!!ભલે સંતો ના પાડતાં,,કામ અને ક્રોધ આવશ્યક છે!!

 !!ભલે સંતો ના પાડતાં,,કામ અને ક્રોધ આવશ્યક છે!!        
         
        *ભગવાન કે કુદરત જે કઈ વસ્તુ સમસ્ત સજીવ  જગત ની અંદર મુકે છે,તે જરૂરી હોય ત્યારે જ મુકે છે.વણ જોઈતું કશું મુકે તેવો એ મૂરખ નથી.તમે શ્વાસ લીધા વગર કેટલું જીવી શકો?તમે ખોરાક લીધા વગર કેટલું જીવી શકો?કે પાણી પીધા વગર પણ કેટલું જીવી શકો?આ થઇ તરત ની જરૂરિયાતો.પણ ઘણી એવી જરૂરિયાતો છે,જે લાંબા ગાળાની યોજનાઓ છે.એના વગર કોઈ સજીવ ને ચાલતું નથી.જો ચાલી શકતું હોય તો ભગવાન મુકે જ નહિ.
       
                                *કામ એટલે સેક્સ કુદરતે દરેક સજીવોમાં મુકેલો છે.જો એ નાં હોય તો જીવન ચક્ર આગળ ચાલે નહિ.જો ખરાબ હોત તો કુદરત તમારી અંદર મુકત જ નહિ.એટલે એના વગર ચાલતું નથી.જો બળજબરી થી ચલાવવા  જાવ તો સ્ખલન થવાનું જ છે.હમણા ૩૩ વર્ષ ના યુવાન દક્ષીણ ભારતીય સન્યાસી નિત્યાનંદ ની વાતો વાંચી.તમિલ અભિનેત્રી સાથેના એમના અંગત સબંધો ચર્ચા માં છે.આમાં આ સન્યાસી ખોટા રવાડે ચડી ગયા છે.૩૩ વર્ષ નું જુવાનજોધ શરીર એમના કાબુમાં ના રહે.કુદરતે અબજો વર્ષ થી  તમારા જીન્સ માં મુકેલું છે કે એક કોપી પાછળ મુકતા જવું.એ ઈવોલ્યુશનરી ફોર્સ સ્ત્રી નજીક આવી નથી કે તમને છોડવાનો નથી.આ સાયંસ પ્રાચીન લોકો જાણતાં હતા.નાની ઉમરમાં સન્યાસ લેવો એ કુદરત ના વિરુદ્ધ માં જવાનું થાય છે.આના વિષે ઘણું બધું કહેવાઈ ગયું છે.જીવનચક્ર આગળ ને આગળ ચાલતું રહે તેવી કુદરતની યોજના એટલે દરેક સજીવ માં મુકેલી “કામ” ની પવિત્ર ભાવના.કુદરતે મુકેલી દરેક વસ્તુ પવિત્ર જ હોય.”કામ” ને કામવાસના કહી હું કુદરત નું ભગવાન નું અપમાન કરવા નથી ઈચ્છતો.જેમ ભૂખ લાગે છે,ને ખાધા વગર ચાલતું નથી.તેમ લાંબા ગાળા ની કુદરત ની યોજના મુજબ કામ(સેક્સ) વગર ચાલે નહિ.
       
                     *ક્રોધ માં એક બળ હોય છે,તાકાત હોય છે.ક્રોધ વગર નો માણસ નપુંસક જેવો લાગે છે.જે કામ માં ખુબ તાકાત લગાવવી પડે છે,તે કામ ક્રોધ માં સહેલાઇ થી કરી શકો છો.અમેરિકાના એક પ્રતિષ્ઠિત ઓલોમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ એથ્લેટ્સ ભારત આવેલા.અહીના રમત જગત ના ખેલાડીઓ ની મુલાકાત લીધી.અહી ચાલતા વિવિધ કેમ્પ ની મુલાકાત પણ લીધી.પછી કોઈએ પૂછ્યું કે આપનું અહીના ખેલાડીઓ વિષે શું માનવું છે?એમનો જવાબ હતો કે ભારતમાં પ્રતિભા ખુબ છે.પણ ‘ભારત ના ખેલાડીઓ અગ્રેસીવ નથી’.ખેલાડીઓ માં આક્રમકતા નથી.એક મરું કે મારું ની ભાવના જોઈએ,જે અહીના ખેલાડીઓ માં નથી.માટે છેલ્લી ઘડીએ માર ખાઈ જાય છે.પ્રજામાં જ એક તો આક્રમકતા નથી તો પ્રજામાંથી આવતા ખેલાડીઓ માં ક્યાંથી હોય?કે નેતાઓમાં પણ ક્યાંથી હોય?મહાત્માઓ ના ઉપદેશો કે કામ,ક્રોધ ને છોડો.ક્રોધ ખરાબ છે.પ્રજા કાયર ના બને તો શું થાય?નપુંસક ના બને તો શું થાય?મુઠ્ઠીભર અંગ્રેજો અહી રાજ ના કરી જાય તો શું થાય?છોને આપણે એક અબજ થી વધારે રહ્યા.હજારો ઘેંટાઓનું ટોળું ભલેને હોય,પણ એક સિંહ આવીને ત્રાડ પડે તો શું થાય?ધાર્મિક મહાપુરુષોએ ક્રોધ ને વખોડી વખોડી ભારતને પાયમાલ કરી નાખ્યું છે,બલહીન,કાયર બનાવી દીધું છે.
          
               * સર્વાઈવલ માટે જીવવું હોય તો બળ જરૂરી છે,ને એ બળ પેદા થાય છે ક્રોધ માં.એક ઘાંચી ને રાજપૂત ના ઘર જોડે હતા.રાજપૂત ભાઈ દુબળા પાતળાં ને ઘાંચી ભાઈ તગડા રૂષ્ટપુષ્ટ.ઘાંચી ની પત્ની પેલા દરબાર ની પત્નીને રોજ મહેણાં મારે કે મારો ઘાંચી કેવો તગડો છે,ને તારો દરબાર જો કેવો દુબળો પાતળો છે.દરબાર ની પત્નીએ એના પતિ ને આ વાત કરી.દરબાર કહે ઢોલ વાગવા દે પછી વાત.એવામાં ગામમાં ધાડ પડી ને બચાવ કરવા લોકોને ભેગા કરવા ઢોલ વાગ્યો.દરબાર ને ક્રોધ ચડ્યો,ઝનુન વ્યાપી ગયું શરીરમાં.દરબાર ને પેલી ઘાંચી ની વાત યાદ આવી,બાજુમાં પડેલી લોખંડ ની કોશ ઉઠાવી ને ઘાંચી ના ગાળામાં ભેરવી ને વાળી દીધી.પછી દરબાર તો ગયા ધાડપાડુઓ  સામે લડવા ને બધા ભાગી ગયા એટલે પાછા આવ્યા.હવે ક્રોધ જતો રહ્યો.પેલો ઘાંચી કહે દરબાર હવે આ કોશ ને સીધી કરો ને કાઢો હવે.દરબાર કહે હવે ના થાય,ફરી ઢોલ વાગે ત્યારે સામે આવીને ઉભો રહેજે.આ વાત તો ઘણા બધાએ વાંચી હશે.કોઈ આખો દિવસ તો ક્રોધ માં જીવી ના શકે.શરીર માં ખાસ પ્રકાર ના કેમિકલ્સ ક્રોધ માં વધારાનું બળ પ્રાપ્ત કરવા માટે છૂટે છે.ઈમરજન્સી શક્તિ નો પુરવઠો વહેવા લાગે છે.કામ પૂરું થયા પછી એની જરૂર હોતી નથી.ઉલટાનું હાની કરે.માટે આખો દિવસ સતત ક્રોધ માં જીવી ના શકાય,અને કોઈ નવરું પણ ના હોય ક્રોધ માં જીવવા.પણ સર્વાઈવલ માટે જો તમને કોઈ મારવા આવે તો ક્રોધ જરૂરી છે.
 

28 thoughts on “!!ભલે સંતો ના પાડતાં,,કામ અને ક્રોધ આવશ્યક છે!!”

  1. સાચુ પૂછો તો સંતો પણ તેનાથી મુકત નથી. માત્ર પોતાની પ્રતિભા ઉજળી બનાવવા આવા અર્થ વગરના અને લોકોને નમાલા બનાવી દેતા ઉપદેશો આપ્યા કરે છે.આજના સાધુ અને સ્વામીઓ આ ઉપરાંત ભૌતિક સાધનો અને સુખ પણ ત્યજી દેવા બોધ આપ્યા કરે છે અને પોતે આ સાધનોનો ભરપૂર ઉપયોગ કરતા રહે છે. અરે આ ઉપદેશ પણ ભૌતિક સાધનો મારફત જ આપતા હોય છે. દંભ અને પાખંડ સાધુ સંતોની જાણે ઓળખ બની ચૂકી છે !

    Like

    1. વડીલશ્રી,
      ૧૦૦%સાચી વાત.ભૌતિક સાધનો દ્વારા જ ઉપદેશ આપતા હોય છે.બહુ સરસ સત્ય વાત કીધી.પોતે જલસા કરતા હોય ને ભક્તોને બધું છોડી દેવાનું કહેતા હોય કેમ? ભક્તો બધું છોડો અમને આપી દો માટે.

      Like

      1. સ્વામી કે બાપુની ગાળને અને વા-છૂટને આશીર્વાદ કે પ્રસાદ માનનારો સમાજ ધન્યવાદને પાત્ર છે.

        Like

        1. શ્રી યશવંત ભાઈ.
          આ બાપુઓના થુન્કેલા પાન અને એઠું,પ્રસાદ માની ખાવાની વાત જાણી છે.પણ આ ગાલ ને બીજું જે લખ્યું છે તે આજેજ જાણ્યું,અને ખુબ હસ્યો પણ ખરો.

          Like

  2. કામ, ક્રોધ, લોભ, ભય, મૈથુન, વ. ભાવો જીવનમાં જ જરુરી છે. સમસ્યા ત્યારે ઉદભવે છે જ્યારે આ બધાની મર્યાદા નો લોપ થાય છે. આ મર્યાદાનો અતિરેક થાય થાય છે અથવા અમર્યાદિત ઉપભોગ થાય છે.કામ એક પરમ “સંપૂર્ણ” અનુભવ છે. ક્રોધ વિના જીવન નિર્માલ્ય છે.

    Like

    1. શ્રી ભજમન ભાઈ,
      આપની વાત સાચી છે.ભૂખ પણ કુદરતે જ મૂકી છે,પણ વધારે ખવાઈ જાય તો?આફરો ચડે.”अति सर्वत्र वर्जयेत”

      Like

  3. હમણાં એક બ્લોગ ઉપર એક બોધકથા વાંચેલી. તેમાં એક સાધુના આકરા તપ વિશે ખૂબ વાહવાહ સાંભળીને રાજાએ તેના પ્રધાનને સાધુને મળવાની ઇચ્છા દર્શાવી ત્યારે પ્રધાને કહ્યું કે પહેલાં આપ રાજ્યમાં ઢંઢેરો પીટાવો કે હવે કોઇએ સાધુના દર્શને ના જવું. થોડા સમય સુધી કોઇ દર્શન કરવા ના આવ્યું. એટલે સાધુ તપ પડતું મૂકીને ત્યાંથી ચાલ્યા ગયા. બોધકથા તો લાંબી છે મેં તો તેનો સાર લખ્યો છે.એટલે આપણે ત્યાં પણ આવું કંઇક જાહેર કરીને તમામ સાધુ સંતોના દર્શન બંધ કરાય તો આપોઆપ એ લોકોના ઉપદેશ બંધ થઇ જાય. અને જે સાચા સંતો હશે તે જ ટકી રહેશે. અને સૌથી વધારે આ સાધુઓને સેલિબ્રેટિઓ વધુ માથે ચડાવે છે. તેઓને મહેનતથી મેળવેલી સફળતા છીનવાઇ જવાનો ડર વધારે હોય છે. એટલે પોતાનામાં વિશ્વાસ ના રહે એટલે તેઓ આવા યોગગુરુ અને આધ્યાત્મિક ગુરુઓનાં શરણે જાય છે. અને તેઓ જ આ સાધુઓને પણ સેલિબ્રિટી બનાવી દે છે. અને બીજું એક કડવું સત્ય એ છે કે જે દિવસે આ દેશની સ્ત્રીઓ આ સાધુઓના પગ પકડવાનું બંધ કરશે તો આપોઆપ આ સાધુઓના ખોટા ઉપદેશોથી પ્રજા કાયર થતી બંધ થશે.

    Like

    1. આ બોધકથા સાવ સાચી છે. કહેવાતા સંતિને થોડો સમય પડતા મૂકીએ તો તેમનું સંતપણુ ગાયબ થઇ જાય. પણ…. આપણે એ કયાં કરીએ છીએ ? કોઇ ને કોઇ ચેલાઓ..ભક્તો આવા લોકોને મળી જ રહે છે..મેરા ભારત મહાન..આજે પણ આશારામ બાપુને ભગવાન માનવાવાળા હાજર છે જ..

      Like

      1. સાચા સંતો ને ભક્તો ની ભીડ વધી જાય તો ત્યાં થી છુમંતર થઇ જય.અને દંભી ને ભક્તો ના આવે તો છુમંતર થઇ જાય.

        Like

      2. મને યાદ છે ત્યાં સુધી સ્વામી સચ્ચિદાનંદે સંદેશમાં કેટલાક સમય પહેલાં લખેલું કે જો સ્ત્રીઓ અમારા ચરણસ્પર્શ ના કરે કે અમારા દર્શને ના આવે તો અમારો સાધુ-સ્વામીઓનો ધંધો બંધ થઈ જાય ! તેઓએ એક અણીયાળો સવાલ પણ આ સાધુ-સ્વામીની જમાતને કરેલો કે પુરૂષોને મૃત્યુ પછી સ્વર્ગમાં મેનકા કે ઉર્વશી જેવી અપ્સરાઓ મળશે તેવી વાતો કરનાર એ જણાવશે કે સ્ત્રીઓને મૃત્યુ પછી સ્વર્ગમાં કોણ મળશે ? જ્યાં સુધી અંધશ્રધ્ધા દૂર ના થાય ત્યાં સુધી આશારામ અને અન્ય સાધુઓની પાળી ચાલ્યા જ કરવાની છે. રોજ સવાર પડ્યે તેઓના છીંડાળા માધ્ય્મોમાં વાંચવા અને જોવા તૈયાર રહેવાનુ ! મેરા ભારત મહાન ! પોકારતા રહેવાનું !

        Like

  4. ભગવાન કે કુદરત જે કઈ વસ્તુ સમસ્ત સજીવ જગત ની અંદર મુકે છે,તે જરૂરી હોય ત્યારે જ મુકે છે.
    એની સમજણપૂર્વકની સ્વીક્રુતિ સાથેનુ જીવન આપણો ધર્મ છે અને આચરણ આપણુ કર્મ છે.
    બાકી જે છે તે સંતોની અથવા તો દંભની પ્રક્રુતિ છે.

    Like

    1. આ પ્રાણીઓ તો વિવેક થી ઉપયોગ કરતા જ હોય છે,પણ બુદ્ધિશાળી ગણાતો માનવી કેમ અતિરેક કરતો હશે?અને પછી દંભીઓને એને વખોડવાનું બહાનું મળી જાય છે.

      Like

  5. સંતોને શું દોષ દેવો? શ્રીકૃષ્ણ જ કહી ગયા છે કે

    “સમ: શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનાયો:|
    શીતોષ્ણસુખદુ:ખેશુ સમ: સંગવિવર્જિત:||”
    (ભગવદ્ગીતા ૧૨:૧૮)

    સરખા જ ગણવાના હોય તો એકને શત્રુ અને બીજાને મિત્ર કહેવો જ શાને? કંસ હોય કે અર્જુન હોય. (ગીતાના ત્રીજા પછીના અધ્યાયો ક્ષેપક હોવાની શક્યતા ઘણી વધારે જણાય છે.)

    હવે આપણા એક વાંચકબંધુ પ્રતિભાવ આપશે કે આપણે બરાબર સમજ્યા નથી અને સાર ગ્રહણ કરવાનો.

    Like

    1. ખબર નથી કૃષ્ણ શું કહી ગયા છે?આખી જીંદગી ભાગમ ભાગ કરવામાં વહી ગઈ હોય તે કદાચ શું લખવા બેઠા હશે?બધું એમના નામે આપણે જ લખ્યું છે.

      Like

    2. આમાં પોતાના મન પર કાબુ ધરાવવાની વાત છે. દુર્ગુણો શત્રુ છે. એ સદંતર નાબુદ ન થાય તેને દબાવી ને સારપ વધારતાં જઈ ધીરે ધીરે સત્વ, રજ અને તમથી પર થઈ ત્રીગુણ રહીત થવાની ગીતા ભાર પૂર્વક ગીતા સલાહ આપે છે.
      ઊલટા અર્થ ન કરવા.

      Like

  6. આ કામ અને ક્રોધ શું છે તે સમજવું જોઈએ.

    અર્જુન નો પ્રશ્ન છે કે
    અથ કેન પ્રયુક્તોSયં પાપં ચરતિ પૂરુષ: |
    અનિચ્છન્નપિ વાર્ષ્ણેય બલાદિવ નિયોજિત: ||ભ.ગી. ૩ / ૩૬||

    હે કૃષ્ણ! તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય તેમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે?

    શ્રી ભગવાન ઉવાચ
    કામ એષ ક્રોધ એષ રજોગુણસમુદ્ભવ: |
    માહાશનો પહાપાપ્મા વિદ્ધેનમિહ વૌરિણમ || ૩૭ ||

    રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે, આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે, આને જ તું આ બાબતમાં વેરી જાણ.

    ધૂમેનાવ્રિયતે વહ્નિર્યથાદર્શો મલેન ચ |
    યથોલ્બેનાવૃતો ગર્ભસ્તથા તેનેદમાવૃતમ || ૩૮ ||

    જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમ જ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે.

    આવૃતં જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્યવૈરિણા |
    કામરૂપેણ કૌન્તેય દુષ્પૂરેણાનલેન ચ || ૩૯ ||

    આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે.

    ઈન્દ્રિયાણિ મનો બુદ્ધિરસ્યાધિષ્ઠાનમુચ્યતે |
    એતૈએવિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ || ૪૦ ||

    ઈન્દ્રિયો, મન અને બુદ્ધિ – એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે; આ કામ આ મન, બુદ્ધિ અને ઈન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે.

    તસ્માત્વમિન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ |
    પાપ્માનં પ્રજહિ હ્યેનં જ્ઞાનવિજ્ઞાનનાશનમ || ૪૧ ||

    તું પહેલા ઈન્દ્રિયોને વશમાં કરીને, જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હણી નાખં

    ઈન્દ્રિયાણિ પરાણ્યાહુરિન્દ્રિયેભ્ય: પરં મન: |
    મનસસ્તુ પરા બુદ્ધિર્યો બુદ્ધે: પરતસ્તુ સ: || ૪૨ ||

    ઈન્દ્રિયોને સ્થૂળ શરીર કરતાં પર અર્થાત શ્રેષ્ઠ બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે; આ ઈન્દ્રિયો કરતાં મન પર છે, મન કરતાંય બુદ્ધિ પર છે અને જે બુદ્ધિ કરતાં પણ સાવ પર છે, તે આત્મા છે.

    એવં બુદ્ધે પરં બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના |
    જહિ શત્રું મહાબાહો કામરૂપં દુરાસદમ || ૪૩ ||

    આ પ્રમાણે બુદ્ધિ કરતાં પર એટલે કે સુક્ષ્મ બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહો! તું આ કામ રૂપી દુર્જય શત્રુને હણ.

    Like

  7. લાગે છે કે હવે ખોટા બની બેઠેલા બાવાઓ વિરૂધ્દ્ધ જન જાગૃતિ અભિયાન ચાલૂ કરવુ પડશે. બાકી તો આપણા વડવાઓએ જે વ્યવસ્થા ગોઠવી હતી તે ઉત્તમ હતી કે જીવનના ૫૦ વર્ષ પછી વાનપ્રસ્થાન કરવું. અને આજ ઉમરે માણસમાં કામ, ક્રોધ, મોહ મટી ગયા હોય. ભક્તી કરાવાનો શ્રેષ્ઠ સમય પણ તેજ છે. યુવાનીમાં બાવો બન્યો હોય તેણે સંસારની બધી માયા જોઈ નથી. તેથી તેનુ મન ડગવાનુજ છે. ખરેખર તો હિન્દુ સમાજે માણસને સાધુ બનવા માટે ૫૦ ની ઉંમર નક્કી કરવી જોઈએ.

    Like

    1. શૈલેશ ભાઈ,
      એ વ્યવસ્થા વૈજ્ઞાનિક હતી,ઉત્તમ હતી.એમાં કોઈ ગરબડ ને અવકાશ ખાસ ના હતો.

      Like

  8. બરાબર ચ્હે તમરિ વાત.હુ પન સહમત ચ્હુ આ વાત થિ તો.જીવન મા ક્રોધ પન એત્લોજ જરુરી ચ્હે.સ્વભાવ બધિજ વાત મા સમ્તોલ હોવોજ જોવે.

    Like

  9. શ્રી ભુપેન્દ્રસિંહજી, હંમેશ મુજબ વિચારપ્રેરક લેખ. અને આદતમુજબ,એ વિચારપ્રેરણથી ઉત્પન્ન થયેલી, ક્રોધના વિષય પરની, થોડી પૂરક માહીતિ અહીં રજુ કરૂં છું. જો કે શાથેના જ ’કામ’ ના વિષય પર કશું લખતો નથી એ બદલ ક્ષમાપ્રાર્થના !! કારણ મારા નમ્ર મત અનુસાર ’કામ’ એ ’જાણવા’ કરતા ’માણવા’નો વિષય વધુ છે !!(આ વિધાન તાત્વિક અર્થમાં લેવું)
    ગુસ્સો,ક્રોધ એ એક લાગણી છે. કુદરતે આ લાગણી દરેક પ્રાણીમાં મુકી છે તેનું મુખ્ય કારણ છે સ્વબચાવ.ભય કે નુકશાનીના અંદેશા સામે મગજની ’લડો અથવા ભાગો’ની પ્રક્રિયા શરૂ કરવાના ભાગરૂપે ક્રોધની લાગણી પણ ઉત્પન્ન થાય છે. શારિરીક ચિહ્નોમાં, હ્રદયનાં ધબકારા વધે છે તથા રક્તમાં એડ્રિનાલિન,નોરએડ્રિનાલિનનો પ્રવાહ વધે છે. એ ઉપરાંત પણ ઘણા દૃષ્ય ચિહ્નો છે, જેમ કે વાળ ઉભા થઇ જવા,આંખોની પૂતળી ફેલાઇ જવી,શ્વાસોશ્વાસ વધી જવા વગેરે.
    ક્રોધ એ આક્રમણકર્તાને તેની આક્રમક કે અણગમતી પ્રવૃત્તિ રોકવા માટે વર્તણૂક દ્વારા અપાતી ચેતવણી છે. મોટાભાગે તો ક્રોધ (anger) નહીં પરંતુ ક્રોધાવેશ (rage) નૂકશાનકારક માનવામાં આવે છે. કદાચ મહર્ષિઓએ આ ક્રોધાવેશને ખરાબ ચિતર્યો હતો તેમાં સમજ્યા વગર ક્રોધને પણ સામેલ કરી દીધો હોય તેવું બને. ક્રોધ એ સમજી, વિચારી અને શરીરની મર્યાદામાં રહી કરાતો પ્રતિકાર છે. જ્યારે ક્રોધાવેશ એ કોઇપણ કારણની અનુપસ્થિતિ છતાં ચાલુ રહેતા, સતત ક્રોધનું લક્ષણ છે. જે ખુદ એક માનસિક બિમારી છે અને અન્ય અનેક પ્રકારની માનસિક બિમારીનો જનક છે.
    ક્રોધના બે મુખ્ય પ્રકાર છે; નિષ્ક્રિય ક્રોધ અને આક્રમક ક્રોધ.
    નિષ્ક્રિય ક્રોધના લક્ષણોમાં, અબોલા લેવા, સામે ન જોવું,જેના પર ક્રોધ આવ્યો હોય તેનું ખરાબ બોલવું, તેમની અવગણના કરવી, આ ઉપરાંત પોતાની જાત પર ગુસ્સે થવું, સામે વાળાને માનસિક ચાલાકીઓ દ્વારા હેરાન કરવા, અર્થહિન વિચારો વ્યક્ત કરવા, અવિશ્વાસપાત્રનો વિશ્વાસ કરવો, લાગણીશુન્ય બનવું, વધુ પ્રમાણમાં ખાવું-પીવું કે ઉંઘવું, જાતિય ઠંડાપણું, ભ્રમગ્રસીત મનોદશા અને ઉડાવપણું કે સરખા ઉત્તરો ન આપવા વગેરે જેવા લક્ષણો હોય છે.
    આક્રમક ક્રોધના લક્ષણોમાં, બાંયો ચઢાવવી, હથેળીઓ મસળવી, જોર જોરથી હોર્ન વગાડવું કે બારી દરવાજા પછાડવા, ટેબલ વગેરે પર હાથ પછાડવો, અસભ્ય ભાષાપ્રયોગ (ગાળો આપવી), સામે વાળાને નબળી બાજુએ દબાવવો (જેમ કે હાથ નીચેનો કર્મચારી હોય તો કાઢી મુકવાની ધમકીઓ આપવી વગેરે), અન્ય પર આક્ષેપો કરવા, ગાંડાઓ જેવું વર્તન કરવું (જેમકે ઝડપથી વાહન હંકારવું વગેરે), ક્યારેક, પોતાની મોટાઇ બતાવવી કે દેખાડો કરવો તે પણ આક્રમક ક્રોધના ભાગરૂપ હોય છે, ભુતકાળની દુ:ખદ યાદોને વાગોળવી અને બદલો લેવાની ઇચ્છા રાખવી આ બધું આક્રમક ક્રોધના લક્ષણો છે.
    તત્વચિંતનની રીતે મુલવીએ તો,પ્રાચિન ગ્રીક તત્વવેતાઓનું પણ માનવું હતું કે ’ક્રોધ એ યુદ્ધમાં વિજય મેળવવા માટે સાવ નકામો છે’ તેના કરતા સમજીવિચારી અને શિસ્તબદ્ધ રીતે કરાતો હુમલો વધુ કારગર નીવડે છે. જો કે એરિસ્ટોટલે ક્રોધને થોડી માન્યતા આપેલી, તેના પ્રમાણે ક્રોધ એ અન્યાયનો સામનો કરવાનું કે અન્યાય થતો રોકવાનું એક ઉપયોગી સાધન બની શકે છે.
    મધ્યયુગના મોટાભાગના તત્વચિંતકો પણ પ્રાચિન ગ્રીક તત્વચિંતકો શાથે સહમત હતા, જો કે અમુકનું માનવું હતું કે માનવ સિવાયનાં તમામ પ્રાણીઓ લાલસા અને ક્રોધની લાગણી વડે પલોટાયેલા છે, માનવી એક બુદ્ધિ વડે પલોટાયેલો છે.
    જો કે આધુનીક તત્વચિંતકો અલગ અલગ વિચારો ધરાવે છે, કોઇ પ્રાચિન કે મધ્યકાલીન ચિંતકો શાથે સહમત છે, કોઇ નથી. પરંતુ એક આધુનિક વિચાર એવો છે કે ક્રોધ એ કોઇના દ્વારા,પોતાની અંગત કે જાહેર, મર્યાદાના ઉલ્લંઘનને કારણે ઉત્પન્ન થતી લાગણી છે. અને ક્યારેક આ લાગણીનું ઉત્પન્ન ન થવું એ નબળાઇ ગણાય છે.
    ધર્મની રીતે કહીએ તો ફક્ત હિંદુ ધર્મમાં જ નહીં, વિશ્વના તમામ મોટા ધર્મોમાં ક્રોધને ખરાબ લાગણી તરીકે ગણાવાયો છે. એક કારણ એ પણ છે કે (જે ધર્મ દ્વારા નહીં પરંતુ વિજ્ઞાન દ્વારા સંશોધિત છે) ક્રોધ એ છે તો આત્મરક્ષા માટેનું શસ્ત્ર જ. અને શસ્ત્ર હંમેશા બંન્ને બાજુ પ્રહાર કરે છે, દિશા ફેરવી નાખો તો તે વાપરનારને પણ ઘાયલ કરે જ છે. આથી જ કદાચ,કોઇ પણ શસ્ત્રની માફક, સાવચેતીપૂર્વક આ શસ્ત્રનો ઉપયોગ કરવાનું પણ કહેવાયું હોય.
    આભાર.

    Like

    1. ખુબ ખુબ ધન્યવાદ અશોકભાઈ.ખુબ સરસ માહિતી આપી.લેખ બહુ લાંબા થઇ જતા હોય એટલે મેં ટૂંક માં જણાવેલ કે સતત ક્રોધ માં ના જીવાય નુકશાન કરે.સતત પ્રેમ માં જીવાય એવી વાતો કરે છે,પણ એ પણ શક્ય નથી લાગતું.પણ આપે ખુબ સરસ કામ કર્યું છે.આભાર.

      Like

      1. બાપુ, આપ લેખ ટુંકો કરવા ગયા તેમાં મારી કોમેન્ટ લાંબી થઇ ગઇ !!!! 🙂 આશા રાખું આપને માઠું નહીં લાગ્યું હોય. આપના લેખમાં એક પ્રકારનું ખેંચાણ હોય છે જે લાંબુ વિચારવા પ્રેરે છે. અને બાલ કી ખાલ ખેંચવી એતો આપણો (બ્લોગર મિત્રોનો) સ્વભાવ છે !!! આભાર.

        Like

        1. શ્રી અશોકભાઈ,
          હવે ફરી જો માઠું લગાડવા જેવો શબ્દ વાપર્યો તો માઠું લાગી જશે.આપની કોમેન્ટ થી મને પણ ઘણી બધી ટેકનીકલ માહિતી જાણવા મળી છે.મારા ઘણા મિત્રો ની ફરિયાદ હતી કે મારા લેખ બહુ લાંબા હોય છે.એટલે એટલી બધી ધીરજ રહેતી નથી.માટે મેં હવે થોડા ટૂંકા લેખ લખાય તો સારું એવું નક્કી તો કર્યું છે.લેખ તો બહુ લાંબો હતો.એટલે બે ભાગ કર્યા છે.હવે બીજા ભાગ માં “મોહ” વિષે લખાઈ ગયું છે.કોમેન્ટ લાંબી હોય તો મજા આવે.જાણવાનું મળે.હવે જો ટૂંકી કોમેન્ટ લખી તો ખેર નથી.

          Like

  10. “મર્યાદા નો લોપ.”
    When, Person stays in Limit and learn in life ,
    “Enough is enough is enough…. that is the opening the gate of wisdom.
    says our wise India ”अति सर्वत्र वर्जयेत”.

    Like

  11. ખુબ સુંદર લેખ ભુપેન્દ્રસિન્હ્જી, પાંચ વિષયો કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય માણસ પોતે નથી લાવ્યો કે તેને જેમ્ફાવે તેમ વર્તે સમતોલ રહે અને કામ ક્રોધનો પણ ઉપયોગ સ્થિર રહી કરે તો જીવન સુખી બની શકે.મોટેભાગે અતિરેકથી સમસ્યા નિર્માણ થાય છે..અહંકારને પણ ખુબ ગાળો ભાંડી સાવ કાઢી નાખવાની વાત પણ અતિરેક છે.

    Like

  12. ભાઈ શ્રી રાઉલ

    કામ – ક્રોધ વિષય ઉપર તમારો લેખ વાચ્યો. આ વિષય ઉપર બીજે ઘણૂં લખયું છે. ક્યાંક થોડુ વાચ્યું- સાંભળ્યું છે.

    “કામ” સામાન્ય લાગતો શબ્દ વાક્ય્માં ક્યાં-કેવી રીતે વપરાય તે મુજબ એનો અર્થ નીકળે. તમે પ્રજનન-પ્રજોત્પત્તિના મૂલ્ય સાથે ગહન અર્થમા લખવાનુ પસંદ કર્યૂં.

    ” કામ ” દેવભાષા સંસ્ક્રૂત પરથી ઉતરી આવેલ વૈદિક શબ્દ હોઇ રહસ્ય્મય પણ છે જ. આ માટે શિવ-શિવલીગ, ૐ , પતંજલિ યોગના સાતે ચક્રો સાથે પ્રથમ ચક્ર, મૂલાધાર ચક્ર્નો અભ્યાસ, ત્રણેનું વૈદિક રહસ્ય સમજવું રહ્યું.

    પશુ-પ્રાણીઓ,પક્ષીઓ,ફક્ત પ્રજનન-પ્રજોત્પત્તિ ઇચ્છાથી મૈથુન કરે છે. અને માનવી !!! ? આજના કેટલાક ( બધા નહીં ) યુવાનો ઘરડાં માતા પિતાનુ કેમ માનતા કે ધ્યાન રાખતા નથી ? તેઓની પેદાસના મૂળમાં માતા પિતાની, પ્રકૂતિ ( કુદરત )ના કાર્યમા મદદ કરવાની ફરજ અને સંતાન પ્રાપ્તિની ઇચ્છા હતી ? માત્ર વિષય-વાસના, કામેચ્છા ?

    ” ક્રોધ ” એ પણ સંસ્ક્રૂત પરથી ઉતરી આવેલ વૈદિક શબ્દ જ છે, અર્થ થાય છે ” ગુસ્સો “. તમે તમારા લેખમા જે ઉદાહરણો આપ્યાં એ માટે ” જુસ્સો – અક્રમકતાની ” જરૂર છે, ક્રોધની !!!

    ” ખેલાડીઓ ” !!! યાદ છે મફતલાલ મીલ વાળા ભાઈલાલભાઈ શેઠ મીલના નામે ટીમ બનાવી કારકુન તરીકે કામ આપી ૧૫-૨૦ યુવાનો રાખતા, કામ ૮૦ ટકા ક્રિકેટ રમવાનુ, ઉપરથી બે જોડ સફેદ કપડાની જોડ. આજે !!! જેને ક્રિકેટ્નો ક્ક્કો નથી આવડતો, કેન્સરને કારણે ડાચાનું હાડકું કપાવી નાખેલું, લાકડાં પણ પહોંચી ગયેલાં છે, ક્રિક્ર્ટનો કબજો છોડતો નથી,કોઇ કાંઇ કહી કરી શક્તું નથી. ” જુસ્સો ‘ યુવાનો લાવે તો ક્યાથી લાવે ભાઈ રાઉલ ??

    ગાધીજીને માર્યો દેશવાસીએ વિચાર ભેદના કારણે, એક યુવાન પ્રધાનમંત્રી બહારના લોકો આવી મારી જાય, એ યુવાન પ્રધાને શું કર્યું કે ના પણ કર્યું હોત આપણે ક્યારે પણ જાણી શકવાના નથી. આ કરૂણતા છે.

    જે કાંઇ કરશે તે યુવાનો જ કરશે બે શક.

    હૂં વ્યક્તિ-કુટુંબ પૂજામાં નથી માનતો પણ શક્તિ અને દુરંદેશી વાળી વ્યક્તિને જરૂર ચાહું છું.

    Like

  13. Krodhni vat bahuj mahtvani che, shahuthi pahela krodh shu che? sha mate eno upyog krvo? kya krvo jruri che, e badhu ghnuj mhatvnu che. Tame je upar janavyu che e pan tetluj jruri che, eno virodh hu kem kru? Loko sad upyog krta durupyo vdhu kre che. jivan chkrama vichrya vagar ke,bedarkrithi, potanuj ahit kre che. Samay pramane,kya ane kvi pristhiti che e pramne himatathi nirny jruri che. smjya vagar koyna dorvya krata. Andarni shktione jagrut kryani drek vyktne jrur che.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s