રામાનંદ/કામાનંદ,એક કવિતા

Sadhu (holy man)
Image by CHRISTOPHER MACSURAK via Flickr

દિવસો કડકાઈના જાય છે,
એ જાશે જરૂર વૈભવ સુધી,
મારો હાથ ઝાલીને લઈ જશે,
મારો પ્રભુ અમીરના ઘર સુધી.
*ધ્યાન શું?ધારણા શું?
સમાધિ વળી છે કઈ બલા?
ફક્ત એક જ વસ્તુ જાણીએ,
મારો કામાનંદ  છે બ્રહ્માનંદ.
*ના નેતિ ધોતી ને નૌલી જાણું,
આસનની પળોજણ કેમ કરું?
કર્મયોગ એ વળી શું બલા?
મારો રાજયોગ છે કામરોગ.
*ના મોક્ષ સુધી,ના નિર્વાણ સુધી,
ના ચિંતા કે ના ચિંતન સુધી,
ફક્ત આપણે તો જવું હતું,
પેલી ભોળી બાઈના બેડરૂમ સુધી.
*કથા કરીશું,વાર્તા કરીશું,
યોગના નામે ભોગ કરીશું,
એ અમીર જ મુજને લઈ જશે,
એની પત્નીના શયનખંડ સુધી.
રચનાકાર-રામખિલાવન બાપજી.

મિત્રો જેને આ વ્યંગ કવિતા ગાવી હોય તો “દિવસો જુદાઈના જાય છે”શ્રી ગની દહીંવાલાની ગઝલના રાગમાં ગઈ શકે છે.પ્રાસ બરોબર ના બેસતા હોય તો શબ્દો બદલી નાખવાની છૂટ છે.કોપી રાઈટની ચિંતા કરશો નહિ,કારણ રામખિલાવન બાપજી અનંગના બાણ થી વીંધાઈને હાલ ભૂગર્ભમાં છે.