અસ્તિત્વ માટેની મથામણ..The Ultimate Warrior Guru.

 

અસ્તિત્વ માટેની મથામણ વોરિયર ગુરુ …
તમે અત્યારના  કોઈ સ્વામી,બાપુ ,ગુરુ,બાવાશ્રી,મહારાજશ્રીને હાથમાં બંદુક કે હથિયાર લઇ ત્રાસવાદ સામે લડતા કલ્પી શકો ખરા? ના. બરોબર ને ? ભગવાન શ્રી કૃષ્ણને ભારતના અધ્યાત્મીક્જગતના મહાગુરુ કહી શકાય. એમણે હથિયાર ઉપાડેલા. ત્યાર પછી કોઈ ગુરુ એ પાચ હજાર વર્ષ સુધી હથિયાર ઉપાડ્યા હોય એવું જાણ્યું નથી. અને ઉપાડ્યા હોય તો મને ખબર નથી. પણ એક ધાર્મિક ગુરુ થએલા ૧૭ મી સદીમાં, જેમણે એમના ૪૨ વર્ષના જીવનકાળ માં ૨૦ યુદ્ધો લડેલા. અને એક આખી કોમને બહાદુર બનાવી દીધી. આ હતું અસ્તિત્વ ટકાવવા માટેનું સામુહિક સમૂળગું પરિવર્તન. ડીસેમ્બર ૨૨, ૧૬૬૬ ના દિવસે  પટનામાં જન્મેલા ગોવિંદરાય, શીખ ધર્મના નવમાં ગુરુ તેગબહાદુરના પુત્ર હતા. પાંચ વર્ષ સુધી પટના માં નાનપણમાંથી વોરગેમ રમતા આવેલા ગોવિંદ રાયને પટનાના રાજા અને રાણી પણ ખુબ માન આપતા. રાણી તો એમને બાલા પ્રીતમ એટલે બાળપ્રભુ જ કહેતા.
                *
ઈ.સ.૧૬૬૫ માં ગુરુ તેગબહાદુરે શિવાલિકના પર્વતોમાં થોડી જમીન વેચાતી લઇ આનંદપુર સાહિબ ગામ વસાવ્યું હતુંગોવીન્દરાય પંજાબી, હિન્દી, વ્રજ, સંસ્કૃત, પર્શિયન અને અરબી આટલી ભાષાઓના નિષ્ણાત હતા. પર્શિયન અને અરબી કાજી પીર મહમદ પાસે થી શીખેલા. કોઈ રાજ ઘરાનાના રાજપૂત યોદ્ધા પાસે થી યુદ્ધ તથા ઘોડેસવારીની તમામ તાલીમ લીધેલી. એ વખતે દિલ્હીમાં ઔરંગઝેબનું રાજ્ય હતું ને હિંદુ મુસ્લિમના કાયદા અલગ હતા. લગભગ હિંદુઓના હિતના કોઈ કાયદા જ નહતા. એટલે થોડા કાશ્મીરી પંડિતોનું એક જૂથ ગુરુ તેગ બહાદુર પાસે આવ્યું, ને ઔરંગઝેબને સમજાવવા જવા માટે તૈયાર કર્યા. ઔરંગઝેબ દ્વારા તેગબહાદુરને કેદ કરવામાં આવ્યા, ને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું. ગુરુ ના માન્યાં. ૧૧ નવે, ૧૬૭૫ના દિવસે ગુરુ તેગ બહાદુરનો શિરચ્છેદ કરવામાં આવ્યો. અને ચાંદની ચોકમાં પ્રદર્શન માટે માથું મુકવાનું નક્કી કરવામાં આવ્યું. પણ આ યોજના સફળ ના થવા દઈ કોઈ પણ હિસાબે ભાઈ જીવણ માથું લઇ આનાદ્પુર સાહિબ ભાગી આવ્યા. દિલ્હીમાં ગુરુ સાથે ગયેલા અનુયાયીઓ મોતના ડર થી ગભરાયા અને ખુદ ગુરુ ને ઓળખવાનો ઇનકાર કરવા લાગ્યા. આ બાજુ ગોવિંદરાયને દસમાં ગુરુ જાહેર કરાયા. હિંદુ રાજાઓ અને મુસ્લિમ નવાબો સાથે પોતાના તથા અનુયાયીઓના અસ્તિત્વ માટે સતત યુદ્ધો ને સંતાકુકડી રમતા આ ગુરુ  સારા કવિ પણ હતા. પ્રેમ, વિશ્વ બંધુત્વ ને એક જ ઈશ્વર ને ભજવા બાબતના ઘણા કાવ્યો રચેલા. એમણે સૈનિકોને પ્રોત્સાહિત કરવા રણજીત નગારા (વોર ડ્રમ)ની સ્થાપના કરી. એમના સૈન્યમાં પઠાણ સૈનિકો પણ કામ કરતા.
              
*સતત ભાગદોડ, અને યુદ્ધો ગુરુને લાગ્યું કે હવે આ વૈશ્ય જેવા સ્વભાવના અનુયાયીઓથી મેળ નહિ પડે. કોઈ સામુહિક અને સમૂળગા પરિવર્તનનો સમય આવી ચુક્યો છે. ઈતિહાસ ગવાહ છે કે કોઈ ઠેકાણે આવો પ્રયોગ થયો નહિ હોય. ગુરુએ એમના અનુયાયીઓને ભેગા થવાનું હુકમનામું મોકલ્યું. એક નાના ટેન્ટમાં બધા ભેગા થયા. ગુરુએ પૂછ્યું
          *હું કોણ છું તમારા માટે?  જવાબ મળ્યો, અમારા ગુરુ.
          *તમે કોણ છો? જવાબ મળ્યો, અમે તમારા શીખ છીએ.
          *ગુરુ એમના શીખો પાસેથી કશું ક ઈચ્છે  છે, જવાબ મળ્યો હુકમ કરો સચ્ચે પાદશાહ.
          *ગુરુ એ કમરમાંથી તલવાર ખેંચી ને બોલ્યા કોણ બલિદાન આપે છે? મારે માથું જોઈએ. કોઈ જવાબ નહિ. એક વાર, બેવાર કોઈ જવાબ નહિ. ત્રીજી વાર બોલ્યા ને ભાઈ દયારામ ઉભા થયા. ગુરુ એમને અંદર લઇ ગયા. અંદર છુપી રીતે રાખેલા બકરાનું માથું કાપી નાખ્યું, ને લોહીથી રંગાયેલી તલવાર લઇ પાછા બહાર લોકો વચ્ચે આવ્યા. હજુ બલિદાન જોઈએ, સભામાંથી ધરમદાસ ઉભા થયા. ગુરુ અંદર લઇ ગયા. પાછા લોહી થી ખરડાએલી  તલવાર   લઇ બહાર આવ્યા. હવે એક મનોવૈજ્ઞાનિક દબાણ ઉભું થઇ ચુક્યું હતું ને લોકોમાં હિંમત પણ આવી ગઈ હતી. એક પછી એક પાંચ જણા ને ગુરુ અંદર લઇ ગયા. થોડીવાર પછી પાંચેય અનુયાયીઓ સાથે નવા વસ્ત્રોમાં ગુરુ બહાર આવ્યા. જાહેર કર્યું કે આ છે મારા પંજ પ્યારે, ખાલસા પંથના પ્રથમ દિક્ષિતો. અને આમ ૩૦ માર્ચ ૧૬૯૯ માં ખાલસા પંથની સ્થાપના કરી. ખાલસા એટલે પ્યોર શુદ્ધ. ખાલસા પંથના પહેલા પાચ દિક્ષિતો હતા, (૧)દયારામ (દયાસિંહ) (૨)ધરમદાસ(ધરમસિંહ) (૩)હિંમતરાય(હિંમતસિંહ) (૪)મોહ્કમચંદ(મોહકમસિંહ) (૫)સાહિબચંદ(સાહિબસિંહ)..ગુરુએ આદેશ આપ્યા કે હવે દરેક શીખના નામ પાછળ આજથી હવે સિંહ લાગશે. રામ, દાસ, ચંદ, રાય આ બધા હવે સિંહ બન્યા. આ હતું એક વૈશ્ય કોમનું સામુહિક અને સમૂળગું સાયકોલોજીકલ પરિવર્તન. અસ્તિત્વ ટકાવવાની એક અદમ્ય મહેચ્છા એ એક આખી વૈશ્ય કોમને એના મહાન ગુરુએ ધરમૂળ થી બદલી ક્ષત્રિય બનાવી દીધી. અને બધા ની સાથે પોતે પણ એમના જેવા જ છે, ગુરુ પોતે પેલા પ્રથમ પાચ ખાલસા જોડે જોડાય છે અને ગોવિંદરાયમાંથી ગુરુ ગોવિંદસિંહ બને છે.
           
*ગુરુ ગોવિંદસિંહ કેટલાક નવા આદેશો જાહેર કરે છે. સ્ત્રીઓ પણ સરખી જ ભાગીદાર ગણવાની. અને સ્ત્રીઓના નામની પાછળ કૌર એટલે રાજકુમારીઓ લગાવવાનું, આજથી બધાજ શીખ એકજ કોમના નાતજાત કશુજ નહિ. કોઈ ઊંચ નહિ કોઈ નીચ નહિ. આખી વર્ણ વ્યવસ્થા એક જ ઝાટકે દુર. કોઈ હિંદુ કે મુસલમાન ધર્મના રીતિરિવાજ પાળવાની જરૂર નહિ. શુદ્ધ ગૃહસ્થ જીવન જીવવાનું. ના કોઈ સન્યાસ ના કોઈ ખોટા બ્રહ્મચર્યો પાળવાના. સ્ત્રીઓ માટે પરદા પ્રથા બંધ, સતી થવાનો રીવાજ બંધ, બાળકીઓને મારનાર સાથે કોઈ સંબંધ નહિ, એટલે નાની બાળકીઓને જન્મ થતા દૂધપીતી કરી મારી નાખવાનો રીવાજ બંધ, ધર્મ માટે બલિદાન આપવા હમેશ તૈયાર રહેવાનું. ધુમ્રપાન બંધ, નાતજાત, રંગ ના ભેદભાવ વગર ગરીબોને જરૂરિયાતમંદોની સેવા અને રક્ષા. તેગ એટલે તલવાર ની સાથે દેગ એટલે ધર્માદા ભોજન પણ મહત્વનું, દરેક શીખે પાચ  ક(કેશ,કંગ,કડા,કચ્છ,કિરપાણ) ધારણ કરવાના. હાથમાં કડું પહેરવાનું, કડું એ એક જ ભગવાન, યુનિવર્સલ ગોડનું પ્રતિક છે. હથિયારોને પ્રેમ કરવાનો અને ઘોડેસવારી દરેકે શીખવાની. કોઈ અંધવિશ્વાસમાં માનવાનું નહિ ને ના કોઈ ધર્મ પરિવર્તનમાં વિશ્વાસ રાખવાનો, મતલબ શીખ ધર્મ પાળવા માટે કોઈને આગ્રહ ના કરાય. 
                

 એક નરમ ગણાતી કોમને બહાદુર બનાવનાર ગુરુ ગોવીદસિંહ જેવો કોઈ ધાર્મિક નેતા આજસુધી પાક્યો નથી. ઔરંગઝેબને પણ હવે આ ગુરુ નું મહત્વ સમજાઈ ચુક્યું હતું, એણે ગુરુ જોડે મૈત્રીના સબંધો રચવા ગુરુને મળવા માટે બોલાવ્યા, ગુરુ ઔરંગઝેબ ને મળવા દક્ષીણ જવા રવાના થયા પણ રસ્તામાં સમાચાર મળ્યા કે ઔરંગઝેબનો દેહાંત થયો છે. ૨૩ જુલાઈ ૧૭૦૭ માં બહાદુર શાહે આગ્રા બોલાવી હિન્દ કા પીરનો ખિતાબ આપ્યો. સરહિન્દના નવાબ વઝીરખાનને આ મૈત્રી ખટકી, એણે બે ભાડુતી પઠાણો ને મોકલ્યા, જમશેદખાન અને વસીલબેગ બંને ચોરી છુપી થી ગુરુના તંબુ માં ઘુસ્યા ગુરુ આરામ કરતા હતા ને જમશેદખાને વાર કર્યો, ગુરુની કીર્પાણે એણે રહેસી તો નાખ્યો પણ એણે હૃદય ની નીચે કરેલો વાર ભારે નીકળ્યો. વસીલબેગ ને તો ભારે અવાજોથી દોડી આવેલા શીખોએ પૂરો કરી નાખ્યો. સુલતાને મોકલેલ અંગ્રેજ ડોકટરે ટાંકા લીધા, પણ હથિયાર પ્રિય ગુરુ એમના ધનુષ ને કશું કરવા જતા જોર પડવાથી ટાંકા ખુલી ગયા ને પુષ્કળ લોહી વહી જવાથી ગુરુને ખ્યાલ આવી ગયો કે હવે અંત નજીક છે. ગુરુએ જાહેર કર્યું કે હવે કોઈ ગુરુ નહિ, ગુરુ ગ્રંથ સાહેબ એજ હવે શીખોના કાયમી ગુરુ. મહાન ગુરુએ એમની જાતે જ ગુરુપ્રથાનો પણ અંત આણી દીધો, ૧૦મિ ઓક્ટોબર ૧૭૦૮ના દિવસે મહારાષ્ટ્રના નાંદેડ ખાતે આ મહાન ગુરુએ દેહ છોડ્યો,ઉમર હતી ફક્ત ૪૨ વર્ષ.

                *

ગુરુ ગોવિંદસિંહ સ્ત્રીઓનું મહત્વ સમજતા હતા, માટે સ્ત્રીઓને પુરુષો જેટલાજ અધિકાર આપેલા. ગુરુ ને ખબર હતી પાછળની પેઢીમાં કોઈ સારો ગુરુ નાં પણ પાકે કે ગુરુપ્રથા નો દુરુપયોગ પણ થાય, એટલે ગુરુપ્રથા જ ગ્રંથસાહેબ ને ગુરુ બનાવી બધ કરી દીધી, કેટલી દૂરદર્શિતા. આખી જીંદગી મુસલમાન નવાબો ને સુલતાન સાથે લડેલા ગુરુના લશ્કરમાં મુસલમાન સૈનિકો કામ કરતા હતા, ગુરુ માટે લડતા હતા. ગુરુ જરાય કોમવાદી ના હતા. આજના નેતાઓએ આના પરથી ધડો લેવા જેવો છે. અને છતાય જો કોઈ મુસલમાન લડવા આવે તો એને જરાપણ વાર કર્યા વગર ગુરુ રહેંસી નાખતા. આજની સરકારોએ ત્રાસવાદ સામે લડવા માટે અના પરથી શીખવા જેવું છે.

               *

આજે ભારતને અને હિંદુ ધર્મ ને જરૂર નથી સ્વામીઓની જેઓ સ્ત્રીઓના દુશ્મન છે, નથી જરૂર એવા બાવાશ્રીઓની જેઓ સ્ત્રીઓને ભોગ વિલાસની ફક્ત વસ્તુ સમજે છે. નથી જરૂર પોતાને હિંદુ ધર્મના રખેવાળો તરીકે ઓળખાવતા પક્ષોની, પરિષદ કે સંઘની. નથી જરૂર તુલસીદાસની કવિતાઓ ગાઈ શ્રોતાઓને રડાવતા બાપુઓની. નથી જરૂર થોડી ઘણી ચેરીટી કરી, સ્કુલ કોલેજ ને ધર્મના, પંથના ફેલાવાનું સાધન બનાવી, રોજ નિત નવા મંદિરો બનાવી પ્રજાના પૈસા વેડફતા સંતોની. નથી જરૂર નાના બાળકોને ધર્મના રવાડે ચડાવી બચપણમાં અકુદરતી બ્રહ્મચર્યના પાઠ ભણાવતા, દિક્ષા આપી દેતા મહાત્માઓની.

                     
*ભારતને અને હિંદુ ધર્મને જરૂર છે ફક્ત એકજ ગુરુ ગોવિંદસિંહની, જે કહેતા હતા બાજ સે મૈ ચીડિયા લડાઉં, તબ ગુરુ ગોવિંદસિંહ કહેલાઉં. વાહે ગુરુજીકા ખાલસા(Khalsa belongs to god), વાહે ગુરુજી કી ફતેહ(Victory belongs to god). આ હતા અસ્તિત્વ ટકાવવા માટેના યુદ્ધમાંથી ઉત્પન થયેલા મહાન ગુરુ The Ultimate Warrior Guru Govindsinh..A Poet,,A philosopher..     
 
 
 
 
 
 
 
 
         નોધ:–ઉપરનો આર્ટીકલ ગુરુ ગોવિંદ સિંહ વિષે   ઓન લાઈન દિવ્યભાસ્કર આવેલા માં આર્ટીકલ ની નીચે પ્રતિભાવ તરીકે છપાએલો છે.

10 thoughts on “અસ્તિત્વ માટેની મથામણ..The Ultimate Warrior Guru.”

  1. રાઉલજી, ખૂબ જ સરસ પરિચય. રજૂઆત તો આગવી છે જ. જોશભરી અને હોશભરી.

    Like

    1. શ્રી ભજમન ભાઈ,
      પ્રોત્સાહન આપવા બદલ ખુબ અભાર.આ ગુરુ ગોવિંદસિંહ નું ચરિત્ર વાંચી હું ખરેખર અભિભૂત થઇ ગયેલો.ફક્ત ૪૨ વર્ષ નું જીવન,૨૦ બેટલ,ચાર સુપુત્રોના બલિદાન અને એક આખી સાવ નરમ કોમ ને બહાદુર બનાવી દેતા આ ગુરુ માટે માન ના થાય તો શું થાય?એની જગ્યાએ વાતે વાતે અહિંસા ના ખોટા બણગા ફૂકતાં ને બહાદુર કોમોને બાયલા જેવી બનાવતા આપણા આજના ગુરુઓ પ્રત્યે નફરત જ થાય ને.ફરી આભાર માની લઉં,અભિપ્રાય આપવા બદલ.કારણ મુલાકાત તો ઘણા બધા લે છે બ્લોગ ની પણ પ્રોત્સાહિત કરતો અભિપ્રાય તો કોઈક જ આપે છે.

      Like

  2. બાપુ સાહેબ,

    ખુબ જ સુંદર લેખ. મને એક બાબત ક્યારેય સમજાતી નથી કે આપણા અભ્યાસક્ર્મમાં આ આપણા વિરપુરૂષ વીશે ભાગ્યેજ કાંઇ કહેવાય છે કે ભણાવાય છે.

    એક આખી પેઢી (આમ તો બે-ત્રણ) આ બાબતથી અજાણ છે.

    એક આદર્શ લીડરશીપનું ઉદાહરણ છે. પ્રજાને કઈ રીતે મોલ્ડ કરી એને એક નવા સ્વરૂપમાં આત્મવિશ્વાસથી ભરેલ તૈયાર કરી શકાય.

    હેટસ ઓફ્ફ.

    Like

  3. હમેશાની જેમ ધારદાર રજૂઆત…
    ખરેખર હિંદુ ધર્મ ને ગુરુ ગોવિંદસિંહ જેવા વ્યક્તિત્વ ધરાવતા નેતૃત્વ ની જરૂર છે.

    Like

  4. ‘યદા યદા હી ધર્મસ્ય’… નું રટણ કરવાનું બંધ નહિ કરીએ ત્યાં સુધી કોઈ ગુરુ ગોવિંદસિંહ નહિ બની શકે..ભગવાન યોગેશ્વર ના વચન પર સદિયોથી વિશ્વાસ રાખી ને બેઠા છીએ પણ પોતાનાં બાવડા પર કોઈ ને વિશ્વાસ નથી….રાહ જુઓ કદાચ આવે પણ ખરા !

    Like

  5. મારા દોસ્ત, બસ લખતા રહો. સ્વચ્છ અને સચોટ રજુઆત. ધર્મ અને ધર્મગુરુઓની વ્યાખ્યા બદલવાની જરૂર છે. સાથે સાથે થોડી પ્રજાની રાજકીય જાગૃતીની જરૂર છે. દેશનો સંરક્ષણ પ્રધાન ધોતી બંડી વાળો ન ચાલે, કોઈ મિલીટરી જનરલ હોવો જોઈએ. ગાંધી ભલે પોતડી પહેરી પરદેશમાં ફર્યો. વિદેશ મંત્રી પ્રભાવશાળી અને ચાણ્ક્યનીતિ જાણતો હોવો જોઈએ. સાડી ઘાગરાવાળા ત્રણે પાંખના વડ રાષ્ટ્રપતિ તરીકે ન ચાલે જેમને પરેડમાં સલામી જીલ્તા પણ ન આવડતી હોય. ભુપેન્દ્રભાઈ આપના પોતાના જીવન પુરતું તો તમે સારા દેશ્માં જીવો છો.

    Like

  6. Bhupendrasinh – આ હ્રદય-મશ્તીષ્ક-અંધોને હવે ગળથુંથીમાં અહિંસા-પાપ-પુણ્યનાં લેખ-જોખા વગર કર્મે મળતા ફળોને આધારે મેળવી અને મોક્ષ-સ્વર્ગની દિશામાં પ્રયાણ કરવા છે … જે અંતે સાધુ-બાબા પાખંડીઓના ગુલામ બની પત્ની-બહેન-દીકરી દાન-સૌદો કરી સ્વર્ગ-નાં લાભ લેવા છે … 99% ભારતીયોના સ્વર્ગ-પ્રાપ્તિનાં શોર્ટ-કટ આ બાબાઓનાં બે-પગ-વચ્ચેથી જાય છે … અને ત્યાં આ ભકતો પુરા સમાઈ જાય છે … અને પાખંડી-બાવો-સાધુ-બાબા આ લોકો ઉપર સવારી કરી તેમનું દ્રવ્ય અને સ્ત્રીધન ભોગવી જલસા કરે છે અને કરતા રહેશે …
    ……
    # કોઈની પણ પાસે કોઈ ઉપાય આ ભારતીય પ્રજાનાં ન્યુરો-વાયર-બોન્ડીંગ ચેઈન્જ કરવાનું તો કહો?

    Like

  7. ભુપેન્દ્રસિંહ જી તમારું લેખન ખૂબ જ વજનદાર હોય છે.
    પ્રતિભાવ માટે શબ્દો નથી મળતા, તેમજ
    મને લખતાં પણ નથી આવડતું .
    Superb, Fantastic, Excellent અને ઘણું બધું.

    Like

Leave a reply to miteshpathak Cancel reply