“Sex is the heart of Evolution”!!!!!
*ઉત્ક્રાંતિ નું મહત્વનું પરિબળ છે સેક્સ. એટલા માટે પ્રાચીન ધર્મોએ કદી સેક્સ ને વખોડ્યો નથી. ઉલટાની એની પૂજા કરી છે. તમારા જીન્સ બીજી પેઢીમાં દાખલ કરો, એ પેઢી પછી એની બીજી પેઢીમાં જીન્સ ટ્રાન્સફર કરે આજ તો અમરત્વ છે એવું વૈજ્ઞાનિક રોબર્ટ કહે છે. આ વૈજ્ઞાનીકે વર્ષો સુધી રીસર્ચ કર્યું છે કે શા માટે સેક્સની જરૂરિયાત છે. જેરી જોનશન નામના વૈજ્ઞાનીકે ગરોળી વર્ગના એક જીવનો અભ્યાસ કર્યો. આ જાતમાં બધી જ ફીમેલ હોય છે. કોઈ મેલ હોતો નથી. છતાં આ જાત ઈંડા મુકે છે. અને એની માતા જેવો જ બીજો જીવ પેદા થાય છે. હા! આ જાતને વૈજ્ઞાનિકો ક્લોનીંગ માસ્ટર કહે છે. ક્લોનીંગમાં પ્રોબ્લેમ એ છે કે જેનું ક્લોનીંગ થાય એ બંને જીવો જરાય ફેરફાર વગરના હોય છે. ૧૦૦% સરખા. વૈજ્ઞાનિક રોબર્ટે વર્ષો સુધી માછલીઓ ઉપર રીસર્ચ કર્યું. અને તારણ કાઢ્યું કે ઈવોલ્યુશન એ રેસ છે, હરીફાઈ છે. એકજ જીવનું ક્લોનીંગ થયા કરે તો વિવિધતા આવે નહિ. વાયરસ, બેક્ટેરિયા ને બીજા પેરેસાઈટ સામે લડવાની શક્તિ આવે નહિ. જે સર્વાઈવલ માટે જરૂરી છે.
*
મોટા ભાગના સજીવો સેકસુઅલ રીપ્રોડક્શન પધ્ધતિ અજમાવે છે, ક્લોનીંગ નહિ. એક નરની પાસે અબજો સ્પર્મ હોય છે. અને એક માદા પાસે એગ્સ(અંડ)લીમીટેડ હોય છે. એક સ્ત્રી જન્મે છે ત્યારે એના ઋતુચક્ર શરુ થવાથી માંડીને મોનોપોઝ સુધી છોડવામાં આવતા અંડનો તમામ જથ્થો લઈને જન્મે છે. અને દરેક અંડ ફલિત થઇને ગર્ભ રહે તેવી શક્યતાઓ પણ હોતી નથી. માટે માદા પાસે એકદમ લીમીટેડ અંડનો જથ્થો છે. જયારે નર પાસે અમર્યાદિત સ્પર્મનો જથ્થો છે. એટલા માટે સંખ્યા વિરુદ્ધ ગુણવત્તાનો મામલો બની જાય છે. એટલા માટે માદા એ ખાસ પસંદગી કરવી પડે કે પોતાના જીન્સ સાથે કોના જીન્સ દાખલ થવા દઈને ઉછેરવા. સજીવ જગતમાં માદા જેના તેના જીન્સ ઉછેરી સાથે પોતાના જીન્સ ને વેડફી શકે નહિ. માટે નર માટે કોમ્પીટીશન છે અને માદા માટે ચોઈસ. માટે માદામાં પોતાના જીન્સ દાખલ કરવા માટે બે નર વચ્ચે લડાઈ થાય છે. એનાથી એમની મજબૂતાઈ ની પરીક્ષા પણ થઇ જાય. નબળા બીટા(સેવાભાવી) નરો તો પહેલેથીજ બાજુ પર ખસી ગયા હોય છે. આલ્ફા નરો લડે છે.જે જીતે તે ભોગવે.
*
મોર પાસે ખુબ લાંબા પીંછા હોય છે. જે ખરેખર નડતર રૂપ છે. એક તો શિકારી પ્રાણીઓની નજરમાં ને ઝપટમાં જલ્દી આવી જવાય છે. અને ઉડવામાં પણ તકલીફ. ડાર્વિનને પણ થતું હતું કે આ મોર નામના પક્ષીએ ભૂલ કરી છે. પણ સવાલ છે ઢેલબાઈનો. આ ઢેલબાઈ ખુબ પસંદગી વાળા છે. જેવા તેવાને હાથ મુકવા દે તેવા નથી. મેરીઓન પેસ્ટ્રી નામના વૈજ્ઞાનિક બહેને ઢગલા બંધ મોર અને ઢેલ વચ્ચે રહીને અભ્યાસ કર્યો. જે મોરના પીંછા ની લંબાઈ ટૂંકી હોય ને એની વચ્ચેના મનમોહક ચાંદલા ઓછા હોય એને ઢેલબાઈ નસીબમાં હોતા નથી. સેકસુઅલ સિલેકશન નું બેસ્ટ ઉદાહરણ મોર છે.
*
ચિમ્પાન્ઝી અને માનવીના પૂર્વજો આશરે ૭૦ લાખ વર્ષ પહેલા એક જ હતા. ગોરિલા, ચિમ્પાન્ઝી, ઉરાંગ ઉતાંગ અને માણસ બધા Hominidae Family કહેવાય. માણસ અને ચીમ્પના જીન્સ ૯૯% આઈડેનટીકલ છે. ચિમ્પાન્ઝીની બે જાત છે. એક તો કોમન ચિમ્પાન્ઝી અને બીજી છે બોનોબો. દસ લાખ વર્ષ પહેલા આ બંને જાતો એક જ પૂર્વજમાંથી છૂટી પડેલી. આફ્રિકાની કોન્ગો નદીના ઉત્તર બાજુના વિસ્તારમાં ચીમ્પ રહે ને દક્ષીણ કિનારે બોનોબો રહે. પણ બંનેની વર્તણુકમાં ખુબજ ભેદ જોવા મળે છે. બોનોબોમાં માદાનું વર્ચસ્વ છે. એકદમ શાંત, સેકસુઅલ વહેવાર પણ બિલકુલ માણસો જેવો. ખજુરાહોના શિલ્પો જોઈ નીતીવાદીઓ ને ચક્કર આવે છે, બસ એવીજ કહેવાતી તમામ વિશિષ્ટતાઓ કે વિકૃતિઓ આ બોનોબો સેક્સમાં અપનાવે છે. જયારે ચીમ્પ એકદમ આક્રમક છે. બીટા નરો સાથે બોસ શિકાર કરવા, મારજુડ કરવા નીકળી પડે. ગ્રુપની માદાઓને નિયમિત રોજ ફટકારવાની ત્રાસ આપવાનો. તુલસીદાસનું નારી તાડન કી અધિકારીનું અક્ષરસઃ પાલન કરવાનું. રીચાર્ડ નામના હાવર્ડ યુનીના બાયોલોજીસ્ટ ૨૦ વર્ષ આફ્રિકાના આ જંગલો માં ભટકી ને ચીમ્પનો અભ્યાસ કરતા હતા. આહાર મેળવવાની તકલીફો એ ચીમ્પને ખુબજ આક્રમક બનાવ્યા છે, જયારે આહાર મેળવવાની સહેલાઈએ બોનોબો ને શાંત ને પ્રેમાળ બનાવ્યા છે. હાર્ડશીપ માણસ ને પણ મજબુત, આક્રમક બનાવે છે.
*
એકવાર માદામાં તમારા જીન્સ દાખલ કરીને બચ્ચા પેદા તો કરી દીધા પણ એ બચ્ચા ના જીવે તો ઉત્ક્રાંતિનો હેતુ તો સરે નહિ. અને જો માદા એકલી બચ્ચા મોટા કરવા સક્ષમ ના હોય તો નરે સાથ અપાવો જ પડે. નહીતો એના ટ્રાન્સફર કરેલા જીન્સ પણ ફેઈલ જાય. આમાંથી પેદા થઇ મોનોગેમી. પક્ષીઓ મોનોગેમી અપનાવતા હોય છે, પશુઓમાં મોનોગેમી જોવા ના મળે. એક જોડી ભેગા મળી ને સાથે જ બચ્ચા ઉછેરે છે. સિંહ ફેમીલી પોલીગેમી છે. એક નર વધારે માદાઓ. મોનોગેમી એટલે શારીરિક જરૂરિયાતો નું સામાજિક સમાધાન. નર અને માદા બંને સાથે હળીમળી ને બચ્ચાઓ નું લાલનપાલન કરે, વિકાસ નો ક્રમ આગળ ધપતો જાય. સેક્સ માંથી બંને આનંદ મેળવે અને લાલનપાલન કરી સંતોષ મેળવે. માનવ જગતમાં આમાંથી જ આગળ વધી હશે કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા.
*
ઉત્ક્રાંતિ માટે નું મહત્વ નું પરિબળ છે માદા ઓ નું મજબુત નર વિષે નું સિલેકશન. કારણ એમની પાસે લીમીટેડ જથ્થો છે અંડનો. પ્રાણી, જંતુ અને પક્ષી જગતની જેમ માનવ જગતની માદાઓ પણ સિલેકશન કરતી જ હશે. હશે એટલા માટે લખું છું કે લગ્ન વ્યવસ્થા ને લીધે નારીઓ પાસે સિલેકશન કરવાની ચોઈસ રહી નથી. સિલેકશન માતા પિતા કરે છે. મજબુત નરની સાથે સાથે લાંબો સમય સાથે હળીમળી ટેકો આપી મદદ કરી ટ્રાન્સફર કરેલા જીન્સ ને ઉછેરેવામાં મદદ કરે તેવા નરનું પણ સિલેકશન કરવું પડે. ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ એક નવી શાખા છે. આમાંના એક જોનશન નામના વૈજ્ઞાનીકે પ્રયોગ કર્યો. જુવાન પુરુષોના એક ગ્રુપને રોજ એકની એક ટીશર્ટ પહેરીને અમુક દિવસ સુવાનું, પછી એ ટીશર્ટ પ્લાસ્ટિક બેગમાં મૂકી ને આપવાની. આવી ભેગી કરેલી ટીશર્ટ સ્ત્રીએ સુંઘી ને બતાવવાનું હતું કે કઈ ટીશર્ટ પહેરેલો પુરુષ એને પસંદ આવે. જુદી જુદી સ્ત્રીઓને આ બધી ટીશર્ટ આપીને પસંદગી કરવાનું કહેવામાં આવેલ. સ્ત્રીઓમાં સુંઘવાની સારી શક્તિ હોય છે. ખાલી પસીનો સુંઘીને સ્ત્રીઓએ એવા પુરુષોને પસંદ કરેલા જેમના શરીર માં ટેસ્ટાટોરીન વધારે હોય. આ એક પુરુષ હાર્મોન છે. આનો જથ્થો જેટલો વધારે તેટલો પુરુષ વધારે મજબુત, મોટા ઝડબા ને મજબુત શરીર. નાજુક ચોકલેટી પુરુષોમાં આ હાર્મોન્સ ઓછા હોય છે. સ્ત્રીઓ સુંઘીને તથા જોઇને પામી જાય છે. એમાંથી પ્રાચીન હિંદુઓમાં સ્વયંવરની પ્રથા આવી હશે. સ્ત્રી પોતે સિલેકશન કરે કયો નર એના લાયક છે, જે એના અંડને ફેઈલ નહિ કરે.
*
માનવ જગતમાં આ કુદરતી નારી માટેની સિલેકશનની પ્રક્રિયામાં મેલ ડોમીનેન્ટ સમાજે ગરબડ કરી નાખી. કમજોરનું તો સિલેકશન થાય નહિ. માટે લગ્ન વ્યવસ્થા શોધી કાઢી. હવે દરેક માટે નારી ઉપલબ્ધ થવા લાગી. હાલીમવાલી , માયકાંગલા, કમજોર, કાયર બધાને નારી ઉપલબ્ધ થવા લાગી. જ્યાં લગ્ન વ્યવસ્થા પવિત્ર ને અતુટ છે ત્યાં પ્રજા કમજોર પેદા થવાની જ. પક્ષી જગતના ઘણા બધા પક્ષીઓ મોનોગેમી, એકજ જોડીની પ્રથા અપનાવે છે, પણ એમાં સિલેકશન તો માદા કરેજ છે. ઘણા બધા નાચ નખરા કર્યા પછી માદા જોડી બનાવે છે. ભગવાન શ્રી રામ કદાચિત પહેલા મોનોગેમસ હશે. પણ એમનું સિલેકશન પણ સીતાજીએ શિવજીનું ધનુષ તોડાવીને કરેલું. ધનુષ ઉચકવું જ અશક્ય હતું. સ્ત્રીઓના અપહરણ કરવા આજે નીતીવાદીઓને ખરાબ લાગે પણ એ નરની મજબૂતાઈના પ્રમાણ હતા, જે પ્રાચીન ભારતમાં સામાન્ય હતું. અપહરણ કર્તા પુરુષ સાથે હોંશે હોંશે નારીઓ પરણી જતી. ભારતની પ્રજાને બહાદુર, મજબુત ને બળવાન બનાવવી હોય તો નારીઓને સિલેકશન કરવા દો, સ્વયંવરની પ્રથા પાછી લાવો. પુરુષોને સુંદર નાજુક નારીઓ ગમે છે. જેટલા સ્ત્રૈણ એસ્ટ્રોજન હાર્મોન્સ વધારે એટલી નારી સુંદર લાગે. અને એટલીજ એની ફળદ્રુપતા વધારે. જેથી એમણે રોપેલા સ્પર્મ ફેઈલ ના જાય. જેટલા નારીના સ્તન મોટા એટલી શક્યતા બાળક માટે વિપુલ ખોરાકની. પુરુષ ને મોટા સ્તન ગમે છેએની પાછળ ઈવોલ્યુશનરી ફોર્સ જવાબદાર છે.
*
મને પહેલા ખુબ નવાઈ લાગતી કે પરણેલી સ્ત્રીઓ પણ લગ્નેતર સંબંધો કેમ રાખતી હશે? પુરુષના તો જીન્સમાં જ છે જ્યાં ચાન્સ મળે પોતાનું બીજ આરોપિત કરી દેવું. મને કાયમ પ્રશ્ન ઉઠતો કે કયું પરિબળ સ્ત્રીઓને કહેવાતી બેવફાઈ કરાવતું હશે? પણ આજે સમજાય છે કે ઈવોલ્યુશનરી ફોર્સ આમ કરવા પ્રેરતો હશે. એક તો લગ્ન કરી નર(પતિ)નું નેચરલ સેકસુઅલ સિલેકશન તો થયું ના હોય, એમાં હાઈ ટેસ્ટાસ્ટોરીન રેટ ધરાવતો પુરુષ પરિચયમાં આવ્યો હોય, જે એની સિક્સ્થ સેન્સે(છઠ્ઠી ઇન્દ્રિય)અચેતન રૂપે ઓળખી કાઢ્યો હોય. અને એ એના પ્રેમમાં પડી જઈને એના લીમીટેડ એગ્સ માટે સબળ ઉમેદવાર શોધી કાઢતી હોઈ શકે. ભલે નીતિશાસ્ત્રીઓ ને ખરાબ લાગતું હોય. ચરિત્રહીન કહેતા હોય. લગ્ન પહેલા કે પછી લગભગ દરેક સ્ત્રીઓમાં આ શક્તિ હોય છે સ્વયંવર(હાઈ ટેસ્ટાસ્ટોરીન રેટ ધરાવતો પુરુષ) શોધી કાઢવાની. કિન્તુ પરન્તું સમાજના ડરના કારણે કોઈ પગલું ભરતી નથી.
*
સંસ્કૃતિ સારી ને સેક્સ ખરાબ એવું નથી. રમત ગમત, કળા, સંગીત, નૃત્ય આ બધું પાર્ટનરને શોધવા માટે મદદરૂપ થાય છે. હાઈ ટેસ્ટાસ્ટોરીન ધરાવતા પુરુષો રમગમતની ફાયનલમાં ગમેતેમ કરીને મરણીયા પ્રયાસ કરીને જીતી જાય છે. કળા , સંગીત, નૃત્યમાં પ્રવીણ સ્ત્રીઓ વધારે સ્ત્રીત્વ ધરાવતી સ્ત્રીઓ હોય છે. સેક્સ ખરાબ નથી. સેક્સ એ ઈવોલ્યુશનનું હાર્ટ છે.



સુંદર છણાવટ..ગમ્યું.
LikeLike
“એટલા માટે પ્રાચીન ધર્મોએ કદી સેક્સ ને વખોડ્યો નથી.ઉલટાની એની પૂજા કરી છે.”
તો પછી પોપથી માંડીને પ્રમુખસ્વામીજી સુધીના બધા ગુરુઓ બ્રહ્મચર્યને સવિશેષ (exclusive) મહત્વ કેમ આપે છે? અનુયાયીઓને દબાયેલા રાખવા માટે હશે?
LikeLike
દેસાઈ સાહેબ,
પ્રાચીન હિંદુ ધર્મ સેક્સ ને વાખોડેલ નથી.શંકર ના લિંગ (મેલ જેનેટલ)ની પૂજા કરી છે.જાપાન માં પણ લાકડાના લિંગ ની પૂજા થાય છે.ખાસ દિવસે સરઘસ પણ નીકળે છે.આપણાં શંકર ના લિંગ નો તો આકાર મૂળ મેલ જેનેટલ અંગ જેવો નથી રાખ્યો.કદાચ શરમ આવતી હશે.પણ જાપાનીઓ તો બિલકુલ અસલ આકાર ના લાકડાના લિંગ બનાવી અને તેપણ ખુબ મોટું હોય તેનું સરઘસ કાઢે છે.મૂળ જુઇશ ધર્મ માં છોકરા પેદા કરવા માટે કોઈ કંટ્રોલ નથી.પ્રમુખ સ્વામી તો આજકાલ ના છે.આ લોકોને સાયન્સ ને કુદરત ના નિયમોની ખબર જ નથી. બાલીશ છે એમની વાતો.સ્ત્રીઓ ના મોઢા ના જોવાય એવી મુરખો જેવી વાતો છે.ગાંડી પ્રજા ને ગાંડા એમના ગુરુઓ,ભારત માં ચાલે છે લોલમલોલ
LikeLike
article is to the point. excellent. most scientifically presented. aura is also attracted to each other. on the same formula i worked for more then 20 years to prove that each and every nakshtra gives valuable results. read my article nakshtra pramane vastro pahero…link provided here for your knowledge..“Nakshtra Pramane Vastro pahero” .. “નક્ષત્ર પ્રમાણે વસ્ત્રો પહેરો”..ડૉ.સુધીર શાહ
it takes time to reserch
LikeLike
ગાંડી પ્રજા ને ગાંડા એમના ગુરુઓ,ભારત માં ચાલે છે…………મેરા ભારત મહાન
LikeLike
જ્યાં લગ્ન વ્યવસ્થા પવિત્ર ને અતુટ છે ત્યાં પ્રજા કમજોર પેદા થવાનીજ.
આપનું તારણ સાવ સાચું છે.
વળી આપણા કહેવાતા ધર્મગુરૂઓએ સેક્સને ગંદી ચીજ ગણી ને એ જડસુ પ્રજાએ અપનાવી લીધું. એ કારણે કેટલાંય યુવાનો/યુવતિઓ માનસિક વિટંબણા અનુભવે અને પોતાને દોષી માનતા થઈ જાય છે. ગંદકી બે પગ વચ્ચે નથી. ગંદકી માનસમાં હોય છે.
આપણા ઘણા મંદિરોની દિવાલો પર સુંદર કલાત્મક શિલ્પ/ચિત્રકામ દ્વારા સેક્સના વિવિધ પાસાઓને વર્ણવામાં આવેલ છે. ખાજુરાહો તો અપ્રતિમ છે.
આપના વિચારો ગમ્યા. આ જ રીતે વિચારજ્યોત પ્રજવળતી રહે એવી શુભેચ્છા!!
LikeLike
શ્રી મહેતા સાહેબ,
આપે સાચું પકડ્યું.ગંદકી બે પગ વચ્ચે નહિ,દિમાગ માં હોય છે.બ્રેવો!!!!ખુબજ આભાર આપનો.
LikeLike
મહેતા સાહેબ,
એતો પાડ માનવો પડે રવીન્દ્રનાથ ટાગોર નો કે ખજુરાહો ને બચાવ્યા.નહીતો ભારતના સેક્સ વિરોધી નીતિવાદીઓ એ ખાસ તો પુરુષોત્તમદાસ ટડન, ગાંધીજી સાથે મળી એને પૂરી દેવા મતલબ એ સુંદર કલાત્મક પ્રતિમાઓ ને ચણતર કરી પૂરી દેવાનું ઠરાવેલ પણ ટાગોરે જોરદાર વિરોધ કરેલો.
LikeLike
હજું પણ આપણે સંકુચિત માનસ ધરાવતા mediocre મણસો છીએ,ગુજરાતીઓ.
તમે સેક્ષ શબ્દ બોલો કે લખો એટલે તમે નઠારા લેખક છૉ એવી કદાચ છાપ
ઉભી થઈ જાય-કદાચ આપણે સંતાઈને ઘણૂં ખોટૂં કરીએ છીએ, પણ જાહેરમાં તો
હજું કાટલા છાપ જ છીએ.પરંપરાનો ગર્વ હોવો જોઈએ, અપચો કે હઠાગ્રહ નહી,
અન્યથા તેમાંથી કેવળ અણગમો અથવા વાંધાવચકા જ અવતરે.હઠાગ્રહ જ્વાળામુખી છે.
LikeLike
શ્રી હિમાંશુ ભાઈ,
આપણે ક્યાં સાક્ષર થવું છે?કે સસ્તી લોકપ્રિયતા મેળવવી છે?જે સાચું લાગે છે તે લખીએ છીએ,ને આપના જેવા વાચકો હોય તો બહુ થઇ ગયું.લગ્ન વ્યવસ્થા વિષે મેં લખ્યું ઘણાને નહિ ગમ્યું હોય.પણ શ્રી નટવર મહેતા સાહેબે જે ટેકો આપ્યો તે બહુ છે.આપણી વાતો સાથે હું પણ સંમત છું.ખાનગી માં મેં બધું જોયું છે.એટલે જ હું કાયમ લખું છું કે આપણે ભારતીયો સૌથી વધારે દંભી છીએ.વિધવા વિવાહ ના કરવા દઈને એ વિધવાઓને ઘરના જ પુરુષો ને ઉપભોગ કરતા મેં જોયા છે.
LikeLike
Good article. It is different and creative. It is a joy to read something of original thinking with believable logic and rationale.
LikeLike
appears a good article written by a ‘ Brainy Bapu ‘ …
GHANI KHAMMA…!
LikeLike
khammaghani shah saheb,
Thank u very much.
LikeLike
જો આ આકર્ષણ ન હોય તો અહીં લોકો હડીયા પાટી કરવા આવે જ શુ કામ? બે ટંક ખાવાનું તો ભીખારીને પણ મળી રહે છે. પણ સારો નર અને સારી નારી મેળવવા માટે તો લોકો ભણે ગણે, સુંદર દેખાય, મહેનત કરે અને એકબીજાથી આગળ જવા માટે મહેનત કરે. જો માત્ર આ સેક્સ જીવનમાંથી કાઢી લ્યો તો અહીં ને અહીં જ સૃષ્ટિનો વિકાસ અટકી જાય. આપની સાથે ૧૦૦% સહમત છુ કે સેક્સ ઉત્ક્રાંતીનું હ્રદય છે.
અને હા, ગમે ત્યારે વાંધો પડી જાય તો યે આ મેનર લેસ અતિથી અહીં આવ્યા વગર તો નહીં જ રહી શકે. શું કરુ દિલથી નાતો જોડાઈ ગયો છે.
LikeLike
શ્રી અતુલભાઈ,
શેનો વાંધો પડે?મતભેદ તો હોય.જરૂરી છે.મનભેદ ના હોય તે જોવાનું છે.ક્યાં ખોવાઈ ગયા હતા?નાથા ભગત ને મળવા ગયા હતા કે શું?
LikeLike
આપની વાત સાથે 100% સહમત છું દંભ અને માત્ર દંભ જ આપણી જીવન શૈલી બની ચૂકી છે અને તે માટે જવાબદાર છે ગુરૂ પ્રથા ! જ્યારથી ઋષિ પ્રથા ખતમ થઈ અને ગુરૂ પ્રથાનો ઉદભવ થયો હશે ત્યારથી ગુરૂઓએ પોતાના સ્થાપિત હિતો પોષવા આવી દંભી વાતો ઉપજાવી કાઢી લોકોને ભ્રમમાં નાખ્યા હોવા જોઈએ કારણ આપણાં ઋષિઓ તો સંસારી હતા કોઈએ બ્રહ્મ્ચારી રહેવાનો આદેશ આપ્યો હોય તેવું જાણમાં નથી. સેક્ષ એ પ્રાકૃતિક ક્રિયા છે પછી તે પશુ-પક્ષી નાના-મોટા જીવ-જંતુ કે મનુષ્ય હોય તો પણ જો સર્જનની ક્રિયા ચાલુ રાખવી હોય તો તે અનિવાર્ય છે. અને ઈશ્વરે તે કામ પોતા પાસે નહિ રાખતા તમામ જીવીત પશુ-પક્ષી-જીવ-જંતુ અને માનવીમાં જ એવી વૃતિ મૂકી છે કે ઉમર થતા તે વૃતિ તેને નવ સર્જન કરવા ફરજ પાડે ! પોતાની જાતને બ્રહમ્ચારી કહેવડાવતા કે ઓળખાવતા કોઈ પણ સાધુ-સંત કે ગુરૂ બ્રહ્મચારી હોઈ જ ના શકે સંભવ છે કે તેણે સ્ત્રી સંગ ના કર્યો હોય પણ સ્ખલન ના થ્યું હોય તેવું સંભવ નથી અને નથી જ ! આવો દાવો કરનાર દંભી બાવા-ગુરૂ-સાધુ-સ્વામી-સંતોથી સમાજ્ના તમામ વર્ગના લોકોએ તેમના દંભને ઓલખી લેવો રહ્યો ! અસ્તુ !
સ-સ્નેહ
અરવિંદ
LikeLike
ઓઉટ ઓફ માઈન્ડસેટ- ચીલાચાલુ નહિ પણ કઈક અલગ દ્રષ્ટિ કોણ થી sex જાતીય વિચારો ની પસ્તુતી ઘણી જ આવકાર્ય છે . કૈક નવુજ વાંચન મનોમંથન તરફ દોરી જાય છે!
આજ વિચાર થી ધર્મ નો મૂલ્યાંકન કરવા માં આવે તો ! આજ સુધી ધર્મ સ્વયંવર થી sex partaner શોધ્યો નથી તેની miss _match વિસંગીતાનો ભોગ નવી પેઢીઓ કાલાંતર થી ભોગવતી આવી છે તેવું નથી લાગતું આજે ? હવે તો ધર્મ ને sex partaner તેના જ બાળકો શોધી આપે તે સમય પાકી ગયો છે ! જો આપને તંદુરસ્ત સમાજ નું નિર્માણ કરવો હોયતો ધર્મ ના ઉત્ક્રાંતિની high breed Religion ની નવી જાત ઉત્પન્ન કરવી રહી !
LikeLike
ઉત્તમ સજેશન.બસ મારો એજન્ડા આ જ છે કે આપણે વિચારતા થઈએ.આજ સુધી ગુરુઓએ જે ભરાવ્યું તે પ્રમાણે ચાલતા આવ્યા છીએ.આપનું મનો મંથન ચાલુ રહે તેવું અભ્યર્થના.
LikeLike
Naryaa dambh uper thee padado hatawanee nem badal khuub abhinandan…jagrutee no diwo, prajwalit rakhsho!
LikeLike
આપ તેલ પુરતા રહેશો,જાગૃતિનો દીપ પ્રજ્વલિત રાખવાનું કામ મારું.
LikeLike
આપ તેલ પુરતા રહેશો,દીપ પ્રજ્વલિત રહ્યા કરશે.
LikeLike
૩૦૦ મૂવી જોયેલું. લાઇકરરગસે સ્પાર્ટા માં આવો પ્રયોગ કરેલો કે શક્તિશાળી મજબૂત હોય તે જ બાળક જીવી શકે. તેથી તો પર્સિયા (ઈરાન) ના તે વખત ના મહાન સામ્રાજ્ય ને હરાવી શકેલા.
. ભારત માં સ્વયંવર ની પ્રથા હતી. અરે મેઘાણી ની ઘણી વાર્તા ઓ માં પણ આવે છે કે બાઈ હેલ તેને ગમે ત્યાં જઈ ઉતારે.
બાકી આપણા પશુપાલક ભાઈ ઓ ને પૂછો કે ઉત્તમ ઓલાદ માટે શું કરો છો?
LikeLike
આપણા પશુપાલક સમાજ જે બધે ફરતા હોય છે તેમના ટોળા લઈને તે લોકો કશું કરતા નથી. ખાલી બેકાર ગાયોની સંખ્યા વધારે છે. જે કર્યું છે તે ડૉ કુરિયને કર્યું છે. આમાં ખેતી અને પશુપાલન સહિયારું કરતા ખેડૂત વર્ગનો બહુ મોટો ફાળો છે. ઉત્તમ ઓલાદ માટે પરદેશી ઓલાદ સાથે સંકરણ કરીને આજે ભારતને દૂધ ઉત્પાદનમાં નંબર વન બનાવી દીધું છે. બીજું આપણી મૂળ ઓલાદની ગાયોને પણ સુધારી શકાય છે. મેં જાતે જોયું છે અસલ કાંકરેજી ગાય ને રોજ ૩૦ લીટર દૂધમાં નંબર પહેલો લઇ આવતી. ગીર ઓલાદની સૌથી સંખ્યામાં ગાયો ક્યાં છે? ગીરમાં??ના… બ્રાઝીલમાં છે.
LikeLike
તમારા લેખ ઘણા વાંચ્યા અને સત્ય લખો છો તે બદલ ધન્યવાદ અને ખાસ તો ખુબ ખુબ આભાર આવી બધી વાતો સરળ ભાષા માં જણાવવા બદલ. બાકી આજના લેખકો ને તો તંત્રી ઓ ને ખુશ રાખવાના હોય અને લોલમલોલ લખવાનું હોય.
1) સુપ્રજનન શાસ્ત્ર (એ યુજેનીક્સ / યુથેનીક્સ) ની જ વાત છે. એવું કૈક વિજ્ઞાન માં સ્ટડી માં વાચેલું.
માણસ માં એવું એપ્લાય કરવું કેવી રીતે?
2) અને મેં ઓવર ઓલ વિશ્વ ની વાત કરેલી નહિ કે કોઈ લોકલ પશુપાલક ની.
3) કાંકરેજી ગીર ગાય બ્રાઝીલ માં ભારત થી જ મોકલેલી જેનું ત્યાં ક્રોસબ્રીડીંગ કરાયેલું.
thanks for your nicely written articles purely based on science.
LikeLike
APNI VAT SACHI CHHE.
LikeLike
Bhupendrasinh – ચુંબકીય ભગવાન-તત્વનો વિષય એટલે સંતતિ-ઉત્પત્તીની પ્રક્રિયા અને તેના ગુઢ રહસ્યો …
આ ધર્મ-શબ્દની પાછળ અર્થ વિહીન રીત-રીવાજો એ માનવ-સંસ્કૃતિનો દાટ વાળ્યો છે દંભી બ્રિટીશરો જે ટેનીસ-પ્લેયર એન્ના-કુર્નીકોવાની ટેનીસ-રમત દરમિયાન પેન્ટી-નાં-ફોટોની ચર્ચા અને બીભત્સ-મસાલો બ્રિટીશ-મીડિયા માં કરતા હતા તેમને ત્યાં 11-12 વર્ષની કિશોરીઓ તેમની-જ ઉમરાના છોકરાઓ સાથે કુતુહલ-પ્રયોગો દ્વારા ગર્ભ-ધારણ કરી અને ‘માં’ બની રહી છે … વળી કેટલાક ધર્મનાં મુરખ-રીતરીવાજો ને કારણે બચ્ચારા નાના-કુમળા બાળકો પુજારી-પાદરી-સાધુઓ નાં અકુદરતી અત્યાચારોનો ભોગ બન્યા છે … છી, છી, છી …
છોડો દંભ … કુદરતી સંતતિ-ઉત્પત્તીનાં નિયમોને સ્વીકારો અને ઠંડા પડો … તમારા સંતાનને સાફ જણાવો કે વ્યક્તિત્વ (રંગસૂત્રો = જીન્સ) ની ઉત્કૃષ્ટતા શોધવી પડે અને જે તમને ઉત્કૃષ્ઠ લાગે તેની સાથે તેમને જાણવા સહવાસ જરૂરી છે … તેમાં કાઈ ખોટું નથી ધીમે-ધીમે સંબંધ વધારવો અને વિશ્વાસ અસંબંધ કેળવવો પણ … પણ … વગર સહવાસે લાઈફ-ટાઈમ-કમીટમેન્ટ યોગ્ય નથી … અને મન-દિલ ‘નાં’ માને તો પણ દબાણમાં આવીને કમીટમેન્ટ / લગ્ન ની બાહેંધરી આપવી યોગ્ય નથી … તમારી છઠ્ઠી-ઇન્દ્રિય ને આ નિર્ણય લેવાદો તો સંબંધ સફળ થવાની 100% શક્યતાઓ છે …
આપણે એમ-માનીએ કે આપણે-પુરુષોએ સહાધ્યાયી-કે-સહાકાર્યક્ષેત્રીય સ્ત્રીઓને સમભાવથી જોવી અને પ્રુરુષ-નજરે નાં જુઓ … પણ … હકીકતે મોટા-ભાગની સ્ત્રીઓ ને આ સ્વીકાર નથી, તેઓ પણ પુરુષો તેમને એક-સ્ત્રી તરીકે-જ જુએ તે માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે, અને જો કોઈ પુરુષ તેમને ભાવ નાં આપે તો તેને તેઓ પોતાની નિજ-નિંદા-સમિતિમાં ઈમ્પોટેન્ટ-છક્કો તરીકે ઓળખાવે છે … પછી-યાર છાપાવાળા કહેશે કે પુરુષો લંપટ-પ્લેબોય છે, તો પુરુષો બચે તો પણ કઈ રીતે? … હવે તો પુરુષોનું ચારિત્ર્ય ખરેખર જોખમમાં છે … તમારું શું માનવું છે?
LikeLike