![resize[2]](https://brsinh.files.wordpress.com/2009/12/resize2.jpg?w=474)
*પેપ્સી કે કોક થી સંડાશ કે બાથરૂમ સારું સાફ થાય હો!જરા ટ્રાય કરી જોજો.કેમ?એનો પી.એચ. ઉંચો છે.અમેરિકા માં રહેતા મારા છોકરાઓ હું સોડા હાથમાં લઉં તો આંખો કાઢે છે.અહી કોઈ કોકા કોલા કે પેપ્સી એવું ખાસ બોલતું નથી,બધા સોડા કહે.અહી ક્રિકેટ રમતો મારો દીકરો કદી પેપ્સી કે કોક પીતો નથી.અને મને પણ પીવા દેતો નથી.પેપ્સીના એક એકઘૂંટડે તમારા દાંત પરથી એનેમલ નું પડ થોડું થોડું ઓગળતું જાય છે.તો તમારા હોજરી ને આંતરડાની શું દશા થતી હશે?હવે કોઈ ગમેતેટલું પ્રચાર કરે. શું ખાવું ના ખાવું તમારે જોવાનું છે.કોઈ ઝેર વેચે કોઈ લાડવા શું ખરીદવું એ તમારે વિચારવાનું.
*ફક્ત એક દિવસ બધા સમજીને પેપ્સી ના પીવે તો?બીજા દિવસે પેપ્સી કંપની બિસ્તરા બાંધવા માંડે.અને એકજ અઠવાડિયું ના પીવે તો?કંપની એની જાતે કોઈને કહ્યા વગર ભાગી જાય.અને કોઈ હીરો સામેથી પૈસા આપેકે મને તમારી એડ માં લો તો પણ ના પાડી ભાગી જાય.પણ એવું તો થાય નહિ આપણાં ભગવાન જાહેરાતો માંથી પૈસા બનાવતા હોય એમનું શું થાય?આપણે ગાંડા થઇ ને ક્રિકેટ જોઈએ,ફિલ્મો જોઈએ,અને એની જાહેરાતો માંથી પ્રેરણા લઇ કચરો ખાઈએ પીએ.એટલે તો આ લોકો પૈસા બનાવે છે.એટલે તો એડ કંપનીઓ એમને કરોડો રૂપિયા આપે છે.એટલે તો એ લોકો રમત માં ધ્યાન આપ્યા વગર ફિક્ષિન્ગ માં પડી જાય અને વધારે રૂપિયા બનાવે છે.તમે જોવાનું બંધ કરો કોઈ એમને એક કાણીયો પૈસો પણ ના આપે. અહી તમે મેચ જોતા તમારું બીપી વધારો કે હમણા ભારત જીતી જશે બસ એક ચોક્કો કે છકો. અને આ લોકો તમારી લાગણીયોની પરવા કર્યા વગર ફિક્ષિન્ગ કરી બેઠા હોય અને વિકેટ ફેંકી હારી જતા હોય.
*જંક ફૂડ ને ગાળો દઈએ છીએ પણ તમને કોણ કહે છે ખાવા જાવ?કોઈ ઘેર થી પોલીસ ની જેમ પકડીને તો મેક ડોનાલ્ડ માં નથી લઇ જતું ને?તમે ખાવા નહિ જાવ તો એ લોકો થોડી રાહ જોઈ તરતજ ઉચાળા ભરી જશે.કોઈ એક પૈસાનું નુકશાન વેઠવાના નથી.
*શ્રી કાંતિ ભટ્ટ પરદેશી કંપની કારગીલ અને મોન્સાટો ની વાત કાયમ કરતા હોય છે કે આ લોકોએ ભારતમાં હાઈબ્રીડ બિયારણો ઘુસાડ્યા ને વંઠેલા રીગણ ની વાત કરે છે કે એમાં કોઈ ગુણવત્તા કે સ્વાદ નથી.સાચી વાત છે પણ મારું એવું કહેવું છે કે લોકો એ રીંગણ ખરીદેજ નહિ કે ખાય નહિ,એના વગર એકાદ સીજન કઈ મરી ના જવાય.તો તરતજ એની અસર પડશે.ખેડૂત ને એના રીંગણ વેચાશે નહિ તો ફરી વાવશે નહિ.અને પેલી કંપનીના બિયારણ ખરીદવા જશે નહિ.આ બધી કંપનીઓને ઉચાળા ભરાવા માટે એકજ સીઝન પુરતી છે.પણ શક્ય નથી કેમ કે બધા ને સમજાવા કોણ જાય?કોઈ ધર્મગુરુ જાહેર કરેકે રીંગણ ખાવા પાપ છે તોજ શક્ય બને.પણ પેલી કંપની પાછી ગુરુજીને રૂપિયા આપી દેતો?ગુરુજી કહેશે રીંગણ ખાવ સ્વર્ગ મળશે તો પત્યું. શ્રી કાન્તીભટ્ટ નો કકળાટ ખોટો નથી.પણ લોકો સમજે તોને.ઘણી બાબતોમાં હું એમનો કડક આલોચક પણ છું.
*હવે એક સ્પસ્ટતા કરી લઉં કે અહી તેન્દુલકર કે બચ્ચન સાહેબ ના નામ વાચી કોઈએ પોતાની લાગણી દુભાવવી નહિ.આ તો દાખલા તરીકે છે.બધા ના નામ ક્યાં લખું?તેંદુલકર એના ક્ષેત્ર માં અને બચ્ચન સાહેબ એમના ક્ષેત્ર માં મહાન છે.પણ આ બધા કરતા મારા માટે વધારે મહાન શ્રી અનિલકપુર છે,કારણ એ આવી કચરાની જાહેરાત માંથી કરોડો રૂપિયા બનાવી શકતા હતા પણ બનાવ્યા નથી.કદાચ એ કોઈ ખાસ એડ માં આવ્યા હોય એવું જાણ્યું નથી.
*સાર એ છે કે કચરો તમે ઉપયોગ માં લોછો એટલે જ આ લોકો વેચે છે.ઉપયોગ માં લેવાનું બધ કરશો તો વેચવાનું બધ થશે ,તો પછી અમેરિકા થી આવતો ગંદવાડ બધ થઇ જશે.
*જાણ ખાતર અમેરિકામાં પેપ્સી કંપનીના સી.ઈ.ઓ Indra Nooyi ભારતના છે. એમનો ૨૦૦૮ ની સાલ નો કુલ પગાર કે આવક ૧,૩૩,૮૨,૦૩૫.૦૦ ડોલર હતો.હવે આજનો ભાવ એક ડોલરના આશરે ૪૬ રૂપિયા છે તો રૂપિયામાં ૬૧,૫૫,૭૩,૬૧૦.૦૦ રૂપિયા થાય છે.તમારા આંતરડા અને હોજરી ને દાંત બગાડવાની આટલી કિંમત એમને ચૂકવાય છે.અને દુનિયા ના ત્રીજા નંબર ના પાવરફુલ સ્ત્રીઓમાં ગણાય છે. પણ એમાં હું એમનો જરાપણ દોષ જોતો નથી,દોષ આપણો છે.અને આપણે એમને જોઇને ગર્વ અનુભવીએ છીએ. હવે એમનો ફોટો પણ જોઈલેજો.
![62917_main[1]](https://brsinh.files.wordpress.com/2009/12/62917_main1.jpg?w=150&h=150)
OMG! Aa post ni koi pan Comment nathi !!? Me 1989 ma cha (Tea) piva ni chhodi hati. 10+ years pahela Coca cola jeva drinks chhodi didha chhe.
Pravin Bagga
LikeLike
બાપુ જોરદાર.
અહી તો હવે trend બની ગયો છે.
પરીક્ષણોમાં માં પણ pestisides નું પ્રમાણ વધારે આવે છે;
છતા પણ લોકો કહે છે શર ઉઠાકે પીઓ.
LikeLike
રજનીકાંત પણ જાહેરાતમાં નથી આવતો અને પોતાની ફિલ્મ માટે માર્કેટિંગ નથી કરતો..!!!
LikeLike
હા.. મને અને મારા પરિવારને કયારે પણ પેપ્સી-કોલા પીવાની ખાસ ઈચ્છા નથી થતી..!! નેચરલ જ્યુસ અમારી પહેલી અને છેલ્લી પસંદગી છે..!!
LikeLike
મારા પરીવારમાં ભાગ્યે જ કોઇક વાર સોડ પીધા હશે.
LikeLike