નાની ઉંમરે સન્યાસ અકુદરતી.

નાની ઉંમરે સન્યાસ  અકુદરતી.
પ્રાચીન હિંદુ ધર્મે કુદરતના નિયમોને ખાસ ધ્યાનમાં રાખેલા. શરીરના નિયમોને ધ્યાનમાં રાખેલા. પોતાની એક કોપી પાછળ મુકતા જવું એ કુદરતનો નિયમ છે. જોકે એમાં મજબૂત જિન્સ પાસ થાય તે માટે કુદરત પ્રાણીઓમાં એવી વર્તણુંક મૂકતી હોય છે. દરેક પ્રાણી કે વનસ્પતિ જગત કે જંતુ જગતમાં આ નિયમ છે જ. એના માટે કામનું નિર્માણ થયું છે. એને વાસના ગણી એનું અપમાન ના કરવું જોઈએ. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મમાં ચર્યા. બ્રહ્મમાંમાં સદા રત રહેવું. આ બ્રાહ્મની વ્યાખ્યા કરવી મૂશ્કેલ છે. કોઈ એને ભગવાન કહે કોઈ એનો દૂરુપયોગ કરીને પ્રગટ બ્રહ્મ પણ બની જતા હોય છે. બધા ઋષીઓ પરણેલા હતા. કૃષ્ણને બાળ બ્રહ્મચારી ગણવામાં આવતા, કહેવાતી ૧૬૦૦૦ રાણીઓ હોવા છતાં. કોઈ નપુંસક મહારાજશ્રીએ બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો એવું ઘુસાડ્યું લાગે છે.
      *ચાર આશ્રમ એ કુદરતી  જીવન જીવવાના આદેશો હતા. ગૃહસ્થાશ્રમને વાનપ્રસ્થાશ્રમ એ બંનેમાં લગભગ ૫૦ વર્ષ સુધી તો પત્નીનું સાહચર્ય માણી શકવાની વ્યવસ્થા હતી. એટલું પુરતું હતું. પાછળ એક કોપી મુકતા જવાનો કુદરતી નિયમ પણ પૂર્ણ થઇ જતો. પછી કામની(સેક્સ) જરૂર રહે પણ નહિ ને એટલી ઉત્તેજના પણ ના હોય, ત્યારે સન્યાસ ધારણ કરવાનો. આ એક કુદરતી સાયકલ હતી. બુદ્ધ પણ પરણેલા હતા,  સંસાર અસર લાગ્યો હશે તે પત્નીને  છોડીને ભાગ્યાં. જ્ઞાન થયું, નિર્વાણને પામ્યા એટલે થયું લાવ પત્નીને પણ અસર સંસારમાંથી મુક્તિ અપાવીએ. આવ્યા મળવા પત્નીને. બહુ પ્રસિદ્ધી મેળવી ચુક્યા હતા. પત્નીએ પહેલો સવાલ કર્યો કે જે પ્રાપ્ત થયું છે, એ શું અહી મારી પાસે રહ્યા હોતને પ્રયત્ન કર્યો હોત તો પ્રાપ્ત ના થાત? જવાબ આપ્યો કે થાત પણ એ વખતે લાગતું હતું કે ના થાત એટલે જતો રહ્યો. પછી તો પત્ની પણ એમના શિષ્ય બન્યા. મૂળ વાત એ છે કે સંસારથી ભગવાને બદલે જાગવાની જરૂર છે.
    *ખાલી બુદ્ધ અને જૈન ધર્મમાં નાની ઉંમરે સન્યાસ આપવાનું ચલણ હતું. હિંદુ ધર્મમાં નહિ. પણ જૈનધર્મ માર્યાદિત હતો. એનાથી હિંદુ ધર્મને ખાસ કોઈ ભય ના હતો. ભય ઉભો થયો બુદ્ધ ધર્મ થી. ઝડપથી ફેલાવા લાગેલો. એવામાં આવ્યા શંકરાચાર્ય આઠ વર્ષની ઉંમરે સન્યાસ લીધેલો.  આમારા હિંદુ ધર્મમાં પણ બૌદ્ધ ધર્મ જેવા નિયમો છે એવું દર્શાવવા હિંદુ ધર્મમાં પણ નાની ઉંમરે સન્યાસ આપવાનું શરુ થઇ ચુક્યું હતું. નહિ તો લોકો બૌદ્ધ ધર્મમાં જવા લાગે. તો ભાઈ અહીજ રહો અમે પણ સન્યાસ આપી દઈશું. વાદ ચાલુ થઇ ચુક્યા હતા. સરાસર હિંદુ ધર્મના નિયમ વિરુદ્ધનું કૃત્ય હતું .પણ શું થાય લોકોને બૌદ્ધ બનતા અટકાવવા હતા. લોકો પણ હિંદુ ધર્મના બગડી ચુકેલા રીવાજો અતિશય કર્મ કાંડ થકી વાજ  આવી ચુક્યા હતા. શ્રી  શંકરાચાર્યે સુધારા ચાલુ કર્યા. બૌદ્ધ ધર્મના નિયમોને હિંદુ ધર્મનું રૂપ આપી ને લોકોને ત્યાં જતા અટકાવવાનું શરુ થયું. બસ ને નાની ઉંમરે સન્યાસ આપવાનું શરુ થયું. જે શરીર અને કુદરતના નિયમોની વિરુદ્ધ હતું. અરે! હિંદુ ધર્મની મૂળ વિચારધારાને અવગણતું વિરોધી કૃત્ય હતું. બાવાઓની જમાત ઉભી થવા લાગી. સાંસારીરિક જવાબદારીઓમાંથી છટકવા માંગતા લોકો સાધુ બની આરામથી જીવવા લાગ્યા.
         *શંકરાચાર્યને “પ્રછન્ન બૌદ્ધ” કહેવામાં આવતા હતા. મહેનત કરી કમાતા લોકોની કમાણી પર નભતા લાખો સાધુઓ ભારતનું કલંક છે. એનાથી ઈકોનોમી પર અસર થાય  છે. લોકોની કમાણી બિન ઉત્પાદક લોકો ખાઈ જાય છે, દેશ ઉંચો આવતો નથી. લાખો સાધુઓને કમાવાની કોઈ જવાબદારી નથી. એમને ખવડાવવાની જવાબદારી બીજા લોકોની છે. એના લીધે એ લોકો એમનું પૂરું કરી શકતા નથી. બ્રેન વોશિંગના લીધે સૌથી પહેલા આપણે આ બેકાર લોકોની વ્યવસ્થા કરીએ છીએ, પછી આપણી.  જેની છઠ્ઠી કે સાતમી પેઢીના વારસદારો હજુ છે એવા કહેવાતા ભગવાનને ખબર પણ નહિ હોય કે એમના ચેલાઓ સ્ત્રીઓના મોઢાં પણ જોતા નથી. અને નાના છોકરાઓને સન્યાસ આપીને કુદરતના કાનુનનો ભંગ કરી રહ્યા છે. શરીરમાં ઉંમર થતા કામગ્રંથીઓ તો એનું કામ કરવા જ લાગે છે. શરીરનો ધર્મ કોઈને છોડતો નથી.પછી શરુ થાય છે કૌભાંડો ની હારમાળા, ને વિકૃતિની પરાકાષ્ટા.નાના બાલ સાધુઓનો દુર ઉપયોગ શરુ થાય છે.
         *સંત જ્ઞાનેશ્વરના બહેન મુક્તાબાઈ સ્નાન કરતા હતા તળાવમાં ને યોગીરાજ ચાંગદેવ મળવા આવેલા. મુક્તાબાઈને સ્નાન કરતા  જોઈ અવળા ફરી ગયા. મુક્તાબાઈ એ કહ્યું યોગીરાજ ભલે વાઘ પર સવારી કરો છો પણ હજુ કાચા છો. લોકવાયકા છે યોગી ચાંગદેવ વાઘ પર સવારી કરતા હતા. આ સંસાર ભગવાને બનાવ્યો છે એ સંસાર થી ભાગવાથી ભગવાનને કઈ રીતે જાણી શકાય? સંસારને રચ્યો છે ભગવાને. આ સંસારને તમે ઠુકરાવસો તો અપમાન તો એના રચનાર નું થશે. સંસારની જવાબદારીઓ પણ એક તપ સમાન છે. એ આ સાધુઓ ને શું ખબર?   છોકરા મોટા કરવા , કમાવું, સબંધો સાચવવા, આ કોઈ ઓછું તપ નથી. એટલે તો આ તપ માફક નથી આવતું માટે ભાગી ગયા ને દીક્ષા લઇ લીધી. વડતાલના ગદાધરાનંદ સ્વામી ૧૬ તોલા સોનાનો હાર પહેરતા હતા એવું વાંચેલું,ને પછી એમનું મર્ડર થયું, ને મર્ડર કરનારા સ્વામીઓ મુંબઈથી જીન્સ પેન્ટ પહેરેલા પકડાયા.
             *કંટકી સ્ટેટ  વાળા દીપકભાઈને સ્ત્રીઓના મોઢા ના જોતા સ્વામીઓની પધરામણી કરવાના પાપનું ફળ મળી ચુક્યું છે. આ દીપકભાઈએ એમની મોટેલમાં સ્વામીનારાયણના સંતોની પધરામણી કરી. આ સંતો સ્ત્રીઓના મોઢા જોતા નથી. માટે દીપકભાઈએ એમની ક્લાર્ક એવી અમેરિકન બાઈને જતા રહેવા જણાવ્યું. પેલી બાઈ એ અપમાન થયાનો કેસ ઠોકી દીધો ને દીપકભાઈને ૫૫૦૦૦ ડોલરનો દંડ થયો. શ્રી અરવિંદભાઈના બ્લોગમાં આવાત વાચી. મને દીપકભાઈ માટે જરાપણ સહાનુભુતિ થતી નથી. ભૂલ એમની જ છે. એ આ લાગના જ છે. હજુ વધારે દંડ થયો હોત તો મને આનંદ થાત. સ્ત્રીઓના અપમાનમાં એપણ ભાગીદાર છે. જેને પણ દીપકભાઈને થયેલા દંડ માટે એમના પ્રત્યે સહાનુભુતિ થાય એ બધા સ્ત્રીઓના અપમાનમાં ભાગીદાર છે. એમને હશે કે સ્વામીઓને પધરાવવાથી એમની મોટેલનો ધંધો વધી જશે. એટલે તો એમણે અમેરિકન સ્ત્રીનું અપમાન કર્યું. આપણા તો પુરુષોજ એમની પોતાની સ્ત્રીઓનું આપમાન કરાવે છે.
           *નાની ઉંમરમાં સન્યાસ આપતા સંપ્રદાયો પર પ્રતિબધ મૂકી દેવો જોઈએ કે નહિ??એવા કાયદા ઘડવા જોઈએ કે નહિ?
નોધ:–આ લેખ ને અહી મુક્યા પછી શ્રી અશોકભાઈ એ પ્રતિભાવમાં ફક્ત આભાર લખીને એક લીંક મુકેલી.આ લીંક http://ow.ly/17hhk પર કલીક કરીને એ સમાચાર વાચવા વિનંતી છે.

31 thoughts on “નાની ઉંમરે સન્યાસ અકુદરતી.”

  1. શંકરાચાર્ય તો ગ્રેટ હતા.પણ આપણે દુરુપયોગ કરીએ છીએ.હિંદુ ધર્મ ની બદીઓ દુર કરવાનું કામ એમણે કરેલું.પણ આપણે તો સુધારાને બદી બનાવી દઈએ તેવા છીએ.

    Like

    1. સાચી વાત છે. એટલે તો અમુક લોકો માટેજ ખુલ્લા રહેતા દરવાજા હવે બધા માટે ખુલ્લા થઈ ગયા છે. મતો વધારવા માટે વિદેશ સુધી દોટ મુકાય છે.

      Like

  2. તમારી વાત ગમી જાય તેવી છે..નાની કે મોટઈ કોઈપણ ઉમ્મરે સન્યાસ ઠીક નથી તે બીજા છેડાની વિચારધારા છે..સન્યાસીનો સન્સાર કઈ ઓછો હોય છે ? મૂલ વૈદિક ધર્મમા છેલ્લો આશ્રમ તે મુજબ આજે કોણ સન્યાસ લે છે..ઘરડાઘર ભરાય છે…
    કામ્યાનામ કર્મણા ન્યાસ સન્યાસ કવયો વિદુઃ તેમ ગીતા કહે અર્થાત કામ્ય કર્મોનો ન્યાસ તે સંન્યાસ..તેનો અર્થ કર્મ ન કરવા તેમ નહિ પણ તેનો હેતુ ઉચ્ચ હોવો ઘટે..વૈરાગ્ય એટલે વિષેષ રાગ જે સામાન્ય વિષય હોય તેનાથી ઉપર નો રાગ…સન્યાસ એ વૃત્તિ છે તેને ભગવા કે ન પરણવા કે બ્રહમચર્ય કે સ્ત્રી સંગ ન કરવા સાથે કઈ લેવાદેવા નથી..માણસને અતિ ઉપર વિચારવાની ટેવ છે..અને અતિ સર્વત્ર વર્જયેત…ત્યાગ તે અતિ કે બીજા છેડાની વાત છે એક તરફ ભોગ તો બીજિ તરફ ત્યાગ..બે છેડા ની વાત થઈ..મધ્યમ માર્ગ સાચો ધર્મ છે પાછળથી બુદ્ધ્ને પણ તેમ જ સમજાયું..અન્ધ મૂઢ અનુયાયીઓ..જેમતેમ પ્રથા ચલાવે છે અને પછી એક આંધ્ળો બીજા આંધળાને દોરી જાય તેમ ગાડરિયો પ્રવાહ ચાલવા લાગે છે…

    Like

  3. એકદમ સાચી વાત સંસારથી ભાગવાની નહીં જાગવાની જરૂર છે. સંસારની જવાબદરી નિભાવવી તે સાચું તપ છે. આ સાધુઓ સ્ત્રીઓનું મોઢું જોતાં નથી એટલું જ નહીં તેઓ તો એક બે મહિનાના બાળક માટે પણ સ્ત્રી કે પુરુષ છે તે પૂછે છે. એકવાર મારી સાથે મારી બહેનની એક મહિનાની બેબી ને લઈને હું તેમના મંદિરે ગઈ હતી ત્યાં મને વારંવાર આ બેબી છે કે બાબો તેમ ત્યાં કંઠી પહેરેલી વૃદ્ધાઓ પૂછવા લાગી. એક નાના બાળકમાં ભગવાન હોય છે તેમ કહેવાય છે. બીજું એકવાર સુરતથી અમદાવાદ આવતાં એક ભાઇ સાથે એમ જ ધર્મ અને સંપ્રદાયની વાત થઈ ત્યારે તેમણે તેમનો એક અનુભવ કહ્યો તેમના એક મિત્ર સાથે તેમના ઘરે આ સાધુઓ ફાળો લેવા આવેલા તે સમયે એમની આઠ વર્ષની દીકરી ત્યાં રમતી હતી. તેને પેલા ભાઇના મિત્રે કહ્યું કે આ સાધુ આવે છે એટલે તમારી દીકરીને અંદર રૂમમાં જવાનું કહો. ત્યારે પેલા ભાઇએ ના પાડી દીધી કે મારી દીકરીને મારા જ ઘરમાં હું શા માટે રમતી રોકું. તમારા સાધુને આવવું હોય તો આવે. આ લોકોનો તો આ રીતે બહિષ્કાર કરવો જોઇએ. તેઓ તેમની વાસના ના રોકી શકે. પછી શેના સાધુ? સ્પ્રિંગ જેટલી વધુ દબાવો તેટલી વધુ જોરથી ઉછળે. આવા સાધુઓ જન્મ્યા તો કોઇ સ્ત્રીની જ કૂખે હોય છે પછી તેમને શો અધિકાર છે સ્ત્રીઓના આવા અપમાનનો? ખરેખર તમારી વાત સાચી છે આ લોકોને આનાથી વધારે દંડ થાય તો પણ દયા ખાવાની જરૂર નથી.

    Like

    1. મીતાબેના,
      આવી રીતે સ્ત્રીઓએ જ એમના થતા ને કરવામાં આવતા અપમાનો ની સામે થવું પડશે.અને પુરુષોએ એમાં સ્ત્રીઓને સહકાર આપવો પડશે.પણ સ્ત્રીઓ પોતે આ બધું યોગ્ય માનશે તો પછી કોઈ આશા નથી.મેં મારા સગા માં કેટલીક સ્ત્રીઓને આ વિષે સમજાવવા ટ્રાય કરેલો પણ એ લોકો તો ઉલટાનું મારી વિરુદ્ધ બોલવા લાગ્યા ને પ્રમુખસ્વામી તો પ્રગટ બ્રહમ છે,શિવ,કૃષ્ણ,રામ,અંબા,દુર્ગા વિગેરે ભૂતપ્રેત છે એવું કહેવા લાગી.બોલો હવે મારે શું કરવું?સ્ત્રીઓએ આપની જેમ વિચારી ને જાગૃત જાતેજ થવું પડશે.આપનો ખુબ આભાર.

      Like

  4. અશોકભાઇએ આપેલી લીંક પર દિવ્યભાસ્કરમાં આવેલા સમાચાર વાચ્યા. ૨૧મી સદીમાં પણ એક બાળકનું કેટલું બધું બ્રેઇનવૉશ થાય છે. અને આ સમાજ પણ કેટલો બધો દંભી કહેવાય આટલા નાના બાળકના સંન્યાસમાં આટલી બધી જનમેદની!

    Like

    1. શ્રી ભુપેન્દ્રભાઈ,
      લો આપણાં બંનેના નામ પણ એકજ છે.એટલે તો મેં તરત જ નોધ લખીને લીંક મુકેલી.અને આપે વાંચી પણ ખરી.એકાદ જણ વાચે તો પણ સફળ.આપનો ખુબ આભાર.મુલાકાત સાથે અમુલ્ય અભિપ્રાયો આપતા રહેશો.

      Like

  5. આ સન્યાસીઓ લોકતંત્ર વીરુદ્ધનું કામકાજ કરે છે. લોકતંત્રમાં સામાન્ય રીતે વીશાળ સમાજનું ચાલતું હોય છે. પૄથ્વી ગોળ દડા જેવી છે અને સુર્યની આસપાસ ચક્કર લગાવે છે એ બધાને ખબર છે પણ આ સન્યાસીઓ મોક્ષના લોભમાં એ તથ્ય સ્વીકરવા તૈયાર નથી.

    આત્મા, પરમાત્મા, પુર્વ જન્મ કે હવે પછીનો પુનઃ જનમ અને કર્મના કુંડાળામાંથી આ બાળ સન્યાશીઓ, યુવક સન્યાસીઓ કે બુઢ્ઢા સન્યાસીઓ બહાર આવે એમ નથી.

    આખો દીવસ કર્મ અને મોક્ષમાં રચ્યા પાચ્યા રહેનારા, આ સન્યાસીઓ પૄથ્વી ગોળ દડા જેવી છે એ સ્વીકારે એટલે ખાઓ, પીઓ, મોજ મજા કરો અને બધાને આનંદ આપો.

    Like

  6. આ ઉપરછ્લા સન્યાસની ઉપરછ્લી ટીકા છે. સન્યાસ ઉમરલાયક થયા પછી નહિ પણ લાયક થયા પછી જ લેવો જોઇએ. અન્યાથા કોઇ પણ ઉમરે કરેલો ત્યાગ મહેનત વિના મફત ભોગ વૈભવથી આગળ જઇ શકતો નથી. આપણે ઉમરલાયકની ચર્ચા કરીએ છીએ તેમ જ સન્યાસલાયકની ચર્ચા કરિએ ,તો હિંદુધર્મ મા કોઇક સારા વિચારકો છે એવુ પ્રતીત થશે. અન્યથા જે જે કરે છે તે તે કર્યા કરશે અને આપણે બોલ્યા-લખ્યા કરીશુ. હુ પણ સ્વામિનારયણ સઁપ્રદાયનો સાધુ જ છુ.

    Like

    1. શ્રી ડો સંતસ્વામી,
      સ્વામીનારાયણ સમ્પ્રદાય ના કયા ફીરકાના આપ છો એતો મને ખબર નથી.પણ આમાં ઉપરછલ્લું શું લાગ્યું?સમજાયું નહિ.હું જે ટીકા કરું છું તે મન દઈને જ કરું છું.આપની વાત સાચી છે કે લાયક થયા વગર સન્યાસ લેવો ના જોઈએ.હવે મેં તો ચર્ચા ખાસ નાના બાળકો ની કરી છે.નાના બાળકો કઈ રીતે લાયક હોય?જયારે મોટા જ લાયક હોતા નથી.અને જયારે માણસ લાયક બની જાય તો સન્યાસ ની જરૂર જ શું છે?ગૃહસ્થોએ પણ જ્ઞાન તો મેળવેલા જ છે.બુદ્ધે પોતે પણ કબુલ કરેલું કે સંસાર માં રહીને પણ જ્ઞાન મેળવી શક્યો હોત.ભાગવાની જરૂર જ ક્યાં છે?ફક્ત જાગવાની જરૂર છે.જાગેલો માણસ તો સંસાર માં હોય કે જંગલ માં શું ફેર પડે છે?ના જાગેલો માણસ તો ગમેતે રીતે નવો સંસાર ઉભો કરીજ દે છે.મકાન કે બંગલાને બદલે મંદિરો બનાવશે.જે સ્ત્રીના પેટે પેદા થયા એનું મોઢું ના જોવા વિષે આપના શું વિચારો છે?નાની બાલકી એકાદ વર્ષ ની પણ સહન ના કરી શકો એ સન્યાસ માં ધૂળ પડી.લેવો જ શું કામ?એના કરતા લગ્ન કરી લેવા સારા.આ નાના બાળકો ને સન્યાસી બનાવવા એ સૃષ્ટી વિરુદ્ધ નું કૃત્ય છે,અને પછી એજ બાળકો નું સૃષ્ટી વિરુધ નું કામ કરવામાં ઉપયોગ કરવામાં આવે છે.કુંભ ના મેલા ના ફોટો જોયા ને મેં લખ્યું છે કે આ લાખો અન પ્રોડક્ટીવ સાધુઓ ભારત માટે કલંક રૂપ છે.કશું કરતા નથી ભાંગ ને ગાંજો પી પ્રજાના પૈસા ખાઈ જાય છે.પ્રજા ને પોતાનું પૂરું કરવાનું ને આ ભિખારીઓનું પણ પૂરું કરવાનું.

      Like

  7. રાઉલજી,
    અમે તમારી તમામે તમામ વાત સાથે સહમત છીએ. એ પણ હકીકત છે કે અવારનવાર કરવામાં આવતી ધણીખરી વિધિઓ તો માણસે સમાજની ખોટી શરમે કરાવવી પડે છે. ન નમવું હોય તેને નમવું પડે છે. ખાસ કરીને માણસને પોતાનાં કહેવાતાં સગાંવહાલાં કે મિત્રો તરફથી આ બાબતમાં થતી હેરાનગતિ પણ ઓછી નથી હોતી!

    Like

  8. મને ટાઇપ કરતા ઘણી વાર લાગે છે તેથી અગાઉ અંગ્રેજીમાં લખેલું અહી ઉતારું છું.

    In the early years of my career, I was posted in a pilgrim place. In the first week, I was buying toothpaste from a ‘medical’ store. A साध्वीजी bought an eye ointment. The shopkeeper asked for payment. She asked me to pay. I did. Similar incidents repeated two more times within about a week. The shopkeeper asked me how long was I going to stay in that town. I said, “Until I am transferred out.”. Realizing then that I was not a pilgrim, he revealed the truth that all those साधुजी and साध्वीजी brought the medicines back at the late closing time of the store to exchange them for condoms. During my stay in the place there (and elsewhere too) I saw many cases of violation of the celibacy vows.

    સાવ બચપણમાં દિક્ષા લીધેલા આવા સાધુ સાધ્વીઓ બીજું કરી પણ શું શકે?

    Like

    1. શ્રી રશ્મીકાંત ભાઈ,
      આપની વાત તદ્દન સાચી છે.આપની વાત શેર કરવા બદલ અભાર.મેં પોતે પણ આવું જોએલું છે.મારા ગામ માં સ્વામીનારાયણ નું મંદિર છે.એની પોતાની જમીન એટલે કે ખેતર મારા ખેતર ની બાજુમાં જ હતું.ત્યાં બાળ સાધુઓને લઈને મોટા સાધુઓ ખેતર માં જોવા આવતા ને નાના બાળ સાધુ સાથે અકુદરતી કાર્ય કરતા.પછી તો એ ખેતર ગણોતધારા માં ખેડૂત લઇ ગયો.પછી આ લોકો આવતા બધ થયા.હજુ આજે અમેરિકામાં પણ નાના બાળકોને અજ્ઞાની માબાપ મંદિરોના રવાડે ચડાવે છે.કોઈના વાદે મારો દીકરો પરિક્ષામા પાસ થવા બરોડામાં જલારામ મંદિર ના ગુરુવાર ભરવા જવા માંડેલો.મને ખબર પડતા મેં કહ્યું આ જલાબાપાને થયે ૩૦૦ વર્ષ થયા.તું વાંચે નહિ એની જવાબદારી જલાબાપા ની નથી.એ કઈ પેપર લખવા આવવાના નથી.સમય બગડ્યા વગર ભણવા માંડ.

      Like

      1. આ બધા ‘સંતો’ કરતાં તો ઉર્વશીને સાદર નકારનાર અર્જુન અને મુસ્લિમ પરિણીતાને સન્માનભેર પાછી મોકલનાર છત્રપતિ શિવાજી મહારાજ વધારે સંયમી અને માનાર્હ હતા. તેઓ સંસારી હતા તો યે તેમના મનોબળ વધુ મજબુત હતા.

        Like

  9. Nice article. I thought to write something on this topic…but here you have mentioned many points ….Good work.

    I like this

    પેલી બાઈ એ અપમાન થયાનો કેસ ઠોકી દીધો ને દીપકભાઈને ૫૫૦૦૦ ડોલર નો દંડ થયો.શ્રી અરવિંદભાઈ ના બ્લોગ માં આવાત વાચી.મને દીપકભાઈ માટે જરાપણ સહાનુભુતિ થતી નથી.ભૂલ એમની જ છે.

    નાની ઉંમર માં સન્યાસ આપતા સંપ્રદાયો પર પ્રતિબધ મૂકી દેવો જોઈએ.એવા કાયદા ઘડવા જોઈએ.સ્ત્રીઓનું આપમાન કરનારા પર પણ પ્રતિબંધ જ હોવો જોઈએ.

    Like

  10. Nani umre sanyas vachi grv anubhvu chu.Bhupendraji manva pde tmone, tme jivnne ghna udanthi smjya cho,janine jivnne hkikama lkhi batavyu Tme mhan cho.Tmara shbdo jivnma asar kre che.

    Like

  11. HU KOYNI VIRUDH KE SAHMAT NATHI PAN SADHUNA ACHRNNE SAMJO, SHRIRNASWABHAV, MAN, JIVAN, SNSAR. AA BADHU JIVNMA GHNU SHIKHVE CHE DREK PAL JIVNNI MHTVANI CHE AMULY JIVNNE JANO, JAGO.

    Like

  12. ભારતમાં હીન્દુ, જૈન અને બૌદ્ધમાં જે સન્યાસી બને છે એને મોક્ષ મેળવવું છે એટલે કે એના મગજમાં ઠસાવવામાં આવે છે કે માનવે પોતાના કર્મના કારણે મહામુલો મનુસ્યભવ મળ્યો છે એનો પુરો લાભ લઈ સન્યાસી બની મોક્ષગામી બનવું.

    આ આત્મા, કર્મ, મોક્ષ વગેરે જેવું પહેલા, અત્યારે કે ભવીસ્યમાં કાંઈ જ નથી અને મોક્ષ જેવું કાંઈજ ન હોય તો પત્થરાની પુજા, સન્યાસ વગેરે બધા ઉપર પાણી ફરી જાય છે.

    સન્યાસીઓ ક્રીયા, કર્મ અને પત્થરની પુજામાં રચ્યા પચ્યા રહે છે. આ ખાવું, આ દીવસે ઉપવાસ કરવો, પત્થરની આકૃતીમાં પ્રાણ આમ પુરવા અને પુજા આમ કરવી. કાળા વસ્ત્રો ન પહેરવા, વીધવાઓએ મંદીરની આમન્યા જાળવવી અને તુત ઉભું થયું બાળ સન્યાસનું.

    સંસ્કૃતના પંડીતોએ વ્યાકરણ ઉપર ભાર આપી આખી સંસ્કૃત કે સંસ્કૃતીનું નખોદ કાઢી નાખ્યું.

    આ બાળ સન્યાસીઓ સંસ્કૃત, પ્રાકૃત, માગધી, અર્ધમાગધી કે પાલીમાં શું બોલે છે એ સાંભળનારાઓને સમજણ પડતી નથી એટલે યુવા વર્ગ આખો અંગ્રેજી શીખવા લાગ્યો છે જેનાથી પેટ ભરાય.

    ખાઓ અને મોજ મજા કરો, પોતે આનંદી બનો અને બીજાને ઉપયોગી થઈ આનંદ આપો.

    Like

  13. Bhupendrasinh – A point to ponder and discard the idea of Child-Monk …
    ધર્મ એટલે સારું-આચરણ …
    દરેક જીવોને લાભદાયી રહે તેવું આચરણ …
    હવે આવી સરળ વાતને ફેલાવવા માટે કે ટકાવી રાખવા માટે વળી સંસારને ત્યાગવાની જરૂર પડે? … નાં … ક્યારેય સદાચરણની વાત કહેવા માટે સંસાર-ત્યાગની જરૂર શુ કામ પડે? કે લોકોને ભગવાન-તત્વથી ડરાવીને વાડા બનાવી શાશન કે અર્થોપાર્જન માટે ગુલામો બનાવવા રખેવાળોની જરૂર પડે? આવા ભગવાનથી ડરાવવા વાળા રખેવાળો એટલે સાધુ-સન્યાસી-સંસાર ત્યાગી? આ એક ગુલામી વિચારધારા છે એન અને ઘણા બુદ્ધિશાળીઓ તેનો ઉપયોગ દાન-પ્રાપ્તિ માટે કરે છે તો કેટલાક આળસુઓ પૃથ્વી ઉપર નિષ્ક્રિય રહી ભાર વધારે છે …
    ….. બાળ સન્યાસ? … કેવો અન્યાય!!! … નાના-હાથીને સાકળથી-ગલુડિયાને ગળે પટટા – પંખીઓને પિંજરે બાંધી દેવા જેવી વાત છે … અને યુવાની-નાં-ઉન્માદ-નુ શું? … નદીમાં પુર આવે ત્યારે તે કિનારાઓ-બંધો તોડીને બધું ખેદાન-મેદાન કરે છે … તો આતો બુદ્ધિશાળી મનુષ્ય છે … પછી યુવાની ગમે ત્યાં ઉભરો કાઢે અને અકુદરતી પરિણામો આવે … મુર્ખ વાતોનાં મુર્ખ-ધર્મ-નિયમો અને તેનાથી પણ મોટા મૂર્ખા તે ધર્મનાં સરદારો ….
    ………..
    અને છેલ્લે –
    વડોદરા ખાતે એક બાળ-જૈન-સાધવી યુવાનીમાં પ્રવેશી અને તે યુવાન સાધવીની આંખો પાન-નાં-ગલ્લા-વાલા સાથે મળી ગઈ અને તેને સાધુતા ફગાવી તે યુવાન સાથે ભાગી ગઈ અને તેની સાથે સંસાર માંડ્યો … આતો હિંમત વાળી સાધવીની વાત છે … બાકી બાળ સાધુ / સાધવી શું કરતા હશે યુવાની માં? …
    બાળ-સાધુતા નાં નામે ખરી ખુલ્લે-આમ ક્રુરતા પ્રવર્તે છે નહિ?

    Like

  14. સાધુ એક પરાશ્રયી જીવન જીવનાર વ્યક્તિ છે. Social Parasite – સામાજીક પરોપજીવી પ્રાણી કહીએ તો યે ચાલે. સાધુઓ શ્રમિક હોતા જ નથી.

    મંદિરોમાં ભગવા પહેરી, આધ્યાત્મિકતાની વાતો કરી ઉપદેશો આપવા છે, પ્રવચનો કરવા છે. પરંતુ બહાર નીકળી સાંપ્રત સમાજના કનડતા પ્રશ્નોની સામે આગવું પ્રતિનિધિત્વ લઈ, હિંમતપૂર્વક પ્રતિકાર નથી કરવો, નેતૃત્વ નથી લેવું, ત્યાં એમને એમની સામાજીક પ્રતિષ્ઠા આડે આવે છે.

    શ્રી ડો સંતસ્વામી, સ્વામીનારાયણ સમ્પ્રદાય ના એક અનોખા જ્ઞાતા છે. શિક્ષિત વૈજ્ઞાનિક છે. અહીં આવા બ્લોગ ઉપર તર્કસંગત દલીલો સહિત ચર્ચાત્મક વિચાર વિનિમય જરૂર થઈ શકે.

    Like

  15. મારી દૃષ્ટિએ મોટા ભાગના સાધુઓ પરાશ્રયી જીવન જીવે છે. તેઓ શ્રમિક હોતા જ નથી. એમનો મોટા ભાગનો સમય ભક્તિમાં, અથવા મોટા સંતોની સેવામાં તેમજ પોતાના સંપ્રદાયના પાઠ્ય પુસ્તકો વાંચવામાં પસાર થતો હોય છે. સાધારણ માણસ એના જીવનની જવાબદારી નિભાવવા જેટલો શ્રમ કરે છે એટલો એ કરતા નથી. હા, કેટલાંક સામાજિક સેવા કરનાર, રાહત કાર્યો કરનાર સાધુઓ અપવાદરૂપ ખરા. ‘Food Bank” કે “Homeless Centres” કે “Winter Shelters” માં આપણાં કહેવાતા સન્ત, સાધુઓ કેટલાં જોવા મળે છે? હા, એમના કેટલાંક યથાર્થ સેવાભાવી ભક્તો આવી સંસ્થાઓમાં સેવા આપતા હોય છે. એનો યશ એ લઈ શકે!

    મંદિરોમાં ભગવા પહેરી, આધ્યાત્મિકતાની વાતો કરી ઉપદેશો આપવા છે, પ્રવચનો કરવા છે. પરંતુ બહાર નીકળી સાંપ્રત સમાજના કનડતા પ્રશ્નોની સામે આગવું પ્રતિનિધિત્વ લઈ, હિંમતપૂર્વક પ્રતિકાર નથી કરવો, નેતૃત્વ નથી લેવું, ત્યાં એમને એમની પ્રતિષ્ઠા આડે આવે છે.

    શ્રી ડો સંતસ્વામી, સ્વામીનારાયણ સમ્પ્રદાય ના એક અનોખા જ્ઞાતા છે. શિક્ષિત વૈજ્ઞાનિક છે. અહીં આવા બ્લોગ ઉપર ટીકા, ટિપ્પણી, અભિપ્રાય દ્વારા, તર્કસંગત દલીલો સહિત ચર્ચાત્મક વિચાર વિનિમય જરૂર થઈ શકે.

    Like

  16. બાપુએ છેલ્લી પોસ્ટ ચુંબન વીશે લખી અને કોમેન્ટમાં શું છે એ જોતો હતો તો ત્યાં

    …નાની ઉંમરે સન્યાસ અકુદરતી….

    and

    …“કામદેવની જય હો” એડીક્શન….

    ઉપર કોમેન્ટ વાંચવા મળી. એટલે કે જુની ૨૦૧૦ની પોસ્ટ પણ વાંચકો રસ પુર્વક વાંચે છે.

    Like

Leave a comment