


સર આઈઝેક ન્યુટન,No Apples After 2060 !!!!
મહાન ગણાતા વૈજ્ઞાનીકે આવું ભવિષ્ય ભાખેલું કે ૨૦૬૦ પછી આ દુનિયાનો અંત આવી જશે.કઈ રીતે શું ગણિત ધ્યાન માં લઈને કહ્યું હશે ખબર નથી.પણ કેટલીક જૂની નોંધો મળી આવી છે.૧૬૪૨મા ગેલેલીયોનું મૃત્યુ થયું.૪ જાન્યુઆરી ૧૬૪૩માં એના પિતાના મૃત્યુ બાદ ત્રણ મહીને જન્મેલો ન્યુટનની બીજી જન્મ તારીખ છે,૨૫ ડીસેમ્બર ૧૬૪૨.એ વખતે ઇંગ્લૅન્ડ માં ગ્રેગોરીયન કેલેન્ડર માન્ય નહોતું,માટે એની જન્મ તારીખ ૨૫ ડિસેમ્બર લખેલી છે.એ ત્રણ વર્ષનો થયો અને માતા બીજા લગ્ન કરી દાદાના સહારે છોડી ને ચાલી નીકળી.ન્યુટન એની માતા અને સ્ટેપ ફાધરને ખૂબ ધિક્કારતો.બંને જણા ઘરમાં સળગીને માર્યા જાય તેવું ઇચ્છતો.ખૂબ તેજસ્વી એવો ન્યુટન કેમ્બ્રિજમાં દાખલ થયો અને ભણવામાં ખૂંપી ગયો.કદી ક્યાંય જતો નહિ બસ ભણવામાં જ એનું ધ્યાન રહેતું.પણ એવામાં બ્યુબેનીક પ્લેગ આખા યુરોપમાં ફાટી નીકળતા પાછો એના ગામ જતો રહ્યો.એક સફરજનના વૃક્ષ નીચે બેઠેલો અને ઉપરથી સફરજન નીચે પડ્યું.બસ એક વિચારનું બીજ રોપાઈ ગયું કે આ નીચે કેમ પડ્યું?ઉપર કેમ ના ગયું?આ વિચાર ભવિષ્યમાં વૃક્ષ બની ગયો. ૨૫ વર્ષનો થયો ત્યાં પ્લેગનું પુર ઓસરતા પાછો કેમ્બ્રિજ માં આવ્યો.
આ મહાન ગણિતશાસ્ત્રી એ Calculus ગણતરી શોધેલી જે આજે પણ સ્ટોક ઍક્સ્ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ માટે ગણતરીમાં વપરાય છે.એને એક ૬ ઇંચની સાઈજનું ટેલિસ્કોપ શોધેલું.આજે પણ મોટા જાયન્ટ ટેલિસ્કોપ એજ સિદ્ધાંતો પર રચાય છે.સતત ૧૮ મહિના રાત દિવસ એક કરીને એણે “લો ઑફ યુનિવર્સલ ગ્રેવીટેશન” શોધી કાઢ્યો જે એક ટોટલ રેવોલ્યુશન ગણાય છે.
where:
F is the magnitude of the gravitational force between the two point masses,
G is the gravitational constant,
m1 is the mass of the first point mass,
m2 is the mass of the second point mass, and
r is the distance between the two point masses.
સીધી સાદી ભાષામાં સમજીએ તો ધારી લો કે પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર જાણે એવરેસ્ટ છે અને તેના ઉપર એક તોપ મૂકેલી છે જે યુદ્ધમાં વપરાય છે.હવે તોપમાં એક ગોળો ભરીને છોડીયે.એનો ફોર્સ બહુ ના હોય તો એ ગોળો નજીક આસપાસમાં ક્યાંક પડી જશે કેમ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચીને નીચે પાડી દેશે.હવે બીજો ગોળો ભરો અને જરા વધારે ફોર્સ આપો.હવે આ ગોળો થોડો વધારે દૂર સાયબીરીયામાં પડશે.હવે એક પછી એક ગોળાઓ દરેક વખતે ફોર્સ વધારતા જઈને તોપમાંથી છોડો.એક પછી એક ગોળા વધારે ને વધારે દૂર પડતા જશે.જેમ ફોર્સ વધારે તેમ મૂળ સ્થાન કરતા વધારે દૂર જવાના.એમ પછી એક ગોળો જાણે રશિયામાં પડશે,પછી બીજો નીચે અફઘાનિસ્તાનમાં,ત્રીજો જાણે કે ભારતમાં,ચોથો પડશે શ્રી લંકામાં.પાંચમો પડશે છેક નીચે ઓસ્ટ્રેલીયામાં હવે એક સમયે એવું સમીકરણ રચાશે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને નીચે પૃથ્વી પર પાડવા સક્ષમ નહિ રહે કારણ ફોર્સ અતિશય છે.તો શું થશે??એ ગોળો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ને લઈને એની બાજુબાજુ ફર્યા કરશે.જેમ આજે ચન્દ્રમા ફર્યા કરે છે.આખા યુનિવર્સ માટે આજ નિયમ કામ કરે છે.સફરજન નું નીચે પડવું સાર્થક થયું.
આ મહાન વૈજ્ઞાનિક પાછો અલ્કેમિસ્ટ પણ હતો.અલ્કેમી એ આધુનિક રસાયણશાસ્ત્ર (કેમિસ્ટ્રી)નો પાયો છે.અલ્કેમી દૂર મધ્યપૂર્વ નાં દેશોમાં જાણીતું હતું.રહસ્યમય શોધો કરવા માટે અલ્કેમિસ્ટ રાતદિવસ એક કરતા.ભારતમાં પણ અલ્કેમિસ્ટ હતા.જાત જાતના વનસ્પતિના રસ અને અનેક રસાયણો તથા ધાતુઓ ઓગાળી ભેગાં કરી પ્રયોગો થતા રહેતા.અમરત્વની દવા શોધવાનું કામ કરવામાં આવતું.આપણા ભારતમાં પણ આ બધું પ્રચલિત હતું.પારસમણિ ની કલ્પના પણ આવી જ હતી.ઘણા લોકો એમની પાસે પારસમણિ છે તેવું કહેતા.પારસમણિ લોખંડ ને અડાડતા લોખંડ નું સોનું બની જાય તેવી વાતો હતી.આને યુરોપમાં ફિલોસોફર સ્ટોન કહેવાતો.બુદ્ધના સમયના નાગાર્જુન આવાજ રહસ્યવાદી અલ્કેમિસ્ટ હતા,રસાયણ શાસ્ત્રી હતા.પણ ન્યુટનનાં હાથમાં કશું ઠોસ આવ્યું નહિ.
અલ્કેમીની માયા જાળમાંથી પાછો ફરીને પ્રકાશ સાત રંગોનું મિશ્રણ છે તેનાં વિષે શોધો કરી અને એક ગ્રંથ આપ્યો,OPTICKS or A TREATISE of the Reflexions,Refractions,Inflexions,and Colours.બીજો ગ્રંથ રચ્યો -PHILOSOPHIAE Naturalis -Principia Mathematica …મેમ્બર ઑફ પાર્લામેન્ટ પણ બન્યો અને રૉયલ સોસાયટીનો પ્રમુખ પણ બન્યો.એણે બાઇબલ નો પણ ખૂબ અભ્યાસ કરેલો કે કશું રહસ્યમય એમાંથી મળી જાય,પણ નિરાશા મળેલી.માતા પિતા પ્રત્યેના ધિક્કારની લાગણીઓ એણે કંટ્રોલ કરી અભ્યાસમાં ખૂપી ગયો અને આપણને ઓલ ટાઈમ ગ્રેટ સાયન્ટિસ્ટ મળ્યો જે ૧૭૨૭મા ૮૪ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો.રાજા અને રાણીઓની કબર વચ્ચે એની કબરને સ્થાન મળ્યું.
Gale christianson-Biographer of Newton
Bill Newman-Indiana University
James Force-uni of kentucky
yamada smith-Columbia uni
ઉપર લખેલા વિદ્વાન તજજ્ઞોનાં વાર્તાલાપ અને ન્યુટન-ડાર્ક સિક્રેટ નામની ડોક્યુમેન્ટ્રી પરથી લેખ લખાયો છે.