નમાલી સરકાર અને ત્રાસવાદ

                                          રાજનેતાઓ કોઈ પણ પક્ષ ના હોય ભગવા ઝંડા ધારી  હોય કે બીજા કોઈએ કશું ઉકાળ્યું નથી.બધા સરખાજ છે.કારગીલ માં આપણી હદ માં ત્રણ ત્રણ માળની બંકરો બની ચુકી હતી.અને પાકિસ્તાની સેના આપણા ઘરમાં જ ઘુસેલી હતી,સંસદ પર હુમલો અને કંદહાર માં સામે જઈને મૂકી આવનારા આ જ ભગવા ધારીઓ નેતા પદે હતા.બધાને થતું હશે હું વારેઘડીયે ધર્મ ને કેમ વચમાં લાવું છું?સવાર થી તે સાજ સુધી તમારા દરેક વર્તન પર ધર્મ ની અસર હોય છે.તમારું ઘડતર અને સાયકોલોજી ધર્મ થકી જ ઘડાય છે.ગીતાજી મારું ઓલ ટાઈમ ફેવરીટ પુસ્તક છે. સમજો એ યુધ્ધના મેદાન માં રચાયું છે.કોઈ ઘર માં કે જંગલ કે આશ્રમ માં નહિ.અને જયારે અર્જુન નમાલો થઇ ને ઘેલા કાઢવા માંડ્યો અને અહિંસા ના બકવાસ ગાણાં ગાવા લાગ્યો ત્યારે ગીતાજી ની રચના થઇ છે.આજનો હિંદુ નમાલો કાયર થઇ ચુક્યો છે એનો હું જરૂર વિરોધી છું.રાજસૂય યજ્ઞ અને અશ્વમેઘ યજ્ઞો કરી દુનિયા જીતવા નીકળતા એ હિંદુઓ નો હું સમર્થક છું.અહિંસા ફક્ત નિર્દોષ માટે હોય દોશી ને આતતાયી માટે કે ત્રાસવાદી માટે ના હોય.હિદુ કોણ હતા?જેમના ધનુષબાણ અને સુદર્શન ચક્ર અને પરશુ દોશી લોકોને સજા કરવા હમેશા તત્પર હતા,એમના આ હિદુ અનુયાયીઓને આ શું થયું છું. ?કેમ નમાલા થઇ ગયા છે?.આપણાં દરેક અવતાર કે ભગવાન ના હાથ માં કાતિલ વેપન્સ છે,ભલે તે સ્ત્રી(માં અંબા,માં દુર્ગા) હોય.સ્ત્રીઓ પણ નમાલી કે કાયર ના હતી.જો તમે નમાલી અહિંસા ને કાયરતા ના પાઠ ભણાવતા ૨૨૦૦૦ સંપ્રદાયોને હિંદુ ધર્મ માનતા હોવ તો એ હિંદુ વિષે જ હું વિરુધ લખું છું.આપણે તો અહિંસક આપણે તો અહિંસક ના જ ગાણા હમેશા ધર્મગુરુ ઓ દ્વારા ગવાતા હોય ત્યારે તમે પ્રજા પર એની અસર પડવાનીજ.પ્રજા કાયર બની ચુકી છે.એજ કાયર પ્રજામાંથી નેતાઓ ચૂંટાતા હોય છે એમના માં બહાદુરી ક્યાંથી આવે?કુવા(પ્રજા) માં હોય તો હવાડા(નેતા) માં આવેને?.એક કસાબ ને સાચવવાનો ખર્ચ પણ કેટલો બધો?શહીદ ભગત સિંહજી ને ફાંસી આપી લાહોર માં ત્યારે એક પણ પત્થર ફેકાયો નહોતો.એ દિવસ થી ભારતની જવાની ખતમ થઇ ગઈ એવું એક ભારે વિવાદાસ્પદ ગણાતા સંતે કહેલું. કોઈ માનવ સાકળ કે વિરોધ નોધાયો ના હતો કેમ?.ઉત્તર માં ગુરુ ગોવીન્દ્સીન્હેં,મધ્યમાં રાણા પ્રતાપે અને દક્ષીણ માં શિવાજી મહારાજે આ ત્રણ જણે સમયે સમયે તલવારો ના ખેંચી હોત તો આપણાં બધા સાથે અહીન્સકો પણ નમાજ પઢતા હોત.આપણ ને કાયર તા ના પાઠ કોણ ભણાવે છે?બોર્ડર પર લશ્કર હમેશા યુદ્ધ(હિંસા) કરવા તૈયાર છે ત્યારે આપણે અહિંસા ના ગાણા ગાઈ શકીએ છીએ.એક જમાદાર પ્લેટફોર્મ પર મુંબઈ માં ખાલી ખુરશીઓ ફેંકી ને ત્રાસવાદીને ભગાડતા જીવ આપી દે છે,અને હજારો કાયરો ભાગતા હોય.કેટલા બહાદુર અફસરોએ જીવ આપ્યા છે અને તમે એક કસાબ ને ફાંસી ના આપીને પેલા દિવંગત અફસરો ની શું કીમત કરી?ફરી કોઈ અફસર કે પોલીસ આવી રીતે વ્યર્થ જીવ આપવા તૈયાર નહિ થાય.સરકાર અને તેપણ નમાલી કાયર સરકાર ક્યાં સુધી તમારું રક્ષણ કરશે?સ્વરક્ષણ માટેના પણ કાયદા છે.એમ કોઈ ફાંસી નથી ચડાવી દેતું.જોકે આ સરકારોનું ઠેકાણું નહિ કોઈ ત્રાસવાદીને મારો તો બહાદુરીનું પ્રમાણપત્ર આપવાને બદલે મર્ડર ના ચાર્જ માં જેલ માં પણ ધકેલી દે.મુંબઈ માં મરાયા કે બીજા ત્રાસવાદી હુમલામાં મરાયા,એ કોઈ પણ હોય એ દરેક મારા પોતાના મરાયા એવી લાગણી બીજા લોકોને કેમ થતી નથી?ભારતના કોઈ પણ ખૂણા માં ત્રાસવાદ કે બીજા કોઈ વાદ માં મરાય એ બધા મારા પોતાના જ મરાયા એવી લાગણી દરેક ભારતીય ને થવી જોઈએ.હવે જયારે પણ ત્રાસવાદી હુમલો થાય ત્યારે પ્રજા ભાગવાને બદલે સામી થાય અને પીઠ ને બદલે છાતીમાં ગોળી ખાય.ત્યારે જ બહાદુરી પૂર્વક માર્યા ગયેલા મુંબઈ પોલીસ ના જવાનો,અફસરો અને નિર્દોષ નાગરિકોને ને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે.

One thought on “નમાલી સરકાર અને ત્રાસવાદ”

  1. સાહેબ તમે તમારા આ લેખ મા જવાબ આપી દીધો છે… કુવા હોય તો હવાડામા આવે ને…યથા પ્રજા તથા રાજા ….કાયર પ્રજા ના કાયર નેતા

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s