વાંચવા જેવા શ્રેષ્ઠ પુસ્તકો,,,,

મિત્રો વાંચવા જેવા શ્રેષ્ઠ પુસ્તકો
૧)સત્ય ના પ્રયોગો (આત્મ કથા)  :-ગાંધીજી
૨)કૃષ્ણાવતાર :-ક.માં.મુનશી.
૩)ગુજરાત નો નાથ :- ક.માં.મુનશી.
૪)મળેલા જીવ :- પન્નાલાલ પટેલ
૫)માનવીની ભવાઈ:-પન્નાલાલ પટેલ
૬)ગ્રામ લક્ષ્મી:-ર.વ.દેસાઈ
૭)ગીતાંજલિ:-રવીન્દ્રનાથ ટાગોર ,,,,હિન્દી અનુવાદ
૮)ગબન ,૯) ગોદાન,૧૦)શતરંજ કે ખિલાડી :-પ્રેમચંદ,,,,હિન્દી
૧૧)દેવદાસ,૧૨)પરિણીતા,૧૩)સ્વામી :–શરત ચંદ્ર ચટ્ટોપાધ્યાય ,,,,,અનુવાદ
૧૪)કપાલ કુંડલા :-બંકિમ બાબુ,,,,અનુવાદ
૧૫)માણસાઈ ના દીવા:-ઝવેરચંદ મેઘાણી
૧૬) સત્યાર્થ પ્રકાશ :-સ્વામી દયાનંદ સરસ્વતી
૧૭)અધોગતિ નું મૂળ-વર્ણ વ્યવસ્થા ,૧૮)ચાલો,અભિગમ  બદલીએ,૧૯)આપણી દુર્બળતાઓ:-સ્વામી સચ્ચિદાનંદ ,દંતાલી

34 thoughts on “વાંચવા જેવા શ્રેષ્ઠ પુસ્તકો,,,,”

  1. આ પુસ્તકો વાંચવાથી મહાત્મા ગાંધી વીશે ખબર પડે છે કે ઈશ્વ્રર એ સત્ય છે કે સત્ય એ ઈશ્વ્રર છે.

    કનૈયાલાલ મુનશીએ સોમનાથ મંદીરના નીર્માણમાં રસ લઈ બહુ જ નુકશાન કર્યું. વર્ણવ્યવસ્થાનું કલંક આ સોમનાથ મંદીર સમજીએ તો બધો ભેદ ખુલી જાય છે.

    ઝવેરચંદ મેઘાણી રાજપુતોની તલવાર કે ભાટ ચારણ ભાટાઈ લખી શકે અને જોસેફ મેકવાન લખે તો દલીત સાહીત્ય લખી શકે.

    આ છે અધોગતીનું મુળ વર્ણ વ્યવસ્થા.

    આ વર્ણ વ્યવસ્થા બદલવા જૈન અને બૌદ્ધ ધર્મનો ઉદય થયો અને તીર્થકંરો તો ક્ષત્રીય જ હોવા જોઈએ એમ જૈનો ડંફાસ મારવા લાગ્યા તે એટલે સુધી કે મહાવીર બ્રાહ્મણીના પેટે જન્મે કે ક્ષત્રીયાણીના પેટે જન્મે એના માટે તુત ઉભુ કર્યું.

    સત્યના પ્રયોગોમાં ઠેર ઠેર પ્રાર્થના અને ઈશ્વર દેખાઈ આવે છે તે એટલે સુધી કે મરણ પણ પ્રાર્થના પહેલાં થયું. અમેરીકાની શાળાઓમાં પ્રાર્થના બંધ થઈ ગઈ એટલે અમેરીકન ડોલર ચંદ્ર સુધી પહોંચી ગયો.

    આ ગુજરાતી લખાંણ અંગ્રેજી કી બોર્ડની મદદથી કરેલ છે. જય હો જો આ યુનીકોડ વ્યવસ્થા, કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની કે જેણે દુનીયાના ખુણેં ખાંચરેથી માણસોને ભેગા કર્યા.

    Like

  2. બાપુ પ્રથમવર્ગ તો ન આવ્યો !!! ૧૧/૧૯ એટલે ૫૭.૮૯% શાથે સેકન્ડક્લાસ પાસ કર્યો લો !!
    @ વોરાસાહેબ, કદાચ મેઘાણીની ’માણસાઇના દીવા’ બાબતે ખોટા ઠરે !! તેમાં મેઘાણીએ ’રવિશંકર મહારાજ’નાં, ખાસ કરીને પાટણવાડીયા તરીકે ઓળખાતા અને ત્યારે પછાત ગણાતા એવા વર્ગના લોકોના હક્ક માટે કરેલા, કાર્યોનો ચિતાર રજુ કરેલ છે. સમાજશાસ્ત્રનાં શોખીનોએ પણ ખાસ વાંચવા જેવું પુસ્તક.
    સ_રસ યાદી રજુ કરી, ન વાંચેલા પુસ્તકો વાંચવાનું યાદ કરાવ્યું. આભાર.

    Like

    1. શ્રી અશોકભાઈ,
      એટલા બધા પુસ્તકો વાચ્યા છે કે મને યાદ પણ નથી રહ્યા.આતો ખાસ છાપ પાડી ગયેલા પુસ્તકો છે.ગુજરાત નો નાથ ની આખી સીરીજ વાચવાની મજા આવશે.ગાંધીજી કે મુનશી સાથે ભલે સંમત ના હોઈએ,પણ એમના પુસ્તકો વાંચવાના,મજા આવે.મુનશી એ કૃષ્ણાવતાર માં કૃષ્ણ ને ભગવાન તરીકે નથી આલેખ્યા.એમાંજ મજા આવે છે.આતો એક મિત્ર ની ફરમાઈશ હતી કે સારા પુસ્તકોના નામ લખો તો વાંચીએ.આ બધા મારા વાંચેલા છે.સ્વામી સચ્ચિદાનંદ ના લેક્ચર્સ ઓનલાઈન સાંભળવા મળશે.બીજી યાદી પછી મુકીશ.થેન્ક્સ.

      Like

      1. બાપુના જુના લેખો પાકા કરતો હતો અને અહીં આવી પહોંચ્યો. યાદી માટે કોમેન્ટ લખી છે જે અપ્રુવ કરવા વીનંત્તી.

        Like

  3. પન્નાલાલ પટેલની માનવીની ભવાઇ પણ સિરિઝમાં વાંચવાની મજા આવે તેવી છે. માનવીની ભવાઇ,ભાંગ્યાના ભેરુ અને ઘમ્મર વલોણુંના બે ભાગ. પન્નાલાલ પટેલના બીજા પણ ઘણાં પુસ્તકો વાંચ્યા છે. ક.મા.મુનશીની ગુજરાતનો નાથની સિરિઝ પણ વાંચી છે. કૃષ્ણાવતારની જાણકારી આપી તે સારું કર્યું. સત્યના પ્રયોગો,માણસાઇના દીવા અને ગીતંજલી પણ વાંચી છે

    Like

    1. મીતાબેન,
      એકદમ સાચી વાત છે.સાવ સરળ અને સાદી ગામઠી ભાષા માં એમણે જીવન ના રીયલ સત્યો ઉજાગર કર્યા છે.આખી સીરીજ વાંચવા જેવી છે.મેં લખેલા બંગાળી લેખકોના અનુવાદ મળે તો પણ વાંચવા જેવા છે.બહુ વર્ષો થઇ ગયા એટલે અનુવાદકોના નામ યાદ નથી.શરદબાબુ ની નોવેલો વાંચવાની પણ ખુબ મજા આવે.

      Like

  4. શ્રી ભુપેન્દ્રસિંહજી,

    સુંદર પુસ્તકોની યાદી.

    આ પુસ્તકોમાં મને ગમેલ એક નાનક્ડી બેબીની રાજી થવાની રમત શીખવાડતું સુંદર પુસ્તક “પોલિએના” વાંચવાની પણ ભલામણ છે.

    પોલીએના – રાજી થવાની રમત

    Like

    1. ‘પોલિએના’ ખરેખર સુંદર પુસ્તક છે. મે તો એની ડીવીડી પણ વસાવી છે. અબાલ-વૃદ્ધ સહુને ગમે તેવી વાત છે.

      Like

  5. આ સૂચિનાં બધાં જ પુસ્તકો વાંચવા જેવા છે. શાળાજીવનમાં આ સૂચિનાં લગભગ દરેક પુસ્તકમાંથી પસાર થવાનું બન્યું હતું એ માટે નાના ગામની આર્ટસકોલેજના સદગત ગ્રંથપાલ (અને બાપુજીના મિત્ર)નો ઋણી રહીશ.

    Like

    1. પંચમ ભાઈ,
      આમતો મારા પિતાશ્રી વકીલ હતા પણ એમને વાંચવાનો ગજબનો શોખ હતો.અને વિજાપુર ની લાયબ્રેરી ના પ્રમુખ હોવાથી મને ખુબ છૂટ મળેલી કબાટો ફેદી ફેદી ને પુસ્તકો ખોળવાની.આપની જેમ હું પણ સદગત પિતાશ્રી નો ઋણી છું.

      Like

  6. ભૂપેન્દ્રસિંહજી, કેમ છો આપ ? આમાથી સમ્પૂર્ણ વાન્ચ્યા હોય તો સત્યના પ્રયોગો અને સત્યાર્થ પ્રકાશ..બીજા બધા ના નામ સાંભળેલા અને અમુકમાં રુચિ અભાવથી પુરા ન વંચાયા..આપ સારુ વાંચન કરો છો..અભિનંદન આવી જ્ઞાનવર્ધક માહિતિ માટે. હવે તો વાંચીએ પણ તેવા મિત્રો હોવા જોઇઅએ ને કે જેની સાથે કઈ શેર કરી શકાય કે ચર્ચા કરી શકાય..કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છ્તિ ધીમતામ..જેવુ છે..તમને ગીતગુન્જન પર નિમન્ત્રણ…

    Like

    1. શ્રી દિલીપ ભાઈ,
      આપની વાત સાચી છે.સમાન રસ ના હોય તો ચર્ચા કરવી કઈ રીતે?આ પ્રશ્ન તો છે જ.માટે જેવો માણસ તેવી જ વાત થાય.મારા એક મિત્ર ઓશોના ભક્ત.બીજા આમારા કોમન મિત્ર ને એ ઓશોના લેક્ચર્સ સાંભળવા લઇ જવા આગ્રહ કરે.પેલા મિત્ર એક બે વાર જઈ આવ્યા.પછી ફોન પર મને કમ્પ્લેઇન કરતા હતા કે મને ઓશો ફોશો ના ફાવે.આ મિત્ર ને કોઈ છગનબાપુ કથા કરતા હોય તેમાં જ મજા આવે.એટલે જેવી જેની સમજ,એવીજ વાત થાય.મારા સારા મિત્રો આંગળીના વેઢે ગણાય તેટલા જ છે.મારા બહુ સારા મિત્રોમાં મારા પોતાના બે ભત્રીજાઓ છે.એક અમેરિકા માં વૈજ્ઞાનિક છે અને બીજા મણીનગર અમદાવાદ માં આવેલી જીવકોરબા હાઈસ્કુલ ના પ્રિન્સીપાલ છે.

      Like

  7. ભુપેન્દ્રસિંહજી,

    આપે આ કામ સરસ કર્યુ… જેમ પેલી ” સેવ ટાયગર” વાળી જાહેરાતમાં કહે છે ને કે કંઇ પણ કરો એમ જ આપણે બ્લોગ દ્વારા પણ લોકોને વાર તહેવારે આમ સારા પુસ્તકોની યાદી આપી “આંગળી ચીંધ્યાનું પૂણ્ય” કમાઈ શકીયે એમ છીએ કેમ કે ઘણીવાર લોકોને શું વાચવું એનું મુંઝવણ હોય ત્યારે આવી યાદી સારી કામમાં આવે છે..

    થેંક્યુ ફોર સચ બ્લોગ પોસ્ટ…

    Like

    1. આપની વાત સાચી છે,શું વાંચવું?એવી મુંજવણ એક મિત્રે ફોન પર દર્શાવેલી એમાંથી જ આ પોસ્ટ મુકાઈ છે.જોકે ઘણા બધા સારા પુસ્તકો છે,પણ મને તાત્કાલિક જે યાદ આવ્યા તે લખ્યા છે.બીજા બ્લોગ મિત્રો ને પણ વિનંતી કે એમને જે યાદ આવે તેવા સારા પુસ્તકો ની યાદી આવી રીતે મુકશે તો “વાંચે ગુજરાત”ને ટેકો મળશે.

      Like

  8. ભાઈશ્રી ભુપેન્દ્રસિંહ
    આપે આપેલા તમામ પુસ્તકો મેં મારા શાળાના દિવસોમાં વાંચેલા છે.અને અમારાં બાળકો વાંચે માટે અંગત રીતે ઘરમાં વસવેલા પણ છે. આપે જે મુનશીના ક્ર્ષ્ણાવતાર વિષે લખ્યું છે તે સાથે હું સહમત છું કૃષ્ણાવતારમાં મુનશીજીએ કૃષ્ણનું ચરિત્ર એક માનવી તરીકે ઉપસાવ્યું છે તે અદભુત છે. કૃષ્ણ મેરી દ્રષ્ટિમે ઓશોનું પુસ્તક પણ અદભુત છે. આ ઉપરાંત થોડા સમય પહેલાં એક કાજલ ઓઝા-વૈધનું પુસ્તક “કૃષ્ણાયન” કે જેમાં કૃષ્ણની અંતિમ ક્ષણોની વાત કરી છે તે પણ ખૂબ જ સુંદર છે. મનુષ્ય પોતાની અંતિમ ક્ષણોમાં કેવા અને ક્યા વિચારોમાં અટવાતો હશે તે વિચારતા કરી મૂકે તેવી સરસ રજૂઆત કરી છે. મને ખૂબ જ પસંદ પડ્યું છે. આ ઉપરાંત નરસિંહપ્રસાદ ઈશ્વરભાઈ પટેલનું “ઈશ્વરનો ઈંકાર” પણ ખૂબ જ સુંદર છે. આ પુસ્તક અને તેમની સાથે ચર્ચાઓ કર્યા બાદ ગાંધીજીએ પોતાની વાત જે ઈશ્વર સત્ય છે તે સુધારી સત્ય જ ઈશ્વર છે તે સ્વીકારેલું. આ ઉપરાંત ચંદ્રકાંત બક્ષીના પુસ્તકો પણ મને ખુબ્ જ પસંદ છે. જુના લેખકોમાં ર.વ.દેસાઈ ધુમકેતુ મેઘાણી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ પિતાંબર પટેલ વગેરે તો ખરાજ્ આ ઉપરાંત કિરણ બેદીનું હંમેશા શક્ય છે પણ ખૂબ જ સુંદર પુસ્તકનું ગુજરાતીમાં અનુવાદ ઉપલબ્ધ છે.દર્શકને કેમ ભૂલાય ! ‘માધવ ક્યાંય નથી’- હરિન્દ્ર દવે તથા વર્ષા અડાલજાનું ‘મારે પણ એક ઘર હોય’ તો ઉષા શેઠનું ‘મૃત્યુ મરી ગયું ‘અને ઈલા આરબ મહેતાનું ”રાધા'” અને “‘-અને મૃત્યુ’ ” કુન્દનિકા કાપડીયાનું “સાત પગલાં આકાશમાં” વગેરે અનેક પુસ્તકોની યાદી બનાવી શકાય ! ગુણવંત શાહ મોહ્મ્મ્દ માંકડ જ્યોતિન્દ્ર દવે અને બીજા અનેક નામાંકિત લેખકોને પણ ભૂલવા નહિ જોઈએ ! પણ મારો યક્ષ પ્રશ્ન તો એ છે કે આજના યુવાનો/યુવતીઓને ગુજરાતી સાહિત્ય વાંચવામાં રસ છે ખરો ? શાળામાં વેકેશન પડે એટલે મારે ઘેર બાળકો માટે એક ગુજરાતી વાચન શીબીર જેવું આયોજન ગઈ સાલથી શરૂ કરેલ છે જેમાં બકોર પટેલ મિંયા ફુસ્કી છ્કો-મકો અકબર બીરબલ અને બાલકોને રસ પડે તેવા અન્ય પુસ્તકોમેં વસાવેલા છે અને અમારા વિસ્તારના બાળકોમાં વાચન પ્રત્યે અભિરૂચી કેળવાય તેવો પ્રયાસ કરું છું. જે આપની જાણ માટે !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

    1. વડીલ શ્રી,
      આપે ખરેખર સુંદર પુસ્તકો ની યાદી રજુ કરી છે.મારી યાદી અધુરી હોય તે સ્વાભાવિક છે.એટલે બીજા બ્લોગ મિત્રોએ પોતે જે પણ સુંદર,વાંચવાલાયક પુસ્તકો વાંચ્યા હોય તે જણાવશે તો “વાંચે ગુજરાત”પ્રોત્સાહન મળશે.આપની યાદી નીચે મુજબ છૂટી પાડું છું.
      કૃષ્ણાયન:-કાજલ ઓઝા-વૈદ્ય
      ઈશ્વર નો ઈંકાર:-નરસિંહપ્રસાદ ઈ પટેલ
      હમેશા શક્ય છે :-કિરણ બેદી
      માધવ ક્યાય નથી:-હરીન્દ્ર દવે
      મારે પણ એક ઘર હોય:-વર્ષા અડાલજા
      મૃત્યુ મરી ગયું:-ઉષા શેઠ
      રાધા:-ઈલા આરબ મહેતા
      સાત પગલા આકાશ માં:-કુન્દનિકા કાપડિયા
      મીંયા ફૂસકી,છકો-મકો,અકબર-બીરબલ:-બકોર પટેલ

      Like

  9. દેવ દાનવ અને માનવ બ્રહ્માજી પાસે ગયા અને ઉપદેશ આપવા વિનંતિ કરી. બ્રહ્માજીએ કહ્યું “દ”.

    દાનવો સમજ્યા કે અમે બહુ ક્રુરતા આચરીએ છીએ તેથી અમને “દ” એટલે “દયા” અપનાવવા કહ્યું છે.

    દેવો સમજ્યા કે અમે બહુ મોજ મજા કરીએ છીએ તેથી અમને વૃત્તિઓ ઉપર “દ” એટલે “દમન” કરવા કહ્યું છે.

    માનવો સમજ્યા કે અમે બહુ સંગ્રહ કરીએ છીએ તેથી અમને “દ” એટલે “દાન” કરવા કહ્યું છે.

    જો મનમાં સારી ભાવના રાખીએ અને પૂર્વગ્રહ ન રાખીએ તો સારા અર્થ તારવી શકીએ. એટલે જ ગાંધી બાપુએ કહેલું કે ઐતિહાસિક દ્રષ્ટિએ તુલસીદાસનું રામાયણ ઉકરડામાં ફેંકવા જેવું છે. પણ સાહિત્યિક દ્રષ્ટિએ અને બોધ ની દ્રષ્ટિએ તે બેનમુન છે. અને લોકો પણ તેમાંથી સારી વાત ગ્રહણ કરતા આવ્યા છે.

    “ઢોલ ગંવાર શુદ્ર પશુ નારી” યે સબ તાડન કે અધિકારી. એ વાત ઉપર જ ભાર મૂકો તો શું થાય? પણ તુલસીદાસની આ કડીને કોણે માન આપ્યું છે?

    સૌ સૌની વાત તેના પરિપેક્ષ્યમાં જોવાય. જે સારું છે તે સારું છે. તેને નકારી ન શકાય. રોમન લોકોમાં અગણિત દુર્ગુણો હતા. પણ તેમનું સ્થાપત્ય અને સાહિત્ય ઉત્તમ હતાં. અને તેથી ત્યાંની પ્રજા તેનો ગર્વ રાખે છે. ઇજીપ્તની સંસ્કૃતિ વિષે પણ તેમજ હતું અને હાલ ત્યાં મુસ્લિમ ધર્મ છે અને મુસ્લિમ ધર્મની દ્રષ્ટિએ તો તેઓ કાફર હતા. તો પણ આજે પણ ઇજીપ્તની પ્રજાને તેમની સંસ્કૃતિ પ્રત્યે ગર્વ રાખે છે.

    ભારતીય સંસ્કૃતિમાં પણ એકકાળે જ્ઞાતિ પ્રથા જડ હતી. તેનો વિરોધ પણ થતો હતો. જ્ઞાતિપ્રથાને અત્યારે તો કાયદાકીય સમર્થન પણ નથી. એટલે કે ઉચનીચની ભાવના કાયદેસર રીતે રાખી શકાતી નથી. એટલે હવે મરેલા ઘોડાને ચાબુક મારવામાં બાલીશતા છે.

    સમાજ પણ સમય પ્રમાણે જુદા જુદા ક્ષેત્રોમાં જુદે જુદે સમયે પ્રગતિ કરે છે. સમાજની અવનતિ માટે કોઈ એક જ કારણ હોઈ ન શકે તે સમજવું જોઇએ. સબળાઓ નબળાઓને દબાવે પણ આજ સબળાઓમાંના અમુક નબળાઓનો પક્ષ લે અને તેમને સબળ બનાવે તેવું પણ ઇતિહાસમાં બનતું આવ્યું છે.

    જે યુગ વહી ગયો તેના સારા તત્વો ને જોવા જોઇએ. આવું નકરીએ તો જે વ્યક્તિ ફક્ત બીજાના દોષો જ જોયા કરે તો તેની માનસિકતા નકારાત્મક થઈ જાય અને તે તેને તેના સમૂહને અને પરિણામે સમાજને જ નુકશાન કરે છે.

    સૌના સારા તત્વો કેવી રીતે જોવા તે બાબતમાં સંતો એ અને હાલમાં તો મહાત્માગાંધીએ ઠીક ઠીક કહ્યું છે.

    હું (कोડहं હું કોણ છું? હું કેવો છું, મારે મને કેવીરીતે સમજવો અને કેવીરીતે નીયમનમાં લેવો?), સમાજ, વિશ્વ અને ઈશ્વર એ ચારને સમજવા માટે

    ગીતા પ્રવચન (વિનોબા ભાવે)

    મારા સ્વપ્નનું ભારત (મહાત્મા ગાંધી)

    ડૉ. આઇનસ્ટાઇન એન્ડ યુનીવર્સ (ડૉ. આઇનસ્ટાઇન)
    અને હિસ્ટરી ઑફ ટાઈમ (સ્ટીફન હૉકીન્સ)

    અદ્વૈત (આદિ શંકરાચાર્ય)

    અનુક્રમે વાંચવા જોઇએ.

    બીજા પૂસ્તકો ટાઇમ હોય અને વધુ આનંદ લેવો હોય તો વાંચી શકાય છે. પણ તે સૌને કળા, તંત્રવિદ્યા, અને રમુજ માટે વાંચવા જોઇએ. આચાર્ય રજનીશના પુસ્તકો રમૂજ પડે તો વાંચવા. બાકી તમે તેમાં જ્ઞાનની આશા ન રાખી શકો.

    Like

    1. પ્રિય શિરિષભાઈ;
      પ્રેમ્;
      આપણે જ્ઞાન મેળવવું છે? કે જ્ઞાનની ચર્ચાઓ કરી આપણે કેટલાં જ્ઞાની છીએ તે સામા વ્યક્તિને બતાવવું છે, તે પહેલાં નક્કી કરી લેવું જોઈએ. બાકી ન તો જ્ઞાન ઓશોના પુસ્તક માંથી મળે છે કે ન ગીતા, બાઈબલ, ધમ્મપદ કે કુરાનમાંથી. ન વેદ કે પુરાણોમાંથી. જ્ઞાન સદા અનુભવમાથી જ મળે છે. કૃષ્ણએ ગીતા કે મહમ્મદે કુરાન શાસ્ત્રો વાંચીને નથી લખી. એક ગહન અનુભૂતિમાં થયેલ જ્ઞાનનુ અવતરણ છે આ પુસ્તકો. પણ આપણા માટે બે કોડીના છે. કારણ આપણી પાત્રતા નથી એ જ્ઞાનને સમાવવાની અને તેથી જ આપણે એ જ્ઞાનનો ભંડાર બીજા લોકોને અજ્ઞાની અને આપણી જાતને જ્ઞાની બતાવવા માટે આપણે કરતાં હોઈએ છીએ. જેમ જેમ મનની આ ચાલાકીઓને સમજતાં જઈએ તેમ તેમ જ્ઞાન નો માર્ગ ખૂલતો જાય છે તે મારા અનુભવથી કહું છું. આશા છે કદાચ મારી વાત તમને સમજાય.
      પ્રભુશ્રીના આશિષ;
      શરદ

      Like

  10. DaveBhai
    thanks for suggestions for good reading and interesting comments. I agree with all of your comments except the last one. I haven’t read many of Rajinish books but have read some. I feel there is lot to learn from those books. His arguments are never proper logic and in many cases scientific support. One of his books about tempes, jain derashar etc (I cannot remember the name) but is worth reading.
    Thanks ArvindBhai for nice reading list. All of them sounds interesting, will try to read all of the suggestions.
    Yogi

    Like

  11. In my previous comment I made typing mistake. I mean to say in Rajnish books, he presents all his arguments with educated logic and many times with good scientific evidences. Thats my take on his books.
    Yogi

    Like

    1. શ્રી યોગેન્દ્રસિંહજી,
      રજનીશ એટલે ઓશો.આ ઓશો જબલપુર ની સાગર યુની માં ફિલોસોફી ના પ્રોફેસર હતા.લોજીક ના બેતાજ બાદશાહ હતા.આજે સાધુઓ કે ગુરુઓ વિજ્ઞાન વિરુદ્ધ ની વાતો કરે છે,તેવા ના હતા.એક દિવસ અહી ન્યુ જર્સી માં જે હિન્દી રેડીઓ છે,એના પર સવાર માં સાંભળ્યું આશારામ ના મોઢે ,કે એક મહાત્મા નું માથું બાદશાહ ની આજ્ઞા થી કાપવામાં આવ્યું તો ગળાની(ડોક) એક નસ માંથી લોહી નીકળ્યું ને બીજી નસ માંથી દૂધ ની ધારા થઇ.લોકો તાળીઓ પાડવા લાગ્યા.ઓશો વિજ્ઞાન વિરુધ વાતો કરતા ના હતા.ઓશોના ગુજરી ગયા પછી કોઈ ખાસ સમારંભ હતો પુના માં એમના આશ્રમ માં.મોરારીબાપુ ને ખાસ મહેમાન તરીકે બોલાવેલા.પછી સદગત શ્રી ચંદ્રકાંત બક્ષી સાહેબે “વાતાયન”માં લખ્યું કે આ મોરારિદાસ હરીયાણી ને ઓશો વિષે બે શબ્દો બોલવા કેમ બોલાવ્યા હશે?નોબેલ પ્રાઈઝ વિજેતા ડો અમર્ત્ય સેન વિષે કોઈ ચોથા ધોરણ ના વિદ્યાર્થી ને બહુમાન કરવા કે બોલવા ઉભો કરીએ તેવું લાગે છે.

      Like

      1. jyare pan tame dharmik babto mate ke koi vyakti na sachaa parcha mate hasi udavi ane OSHO pratye lagni batavo chho tyare gujarati na sacha BHAGVAN na bhakt mate mari lagni khili uthe chhe. karnke tame hakikat ni khoti rite hasi udavo chho. ane ap MIRA, NARSHIH MAHETA, GANDHIJI .JEVA mahapurusho na jivan nu ane temana ADHYATMIK takat nu khandan karta hoi tevu lage chhe.

        Like

        1. ભાઈ આપે બધા લેખો વાંચ્યા નહિ હોય.મીરાં,નરસિંહ અને ગાંધીજી વિષે એક અલગ આદર છે મારા મનમાં.પણ એમની બધી બાબતો સાથે સહમત થઇ ના શકું.

          Like

  12. Bapu, tame Baxiji ni comment yaad karavi ne moj karavi didhi. Moraridas hariyanvi- potana gam ma dhud udati bandh nathi karavi sakya, kadach Ram ave teni rah jota hashe.

    Like

    1. ભાઈ નરેન્દ્ર,
      આપનો ખુબ આભાર.ભાઈ આખું ભારત રામ ની રાહ જોઈ રહ્યું છે.રામ આવશે અને બધું સારું થઇ જશે.એમાં મોરારીઓ નો ધંધો ચાલી જાય છે.એક બક્ષી સાહેબ સિવાય લગભગ બધા જ સાક્ષરો અને પોતાને મહાન ચિંતક કહેવડાવતા ગુણવંત શાહ બધાજ બાપુ નાં બારોટો બની ચુક્યા છે.હવે બક્ષી સાહેબ તો છે નહિ સાચું કોણ કહે?બાપુ પોતાની સ્કુલ માં બેઠા બેઠા અસ્મિતા,સંસ્કૃત અને સદભાવના પર્વો યોજી ને નામ કમાઈ રહ્યા છે.

      Like

  13. આપની યાદી વાચી ને ખુશી થઇ. તેમાંથી ર. વ. દેસાઈ ના ગ્રામ્ય્લક્ષ્મી ના ચારેય ભાગ તથા મુનશી ના ગુજરાત નો નાથ, પાટણ ની પ્રભુતા,રાજાધિરાજ વી.મેં વસાવેલ છે અને આજપણ સમય મળે ત્યારે ખોલી ને વાંચવાનું ચાલુ કરું તો અનેકવાર વાચ્યા હોવા છતાં બૂક અધુરી મુકીને ઊઠવાનું મન નથી થતું.

    Like

  14. nice list,mahabharat&ramayan are great.who make it? no one ,our salves,these books good as novel&as well as teach us so many things on base of philosofy&maqnovigyan,rajkaran.etc

    Like

  15. શ્રેષ્ઠ પુસ્તક ? હોઇ શકે? ન હોઇ શ્કે. સોળ કળાનો ચન્દ્ર ઉગે તો પણ તેમા કલન્કો રહે જ.વૈગ્નાનિક રીતે.પોતાને ગમે તે જ શ્રેષ્ઠ.કોઇના કહેવાથી વન્ચાય પછી નિર્ણય પર આવી શકાય. બાળકો માટેના પુસ્તકો મોટેરાને પણ ગમે તેવા પુસ્તકો-બત્રીસ પુતળીની વાર્તાઓ,વૈતાલ પચ્ચીસી,પન્ચ તન્ત્રની વાર્તાઓ. અકબર-બિરબલની વાર્તાઓ, વૈજ્ઞાનિક સાહસ કથાઓ,વગેરે. બાળપણથી વાન્ચનની ટેવ પડી હશે તો જ તો જ આગળ નવા નવા પુસ્તકો જોશે અને વાન્ચવા પ્રેરાશે જ. આજે લોકો કહેવાતા ધાર્મિક પુસ્તકો પણ વાન્ચતા નથી કે લોકો પાસે સમય જ નથી.ગાડરિયા પ્રવાહમા ચાલવાનુ જ પસન્દ કરે છે. અખો,અનવર,દયાનન્દ સરસ્વતિ,સચ્ચિદાનન્દ,કાન્તિ ભટ્ટ વગેરેના લખાણો કે પુસ્તકો વાન્ચવા લાયક છે.ટીવી,કમ્યુટર, છાપા,સામાજિક રીતરિવાજો,ખોટી ચર્ચાઓ,ધાર્મિક આડમ્બરો,વ્યવસાય વગેરેમા જ મોટા ભાગના લોકો ફસાયેલા જોઇ શકાય છે.

    Like

Leave a comment