have lived years ago, and then make big issues about their birth, place and time, and we destroy monuments, and even kill people, and all in the name of the religion (and even the ‘God’)! We all need to grow beyond all these narrow thoughts and practices.
LikeLike
આ જોવું અને પૃથક્કરણ કરવું ગમશે: http://rutmandal.info/guj/2009/06/gayatri-yagna/
LikeLike
યજ્ઞમાંથી ઓમકાર ઉત્પન્ન થાય કે ન થાય તેનું આધ્યાત્મિક કે ભૌતિક મહત્વ શું? યજ્ઞનું જ શું મહત્વ? આનાથી હું તો અંજાતો નથી, જેને અંજાવું હોય તે ભલે અંજાય.
LikeLike
Very Interesting research ! Nice sharing and very humble replies to each comments. Raol Saheb, there is a lot to learn from you….
LikeLike
:):):)
LikeLike