ભારતમાં વૈજ્ઞાનિકોની કદર થતી નથી.

ભારતમાં વૈજ્ઞાનિકોની કદર થતી નથી. આપણે ભારતીયો જ વૈજ્ઞાનિકો ની કદર કરતા નથી,તો બીજા શું કરવાના હતા? સાચુજ કહ્યું કે આપણે નેતાઓ અને અભીનેતાઓ ની જ કદર કરીએ છીએ.છાપાઓ પણ અભિનેતાઓ ની ખુશામત માં તૂટી પડે છે.આતો વેન્કી પરદેશ માં હતા બાકી અહી રહ્યા હોત કોઈ ઓળખતું પણ ના હોત.અને આવા કેટલાય વૈજ્ઞાનિકો છે જેઓની કોઈએ કદર કરી નથી.આતો અબ્દુલ કલામ ભાગ્યશાળી છે,કે લોકો જાણે છે.જેઓ ખરા અર્થ માં હીરો છે એમને આપણે હીરો કહેતા નથી .આ બીગ બી સારા માણસ છે,પણ એમની ખુશામત માં બધા તૂટી પડ્યાછે.બધું પ્રેસ અને છાપાવાળાઓના હાથમાં છે.આ પત્રકારો જેને હીરો બનાવશો એનેજ લોકો માનશે.પત્રકારો જ ફિલ્મી ટટુ ઓની ખુશામત કર્યા કરશે,નેતાઓની ખુશામત કર્યા કરશે તો લોકો આ લોકોને જ હીરો માનશે.પણ વૈજ્ઞાનિકો તો એટલા પૈસા વાળા હોતા નથી,પછી એમની વાત જ કોણ કરે?આપણે અણુ ધડાકા કર્યા પછી બધા દેશોએ વૈજ્ઞાનિક પ્રોજેક્ટોમાં આપણ ને મદદ કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો.ઘણા તો સંયુક્ત પ્રોજેક્ટો હતા.એલ.સી.એ. નો પ્રોજેક્ટ  સંયુક્ત હતો,એ આપણાં વૈજ્ઞાનિકોએ જાતે પૂરો કર્યો. આપણાં વૈજ્ઞાનિકોએ જાતે જ શંશોધનો કરી બધા પાર પડેલા કોઈ ની મદદ વગર.આપણાં સરકારી લેબો માં કામ કરતા વૈજ્ઞાનિકો નો પગાર પણ કેટલો ટૂંકો હોય છે?એની કોઈ પ્રેસ વાળાને ખબર છે?અરે એક સામાન્ય પી.એસ.આઈ.આ લોકો થી વધારે કમાતો હોય છે.પહેલા તો નેતાઓ અને અભિનેતાઓને હીરો કહેવાનું બંધ કરો,એ લોકોની ખુશામત થી છાપાઓ ભરવાનું બંધ કરો. બીગ બી ના માનમાં  એમના જન્મ દિવસ નિમિત્તે લાબીલાબી કેક કે પેસ્ટ્રી બનાવીને બહુમાન કરવાવાળા છાપાંઓને કોઈ વૈજ્ઞાનિક નો જન્મ દિવસ યાદ છે?અણુ ધડાકા કોઈ એકલા અબ્દુલ કલામ થી થોડા શક્ય બને છે?સેકડો વૈજ્ઞાનિકોનો સહિયારો પ્રયાસ હોય છે.એતો ડીફેન્સ લેબ ના વડા હતા.કે એક મિસાઈલ એમના એકલા થી થોડું સફળ થાય છે?એમનો મોટો ફાળો ગણાય,છતાં બીજા સેકડો અનામી,અજાણ્યા વૈજ્ઞાનિકો એ એમાં મહત્વનું કામ કરેલું હોય છે.પણ આ લોકો તો એક મામલતદાર કે સબ ઇન્સ્પેક્ટર જેટલું પણ કમાતા હોતા નથી.દંભી પત્રકારો નેતાઓ અને અભિનેતાઓ ના જ ગુણ ગાન ગાવામાં પડેલા છે.જોકે વૈજ્ઞાનિકોને પણ પડી જ હોતી નથી કે કોઈ એમના ગુણગાન ગાય અને પ્રસિદ્ધી આપે.એ લોકોતો એમના કામ માં મસ્ત હોય છે.એ લોકો ક્યારેય ફરિયાદ પણ નથી કરતા.કરુણતા એ છે કે જે છાપાવાળા એમને પ્રસિદ્ધી આપવામાં રસ નથી ધરાવતા એજ છાપાવાળા ફરિયાદ કરે છે કે ભારતમાં વૈજ્ઞાનિકોની કદર થતી નથી.આતો ભાજપ ને થોડી સદબુદ્ધી સુજી કે અબ્દુલકલામ ને રાષ્ટ્રપતિ બનાવ્યા.પણ કોઈ સાયંસ કે એવા કોઈ ખાતા ના કેબીનેટ પ્રધાન બનાવ્યા હોત તો વધારે ફાયદો થાત.એમનો કોઈ રાજકીય હેતુ હશે એટલે રબર સ્ટેમ્પ જેવું પદ આપી દીધું .કદર ની કદર અને ડખલ તો ના કરે.ગુજરાત ના પનોતા પુત્ર એવા સામ પિત્રોડા એ ફક્ત એક રૂપિયો પગાર લઈને રાજીવ ગાંધીનું ઘેર ઘેર ટેલીફોન અને ગામે ગામ એસ.ટી.ડી.,પી.સી.ઓ. અને ટીવી નેટવર્ક નું સપનું પૂરું કર્યું.પણ પછીની સરકારોએ એમને ખાલી બેસાડી રાખ્યા.ઇન્ફોટેક ની ક્રાંતિ ની ભારતમાં શરૂઆત થઇ ગુજરાત થી અને આગળ નીકળી ગયું બેંગલોર.પછી આવે નંબર હૈદરાબાદઅને પુના નો ગુજરાત ખોવાઈ ગયું.અસલ હિંદુ ધર્મ સાયન્ટીફીક હતો.પણ પછીના ધાર્મિકવડા ઓએ એમના રોટલા શેકી ખાવા સાયન્સ દુર કરી દીધું.શુન્ય,ગણિત,આયુર્વેદ,યોગા,પ્લાસ્ટિક સર્જરી,જ્યોતિષ ના કારણે ખગોળ નું જ્ઞાન,વૈદિક ગણિત,કામસૂત્ર  આ બધું સાયંસ નથી તો શું છે?નેતા,અભિનેતાઓ ની કદર કરો.વૈજ્ઞાનિકો પ્રસિદ્ધિના ભૂખ્યા નથી.એમને ખાલી શંશોધનો કરી શકે કોઈ તકલીફ વગર એટલી ખાલી સગવડ આપો એટલે બહુ થયું.
           આ આર્ટીકલ ની ઉપર લેફ્ટ માં જે ફોટો છે,તે એવાજ એક અનામી વૈજ્ઞાનિક નો છે.એઓશ્રીએ વડોદરાની મહારાજા સયાજીરાવ યુની. માંથી બી.ઈ.પછી એમ.ઈ અને કેનેડા થી પી.એચડી. ની ડીગ્રી મેળવ્યા પછી ભારત સરકારની રીસર્ચ લેબ માં જોડાઈ,મોટાભાગ ના મિસાઈલ પ્રોજેક્ટો માં તથા એલ.સી.એ ના પ્રોજેક્ટ માં પણ મહત્વનું કામ કરી ને એમના વિભાગ ને  નેશનલ એવોર્ડ આપાવ્યો હતો.એમની ત્રણ બુક્સ પબ્લીશ થયેલી છે.એક બ્રિટન થી બે અમેરિકા થી.એમના ૧૫૦ જેટલા રીસર્ચ પેપર પબ્લીશ થયેલા છે. કવિ હૃદય ધરાવતા આ વૈજ્ઞાનિક ની અંગ્રેજી કવિતાઓની એક બુક કેનેડા થી અને એક ભારતમાંથી પબ્લીશ થઇ છે.સાઉથ આફ્રિકાની સરકારે ત્યાના વૈજ્ઞાનિકોને ગાયડંસ આપવા દોઢ વરસ આ વૈજ્ઞાનિક ની સેવા લીધી છે.આ અનામી વૈજ્ઞાનિક ગુજરાતી છે.   

      

એમનો પરિચય જે એમની કવિતા ની બુક્સ”Sandybonds”માં આ પ્રમાણે છે.

He was born in 1947 in India. He has BE and ME degrees from MS University of Baroda, Vadodara and PhD from McMaster University, Canada. He worked as a scientist in well known lab of GOVT of India, Bangalore for nearly three decades. He has been fellow/senior member/member of many professional societies/bodies and has served on many administrative/ technical/ examination committees. He has reviewed technical papers for several International Journals and visited several countries on deputation. He has guided several Master/Doctoral level students. He has authored (jointly) three technical books (one published by IEE/IET, London, UK, 2004; two by CRC Press, USA, 2008/2009) in the area of his work and specialization and has also published 150 papers/reports. He has also authored a book ‘Poetry of Life’ (Trafford Publishing, USA, Sept. 2009) containing 110 poems. His research interests are modeling, parameter estimation, data fusion, flight mechanics modeling & analysis, fuzzy systems, genetic algorithms, neural networks and robotics. His reading interests are science, evolution and philosophy.
 Read his poems here,,www.thepoetscientist.blogspot.com

 

2 thoughts on “ભારતમાં વૈજ્ઞાનિકોની કદર થતી નથી.”

  1. A.p.j. Abdul Kalam was made indian president. That is why he came in to the limelight ,otherwise who knew him. As long as “nachne aur bajanewales” are national heroes this nation will not progress.

    Like

  2. Bharat ni praja no duniya ma joto jade tem nathi shitla ni rashi pan mukavse ane shitla matani badha pan leshe have je janmyaj na hata teva shitla matana mandiro ghana gamda ma malse pan shitla ni radhi sodhnar vaignyanik nu nam bahu ochha janta hase. aa chhe deshni krutaghnta vihin praja.

    Like

Leave a comment