શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે? Hard Truths About Human Nature.

ProcesionMercedes
Image via Wikipedia

શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે? Hard Truths About Human Nature.

દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, કોઈ પણ સમાજને ફંફોસો, કોઈને કોઈ પ્રકારનો ધર્મ લોકો પાળતા હશે. ભલે એમાં વિવિધતા હોય, માન્યતાઓ અને નીતિનિયમો જુદા જુદા હોય પણ ધર્મ અને ધાર્મિકતા બધે જોવા મળશે. માટે એવું વિચારાય છે કે માનવ ધાર્મિક બનવા ઇવોલ્વ થયો છે. શું તે સાચું છે? ચાલો ઇવોલ્યુશનરી સાયકોલોજી શું કહે છે જોઈએ.

વિકાસના ક્રમમાં માનવને જિન્સમાં મળેલું છે એક માનવ વંશનું ઝરણું વહેતું રાખવું, બીજું જીવતા રહેવા કોઈ પણ ઉપાય શક્ય કરતા રહેવું, કોઈ પણ હિસાબે સર્વાઈવ થવું. સર્વાઈવ થવાનો એક લાંબો પ્રોસિજર છે માનવ વંશનું ઝરણું વહેતું રાખવું. માનવ પોતાના જિન્સ બીજી પેઢી એટલે પોતાના સંતાનોમાં ટ્રાન્સ્ફર કરી, એક રીતે પોતે જીવતો રહે છે. હાલનું શરીર ભલે કુદરતના નિયમ આધારિત નાશ પામે તે જીવતો છે એના ટ્રાન્સ્ફર કરેલા જિન્સને લઈને. ઉલટાની એમાં પેઢી દર પેઢી પ્રગતિ થાય છે, વિકાસ થાય છે માટે વિકાસ પામતો જતો જીવંત છે. હજારો વર્ષ પછી પણ હું જીવતો જ હોઈશ અને તે પણ વધુ વિકાસ પામેલો.
આના માટે માનવ નર હંમેશા આતુર હોય છે એનું બીજ સ્ત્રીમાં રોપી દેવા. કોઈ પણ સારી સ્ત્રી જોઈ, એની સુગન્ધ ભાવી ગઈ કે તે ઉતાવળો થવાનો એનું બીજ પ્રત્યારોપણ કરી દેવા. એના માટે સ્ત્રીની હા છે તેવી ધારણા બાંધી સાંનિધ્ય કેળવવા દોડી જવાનો. હવે દર વખતે સ્ત્રીની હા ના હોય. સ્ત્રી ખાલી સામાન્ય મિત્રાચારી પણ ઇચ્છતી હોય. આગળ વધવા તૈયાર ના હોય. એમાં ભાઈની ઑફરના જવાબમાં લાફો પણ મળે, ચપ્પલ પણ મળી જાય. હવે ભૂલ તો થઈ ગઈ. કોઈ વાંધો નહિ, ફરી બીજે ટ્રાય ચાલુ. ફરી લાફો મળે પણ વારંવાર ટ્રાય ચાલુ જ રહેવાના. વારંવાર ભૂલ થાય પણ ટ્રાય ચાલુ કેમ રહેતા હોય છે? હવે ચાલો ભાઈ સમજી ગયા કે કોઈ સ્વીકારતું નથી, અને કોઈ સ્ત્રી સંપર્કમાં આવી છતાં ભાઈ તરફથી અગાઉની કરેલી ભૂલોના લીધે, મળેલા ઇન્કારને લીધે પ્રયત્ન થયો નહિ. તે જ સમયે આ સ્ત્રી ખરેખર તૈયાર હતી રીપ્રોડક્શન માટે. હવે ચાન્સ ગુમાવ્યો. કિંમત ચૂકવવી પડી બહુ મોટી કે ચાન્સ ગુમાવ્યો. આ થઇ ફોલ્સ નેગેટીવ એરર. કુદરત કોઈ ચાન્સ લેવા માંગતી નથી. ભૂલોના લીધે બહુ મોટી કિંમત ચૂકવવી પડે તે માન્ય નથી. એટલે એક પણ ચાન્સ ગુમાવવો ના હોય તો વારંવાર ભૂલ થાય છતાં પ્રયત્ન કરતા રહેવો તે માટે માનવ ઇવોલ્વ થયેલો છે. એટલે વારંવાર ઇનકાર મળશે પણ કોઈ વાર તો હકાર મળશે આવું વિચારવું, આ થઇ ફોલ્સ પોજીટીવ એરર. ચાન્સ ગુમાવવો પાલવે નહિ માટે માનવ ભૂલો વારંવાર કરશે પણ એની મોટી કિંમત ચૂકવવી ના પડે તે પહેલું જોવાનું માનવ શીખ્યો છે ઉત્ક્રાન્તિના વિકાસના ક્રમમાં. આને એરર મૅનેજમેન્ટ કહેવાય. એરર ભલે થાય કોસ્ટ ચૂકવવી ના પાલવે. માટે માનવ વધુ પડતી ધારણાઓ બાંધી લેવાનું શીખ્યો છે, Overinfer.

હવે બીજો દાખલો વિચારીએ. આપણો કોઈ પૂર્વજ આફ્રિકાના ગાઢ જંગલમાં ફરી રહ્યો છે. એવામાં કોઈ વિચિત્ર અવાજો આવે છે અને એક મોટું ફળ વૃક્ષ ઉપરથી એના માથે પડે છે. બે ધારણાઓ છે. એક તો પવનના સુસવાટાનો અવાજ છે અને ગુરુત્વાકર્ષણને લીધે ફળ વૃક્ષ પરથી નીચે એના માથા ઉપર પડ્યું છે. બીજી ધારણા છે કોઈ હુમલાખોર એનો શિકાર કરવા ચેતવણી રૂપ અવાજો કરી રહ્યો છે અને કોઈ બીજો કોઈ હુમલાખોર વૃક્ષ પર છુપાયો છે અને તે કશું મારી નાખવા ફેંકી રહ્યો છે. હવે ખરેખર પવનનો સુસવાટાનો અવાજ નથી અને સાચે જ કોઈ હુમલાખોરો મારી નાખવા તૈયાર છે અને એણે ધાર્યું કે આતો પવનનો અવાજ છે તો એ માર્યો જવાનો. જીવ જવાનો. આ થઈ ફોલ્સ નેગેટિવ એરર. આવું તો પાલવે નહિ. માટે જ્યારે જ્યારે આવી અણધારી પરિસ્થિતિ ઊભી થશે ત્યારે તે પહેલો વિચાર હુમલાખોર જીવ લેવા આવ્યો છે તેવું જ વિચારશે. હવે હુમલાખોર નહિ હોય તો કોઈ નુકશાન નથી. ભલે ધારણા બાંધી લીધી ભૂલ કરી. પણ ખરેખર હુમલાખોર હોય તો બાંધેલી ધારણા કામ લાગી જાય અને સામો હુમલો કરી કે ભાગી જઈને બચી  જવાય. માટે ધારણા બાંધી લેવામાં ભૂલ વારંવાર થાય તો ચાલે પણ જીવ ગુમાવવો ના પાલવે. આ થઈ ફોલ્સ પોજીટીવ એરર. એટલે પાછળ કોઈ કાવતરું છે, કોઈ નુકશાન પહોચાડવા પ્રયત્નશીલ છે તેવું માની લેવા માનવ અવિશ્વાસુ બનવા પેરનાઈડ(Paranoid)બનવા વિકસ્યો છે.

પ્રથમ માનવ Overinfer બનવા વિકસ્યો, વધુ પડતી ધારણાઓ બાંધી લેવાનું શીખ્યો. શેના વિષે? જે વસ્તુ ના હોય, જે સંજોગ કદી ઉભા થવાના ના હોય, જેનું અસ્તિત્વ જ ના હોય તેના વિષે વધુ પડતી ધારણાઓ બાંધી એમાં પ્રાણ ફૂંકવા માટે ઉત્સાહિત બનવાનું શીખ્યો છે, એવી રીતે એનું બ્રેઈન વિકસ્યું છે. એટલે પવનના સુસવાટા પણ એણે કોઈ જીવંત વ્યક્તિ લાગવાના. વીજળીના ચમકારા પણ જીવંત. બધામાં જીવ પૂરવાનું શીખ્યો. જે વસ્તુ સમજમાં આવે નહિ તેમાં પણ જીવંત દેખાવા લાગ્યું. સતત મનન અને પૂર્વગ્રહ યુક્ત ચિંતન એને સુપર નેચરલ વસ્તુઓમાં માનતો કરી દીધો. એમાંથી ભગવાન પેદા થયો. પહેલા ભગવાન વાવાઝોડા, ભૂકંપ અને ડીઝાસ્ટર મોકલનાર લાગતો હશે. પછી એને ખુશ કરવા પ્રયત્નો કરવા લાગ્યો. યજ્ઞો કરવા, ભાગ આપવો. એમાંથી ધર્મ પેદા થવા લાગ્યો. વીજળીના ચમકારે આકાશવાણી કરી ભગવાન સંવાદ કરવા લાગ્યો. એટલે ધર્મ એ બાય પ્રોડક્ટ છે. એટલે માનવ ધાર્મિક બનવા સર્જાયો નથી, પણ આતંકિત બનવા સર્જાયો છે, પેરનાઈડ બનવા સર્જાયો છે. માનવ ધાર્મિક છે કારણ આતંકિત છે, પેરનાઈડ છે.ધોળકિયા સાહેબ સાચું કહે છે કે“માણસ ધાર્મિક બનવા સર્જાયો છે એવું નથી. એ માત્ર મગજની પ્રવૃત્તિ છે. ધર્મ અને ભગવાન માણસની શોધ છે.”

માનવ ધાર્મિક છે કેમકે માનવ ભયભીત છે. આ ભયનો ઉપયોગ કરી સાધુબાવા, ગુરુઓ માનવને વધારે ભયભીત કરે છે, પછી એમાંથી બચવાના ઉપાય તરીકે એમના રોટલા પાણી કાઢ્યા કરતા હોય છે.

ભક્તોની ભરમાર.

ભક્તોની ભરમાર.
મિત્રો અગાઉના લેખમાં મેં એક વાક્ય સારરૂપ લખેલું લાલ અક્ષરે કે પુરુષનો સ્વભાવ વસ્તુલક્ષી અને સ્ત્રીનો સ્વભાવ માનવીય વધુ સમજવો.હવે આગળ વાંચો.

ભારતમાં આટલાં બધા ભક્તો કેમ પાક્યા?આટલાં બધા સંતો,મહંતો,સંપ્રદાયો,ભક્તો બીજા કોઈ દેશમાં નહિ હોય.અહી કેમ?છતાં કોઈ પ્રગતિ,કોઈ સુધારણા કેમ થતી નથી?કોઈ નૈતિકતા કેમ અમલમાં મુકાતી નથી.સરેરાશ ભારતીય પુરુષ ફીમેલ બ્રેઈનથી વધુ વિચારતો હોય છે.કોઈતર્ક,ગણિત કે લોજિક એમાં દેખાતું નથી.બધી વાતો હવામાં અદ્ધર,જમીન પર પગ હોતા નથી.દરેક વાતમાં ફક્ત અને ફક્ત ભગવાન જ દેખાય છે.જે કશું ભારત માટે વિશેષ કરવાનો નથી કે કરતો નથી,કારણ ભગવાન માટે આખી દુનિયાના દરેક માણસો,પ્રાણીઓ,દેશ અને જાતી સમાન છે.ભારત માટે વિશેષ પ્રેમ હોય કે પક્ષપાત હોય તેવું કદાપિ ના હોય,જો ભગવાન હોય તો.અને જો પક્ષપાત રાખે તો એ ભગવાન ના કહેવાય.
એક તત્વજ્ઞાનનાં અધ્યાપક શું કહે છે,તે જુઓ.એમના કહેવા પ્રમાણે ભારતને આઝાદી ભગવાને અપાવી.ભલે ગાંધીજી અને બીજા ફ્રીડમ ફાઇટર લડ્યા કે મહેનત કરી,પણ ખરેખર ભારતને આઝાદી ભગવાને અપાવી છે.તો ગાંધીજીએ મહેનત નકામી કરી,અને ગોળીઓ ખાધી.ચાલો એમનો તર્ક માણીએ.એમનું કહેવું છે કે ભારત આઝાદ થયું ત્યારે બ્રિટનનો વડાપ્રધાન એટલી હતો,જે મજૂર પક્ષનો હતો.એના પહેલા બીજા વિશ્વયુદ્ધ વખતે ચર્ચિલ વડાપ્રધાન હતો જે ભારતને આઝાદી આપવાનાં સમર્થનમાં ના હતો.બીજા વિશ્વયુદ્ધમાં જીતવા છતાં પછીની ચૂંટણી ચર્ચિલ હારી ગયો.હવે મજૂર પક્ષના વડાપ્રધાન એટલી આવ્યા અને ભારતને આઝાદી આપી દીધી.ત્યાર પછી વર્ષો લગી મજૂર પક્ષ સત્તા પર આવ્યો નહિ.એટલે ભગવાને આયોજન કર્યું,ચર્ચિલ હાર્યો,એટલી આવ્યા.આઝાદી અપાઈ ગયા પછી વર્ષો લગી મજૂર પક્ષ સત્તા પર આવ્યો નહિ.આ બધું આયોજન ભગવાને કર્યું અને ગાંધીજીએ નફામાં ગોળીઓ ખાધી.ના કોઈ લોજિક ના કોઈ ગણિત.જુઓ ભારતના એક તત્વજ્ઞાનનાં અધ્યાપકની શોચ.તો પછી ભારતને ૮૦૦ કે ૯૦૦ વર્ષની ગુલામી કોણે આપી? ત્યારે ભગવાન ક્યાં હતા?ભગવાને આવા નાટક શું કામ કરવા પડે કે પહેલા ગુલામી આપો,પછી ચર્ચીલને હરાવો પછી આઝાદી અપાવો.
શ્રી કૃષ્ણનાં માથે મોરપંખ કેમ?બીજું કશું કેમ નહિ?ચાલો એક ભારતીય વિધાર્થીની શોચ જોઈએ.એણે ઘણા મહિના વિચાર કર્યા,મગજનું દહીં કર્યું પછી એને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું કે મોર શારીરિક સંસર્ગ ઢેલ સાથે કરતો નથી,મોરના આંસુ પીને ઢેલ ગર્ભવતી બને છે,માટે રીયલ બ્રહ્મચારી છે.કૃષ્ણ પણ બાલબ્રહ્મચારી ગણાય છે માટે મોરપંખ માથે લગાવે છે.ના કોઈ તર્ક ના કોઈ જ્ઞાન ના કોઈ વિજ્ઞાન.એવરેજ ભારતીય ધાર્મિક વધારે હોય છે.રોજ પૂજા પાઠમાં સમય વ્યતીત વધારે કરતો હોય છે.પૂજા પહેલી કામ પછી.ઇવન ડૉક્ટર,સાયન્સ ગ્રૅજ્યુએટ,તર્ક શાસ્ત્રનો નિષ્ણાત,એન્જીનીયર કોઈ પણ હોય ધાર્મિક પૂજાપાઠમાં સમય વ્યતીત કરતો હોય અને અતાર્કિક વાતોમાં બીલીવ કરતો હોય છે.ભણતર ખાલી ટેક્નિકલ માહિતી બની જતું હોય છે.
અતાર્કિક વાતોમાં લાગણીનું તત્વ વધુ હોય છે.અતાર્કિક વાતો ફીમેલ બ્રેઈન વધુ કરી શકે,મેલ બ્રેઈન નહિ.ભારતીય સમાજ ઉપર ભક્તોની ખૂબ મોટી અસર છે.ભક્તો એટલાં બધા થઈ ગયા છે કે યાદ પણ ના રહે.નારદે ભક્તિ સૂત્રો લખ્યા છે.મીરાં,દયા,સહજોબાઈ,કબીર,ચૈતન્ય,વલ્લભાચાર્ય,સુરદાસ,અષ્ટસખા,એકનાથ,તુકારામ,નરસિંહ,જીવણ,ગંગાસતી ભરમાર એટલી બધી છે કે યાદ કરવું મુશ્કેલ.ભારતનો કોઈ ભાગ,પ્રાંત,જિલ્લો કે તાલુકો બાકી નહિ હોય જ્યાં કોઈ મહાન ભક્ત પેદા થયો ના હોય.આશરે ૨૫૦૦૦ કરતા વધારે સંપ્રદાયો છે,બધા ભક્તિ સંપ્રદાયો છે.કોઈ યોગ માર્ગના કે અદ્વૈત માર્ગના હોય તેવું બહુ ઓછું હશે.યોગ,રાજયોગ એ મેલ બ્રેઈનનું ઉત્પાદન છે.ભક્તિ ફીમેલ બ્રેઈનનું ઉત્પાદન છે.યોગમાં એક પધ્ધતિ છે,નિયમસર છે.પુરુષ જયારે ભક્ત બને ત્યારે વધારે પડતી કલ્પનાઓ કરતો હોય છે.કોઈને વિઠોબા દેખાય છે,કોઈ બાળકૃષ્ણ સાથે રમે છે.કોઈ મહાકાળી સાથે વાતો કરે છે.કોઈનું ધરાવેલું દૂધ કૃષ્ણ આવીને પી જાય છે.કોઈને રાસલીલાના પ્રત્યક્ષ દર્શન થાય છે.૫૦૦૦ વર્ષ પહેલા થયેલો એક ઐતિહાસિક પુરુષ આજે નવરો હશે?મેં જાતે એક ભાગવત કથાકારને રડતા જોયા છે વ્યાસપીઠ ઉપર.હવે ૫૦૦૦ વર્ષ પહેલા થયેલા બાળક વિષે કોઈ આધારભૂત માહિતી હોય કે ના હોય પણ એને યાદ કરીને આજે રડવું તે ફીમેલ બ્રેઈન જ કરી શકે.જે વસ્તુ હાજર ના હોય છતાં એને જોવી એક્ષ્ટ્રીમ ફીમેલ બ્રેઈન નું કામ છે.જેને પેરનાઈડ સ્કીજોફ્રેનીયા કહેવાય.બસ આ ભક્તોની ભરમારે આખા દેશને સ્કીજોફ્રેનીક મનોદશાના પ્રવાહમાં તરતો કરી દીધો.બધાને જ્યાં અને ત્યાં ફક્ત ભગવાન જ દેખાય છે.ભારતને આઝાદી ભગવાને અપાવી ને ગુલામી કોણે અપાવી?આઝાદી અપાવવી હતી માટે ગુલામી અપાવી? આટલાં બધા સોશિયલ રીફોર્મર પેદા થયા પણ કોઈ વ્યવસ્થિત સોસાયટી ઊભી થઈ નહિ.કોઈ શિસ્તબદ્ધ સમાજ પેદા થયો નહિ.મેલ બ્રેઈન ટાઈમ કોન્શિયસ હોય છે.શિસ્ત,આયોજન,એક ચોક્કસ પધ્ધતિ,તર્ક અને ગણિત એ મેલ બ્રેઈનનો સ્વભાવ છે.સ્ત્રીઓ ટાઈમ કોન્શિયસ હોતી નથી તે સહુ જાણે છે.ભારતમાં કોઈ કામ નિયમસર અને ચોક્કસ સમય મર્યાદામાં થતું નથી.એવરેજ ભારતીયોની વાત છે બધાની નહિ.ભારતમાં મેલ બ્રેઈન અને ફીમેલ બ્રેઈનનું બેલેન્સ જળવાયું નહિ.અને મેઈલ બ્રેઈન ધરાવતા આક્રમણકારીઓ જીતી ગયા.વધારામાં આક્રમણકારીઓના ભારે દબાણ હેઠળ જીવતી પ્રજા લડવાને બદલે,સામનો કરવાને બદલે વધારે ને વધારે ભગવાન તરફ ઢળતી ચાલી.વધારે ને વધારે કમજોર બનતી ચાલી.દુષ્ચક્રનો કોઈ અંત જ નહિ.મુસ્લિમ આક્રાન્તાઓ આવ્યા પછી ભક્તિ મુવમેન્ટ ખૂબ જોર પકડવા લાગી.લોકો નિસહાય બની ભગવાનને પોકારવા લાગ્યા.પ્રજા એક ભ્રાંત દિલાસામાં રાચવા લાગી.ભગવાન આવશે,સબ ઠીક હો જાયેગા.મોટાભાગના ભક્તો આ સમયગાળામાં થયા છે.
કોઈ પણ વિષય કે બાબત હોય લાગણી,ભાવનાઓનું પાગલપન હોવું તે ભારતની ઓળખ બની ગઈ છે.ક્રિકેટ હોય કે રામ મંદિર,બાબરી મસ્જિદ હોય કે ગણેશોત્સવ,ઉત્તરાયણ હોય કે દશામાં,હોળી હોય કે સાંઈબાબા.પાગલપન સિવાય કશું દેખાતું નથી.ક્રિકેટ સારું છે પણ એનું પાગલપન ખોટું.તહેવારો સારા છે પણ એનું પાગલપન ખોટું.સાંઈબાબા,ગણપતિ,હનુમાનજી બધા સારા પણ એમનું પાગલપન ખોટું.ઉત્તરાયણ પહેલા એક દિવસની મેં જોઈ છે,હવે બે દિવસની થઈ ગઈ છે.ક્રિકેટ મેચના દિવસે કચેરીઓમાં સ્વૈચ્છિક હડતાલ જેવું હોય છે.૯૯% ભારતીયો ભાવનાઓના પ્રવાહમાં તણાઈ જતા હોય છે.અરે એક નારો એક સિમ્બોલ એક ચિત્ર ભારતને લાગણીના પ્રવાહમાં તાણી જઈ શકે છે.’ગરીબી હટાવો’ એક નારો અને કોંગ્રેસ જીતી જાય છે,એની પાછળ કોઈ તર્ક છે કે નહિ ?કોઈ નહિ વિચારે કે ભાઈ ગરીબી રાતોરાત ના હટે.ગાય વાછરડું ચિન્હ રાખો અને ચુંટણી જીતી જાઓ.આપણે શિસ્તબદ્ધ પ્રજા નથી તેવું કહેવું જરાય ખોટું નથી.માટેજ એક નાનકડા દેશની શિસ્તબદ્ધ પ્રજા આપણા ઉપર ૨૦૦ વર્ષ રાજ કરી ગઈ.એક આક્રમક સ્વભાવનું નાનકડું જૂથ ૭૦૦ વર્ષ રાજ કરી ગયું.પાગલપન ના તર્કનું હોવું જોઈએ,ના લાગણીઓના પાગલ પ્રવાહમાં ડુબકા ખાવા જોઈએ.
શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે?ઇવોલ્યુશનરી મનોવિજ્ઞાન શું કહે છે?આવતા અંકમાં જોઈશું.

મેરી સાંસો કો જો મહેકા રહી હૈ,યે પહેલે પ્યારકી ખુશ્બુ. Hard Truths About Human Nature.

મેરી સાંસો કો જો મહેકા રહી હૈ,
યે પહેલે પ્યારકી ખુશ્બુ.
તેરી સાંસોસે શાયદ આ રહી હૈ.
 
 
બદલતે રીશ્તેનું ઉપરનું ગીત ખૂબ કર્ણપ્રિય છે. મારું ફેવરીટ છે. રચનાકારને કદાચ ખબર નહિ હોય પણ એમાં ઈવોલ્યુશનરી સાયંસ, બાયોલોજી અને સાયકોલોજી સમાયેલી છે. Rachel Herz (Ph .D).Brown  Uni ગંધ સુગંધ જ્ઞાનની  આ મહારાણી શું કહે છે?
યુ.એસ.ગ્રેટીંગસ કાર્ડ એસોસિયેશન કહે છે કે વેલેન્ટાઇન ડે નિમિત્તે ૮૫% ટકા કાર્ડની  ખરીદી સ્ત્રીઓ દ્વારા થાય છે. એનો મતલબ એ છે કે સ્ત્રીઓ ચૂંટે છે તેમની પસંદ. સ્ત્રીઓ પસંદ કરનાર છે. એમના હાથમાં છે પુરુષોની પસંદગી. ઘણા બધા સર્વે સાબિત કરે છે કે પુરુષની પસંદનું મહત્તમ  મહત્વ  હંમેશા સુંદર, આકર્ષક અને સેક્સી ફિગર અને દેખાવ ધરાવતી સ્ત્રી હોય છે. બીજું પછી આવે. સ્ત્રીઓને મન વધારે મહત્વ હાઈ સ્ટેટસ, પાવર, રીસોર્સીસ અને પૈસો છે. પણ સાવ એવું નથી. આવનાર બાળક માટે પુરતા રીસોર્સીસ અને સલામતી જોઈએ. પણ આવનાર બાળક હેલ્ધી પણ જોઈએ, આકર્ષક પણ જોઈએ. ભૌતિક ફાયદા સારા છે, પણ તે પુરુષ હેલ્ધી બાળક આપે તે પણ જોવાનું. તે કઈ રીતે પારખવાનું? શરીર જોઇને? કૈક અંશે સત્ય.
પણ ઈવોલ્યુશનનાં ક્રમમાં  બીજું પણ રહસ્ય માનવજાતમાં છે. એ રહસ્ય છે ઈમ્યુન સિસ્ટમમાં. ઈમ્યુન સીસ્ટમનાં જિન્સનું એક અલગ જૂથ હોય છે, એને કહેવાય છે Histocompatibility complex (MHC) દરેકની આ ઈમ્યુન સીસ્ટમ યુનિક હોય છે. અને આ ઈમ્યુન સિસ્ટમની એક અલગ ગંધ હોય છે. માટે દરેકની ઈમ્યુન સિસ્ટમની સાથે દરેકની શરીરની મહેક યુનિક હોય છે. જેવી રીતે ફિંગર પ્રિન્ટ દરેકની યુનિક હોય છે. સાવ અલગ પ્રકારની ઈમ્યુન સીસ્ટમ અને ગંધ પસંદ કરવામાં આવે તો બે જુદી જુદી જાતની સીસ્ટમ ભેગી થઈને હેલ્ધી વારસો પેદા થાય. આ ગંધ સેક્સુઅલી એટ્રેક્શન પેદા કરે તેવી પણ હોવી જોઈએ. પુરુષની સ્મેલ સારી હોય તો પછી બીજી વાતોનું મહત્વ ઓછું થઇ જાય. અને સ્ત્રી બેટર ધેન  એવરેજ પસંદ કરવા ટેવાયેલી હોય છે. ચાલો થોડા ઊંડા ઉતરીએ.
૧૯૫૯ માં Peter karlson જર્મન બાયો કેમિસ્ટ અને Martin Luscher સ્વીસ Entomologist બંને એમની જતું જગતની લેબમાં કામ કરતા હતા. એમણે જોયું કે એક ઉધઈ કેમિકલ છોડે છે અને બીજી ઉધઈની વર્તણુક બદલાઈ જાય છે. આ થયું કેમિકલ કોમ્યુનીકેશન. એમણે શબ્દ શોધી કાઢ્યો Pheromones એક જાતનું કેમિકલ એટ્રેક્શન. આનો સાદો અર્થ થાય છે ઉત્તેજના વાહક. આ કેમિકલને સુગંધ હોય પણ ખરી અને ના પણ હોય છતાં કામ તો કરે જ. Pheromones પ્રજોત્પત્તિ માટે માદા પુરતી ફળદ્રુપ છે અને તૈયાર છે તે સૂચવતા હોય છે. ફળદ્રુપતાનું સિગ્નલ જો આવી રીતે Pheromones ના બતાવે તો માદા હીટમાં  હોય છતાં વાંદરાઓ એને ઇગ્નોર કરતા હોય છે. ફેરોમોનેસને ઘ્રાણેન્દ્રિય દ્વારા અને Vomeronasal Organ દ્વારા પકડી લેવાતા હોય છે. આ અંગ પશુઓમાં પુરતું વિકસેલું હોય છે, માનવ ભૃણમાં હોય છે પણ જન્મ  થયા પછી નદારદ થઇ જાય છે. અને આના ટીસ્યુ તાળવામાં ઉપર હોય છે. પશુઓ એક બીજાને ચાટીને Pheromones ની માહિતી લેતા હોય છે.
Pheromones  બે પ્રકારના હોય છે એક પ્રાથમિક હોય છે જે લોંગ ટર્મ કામ કરતા હોય છે. બીજા releaser સિગ્નલ હોય છે જે તત્ક્ષણ કામ કરતા હોય છે જેવા કે મેટિંગની ઉત્તેજના. Martha McClintock નામની એક મહિલા વૈજ્ઞાનીકે એક સર્વે કરેલો કે હોસ્ટેલમાં સાથે રહેતી છોકરીઓ લગભગ એક સમયે ઋતુચક્રમાં આવતી હોય છે. તેમાં આ Pheromones  ભાગ ભજવે છે. છોકરીઓના પરસેવામાં આ હોય છે જે એકબીજાની વસ્તુઓની આપલે વખતે અને સ્પર્શ વખતે એકબીજાને અસર કરે છે જેનાં લીધે ધીમે ધીમે છોકરીઓ એક સમયે પીરીયડમાં આવતી થઇ જતી હોય છે. Androstadionnone જે Testosterone માંથી બને છે જે પુરુષોના પસીનામાં હોય છે. સ્ત્રીઓમાં ઓછું હોય છે. આ એક હ્યુમન સેક્સ હાર્મોન છે.
Saul  miller  અને Jon  manner નો ટીશર્ટ સર્વે જાણવા જેવો છે. એક કોલેજની છોકરીઓ ઓવુલ્યેશન અન્ડ્મોચન તબક્કામાં  હોય તેમના રાત્રે પહેરેલા ટીશર્ટ લીધા, બીજી જે છોકરીઓ એવા તબક્કામાં ના હોય તેમના ટીશર્ટ લીધા અને થોડા ટીશર્ટ કોઈએ પહેર્યા ના હોય તેવા લીધા, મતલબ શરીરની ગંધ વગરના. થોડા છોકરાઓને ભેગા કર્યા. એમને કહેવામાં આવ્યું કે દરેક ટીશર્ટ છોકરીઓએ પહેરેલા છે. પહેલા આ છોકરાઓના Testosterone લેવલ ચેક કરી લેવામાં આવ્યા. પછી ૧૫ મીનીટના સેશનમાં ત્રણ વખત ખૂબ જોરથી અને લાંબા અને ઊંડા શ્વાસે આ ટીશર્ટ સુંઘવાના જણાવવામાં આવ્યું. દરેકને જુદા જુદા ટીશર્ટ આપવામાં આવ્યા. સુંઘ્યા પછી દરેકના Testosterone લેવલ ફરી ચેક કરવામાં આવ્યા. જે છોકરીઓ ઓવુલ્યેશન તબક્કામાં હતી એમના ટીશર્ટ સુંઘનારનું Testosterone લેવલ વધી ગયેલું. જે છોકરીઓ એ તબક્કામાં નહોતી એનું ટીશર્ટ સુંઘનારના અને જે ટીશર્ટ કોઈએ પહેરેલું જ નહિ તેના સુંઘનારના Testosterone લેવલ સામાન્ય હતા તે જ રહેલા. ઓવુલ્યેશન અવસ્થામાં સ્ત્રીની સુગન્ધ સૌથી વધુ આનંદદાયક હોય છે.
જુઓ મિત્રો, આપણે અત્તર, સેન્ટ, પરફ્યુમ અને ડીઓડરન્ટ વગેરેનાં અતિ ઉપયોગે આપણી ફિંગર પ્રિન્ટ જેવી યુનિક ગંધ ગુમાવી બેઠા છીએ. આ બધાનો વિવેકથી ઉપયોગ થાય તો ઈવોલ્યુશનની સેવા થશે.
શુરુ યે સીલસીલા તો ઉસી દિનસે હુઆ થા,
અચાનક તુને જીસદીન મુજે યુહી છુઆ થા.
લહેર જાગી જો ઉસ તનબદન મેં જો મનમે  આજ ભી દહેકા રહી હૈ.
યે પહલે પ્યારકી ખુશ્બુ તેરી સાંસો સે શાયદ આ રહી હૈ…..
બહોત તરસા હૈ યે દીલ તેરે સપનેયે સજાકે,
યે દીલકી બાત સુનલે મેરી બાહોમે આકે,
જગાકર અનોખી પ્યાસ મનમે યે મીઠી આગ જો દહેકા રહી હૈ.
યે પહલે પ્યારકી ખુશ્બુ તેરી સાંસો સે શાયદ આ રહી હૈ…..
યે આંખે બોલતી હૈ,જો હમ ના બોલ પાયે.
દબી વો પ્યાસ મનકી નજરમે ઝીલમીલાયે.
હોઠોપે તેરી હલકી હસી હૈ,યે મેરી ધડકન બહેકતી જા રહી હૈ.
યે પહલે પ્યારકી ખુશ્બુ તેરી સાંસો સે શાયદ આ રહી હૈ…..
 
 
 
Rachel Herz

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? વાચાળતા!!

The Wall

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? વાચાળતા.
જુઓ, મિત્રો આપણે ખૂબ વાચાળ છીએ. શબ્દોની પ્રચુરતા આપણી પાસે ખૂબ છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે બકબકિયા છીએ. કામ વગર શબ્દો વેડફીએ છીએ. આપણે શબ્દોથી મોહિત થઈ જઈએ છીએ. એમાં મૂળ વિષય ચૂકી જવાય છે. ભાષણ આપવાની વાતવાતમાં ટેવ એ ભારતીયોની ખૂબી છે. આપણને આપણો અવાજ સાંભળવાની ખૂબ મજા પડે છે. માટે જ્યાં ચાન્સ મળ્યો તરત શરુ. કોઈ પૂછે કે ના પૂછે સલાહ આપવાની એટલે આપવાની. આ સલાહ આપવાની ટેવ એક રોગની કક્ષાએ પહોચી જાય છે.

મિત્રો વધુ વાંચવા માટે નીચે આપેલી લીંક પર જઈ તમારા સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ લેખ સાથે પ્રચુર માત્રામાં ગુજરાતી સાહિત્ય વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk
https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? સાંકડું દ્રષ્ટિબિંદુ:-

Rear View of the Babri Mosque.
Image via Wikipedia

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? સાંકડું દ્રષ્ટિબિંદુ:-
જુઓ!!
આપણી મોરાલીટી, સદાચરણ ફક્ત આપણાં કુટુંબ અને મિત્રો  પૂરતું જ હોય છે, બીજા માટે નહિ. આપણે આપણો કચરો પાડોશીના વરંડામાં ફેંકી દેવા ટેવાયેલા છીએ. એક કેતન પારેખ કે હર્ષદ મહેતાને એવી પડી હોતી નથી કે મારા દેશના બાંધવને લૂંટી રહ્યો છું. આપણે નાનાં નાનાં પ્રશ્નોમાં અટવાયેલા, ગૂંચવાયેલા અને ધૂંધવાયેલા રહીએ છીએ. એક મંદિર અને એક મસ્જિદનો પ્રશ્ન જે ક્ષણમાં હલ થાય તેવો હતો તેના માટે આપણે દાયકા લગાવી દીધા.

મિત્રો વધુ વાંચવા માટે નીચે આપેલી લીંક પર જઈ તમારા સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ લેખ સાથે પ્રચુર માત્રામાં ગુજરાતી સાહિત્ય વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk
https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

દીવાલો,જેમણે રોકી પ્રગતિ??આધુનિકતાનો વિરોધ.

Mainbuilding2
Image via Wikipedia
દીવાલો,જેમણે રોકી પ્રગતિ??આધુનિકતાનો વિરોધ:-
જુઓ!!
પ્રાચીન બધું સારું,ઘરડા અને ઘરડા વિચારો સારા યુવાનો કરતા.જુનું ઘણીવાર સારું હોય છે.જુના માણસો અનુભવી હોય છે.ઘરડા ગાડાં વાળે તે કહેવત પણ સાચી છે.પણ એનાથી એવી માનસિકતા ના ઘડાવી જોઈએ કે નવું આધુનિક બધું ખરાબ છે.મિત્રો વધુ વાંચવા માટે નીચે આપેલી લીંક પર જઈ તમારા સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ લેખ સાથે પ્રચુર માત્રામાં ગુજરાતી સાહિત્ય વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk
https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

Mathematicsdept
Image via Wikipedia