ભક્તોની ભરમાર.

ભક્તોની ભરમાર.
મિત્રો અગાઉના લેખમાં મેં એક વાક્ય સારરૂપ લખેલું લાલ અક્ષરે કે પુરુષનો સ્વભાવ વસ્તુલક્ષી અને સ્ત્રીનો સ્વભાવ માનવીય વધુ સમજવો.હવે આગળ વાંચો.

ભારતમાં આટલાં બધા ભક્તો કેમ પાક્યા?આટલાં બધા સંતો,મહંતો,સંપ્રદાયો,ભક્તો બીજા કોઈ દેશમાં નહિ હોય.અહી કેમ?છતાં કોઈ પ્રગતિ,કોઈ સુધારણા કેમ થતી નથી?કોઈ નૈતિકતા કેમ અમલમાં મુકાતી નથી.સરેરાશ ભારતીય પુરુષ ફીમેલ બ્રેઈનથી વધુ વિચારતો હોય છે.કોઈતર્ક,ગણિત કે લોજિક એમાં દેખાતું નથી.બધી વાતો હવામાં અદ્ધર,જમીન પર પગ હોતા નથી.દરેક વાતમાં ફક્ત અને ફક્ત ભગવાન જ દેખાય છે.જે કશું ભારત માટે વિશેષ કરવાનો નથી કે કરતો નથી,કારણ ભગવાન માટે આખી દુનિયાના દરેક માણસો,પ્રાણીઓ,દેશ અને જાતી સમાન છે.ભારત માટે વિશેષ પ્રેમ હોય કે પક્ષપાત હોય તેવું કદાપિ ના હોય,જો ભગવાન હોય તો.અને જો પક્ષપાત રાખે તો એ ભગવાન ના કહેવાય.
એક તત્વજ્ઞાનનાં અધ્યાપક શું કહે છે,તે જુઓ.એમના કહેવા પ્રમાણે ભારતને આઝાદી ભગવાને અપાવી.ભલે ગાંધીજી અને બીજા ફ્રીડમ ફાઇટર લડ્યા કે મહેનત કરી,પણ ખરેખર ભારતને આઝાદી ભગવાને અપાવી છે.તો ગાંધીજીએ મહેનત નકામી કરી,અને ગોળીઓ ખાધી.ચાલો એમનો તર્ક માણીએ.એમનું કહેવું છે કે ભારત આઝાદ થયું ત્યારે બ્રિટનનો વડાપ્રધાન એટલી હતો,જે મજૂર પક્ષનો હતો.એના પહેલા બીજા વિશ્વયુદ્ધ વખતે ચર્ચિલ વડાપ્રધાન હતો જે ભારતને આઝાદી આપવાનાં સમર્થનમાં ના હતો.બીજા વિશ્વયુદ્ધમાં જીતવા છતાં પછીની ચૂંટણી ચર્ચિલ હારી ગયો.હવે મજૂર પક્ષના વડાપ્રધાન એટલી આવ્યા અને ભારતને આઝાદી આપી દીધી.ત્યાર પછી વર્ષો લગી મજૂર પક્ષ સત્તા પર આવ્યો નહિ.એટલે ભગવાને આયોજન કર્યું,ચર્ચિલ હાર્યો,એટલી આવ્યા.આઝાદી અપાઈ ગયા પછી વર્ષો લગી મજૂર પક્ષ સત્તા પર આવ્યો નહિ.આ બધું આયોજન ભગવાને કર્યું અને ગાંધીજીએ નફામાં ગોળીઓ ખાધી.ના કોઈ લોજિક ના કોઈ ગણિત.જુઓ ભારતના એક તત્વજ્ઞાનનાં અધ્યાપકની શોચ.તો પછી ભારતને ૮૦૦ કે ૯૦૦ વર્ષની ગુલામી કોણે આપી? ત્યારે ભગવાન ક્યાં હતા?ભગવાને આવા નાટક શું કામ કરવા પડે કે પહેલા ગુલામી આપો,પછી ચર્ચીલને હરાવો પછી આઝાદી અપાવો.
શ્રી કૃષ્ણનાં માથે મોરપંખ કેમ?બીજું કશું કેમ નહિ?ચાલો એક ભારતીય વિધાર્થીની શોચ જોઈએ.એણે ઘણા મહિના વિચાર કર્યા,મગજનું દહીં કર્યું પછી એને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું કે મોર શારીરિક સંસર્ગ ઢેલ સાથે કરતો નથી,મોરના આંસુ પીને ઢેલ ગર્ભવતી બને છે,માટે રીયલ બ્રહ્મચારી છે.કૃષ્ણ પણ બાલબ્રહ્મચારી ગણાય છે માટે મોરપંખ માથે લગાવે છે.ના કોઈ તર્ક ના કોઈ જ્ઞાન ના કોઈ વિજ્ઞાન.એવરેજ ભારતીય ધાર્મિક વધારે હોય છે.રોજ પૂજા પાઠમાં સમય વ્યતીત વધારે કરતો હોય છે.પૂજા પહેલી કામ પછી.ઇવન ડૉક્ટર,સાયન્સ ગ્રૅજ્યુએટ,તર્ક શાસ્ત્રનો નિષ્ણાત,એન્જીનીયર કોઈ પણ હોય ધાર્મિક પૂજાપાઠમાં સમય વ્યતીત કરતો હોય અને અતાર્કિક વાતોમાં બીલીવ કરતો હોય છે.ભણતર ખાલી ટેક્નિકલ માહિતી બની જતું હોય છે.
અતાર્કિક વાતોમાં લાગણીનું તત્વ વધુ હોય છે.અતાર્કિક વાતો ફીમેલ બ્રેઈન વધુ કરી શકે,મેલ બ્રેઈન નહિ.ભારતીય સમાજ ઉપર ભક્તોની ખૂબ મોટી અસર છે.ભક્તો એટલાં બધા થઈ ગયા છે કે યાદ પણ ના રહે.નારદે ભક્તિ સૂત્રો લખ્યા છે.મીરાં,દયા,સહજોબાઈ,કબીર,ચૈતન્ય,વલ્લભાચાર્ય,સુરદાસ,અષ્ટસખા,એકનાથ,તુકારામ,નરસિંહ,જીવણ,ગંગાસતી ભરમાર એટલી બધી છે કે યાદ કરવું મુશ્કેલ.ભારતનો કોઈ ભાગ,પ્રાંત,જિલ્લો કે તાલુકો બાકી નહિ હોય જ્યાં કોઈ મહાન ભક્ત પેદા થયો ના હોય.આશરે ૨૫૦૦૦ કરતા વધારે સંપ્રદાયો છે,બધા ભક્તિ સંપ્રદાયો છે.કોઈ યોગ માર્ગના કે અદ્વૈત માર્ગના હોય તેવું બહુ ઓછું હશે.યોગ,રાજયોગ એ મેલ બ્રેઈનનું ઉત્પાદન છે.ભક્તિ ફીમેલ બ્રેઈનનું ઉત્પાદન છે.યોગમાં એક પધ્ધતિ છે,નિયમસર છે.પુરુષ જયારે ભક્ત બને ત્યારે વધારે પડતી કલ્પનાઓ કરતો હોય છે.કોઈને વિઠોબા દેખાય છે,કોઈ બાળકૃષ્ણ સાથે રમે છે.કોઈ મહાકાળી સાથે વાતો કરે છે.કોઈનું ધરાવેલું દૂધ કૃષ્ણ આવીને પી જાય છે.કોઈને રાસલીલાના પ્રત્યક્ષ દર્શન થાય છે.૫૦૦૦ વર્ષ પહેલા થયેલો એક ઐતિહાસિક પુરુષ આજે નવરો હશે?મેં જાતે એક ભાગવત કથાકારને રડતા જોયા છે વ્યાસપીઠ ઉપર.હવે ૫૦૦૦ વર્ષ પહેલા થયેલા બાળક વિષે કોઈ આધારભૂત માહિતી હોય કે ના હોય પણ એને યાદ કરીને આજે રડવું તે ફીમેલ બ્રેઈન જ કરી શકે.જે વસ્તુ હાજર ના હોય છતાં એને જોવી એક્ષ્ટ્રીમ ફીમેલ બ્રેઈન નું કામ છે.જેને પેરનાઈડ સ્કીજોફ્રેનીયા કહેવાય.બસ આ ભક્તોની ભરમારે આખા દેશને સ્કીજોફ્રેનીક મનોદશાના પ્રવાહમાં તરતો કરી દીધો.બધાને જ્યાં અને ત્યાં ફક્ત ભગવાન જ દેખાય છે.ભારતને આઝાદી ભગવાને અપાવી ને ગુલામી કોણે અપાવી?આઝાદી અપાવવી હતી માટે ગુલામી અપાવી? આટલાં બધા સોશિયલ રીફોર્મર પેદા થયા પણ કોઈ વ્યવસ્થિત સોસાયટી ઊભી થઈ નહિ.કોઈ શિસ્તબદ્ધ સમાજ પેદા થયો નહિ.મેલ બ્રેઈન ટાઈમ કોન્શિયસ હોય છે.શિસ્ત,આયોજન,એક ચોક્કસ પધ્ધતિ,તર્ક અને ગણિત એ મેલ બ્રેઈનનો સ્વભાવ છે.સ્ત્રીઓ ટાઈમ કોન્શિયસ હોતી નથી તે સહુ જાણે છે.ભારતમાં કોઈ કામ નિયમસર અને ચોક્કસ સમય મર્યાદામાં થતું નથી.એવરેજ ભારતીયોની વાત છે બધાની નહિ.ભારતમાં મેલ બ્રેઈન અને ફીમેલ બ્રેઈનનું બેલેન્સ જળવાયું નહિ.અને મેઈલ બ્રેઈન ધરાવતા આક્રમણકારીઓ જીતી ગયા.વધારામાં આક્રમણકારીઓના ભારે દબાણ હેઠળ જીવતી પ્રજા લડવાને બદલે,સામનો કરવાને બદલે વધારે ને વધારે ભગવાન તરફ ઢળતી ચાલી.વધારે ને વધારે કમજોર બનતી ચાલી.દુષ્ચક્રનો કોઈ અંત જ નહિ.મુસ્લિમ આક્રાન્તાઓ આવ્યા પછી ભક્તિ મુવમેન્ટ ખૂબ જોર પકડવા લાગી.લોકો નિસહાય બની ભગવાનને પોકારવા લાગ્યા.પ્રજા એક ભ્રાંત દિલાસામાં રાચવા લાગી.ભગવાન આવશે,સબ ઠીક હો જાયેગા.મોટાભાગના ભક્તો આ સમયગાળામાં થયા છે.
કોઈ પણ વિષય કે બાબત હોય લાગણી,ભાવનાઓનું પાગલપન હોવું તે ભારતની ઓળખ બની ગઈ છે.ક્રિકેટ હોય કે રામ મંદિર,બાબરી મસ્જિદ હોય કે ગણેશોત્સવ,ઉત્તરાયણ હોય કે દશામાં,હોળી હોય કે સાંઈબાબા.પાગલપન સિવાય કશું દેખાતું નથી.ક્રિકેટ સારું છે પણ એનું પાગલપન ખોટું.તહેવારો સારા છે પણ એનું પાગલપન ખોટું.સાંઈબાબા,ગણપતિ,હનુમાનજી બધા સારા પણ એમનું પાગલપન ખોટું.ઉત્તરાયણ પહેલા એક દિવસની મેં જોઈ છે,હવે બે દિવસની થઈ ગઈ છે.ક્રિકેટ મેચના દિવસે કચેરીઓમાં સ્વૈચ્છિક હડતાલ જેવું હોય છે.૯૯% ભારતીયો ભાવનાઓના પ્રવાહમાં તણાઈ જતા હોય છે.અરે એક નારો એક સિમ્બોલ એક ચિત્ર ભારતને લાગણીના પ્રવાહમાં તાણી જઈ શકે છે.’ગરીબી હટાવો’ એક નારો અને કોંગ્રેસ જીતી જાય છે,એની પાછળ કોઈ તર્ક છે કે નહિ ?કોઈ નહિ વિચારે કે ભાઈ ગરીબી રાતોરાત ના હટે.ગાય વાછરડું ચિન્હ રાખો અને ચુંટણી જીતી જાઓ.આપણે શિસ્તબદ્ધ પ્રજા નથી તેવું કહેવું જરાય ખોટું નથી.માટેજ એક નાનકડા દેશની શિસ્તબદ્ધ પ્રજા આપણા ઉપર ૨૦૦ વર્ષ રાજ કરી ગઈ.એક આક્રમક સ્વભાવનું નાનકડું જૂથ ૭૦૦ વર્ષ રાજ કરી ગયું.પાગલપન ના તર્કનું હોવું જોઈએ,ના લાગણીઓના પાગલ પ્રવાહમાં ડુબકા ખાવા જોઈએ.
શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે?ઇવોલ્યુશનરી મનોવિજ્ઞાન શું કહે છે?આવતા અંકમાં જોઈશું.