કલાકાર રાજવી.

વડોદરાના રાજવીઓ માટે ત્યાની પ્રજામાં અનહદ માન અને ગૌરવની લાગણી આજે પણ જળવાઈ રહી છે. મહારાજા સયાજીરાવને કોણ નહિ ઓળખાતું હોય? મહારાજા પ્રતાપસિંહરાવ અને મહારાણી શાન્તાદેવીના બીજા નંબરના પુત્ર મહારાજા રણજીતસિંહ ગાયકવાડ એક બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર હતા. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનીવર્સીટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં ભણેલા પોસ્ટ ગ્રેજ્યુએટ એવા આ મહારાજા શાસ્ત્રીય સંગીતમાં પણ નિષ્ણાંત હતા. લોકસભામાં ૧૯૮૦ અને ૧૮૮૪ એમ બેવાર ચૂંટાયા પણ હતા. આમ રાજકારણી પણ હતા.
તેઓશ્રી એક સારા ચિત્રકાર, સંગીતકાર અને ક્રિયેટીવ શિલ્પકાર હતા. ૧૫ ડીસેમ્બર ૧૯૬૪મા મહારાણી શુભાન્ગીદેવી સાથે પરણેલા આ મહારાજાને ત્રણ સંતાનો હતા. એમાંના મોટા કુંવરી અલૌકિકા રાજે જસદણનાં દરબાર સત્યજીતકુમાર ખાચર સાથે પરણેલા, બીજા રાજકુમારી અંજના રાજે શ્રી અપ્રતિમ સેનગુપ્તા સાથે અને એમના રાજકુમાર સમરજીતસિંહ ગાયકવાડ વાંકાનેરનાં રાજકુંવરી રાધીકાકુમારી
સાથે પરણેલા છે.
સાથે પરણેલા છે.આજે ૧૦ મેં, ૨૦૧૨ નાં રોજ કેન્સરની બીમારીના કારણે વડોદરાના સરળ સાલસ અને લોકપ્રિય એવા મહારાજાની અવસાન થયું છે. એમની કલાપ્રીતી વડે લોકોમાં સદાય જીવંત રહેવાના એવા મહારાજા રણજીતસિંહ ગાયકવાડને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

