જેઓ આપણાં માટે લડ્યા અને મર્યા,The Forgotten Heroes.,1

જેઓ આપણાં માટે લડ્યા અને મર્યા,They lived for India,died defending India.The forgotten heroes of 1971 War. 
 
              *ડીસેમ્બર ૧૬,૧૯૭૧ લેફ્ટેનેન્ટ જનરલ આમીર અબ્દુલા નિયાઝી તેમના ૯૩૦૦૦ પાકિસ્તાની સૈનિકો સાથે ભારતના લેફ્ટેનેન્ટ જનરલ જગજીત સિંગ અરોરા સામે ઢાકા મુકામે  શરણે થયા.ઢાકા થી તમામ ને ભારત લવાવવામાં આવ્યા.આર્મી કેમ્પ માં રાખેલા આ યુદ્ધ કેદીઓને કરોડોના ખર્ચે સારામાં સારી ખાતર બરદાસ્ત કરવામાં આવી.
        *જુલાઈ ૨ , ૧૯૭૨ ના રોજ ઈન્દિરાજી અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો એ શિમલા કરાર માં મત્તું માર્યું.એક બીજા દેશોના યુદ્ધ કેદીઓ ને પરત કરવાના આ કરાર નું પાકિસ્તાન ધરાર અવગણના કરવાનું હતું.યુદ્ધ જીત્યાં ના કેફ માં ભારતના ઈતિહાસ માં એમના નામે  સુવર્ણ અક્ષરે લખાયેલા પાનાઓમાં,એક કાળું પાનું પણ લખાઈ જશે એનો આ લોખંડી મર્દ વડાપ્રધાન ઇન્દિરાજીને અંદાઝ ના આવ્યો.આપણે તો બધા યુદ્ધ કેદીઓ(૯૩૦૦૦) ને પ્રમાણિકતા થી પાછા  સોપી દીધા.પણ ભારતના ૨૨૩૮ સૈનિકો તથા ઉચ્ચ  અફસરો એમના મૃત્યુ ના કોઈ પુરાવા  વગર મિસિંગ હતા,ગુમ હતા.૬૧૭ સદભાગીઓ  ને પાકિસ્તાને પાછા મોકલ્યા.બાકીના ૧૬૨૧ બહાદુરો  કોઈ પણ પ્રમાણિક પુરાવા વગર ભારત સરકારે મૃત્યુ પામેલા સમજી એમની ફાઈલો બંધ કરી દીધી.ના કોઈ તપાસ ના કોઈ પાકિસ્તાન પાસે માંગણી કરવાની દરકાર.પોતાના અસલી હીરો ને ભૂલી જવાની કલંક કથા લખવાનું ભારત સરકારે શરુ કર્યું.એમની માની લીધેલી વિધવાઓને પેન્શન આપવાનું શરુ કરી દીધું.એમના વૃદ્ધ માબાપ ને ફેમીલી પેન્શન આપવાનું શરુ કરી દીધું.ભારત સરકાર ભૂલી ગઈ એના બહાદુર સૈનિકોને અને અફસરોને અને આ ૧૯૭૧ ના યુદ્ધ ના હીરો ને પાક ની જેલોમાં અસીમ યાતનાઓ ભોગવવા માટે છોડી  દીધા.
         *પાંચમી આસામ રેજીમેન્ટ ના યંગ મેજર અશોક સૂરી કરાચી જેલ માં થી યેનકેન પ્રકારે ત્રણ પત્રો ભારત મોકલવા સફળ થયા.એક પત્ર તારીખ-૭ ડીસે,૧૯૭૪,બીજો ૨૬ ડીસે,૧૯૭૪ અને ત્રીજો ૧૬ જુન,૧૯૭૫ એમ ત્રણ પત્રો એમના પિતા શ્રી ડો.રામસ્વરૂપ સૂરી ને ફરીદાબાદ માં મળ્યા.એમના લખ્યા પ્રમાણે બીજા ૨૦ ભારતીય  અફસરો સાથે તેઓ કરાચી ની જેલ માં હતા.ડો.સૂરી સીમલા કરાર નો ભંગ કરી રાખેલા આ તમામ ને છોડાવવાની વિનંતી સાથે ઈન્દિરાજી ને મળ્યા.પરિણામ માં કશું નહિ.૧૯૭૪ થી ૧૯૯૭ સુધીમાં વૃદ્ધ સૂરી સાહેબ શ્રી નરસિંહરાવ,શ્રી દેવગોવડા,શ્રી આઈ.કે.ગુજરાલ,ગર્જનાઓ કરતા શ્રી અટલ બિહારી બાજપેઈ તમામ અહિંસા ને વરેલા નપુંસક વડાપ્રધાનોના પગથીયા ઘસીને ભુલાએલા  હીરોસ ને છોડાવવાની લડાઈ લડતા લડતા દેવલોક પામ્યા.
            *એવી જ રીતે,૯૫ વર્ષ ના વૃદ્ધ કાંગડા ના લાલારામ શર્મા,રીટાયર કર્નલ ધનદાસ,શ્રીમતી સુશીલ ત્યાગી,ફરીદાબાદ ના શ્રીમાન શ્રીમતી ઘોષ,નવી દિલ્હીના એલ ડી કૌરા અને સભરવાલ આ તમા એમના વહાલા દીકરાઓ ની રાહ જોતા હતા.અને એવી જ રીતે પૂનમ ગોસ્વામી,દમયંતી તાંબે,કમલેશ જૈન,નિર્મળ કૌર,કન્તાદેવી રાનોદેવી,સુમન પુરોહિત છેલ્લા ૩૯વરસ થી એમના પતિદેવો ની રાહ જોઈ રહી છે.
           *૨૦૦૪ માં મિસ્ટર એમ.કે.પૌલ માનવ અધિકાર પંચ ના આન્તર રાષ્ટ્રીય સંમેલન ફ્રાંસ ગયેલા ત્યારે ૩૫૦ ડેલીગેટો વચ્ચે આ પ્રશ્ન ઉઠાવેલો.ત્યારે તમામે કબુલ્યું કે પાકિસ્તાન દ્વારા આ માનવ અધિકારો સામેનો મોટામાં મોટો ગુનો છે.અને આજ પ્રશ્ન રેડ ક્રોસ  જીનીવામાં પણ એમણે રજુ કરેલો ત્યારે પૂછવામાં આવેલું કે તમે ભારતના પ્રતિનિધિ તરીકે બોલો છો?ત્યારે જવાબ માં એમણે કહેલું કે ના પણ હું ભારતના ૧૦૦ કરોડ લોકો અને અને આ ખોવાએલા સૈનિકોના  સગાઓ દ્વારા રચવામાં આવેલા એસોસીએશન ના પ્રતિનિધિ તરીકે બોલું છું.ત્યારે સામેથી અણીયાળો સવાલ પૂછવામાં આવેલો કે આ ગંભીર ઇસ્યુ બાબતે તમારા દેશે આન્તર રાષ્ટ્રીય સ્તરે કેટલો પ્રયત્ન કરેલો છે?મિસ્ટર પૌલ પાસે કોઈ જવાબ ના હતો.ભારતના કોઈ વડાપ્રધાને કે મીનીસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સ કે ભારતીય માનવ અધિકાર પંચ કોઈએ ગંભીર રીતે પ્રયત્ન કર્યો નથી ૧૯૯૬ થી ૨૦૦૦ સુધી જુદા જુદા સભ્યોએ ૧૨ વખત સંસદ માં આ સવાલ ઉઠાવ્યો છે.પરિણામ શૂન્ય….    

One thought on “જેઓ આપણાં માટે લડ્યા અને મર્યા,The Forgotten Heroes.,1”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s