“સિંહ”

                                                                સિંહ વિષે બધી લોકોક્તિઓ સાચી હોતી નથી. મેં નેશનલ જીયોગ્રાફી અને ડીસ્કવરી ચેનલ્સ પર સિંહોના ફેમીલી લાઈફ અને જીવન વિષે ઘણું જોયું છે. ગીરમાં એક લોકવાયકા છે કે ગોવિંદો નામનો સિંહ એની જોડીદાર સિંહણ મરી જતા માથા પછાડી ને મરી ગયેલો. ગપ્પા મારવામાં શું કામ પાછળ રહેવું? લોકકવિઓ  સિંહોને પણ છોડતા નથી.
               * સિંહ સિંહણની પાછળ માથા પછાડી ને મરી જાય તેવો પ્રેમી હોતો નથી. તદ્દન ખોટી વાત છે. સિંહ મરેલો શિકાર ખાતો નથી કે બીજાનો કરેલો શિકાર ખાતો નથી તે વાત પણ ખોટી છે. ખાસ તો સિંહના ટોળાંમાં જે સિંહણો હોય છે તેજ શિકાર કરે છે. પછી સિંહ ત્યાં આવી ને બધી સિંહણો ને ભગાડી મુકે છે. પછી લહેરથી પેટ ભરીને વધેલું સિંહણો માટે છોડી દે છે. સિંહ ભાગ્યેજ શિકારમાં જોડાય છે. ભાઈ તૈયાર રોટી ખાવાવાળા છે. ટોળાં સિવાય એકલા રહેતા સિંહો ને ચોક્કસ શિકાર કરવો પડે. ટોળામાંના નર બચ્ચા મોટા થતા તગડી મુકવામાં આવે છે. ટોળાંનો માલિક  સિંહ ઘરડો થતા બીજો કોઈ જુવાન  સિંહ એની સાથે લડી એને તગડી મૂકી ને ટોળાંનો માલિક બની જાય છે. અને પહેલું કામ ટોળામાં રહેલા નાના બચ્ચાઓ ને મારી નાખવાનું કરે છે. એ બચ્ચાઓને બચાવવા એમની માં સિંહણ જીવના જોખમે સિંહનો સામનો કરે છે, પણ બળવાન અને પુષ્કળ શારીરિક બળ ધરાવતા સિંહ સામે હારી જાય છે, અને નજર સામે પોતાના બચ્ચાને મારતા જોઈ રહે છે. છે ને હૃદય દ્રાવક? કુદરતના રાજ્યમાં  NO અહિંસા. પછી એજ સિંહણ ગરમીમાં આવીને પેલા સિંહ જોડે સંસર્ગ કરીને બચ્ચા જણે છે. પોતાના છોકરાવને મારનાર  જોડે પ્રેમ? Any morality? There is no morality in ‘The world of Nature.
 કેટ એટલે બિલાડીના કુલમાંના ચાર સૌથી મોટા પ્રાણીઓમાં આ સિંહ ભાયડો આવે છે. પંથેરા લીઓ એનું વૈજ્ઞાનિક નામ છે. ઘણા સિંહ ૨૫૦ કિલો સુધીના વજનમાં હોય છે. ૧૦,૦૦૦ વર્ષ પહેલા સિંહ આખી  દુનિયામાં ફેલાયેલા હતા ને માનવ જાત પછી એમની વસ્તી બીજા પ્રાણીઓમાં સૌથી વધારે હતી. સિંહ સામાજિક પ્રાણી છે. જંગલમાં સતત લડતા હોવાનું હોવાથી સરેરાશ આયુષ્ય ૧૪ વર્ષ નું હોય છે, જયારે પાળેલા સિંહ મતલબ પ્રાણી બાગ માં ૨૦ વધારે વર્ષ  જીવી શકે છે. હવે ખાલી આફ્રિકાના ઘાસિયા મેદાનો અને ગીરમાં જ બચ્યા છે. છેલ્લા બે દાયકામાં લગભગ ૫૦% વસ્તી ઓછી થઇ ગઈ છે. સંસ્કૃતમાં સિંહ પુંડરીકમ કહેવાય છે. સિંહનું જૂનામાં જુનું ફોસિલ ૩૫ લાખ વર્ષ પહેલાનું મળેલું છે. ટાયગર, જેગુઆર ને લેપર્ડ એ સિંહના પિત્રાઈ કહેવાય. કોમન પૂર્વજમાંથી ૧૯ લાખ વર્ષ પહેલા જેગુઆરને સિંહ છુટા પડેલા જયારે લેપર્ડ દસ લાખ ને આશરે ૨૫૦૦૦ વર્ષ પહેલા છુટા પડેલા.
 ૧) P.l.persica,  એશિયાટિક લાયન  એક સમયે ઈરાન, પાકિસ્તાન, ટર્કી, બાંગ્લાદેશ બધે  ફેલાયેલા હતા. હવે ગીરમાં ફક્ત ૩૦૦ થી ૪૦૦ ની વચ્ચે  બચ્યા  છે.
૨) P.l.leo, બાર્બેરી લાયન  ઈજીપ્ત ને મોરોક્કોમાં હતા. બહુ વિશાલ દેહયષ્ટિ ધરાવતા હતા. ૧૯૨૨ માં આ શાખાનો છેલ્લો સિંહ મોરોક્કોમાં મરાયો હતો.
 ૩) P.l,senegalensis, વેસ્ટ આફ્રિકન લાયન સેનેગલ અને નાઈજીરિયામાં મળે છે.
૪) P.l,azandica નોર્થ ઈસ્ટ કોન્ગો લાયન  કોન્ગોમાં મળે છે.
૫) P.l.nubica, મસાઈ લાયન  ઈથિયોપિયા, કેન્યા, તાન્ઝાનિયા, મોઝામ્બિકમાં મળે છે.
૬) P.l. bleyenberghi, કતંગા લાયન  નામિબિયા, બોત્સવાના, અંગોલા, કતંગા, ઝામ્બીયા, ઝીમ્બાબ્વેમાં મળે છે.
૭) P.l. krugeri, ટ્રાન્સવાલ લાયન  ટ્રાન્સવાલ અને કૃગર નેશનલ પાર્કમાં જોવા મળે છે.
૮) P.l.,nubica Tsavo સાવો લાયન કેન્યા ને સાવો નેશનલ પાર્ક માં છે.
             એક સમયે કેનેડા યુકોન વેલી થી છેક પેરુ ને શ્રીલંકામાં પણ સિંહ હતા. નર સિંહ ને માદા વાઘ એટલે વાઘણ સાથે ક્રોસ કરીને લાયઘર નામનું પ્રાણી પેદા કરેલું છે. જે ખુબ વિશાલ લગભગ ૧૦૦૦ પાઉન્ડ સુધી નું વજન ધરાવે છે. એવી રીતે સિહણ ને વાઘ વચ્ચે ક્રોસ કરીને ટાઈગોન પણ પેદા કરેલ છે. કશું કામ ના હોય તો સિંહ ૨૦ કલાક આરામ કરે છે. ભૂખ લાગે તો જ ઉભા થવાનું. સિંહ ને લગભગ  ૭ કિલો ને સિંહણ ને આશરે ૫ કિલો માંસ રોજ ખાવા જોઈએ.

હિન્દુઈઝમ(ઐતિહાસિક નજરે)

                       *મૂળ હિન્દુવીચારધારા ભલે ખુબ પ્રાચીન રહી, પણ આજનો હિંદુ ધર્મ એ પહેલાના જેવો પ્રાચીન  હિંદુ ધર્મ નથી.  હિન્દુઈઝમ કોઈ એક ધર્મ નથી. જુદી જુદી હજારો વિચારધારાઓનો મેળો છે. દરેક સંપ્રદાયની અલગ વિચારધારા છે. જો બધા એકજ હિંદુ ધર્મને માનતા હોય તો અલગ અલગ અચાર વિચાર કેમ? દરેક ને પોતાના અલગ અલગ આચાર વિચાર, નીતિ નિયમો ઉમેરીને પાછું હિંદુ જ કહેવડાવું છે. આ એક હિંદુ ધર્મની મજબૂરી છે.
                   *પ્રથમ   સિંધુ નદીના તીરે સિંધુ નદીની સંસ્કૃતિ(Before 2000 BCE) વિકસી . આ એક નગર સંસ્કૃતિ હતી. શહેરની સંસ્કૃતિ હતી. બે મુખ્ય શહેર હરપ્પાને મોહેંજો ડેરો મળી ચુક્યા છે. ૪૦,૦૦૦ લોકો બહુ ઊંચું શહેરી જીવન જીવતા હતા, પાણી પુરવઠા ને ગટર યોજના સાથે. અનાજ એ અર્થવ્યવસ્થાનું મુખ્ય અંગ હતું. બહુ મોટા અનાજના ભંડાર ટેક્સ રૂપે ઉઘરાવેલા હોય તેના મળેલા છે. છેક ગુજરાતના લોથલ, કચ્છના ધોળાવીરાથી હિમાલયના પશ્ચિમ વિભાગથી માંડીને ઈરાનની બોર્ડર સુધી આ સંસ્કૃતિના શહેરો હતા. આ એક સ્વતંત્ર રૂપે વિકસેલી સંસ્કૃતિ હતી. અહી કઈ ભાષા હતી તે ખાસ ખ્યાલમાં આવ્યું નથી. ધર્મ વિષે પણ કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. પણ પ્રાણીઓના બલિદાન અપાતા  હતા. ટેરાકોટાના શિલ્પો થી લાગે છે કે ભગવાનની  જગ્યાએ પુરુષ ને બદલે સ્ત્રીને બેસાડેલી હશે. પવીત્રસ્નાન, બલિદાન અને સ્ત્રી ની ભગવાન તરીકે ની પૂજા બીજા  પ્રાચીન ધર્મો ની વિચારધારા પણ  રહી છે. પછી થી આવનાર  હિંદુ ધર્મનો પાયો અહી પણ હોઈ શકે.
               * પછી આવ્યો વેદિક યુગ(1500-500BCE). એક મત એવો છે કે આર્યો મધ્ય એશિયાથી અહી આવ્યા. પહેલા અત્યારની સ્વાત ખીણમાં વસ્યા ને પછી ધીરે ધીરે ઉત્તરથી મધ્ય ભારત તરફ વસવાનું ચાલુ કર્યું. બીજો મત એવો છે કે આર્યન સંસ્કૃતિ એ સિંધુ નદીની સંસ્કૃતિનો જ વિકાસ હતો. એટલે આર્યો બહાર થી આવ્યા નથી. પણ આખું વૈદિક સાહિત્ય વેદિક  સંસ્કૃતમાં રચાએલું  છે. યુરોપની ઘણી બધી ભાષાના શબ્દો ને સંસ્કૃતના શબ્દો સાથે સામ્યતા છે. કોઈ પ્રાચીન ઇન્ડો યુરોપિયન ભાષા ગ્રુપ સાથે આ બધી ભાષાઓ સંકળાએલી  હોઈ શકે. અને બીજું સિંધુ સંસ્કૃતિમાં ઘોડા નું કોઈ સ્થાન હતું નહિ. જયારે આર્યન સંસ્કૃતિમાં ઘોડા મહત્વનું સ્થાન ધરાવતા હતા. ઘોડાના બલિદાન અપાતા હતા, અશ્વમેઘ. મતમતાંતર તો ચાલ્યા જ કરવાના.
                  *ભલે હાલના હિંદુ ધર્મના દમ્ભીઓ ના માને પણ વેદિક પીરીયડ આખો બલિદાનો ને એના દ્વારા મળેલા ખોરાક ને વહેચીને ખાવામાં રમમાણ હતો. અને અનેક જુદા જુદા ભગવાનને પૂજવા વાળો હતો. કુદરતની મળેલી દરેક સંપદાનો એક અલગ ભગવાન હતો. વાયુ, ઇન્દ્ર, મરુત, અગ્નિ, આકાશ, બ્રહ્સ્પતી, વિષ્ણુ વિગેરે વિગેરે. આમાં પર્યાવરણ અને ઇકોલોજીની પૂજા આવી જાય એનું બહુમાન પણ કહેવાય. જુદા જુદા અવતારોની થીયરી શરુ થઇ. પહેલો થયો મત્સ્યાવતાર પછી કુર્મ, વરાહ એમ આગળ ચાલ્યું આ હતું ઈવોલ્યુશનનું વિજ્ઞાન. સમુદ્રમાં પહેલા વ્યવસ્થિત સજીવો માછલા હતા. જીવન શરુ થયું પાણી એટલે કે સમુદ્રમાં અને એનું પોષણ પણ સમુદ્રમાં થયું. માટે પાલનહાર વિષ્ણુને સમુદ્રમાં બેસાડ્યા. દરેક ભગવાન કે અવતારને વાહન તરીકે કોઈને કોઈ પ્રાણી કે પક્ષી કે કોઈ બીજો સજીવ આપેલો છે. દરેક સજીવોનું મહત્વ ગણેલું છે. ઉંદર જેવું નકામું લાગતું પ્રાણી પણ ગણેશનું વાહન બનાવેલ છે. ઉંદર લગભગ બધું કાતરી ખાય છે. રીસાયકલીંગ માટે કદાચ કામ લાગતો હશે અથવા પછી બીજા પ્રાણીઓનો ખોરાક બની કામ લાગતો હશે. આજે આધુનિક દવાઓના સંશોધનોમાં સૌથી વધારે ઉંદર જ વપરાય છે.
                * પછી આવ્યો પુરાણ કાળ(500BCE-500CE) અહી મહાભારત, રામાયણ જેવા મહાકાવ્યો, ધર્મસુત્રો અને શાસ્ત્રો રચાયા. મહાભારતની અંદર અર્જુન અને શ્રી કૃષ્ણના સંવાદ રૂપે ગીતાની રચના થઇ. જે ભારતની ઓળખ બની ચુકી છે. ભવિષ્યમાં કોર્ટ માં ખોટા સોગંધ લેવા એની જરૂર પડવાની હતી. કોર્ટ માંથી ગીતાને હટાવી લેવી જોઈએ, આતો એનું બહુ મોટું આપમાન રોજે રોજ થઇ રહ્યું છે.  આ પુરાણો ની વાર્તાઓ હજુ પણ ખુબજ પ્રચલિત છે. નિયમ, કર્તવ્ય, અને સત્ય આ ત્રણ ધર્મ સુત્રો અને શાસ્ત્રોમાં મુખ્ય વિષયો હતા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વાતો થવા લાગી. અહી યજ્ઞો ઓછા થયા. પશુઓના બલિદાનો પણ ઓછા થયા. અને શરુ થઇ પૂજા. આ સમય લગભગ બુદ્ધનો સમય પણ હતો. ગુપ્ત સામ્રાજ્યનો ઉદભવ થયો. પૂજા પાઠની સાથે મંદિરો બંધાવા શરુ થયા. મૂળ વેદિક પીરીયડ યજ્ઞો એટલે અગ્નીપુજા ને બલિદાનો નો હતો. એમાં મંદિરોને સ્થાન ના હતું. અહી થી શરુ થાય છે વૈષ્ણવ(વિષ્ણુ), શૈવ(શિવ) અને શાક્ત(દેવી) સંપ્રદાયો નું અસ્તિત્વ. અહી  થી વિચારધારાઓ જુદી પડવાનું શરુ થાય છે. ભક્તિ અને મંદિરો સાથે કાવ્યાત્મક સાહિત્ય પણ રચાયું.
                       * હવે જોઈએ મધ્યયુગ(500CE-1500CE)ગુપ્ત સામ્રાજ્યની પડતી શરુ થઇ. નાનામોટા  રાજ્યો બનતા ગયા. પ્રાદેશિક રાજાઓએ વૈષ્ણવ, શૈવ, અને શાક્ત સંપ્રદાયોને મહત્વ આપવા માંડ્યું હતું. દક્ષીણમાં ચૌલ રાજાઓએ શૈવ સંપ્રદાય ને અપનાવ્યો. તાન્જાવુંરમાં શિવનું મોટું મંદિર એની સાબિતી છે. ભવ્ય મંદિરો બનવા લાગ્યા. પુરીમાં જગન્નાથજીનું ભવ્ય મંદિર બન્યું.  ધર્મ અને સત્તાનું કેન્દ્ર મંદિરો બનવા લાગ્યા. આ યુગમાં ભક્ત કવિઓ, સંતો ને ગુરુઓ સાથે આચાર્યો  વધવા લાગ્યા . સંસ્કૃતની સાથે પ્રાદેશિક ભાષામા ભક્તિ સાહિત્ય રચવા લાગ્યું. શંકરાચાર્ય (૭૮૦-૮૨૦)આખા હિન્દુસ્તાનમાં ફરી શાસ્ત્રાર્થ ફરી અદ્વૈત અને વેદાંતનો ઝંડો ફરકાવી દીધો. વૈષ્ણવ ફિલોસોફર રામાનુજ અને માધવ હવે મેદાનમાં આવ્યા. સાથે સાથે અભિનવ ગુપ્તે તંત્ર ઉપર સાહિત્ય રચ્યું. વામમાર્ગ પણ સાથે સાથે જ મેદાનમાં હતો. મદ્ય, માંસ, મત્સ્ય, મૈથુનનો છૂટ થી ઉપયોગ તંત્ર માર્ગીઓ કરવા લાગ્યા. એકલા ભોજ રાજાએ હજારો તાંત્રિકોને લટકાવી દીધા હતા. તાંત્રિકો ત્યાર પછી ભૂગર્ભમાં પ્રવૃત્તિ ચલાવતા અને  હજુ પણ મળે.  સ્વામી વિવેકાનંદને પણ એનો કડવો અનુભવ થયેલો.
          * ૧૫૦૦ થી ૧૭૫૭ સુધી મુસ્લિમ યુગ શરુ થઇ ચુક્યો હતો. આ ગાળામાં ભક્તો ને સંતોની બોલબાલા રહી. ઘણા બધા મંદિરો તોડી પડાયા. તુકારામ, સુરદાસ, મીરાબાઈનો આયુગ હતો.  ૧૭૫૭ થી ૧૯૪૭ સુધીના બ્રિટીશ યુગમાં હિંદુ ધર્મમાં પેસી ગયેલા કુરિવાજો દુર કરવા ને એને નવું સ્વરૂપ આપવા રામ મોહન રાય ને દયાનંદ સરસ્વતી પ્રયત્નો કરી રહ્યા હતા. મુર્તીપુજાની વિરુદ્ધ અને એકજ ભગવાનની માન્યતા પાછી લાવવાના એમના પ્રયત્નો આજે આપણે જાણીએ છીએ કે વિફળ થયા છે. સર્વધર્મ સમભાવને ભક્તિ નો સંદેશ લઇ આવ્યા રામકૃષ્ણ પરમહંસ(૧૮૩૬-૮૬)એમના શિષ્ય સ્વામી વિવેકાનંદે(૧૮૬૩-૧૯૦૨) એમના વિચારો આગળ ધપાવ્યા અને રાજકીય રીતે અખંડ ભારત નું સ્વપ્ન સેવ્યું. અહિંસાનો સંદેશો લઇ આ સ્વપ્ન આગળ ધપાવ્યું રાજકારણી સંત ગાંધીજીએ(૧૮૬૯-૧૯૪૭). એમના પછી કોઈ રાજકારણી સંત જેવો ના પાક્યો. ભાગલાની કડવી યાદો સાથે લઇ ગાંધીજી વિદાય થયા એમની હત્યા થવાથી. સાવરકર જેવા રાજકારણી ને આઝાદીના અગ્રેસીવ લડવૈયાઓએ હિન્દુત્વના ખયાલ અમલમાં મુક્યા. રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ ને વિશ્વહિન્દુ પરિષદની સ્થાપના થઇ. હાલ પણ ભાજપા જેવી પાર્ટીના સમર્થને એમની તતુડી વગાડ્યા કરે છે.
           * દરિયા પાર ભારતીયો વસવા લાગ્યા. તો એમની પાછળ સંતો ને ગુરુઓ પણ પ્રચાર માટે જવા લાગ્યા છે. મંદિરોની સંસ્કૃતિ ફરી પાછી જોર માં આવવા લાગી છે. દરેક ને પોતાનો અહંકાર આડે આવે છે, ને રોજ એક નવો સંપ્રદાય ઉભો થાય છે. હિંદુ કોઈ એક વિચારધારા રહ્યો નથી. એક શંભુમેળો બની ચૂક્યો છે.

‘હળવું હાસ્ય(ભલાભાઈ)’

                     *                                 *ભગવાન વિશ્વકર્મા એ પૃથ્વી  ઉપર સજીવો ની રચના કરી.આ વિશ્વકર્મા એટલે બ્રહ્માજીને?અમારા વાડી વિસ્તાર માં એમનું એક મંદિર છે.ખાસ તો સુથાર ને કુંભાર ને એવી બધી કોમો એમને ઇષ્ટ દેવ માને છે.મતલબ કૈક રચના કરતા હોય,પછી ફર્નીચર બનાવતા હોય કે માટલા એ બધાના ભગવાન એટલે વિશ્વકર્મા.એમણે જયારે આ સજીવો રૂપી ફર્નીચર બનાવેલું ત્યારે એક રંધો કામ માં લીધેલો હશે.છેલ્લે માણસ બનાવી હાથ ધોઈ નાખ્યા.પેલા રંધા એ સારું એવું કામ કરેલું ને હવે કશું બાકી ના રહેતા,ભગવાન ને થયું ચાલો હવે આને કૈક રીવોર્ડ આપીએ.ભગવાને રંધાને મનુષ્ય યોનીમાં જન્મ લેવાનું વરદાન આપ્યું.ને એ રંધો અહી જન્મ્યો તે આમારા બચપણ ના મિત્ર જયેશભાઈ જોશી.ઉપર મનુષ્ય ની રચના વખતે બારીક છોલણ કામ કરેલું,તે અહી હવે લોકોના દિમાગ નું છોલણ કરવા અવતર્યા.
    
             * એમના બાપ દાદા ઓને પુનાના પેશ્વાઓએ કશુક આપ્યું હશે તે તેનું માન રાખવા તેમની અટક પેશ્વા જ રાખી લીધેલી.બહુ મોટું સંયુક્ત કુટુંબ.લગભગ ૫૦ નાનામોટા માણસો ભેગા રહે.આ પ્લાનેટ પર મારું જોયેલું છેલ્લું મોટું સંયુક્ત કુટુંબ હશે.જયેશ ના પિતાશ્રી જયેશ બે મહિનાનો હશે ને દિવંગત થયેલા.માતા પણ જલ્દી સિધાવી ગયેલા.મારા પિતાની ઓફીસ નીચે એના કાકાની કપરકાબી ની એક માત્ર વિજાપુરમાં રહેલી દુકાન.રોજ સવારે કાકા દુકાન ખોલવા જાય એટલે બાળ જયેશ ને સાથે જવાનું.શાકભાજી ની જથ્થાબંધ દુકાને થી એક મણ બટેટા લેવાના.૫૦ માણસો માટે રોજ મણ બટાકા નું શાક થાય.બાલ જયેશ એની ચડ્ડી કરતા મોટી થેલી ઊંચકીને ચાલવાના મહાપ્રયત્નો કરતો ઘેર જતો હોય.એના પિતા મારા પિતાના મિત્ર હતા,ને એના મોટા બેન મારા બેન ના મિત્ર હતા.એ ન્યાયે જયેશ આમારા ઘેર રોજ આવે.અમે એને ભલીયો કહેતા.આવે એટલે બોલવાનું શરુ,જાય ત્યારે બંધ થાય.મારા માતુશ્રી ને કામ કરવા લાગી જાય.રીંગણ સમારવા બેસી જાય.શાક વઘારી પણ નાખે. ભાખરી શેકવા લાગે.જમતી વખતે શાક ખૂટે તો ખબર પડે કે સમારતી વખતે જ અડધા રીંગણ તો કાચા જ ચાવી ગયો હોય.જોકે હવેના બીટી રીંગણ તો વઘારેલા પણ ભાવતા નથી.
              
              * રણછોડરાય ના મંદિર ના મહારાજ ને રેડીઓ રીપેર કરતા આવડે છે એવું કહી રેડીઓ બગાડીને આપ્યો તો બાવો પાછળ પડેલો મારવા માટે.હું બરોડા ભણતો હતો ને એક દિવસ આવી પહોચ્યો મારી રૂમ પર.મારા મનમાં એકબે દિવસ માં જતો રહેશે.પણ જવાનું નામ ના લે.પછી કહે હું તો બધું છોડીને આવી ગયો છું.અગિયારમું ધોરણ માંડ પાસ કર્યું હશે.અને કોઈ મરાઠી ની દુકાન માં રેડીય રીપેરીંગ માટે જવા લાગ્યો.વાતો એવી સફાઈ થી કરે કે એને બધુજ આવડે છે.રેડીય રીપેરીંગ ના બદલે બગાડવાનું કામ વધારે કરે.મારે ખાલી મારા પુરતું સીધું સમાન આવે એટલું મનીઓર્ડર ઘરે થી આવે.એમાં બે જણ નું કેમ નું પૂરું થાય?સામટી ભાખરીઓ વણી નાખે,એક પછી એક ચડ્વતો જાય ને ખાતો જાય.છેલ્લી ભાખરી ચડી જાય ને ખાવાનું પણ પૂરું.વાટકો ભરી અથાણું શાક ની જેમ ખાઈ જાય.બહુ રેડિયા બગાડ્યા તો પેલાએ કાઢી મુક્યો.
    
              *એમાં કોઈ બીજા રેડિયોવાળા ને ત્યાં લાગી ગયો.મને કહે હવે મારા જમવાની ચિંતા ના કરતો,જાણે મારા ઉપર ઉપકાર ના કરતો હોય!જેના ત્યાં કામ કરતો એની દીકરી એના પ્રેમ માં પડી ગયેલી.દેખાવે પાછો રૂપાળો,ને વાતો નો મહા ફેંકુ.પેલી છોકરી એને રોજ જમાડે.મને કહે જમવાની વ્યવસ્થા થઇ ગઈ છે.પેલીનો પ્રેમ એના માટે ફક્ત જમવાની વ્યવ્સ્થાજ હતો.મેં કહ્યું આતો ચીટીંગ કહેવાય.તો કહે ખાવા મફત માં મળતું હોય તો બે શબ્દો મીઠા બોલવામાં શું જાય છે?અને એક દિવસ મુંબઈ ભાગી ગયો.સ્ત્રીઓના હૃદય ની કદર પુરુષોને ખાસ હોતી નથી.
   
             * શું ગરબડ  કરી કે એને ઇસરોમાં નોકરી મળી ગઈ.હું સાક્ષી છુકે એણે રેડોયા રીપેર ના બદલે બગાડ્યા વધારે હશે,પણ ઇસરોમાં કયા સર્ટીફીકેટ થી નોકરી મળી હશે?મને ઈસરોના મેનેજમેન્ટ કે એચ.આર ઉપર શંકા જાય છે.હું પણ એની સાથે ઘણીવાર ઇસરોમાં જઈ આવેલો અમદાવાદ માં.હતો તો ટેકનીશીયન પણ જાણે બહુ મોટો વૈજ્ઞાનિક હોય તેવી જ વાતો કરે.પાછો બેંગ્લોર પણ જાય.જાણે બધી ઉપગ્રહો છોડવાની જવાબદારી એનીજ હોય.અબ્દુલ કલામ સાથે તો રોજ એની મીટીંગ હોય. જયારે કોઈ ઉપગ્રહ એપલ જેવા માં કંઈક ગરબડ થઇ છે ના સમાચાર વાંચું તો મને તરત શંકા જાય કે ભલીયાએ સોલ્ડરીંગ બરોબર નહિ કર્યું હોય.અમે એનું બીજું નામ રન્ધોજ પાડી દીધેલું.મારા વાઈફ તો કાયમ કહે ભલાભાઈ કેટલા છોડિયા પાડ્યા?ફોન કરીએ ત્યારે એવુજ કહે એરપોર્ટ થી ઘેર જાઉં છું.જતો હોય લાલબસ માં ઘેર,પણ એરપોર્ટ થી હાલ જ ઉતર્યો એવુજ કહે.ન્યુયોર્ક,પેરીસ,ફ્રેન્કફર્ટ એવા બેચાર નામ બોલી જાય.અજાણ્યો તો છેતરાઈ જ જાય.વાક્ય શરુ થાય એનું ‘You know’ થી ને પૂરું થાય “છે” થી.
    
           * બેંગ્લોર ઇસરોમાં જાય એટલે બાજુમાં એન.એ એલ માં મારા મોટાભાઈ ના ત્યાં પણ અચૂક જાય.મોટાભાઈ ખુદ વૈજ્ઞાનિક અને ડેપ્યુટી ડાયરેક્ટર પણ એમની સામે પણ છોલવા બેસી જાય.છોલાય કોની સામે?અજ્ઞાની હોય તેની સામે.આપણ ઘેર આવે તો સામેથીજ કહીદે એને શું ખાવું છે.પણ એના ઘેર જો ગયા હોઈએ એના અતિઆગ્રહ થી તો પણ ધણી વહુ  એટલું બધું ઝગડે કે તમે તરત જ ત્યાંથી ભાગી છૂટો.પછી ભૈલાએ ટીવી રીપેરીંગ ચાલુ કર્યું હતું.એક દિવસ મને ડો પટવા જે અમદાવાદ માં જાણીતા ઓર્થોપેડિક હતા તેમના ઘેર ટીવી રીપેર માટે લઇ ગયો.ડોળ બહુ મોટો કરે.સ્ક્રીન સામે મોટો અરીસો મુક્યો ને પાછળ બેસી ચાલુ કર્યું રીપેરીંગ.નાનું સ્ક્રુ ડ્રાઈવર લઇ કલાક સુધી મથ્યો હશે.પછી સ્પેર પાર્ટ લાવવો પડશે એવું બહાનું કાઢી ત્યાંથી ભાગ્યાં.મેં કહ્યું તું યાર માર ખવડાવે તેવો છે.હું અમેરિકા આવ્યા પછી થોડા દિવસ લીકર સ્ટોર માં જોબ કરતો હતો,એવું જાણ્યાં પછી  પોતે રોજ અમરિકા ફરે છે તેવું બતાવવા ફોન કરે ને પહેલું પૂછે ‘કરોના’શું ભાવ રાખ્યો છે?’કુર્સ લાઈટ’ શું ભાવે વેચો છો?હેનીકેન સિક્સ પેક કેટલામાં પડે? આ બધી અહીની બીયર ના નામ છે.હવે એને લાગ્યું છે કે હું અહીંથી એને બહુ કામ લાગુ તેવો નથી એટલે કોન્ટેક્ટ રાખતો નથી.     

પ્રતિભાવો!!અભિપ્રાય!!કોમેન્ટ્સ!!

પ્રતિભાવો!!અભિપ્રાય!!કોમેન્ટ્સ!!
       
           *કોઈ પણ લેખ વાંચીને અભિપ્રાય આપવો કે ના આપવો તે વાચકે નિર્ણય લેવાનો છે.પ્રતિભાવ માંગવો તે કોઈ મોટો ગુનો તો નથી જ.આપણે સ્વતંત્ર છીએ પ્રતિભાવ આપવા માટે.નાં આપો તો કોઈ ઘેર આવીને કડક ઉઘરાણી તો કરતુ નથી.ઘણા મિત્રો ને ફરિયાદ છે કે કોમેન્ટ્સ માટે ખુબ ઉઘરાણી થાય છે.ચાલો કોઈ મિત્રે કવિતા ,ગઝલ કે આર્ટીકલ લખીને મુક્યો,તો એ મિત્ર એક વાર રૂટીન મુજબ લખશે કે મેં આ કૃતિ મૂકી છે પ્રતિભાવ આપસો.એ કાઈ એક જ કૃતિ માટે દસ વાર તો લખતા નથી કે પ્રતિભાવ આપસો,,પ્રતિભાવ આપસો,,હું અહી દસ વાર નથી લખતો તમે સમજી લેજો.એક જ વાર એક રચના માટે કોઈ પ્રતિભાવ માંગે તેમાં આપણું શું ગયું?આપણે આપવો હોય તો આપીએ નાં આપવો હોય તો ના આપીએ.
   
                       *ચાલો હું કદી પ્રતિભાવ નથી માંગતો તો મારા લેખ ની ગુણવત્તા થોડી ઉંચી થઇ જવાની છે?અને પ્રતિભાવ માંગનાર ના લેખ કે રચનાની ગુણવત્તા નીચી થઇ જવાની છે?ગુજ્બ્લોગ માં સભ્ય હોવ તો ઈ મેલ્સ તો આવવાની છે.એને કંટ્રોલ માં રાખવાની સગવડ પણ હોય જ છે.અને ના વાચવી હોય તે ડીલીટ કરતા વાર પણ લાગતી નથી.પસંદગી ની મેલ જ વાચવી.બાકીની ડીલીટ કરી નાખવાની.પણ એમાંથી કોઈ સારો બ્લોગ કે રચના વાચવા મળી જાય છે.આપણી રચનાઓ કોઈ વાંચે તે માટે આપણે એમ સભ્ય થયા હોઈ છીએ,એમ બીજા પણ થયા હોય.આપણી રચના મુકાયા ની મેલ બધાને મળે તો ચાલે,બીજા ની આવે તો ના ગમે તે ક્યાંનો ન્યાય?હું પોતે આ ગુજરાતી બ્લોગ  જગત માં નવો હતો.ગુજ્બ્લોગ માં સભ્ય પણ પાછળ થી થયો.મને આની ખાસ ગતાગમ ના હતી.પછી મારી રચના મુક્યા ની મેલ પણ હું કરતો નહતો.ઘણા સમય પછી મેં તે ચાલુ કર્યું.એમાં કોઈ વાર લખું છું કે પ્રતિભાવ આપસો,ને ઘણી વાર નથી પણ લખતો.પણ મારા વાચકો ની સંખ્યા આ પછી ખુબ વધી ગઈ છે.
     
                     *તમે ગમેતેટલું સારું લખો કોઈ જાણે જ નહિ તો ક્યાંથી વાંચે?જંગલ માં મોર નાચે તો કોણે જોયો?તમે કેવું લખો છો તે ક્યારે ખબર પડે?જાતે તો બધા પોતાને મહાન જ સમજતા હોય.હું જાતે લખું કે મારા લખાણો તેજાબી છે એનો શું અર્થ? મને તો કશું તેજાબી લાગતું નહોતું.હું તો મારા વિચારો જે મનમાં ઉદભવતાં હોય તે લખતો હતો.આતો ભજમનભાઈ ના કાન ની બુટ ગરમ થઇ ગઈ ને એમણે મને જણાવ્યું ત્યારે ખબર પડી કે ભાઈ આપણી વાત માં થોડો ઘણો તો દમ છે.છતાં દરેક વખતે એવું લખાય તે પણ જરૂરી નથી.કોઈ વાંચે,અભિપ્રાય આપે ત્યારે જ ખબર પડે કે કેવું લખીએ છીએ.અને કેવું લખીએ છીએ તે વાંચનાર જ નક્કી કરી શકે,જાતે નહિ.અને માટે અભિપ્રાય માંગે કોઈ તો નારાજ થયા વગર આપવો હોય તો આપવાનો,તમે સ્વતંત્ર છો ના આપવા માટે પણ.
      
                   *ઘણા મિત્રો રૂટીન મુજબ લખી નાખતા  હોઈ શકે કે કોમેન્ટ્સ આપસો.ઘણા મિત્રો ને ઇન્તેજારી હોય જાણવાની કે એમણે કેવું લખ્યું છે,માટે જરા આગ્રહ પૂર્વક લખતા હોય કે અભિપ્રાય આપવાનું ભૂલતા નહિ.ઘણા તો આવા શબ્દો પણ રૂટીન મુજબ લખી નાખતા હોઈ શકે.કોઈ કોપી પેસ્ટ કરે તો ફરિયાદ કર્યાનું જાણ્યું છે,પણ કોઈએ અભિપ્રાય ના આપ્યો ને ફરિયાદ કરી હોય તે જાણ્યું નથી.તમે અભિપ્રાય નથી માંગતા ને ટૂંકું ટચ લખો છો માટે એની ગુણવત્તા ઉંચી હોઈ શકે એવું બની શકે, ને ના પણ બની શકે.અને લાંબા લેખ લખનાર ની ગુણવત્તા નીચી હોય તેવું પણ ના હોઈ શકે.હા તમને પ્રેક્ટીસ ના હોય ખાસ વાંચવાની તો કંટાળો આવે કે ધીરજ ના હોય તેમાં લખનાર નો કોઈ વાંક નથી.મારા આર્ટીકલ નીચે દવે સાહેબ ના પ્રતિભાવ ની લંબાઈ વધારે હોય છે.પણ હું તેને ધ્યાન થી વાંચું છું.કારણ ઘણી વાર એમાંથી ઘણું સારું જાણવા મળે છે.ઘણી વાર તો તેઓશ્રી મૂળ આર્ટીકલ કરતા વધારે લાંબુ લખી નાખતા હોય છે.પણ હું તો ખરેખર વાંચનાર છું માટે મને કંટાળો ના આવે.ખુબ વાંચી વાંચી ને તો લખતા શીખ્યો છું.મને તો ઉલટું છે સાવ ટૂંકું ને ટચ લખાણ હોય તો પૈસા પડી ગયા હોય તેવું લાગે.હું વડોદરા થી બસ સ્ટેશને થી ચિત્રલેખા લઇ ને બસ માં બેસું માણસા મારા ગામ જવા.નડિયાદ આવતા સુધી માં વારંવાર બ્રેક વાંચવામાં પાડ્યા છતાં ચિત્રલેખા પૂરેપૂરું વંચાઈ જાય.એટલે મને લાગણી થાય કે મારા પૈસા પડી ગયા.અમદાવાદ વચ્ચે ઉતરીને બસ બદલાતા પાછુ બીજું કોઈ અભિયાન જેવું લઇ લઉં.માણસા આવતા તે પણ પૂરું થઇ જાય.બસ માં કોઈ વાંચવા માંગે તો આપી દઉં,પાછું પણ ના માંગું.વંચાઈ ગયું હોય ફરી શું વાંચવાનું?જોકે મારા લેખ ના એવા પણ વાચકો છે જે વારંવાર એકનો એક લેખ વાંચે છે.બોલો કહેવું છે કાઈ?
            
                      *હા મુદ્દાસર ને વધારાનું પિષ્ટપેષણ કર્યાં વગર નું લખાણ હોય તે જરૂરી છે,જેથી વાંચનાર ને કંટાળો ના આવે.થોડી લખનાર ની પણ ફરજ છે કે વાચક ને કંટાળો ના આવે તેવું લખવાની.એક ની એક કૃતિ માટે કોઈ વારે ઘડીએ મેલ મોકલતું હોય તો એ પણ ખોટું છે.અને એકની એક રચના માટે કોઈ વારે ઘડીએ પ્રતિભાવ કે કોમેન્ટ્સ માગતું હોય તો તે પણ ખોટું છે.અને તમે કોમેન્ટ્સ નહિ માંગો તો પણ તમારા લખાણ માં દમ હશે કઈ નવું હશે તો વાચક ચોક્કસ અભિપ્રાય આપવાનો જ છે.અને બીજું જો વાચક ને પોતાને જ લખવાનો કંટાળો આવતો હશે તો તમે ગમેતેટલી વિનંતી કરશો ,એ પ્રતિભાવ નથી જ લખવાનો.અને જે વાચક હમેશા અભિપ્રાય આપવા ટેવાએલો  હશે તો નહિ માંગો તોપણ અભિપ્રાય આપશે જ.મારા કેટલાય  મિત્રો ફોન ઉપર મારા આર્ટીકલ ના વખાણ કરતા હોય છે,પણ કદી કોમેન્ટ્સ લખતા નથી.એટલે એવું પણ નથી કે કોમેન્ટ્સ નથી મળતી એટલે કોઈ વાંચતુ નથી.જે મિત્રો ને કોમેન્ટ્સ ની ઉઘરાણી વિષે ફરિયાદ છે એ મિત્રો ને કદાચ વાંચવાનો કંટાળો આવતો હશે,કદાચ લખવાનો કંટાળો આવતો હશે,કદાચ એમના લેખ નીચે કોઈ ઝાઝી વખાણ કરતી કોમેન્ટ્સ નહિ લખતું હોય.
         
                 *બંધ બેસતી પાઘડી પહેરી લેવાની તમામ ને છૂટ છે,પણ કોઈ ને ખોટું લગાડવાની છૂટ નથી.અને નીચે પ્રતિભાવ આપવાનું ભૂલતા નહિ.હો,કે!!!!!

નાની નાની વાતોમાં હસવું!!!કાના કાયા?

         નાની નાની વાતોમાં હસવું!!!કાના કાયા?
* અમારા  સાંધાશુલનિવારણ કેન્દ્રમાં એક શોભા નામના તામિલ બહેન કામ કરે છે. એમને આપણી ગુજરાતી વસ્તીએ ગુજરાતી બોલતા કરી દીધા છે. આ મદ્રાસી બહેનનાં  મનમાં એવું ભરાઈ ગયું છે કે ગુજરાતીમાં દરેક વાક્ય ના અંતે ‘છે’ આવવું જોઈએ. મારે એપોઇન્ટમેંટ પ્રમાણે જતા થોડું પણ મોડું થાય તો એમનો ફોન આવે ‘ભુપેન્દ્રજી તમે હમણા આવવાના નથી છે?’ હું પણ એવાજ ટોનમાં જવાબ આપું ‘અમે હમણા કાર ચલાવી  રહ્યા છે, થોડી વારમાં ત્યાં પહોચી જવાના છે.’ ત્યાં ગયા પછી હું અને થેરાપીસ્ટ પૂર્વી બહેન એમની મજાક ઉડાવીએ કે દરેક વાક્યના અંતે ‘છે’ વાપરવાની જરૂર નથી છે. મને કહે હવે અમે તમને શુદ્ધ અંગ્રેજીમાં ફોન પર વાત કરીશું. મેં કહ્યું તો અમે પણ શુદ્ધ ગુજરાતીમાં ફોન કટ કરી નાખીશું.
                 *આ પૂર્વીબેનની વાત કરું તો મેં ગ્રેટ માઈગ્રેશન વાળો લેખ લખ્યા પછી મેં એમને  કહ્યું કે આખી દુનિયાની માનવજાતના પૂર્વજો આફ્રિકન છે. મેં પૂછ્યું કે જીન્સમાં માર્કર થાય છે તે ખબર છે? તો મારા પહેરેલા જીન્સ સામે જોવા લાગ્યા. મને જોકે ખ્યાલ ના આવ્યો, મેં પછી શબ્દ વાપર્યો મ્યુટેશન. તો કહે સાચું કહું તમે જીન્સ બોલ્યા ત્યારે હું તમારા પહેરેલા જીન્સના પેન્ટ સામું જોતી હતી, મને એમ કે તમારા જીન્સ પર કોઈ દાગ પડ્યો હસે. પણ તમે મ્યુટેશન બોલ્યા ત્યારે ખબર પડીકે ગોટાળો થઇ ગયો. અમે બંને એ દિવસે ખુબ હસ્યા.
                     * બરોડામાં ભણતો ત્યારે જુબિલી બાગની પાછળ આવેલી ખત્રીપોળની ખત્રી બિલ્ડીંગમાં રહેતો હતો. ખત્રીકાકા એ બિલ્ડીંગ તો ચાર માળની બહુ ઉંચી બનાવેલી, પણ ફક્ત ભાડા ખાવા માટે. એટલે દરેક માળે ૧૦ બાય ૧૦ ની રૂમો જ બનાવેલી. એક રૂમ એટલે એક ઘર સમજી લેવાનું. ઉપર થોડા કેરાલીયન ભાઈઓ રહેતા હતા. એક વાર એક કેરાલી ભાઈ એ મને પૂછ્યું , કાના કાયા? મને સમજ ના પડી કે શું પૂછે છે. એને બેત્રણ વાર પૂછ્યું કાના કાયા? મેં પણ સામે શું? શું? પૂછે રાખ્યું તો કંટાળીને જતો રહ્યો. બાજુની રૂમમાં એમના મોટાભાઈ સાથે રહેતા અરવિંદભાઈ મારા મિત્ર  બની ગયેલા, તે હસ્યા કરે. મને કહે પેલો ખાના ખાયા?એમ પૂછતો હતો. પછી તો જયારે પેલો ભાઈ મને પૂછે કે કાના કાયા? તો તત્ક્ષણ ના ખાધું હોય તોયે હું જવાબ આપી દેતો કે કાયા!!કાયા!!. ગરબડ એક દિવસ એવી થઇ  કે મને પૂછી ને એ તો  જતો રહ્યો. પછી હું અને અરવિંદ ભાઈ લોજમાં ખાવા ગયા. ત્યાં પેલો પણ ખાવા બેઠેલો. મને કહે અબી તો તુમ બોલતા તા કે કાના કાયા ફિર સે કાને આ ગયા ક્યા? હું તો ભોંઠો પડ્યો. પણ અરવિંદ ભાઈ કહે મેરેકુ કંપની દેને આયા હે.
                      *ચાર માળની ખત્રી બિલ્ડીંગની અગાશીમાં જવા માટેની કોઈ સિમેન્ટની બનાવેલી સીડી હતી નહિ. લાકડાની સીડી કાકાએ કાઢી નાખેલી, જેથી અગાશીમાં જવાની તકલીફ થતી. લોબીની  પાળી ઉપર પગ ટેકવી છલાંગ  મારી કુદીને ઉપર જવું પડતું. એટલે પરણેલા ને બાલબચ્ચાવાળા તો આવું સાહસ કરતા નહિ. પડે તો છેક નીચે ભુક્કા બોલી જાય. ખાલી અમારા જેવા વાંઢા વિલાસ જ કુદી ને ઉપર જતા. વિનોદ, મનસુખ અને અરવિંદભાઈ બધા એમના ભાઈ ભાભી સાથે રહેતા. અને એકજ રૂમના ઘર હતા. માટે બારેમાસ આ લોકો અગાશીમાં સુઈ જતા. કડકડતા શિયાળામાં પણ અગાશીમાં જ સુવાની મજા માણતા. ખાલી વરસાદ પડે ત્યારે રૂમો આગળની લોબીમાં સુતા.  ખાલી હું અને મારો મિત્ર મહેશ સ્વતંત્ર રૂમમાં રહેતા. જોકે અમે પણ મોટા ભાગે અગાશીમાં જ સુતા. સાંજ પડે અમે બધા અગાશીમાં  ભેગા થતા ને ટોળટપ્પા ચાલતા. મજાક મસ્તીને ધમાલ કરતા. આ બધા ખુબ સ્ટ્રગલ કરતા. ભાઈ ભાભી જોડે રહેવામાં મનદુઃખ પણ થતા. બધા એમના દુખડા ગાતા. ત્યારે હું આ લોકોને “ભાભીઓથી દાઝેલા દિયરો” નું મંડળ છે એવું કહેતો.
                      *શિયાળાની ઠંડીમાં મારે સ્વતંત્ર રૂમ હોવા છતાં આ લોકો મને રૂમમાં સુવા ના દેતા. એક દિવસ ટેવ મુજબ સવારે ઉઠીને અગાશીમાં આંટા મારતો હતો. તેવામાં કૌતુક દીઠું, વિનોદની પથારીમાં..આ વિનોદ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જીલ્લાના વણાં ગામનો. એના મોટા  ભાઈ મહેન્દ્રભાઈ  સુથારી કામ કરતા. વિનોદ જી.એસ.એફ.સીમાં એપ્રેન્ટીશીપ કરતો. એને મોઢે માથે સંપૂર્ણ ઓઢીને સુવાની આદત. મને ગમેતેટલી ઠંડી હોય મોઢું ખુલ્લું જોઈએ. માથે ઓઢીને મારાથી એક મિનીટ પણ સુવાય નહિ. વિનોદ પાતળી ગોદડી માથે ઓઢીને સુતો હતો. મેં જોયું તો એની પાતળી ગોદડીમાં લાલ રંગના ઝબકારા થતા હતા. પહેલા થોડો પીળો ઝબકારો થયેલો. પછી થોડી થોડી વારે નિયમિત લાલ ઝબકારા થયા કરે. મને થયું શું થતું  હશે માળું?  વિનોદ તો ઊંઘે છે ને એની પથારીમાં આ ઝબક  ઝબક શું થાય છે? હું તો ઉઠ્યો ને એકદમ ઓઢેલી ગોદડી ખેચી તો ભાઈલો વિનોદ અંદર બીડી પીતો હતો. ત્યારે મને સમજ પડી કે પહેલા પીળો ઝાબકરો બીડી સળગાવવાને લીધે થયેલો. મેં  કહ્યું અલ્યા માથે ઓઢીને બીડી પીવાની? તો કહે ટાઢ વાય તો શું કરું? હું તો કાયમ આ રીતેજ પીવું છું, આતો તમે આજે જોઈ ગયા. એના ફેફસા ઓછા ઓક્સીજન અને વધારે કાર્બન ડાયોક્સાઈડ થી ટેવાઈ ગયેલા લાગ્યા. મેં ય જોકે ટેસડા તો બધા કરેલા પણ વ્યસન કશાનું પડવા દીધેલું નહિ. કારણ કોઈની ગુલામી વેઠાય નહિ. એમાં વ્યસન પણ આવી જાય.
                        *અગાશીમાં અમે સાંજે થોડા યોગના આસનો કરતા. એમાં હું ને મહેશ તો નિપુણ હતા. એટલે આમારા વાદે બીજા પણ ટ્રાય કરતા. એક દિવસ અમે કુક્કુટાસન કે પછી બદ્ધ પદ્માસન  કરતા હતા. એમાં પદ્માસન કરી પગ વચ્ચે હાથ નાખી હાથના પંજા ઉપર ઊંચા થવાનું હોય છે. વિનોદે જેમતેમ કરી પદ્માસન વાળી લીધું. પછી મહાપ્રયત્ને અદર હાથ નાખીને ઉંચો થયો. પછી હાથ બહાર કાઢવા જાય તો નીકળે નહિ. મને અને મનસુખને કહે અલ્યા છોડાવો. અમને ટીખળ  સુજી. એના થી તો હાથ બહાર નીકળતા હતા નહિ, અમે બંને જણા બે બાજુથી વિનોદના  ખભા પકડીને ઉચકી ઉચકી ને નીચે પછાડવા માંડ્યો. એ તો રાડો પાડવા માંડ્યો, ને સરસ્વતી ઉપર સરસ્વતી સંભળાવવા લાગ્યો. બીજા બધા ઉભા ઉભા જોર જોર થી હશે. અરવિંદભાઈના હાસ્યની  માત્રા અને તીવ્રતા  જરા ઉંચી. મેં કહ્યું જેટલી સરસ્વતી વધારે બોલીશ એટલો વધારે પછાડીશું. પછી કહે નહિ બોલું બાપા છોડો. પછી અમને પણ દયા આવી કે વધારે પછાડીશું તો હમણા રડવા લાગશે. એટલે છોડી દીધો. પછી બધા ખુબ હસ્યા. એ પણ ભેળો હસવા માંડ્યો. અમારા  મિત્રો વચ્ચે એક વાત હતી નાની મજાક મસ્તીનું કોઈ ખોટું ના લગાડતું, કે મનદુઃખ ના થતું. આજે તો વિનોદભાઈનો દીકરો અમેરિકામાં ભણે છે. હજુ પણ એમના શિક્ષિકા શ્રીમતી મારી આગળ ફરિયાદ કરે કે તમારા ભાઈ સિગારેટ છોડી નથી શકતા.
                      *અરવિંદભાઈ અમારા  બધામાં મોટા. એક મોટાભાઈની જેમ બધાનું ધ્યાન રાખે. સારાભાઇ ગ્લાસમાં એમની નોકરી હતી. પછી તો એ પણ બંધ થઇ ગયું. સૌથી પહેલા એમના લગ્ન થયેલા. ત્યારે અમે બધાએ ભેગા થઈને ગીફ્ટની સાથે મજાક કરવા બર્થ કંટ્રોલના સાધન ભેગા મૂકી દીધેલા. ફરી મળ્યા ત્યારે કહે સાલા નાલાયકો આવા ધંધા કરવાના? મને કહે આ આઈડિયા પણ તારો જ હોવો જોઈએ, બીજાને આવા વિચારો ના આવે. પછી ખુબ હસે. એમને કદી ખોટું લાગેજ નહિ.
                   *આ બધા મિત્રો કોઈ ખાસ પૈસાવાળા ના હતા. પણ એમના દિલ ખુબ મોટા હતા. હું એકલો રહેતો ક્યારેક પિતાશ્રીએ મોકલેલું મની ઓર્ડર આવતા મોડું થાય. પણ અરવિંદભાઈ કદી ખોટ ના પડવા દે. અરવિંદભાઈ બરોડામાં બાજવાડામાં નાનામોટા થયેલા. લક્ષ્મીનાથ વ્યાયામ શાળામાં કસરત કર્યાનો એમને ખુબ ગર્વ. નલીન ભટ્ટ પણ એમની સાથે રમેલો. પછી તો નલીન ભટ્ટ રાજકારણમાં બહુ મોટું માથું બની ગયા. જોકે મોટા બની ગયા પછી આ લોકો જૂની ઓળખાણો રાખતા નથી. દેખાતા નાના લોકોના દિલ બહુ વિશાળ હોય છે, ને મોટા લોકોના દિલ બહુ છોટા હોય છે. મારો પોતાનો પણ એવો અનુભવ છે. આ અરવિંદભાઈ ખુબ સરસ ગાય. રફીસાહેબ, તલત મહેમુદ, મુકેશજી, કિશોરદા, મન્નાડે સાહેબ  બધાના ગીતો સરસ ગાય. વગર સંગીતે એટલો સુદ્ધ આરોહ અવરોહ આલાપે કે નાં પૂછો વાત. કોઈ પણ ટ્રેનીગ વગર શાસ્ત્રીય ગીતો પણ ગાય. પણ કહીએ કે આ ગીત ગાવ તો નાં ગાય. પછી અમે એમની આદત જાણી ગયાં. અમે જાતે જ ભેંસાસુર અવાજમાં  ગાવા માંડીએ એટલે પછી તેઓ શરુ થઇ જાય. એમને મોડે મોડે બત્તી થાય એટલે હસે. નાલાયકો મારી જોડે ગવડાવવા માટે નાટકો કરો છો?  મને ઘણીવાર એવું થાય કે આટલા સરસ ગાયક છે, ટ્રેનીગ અને બેકપ મળે તો ક્યાંથી ક્યાં પહોચી જાય!

“ભલે મહાત્માઓ ના કહે!મોહ,મમતા,માયા જરૂરી છે.”

                   *લગભગ બધાજ ગુરુઓ કહે છે મોહ,માયા,મમતા છોડો બધું નકામું છે.નકામું હોત તો મુકત શું કામ?હા!એની લીમીટ હોવી જોઈએ,પણ નકામું તો નથીજ.સાધુઓ બાલ બચ્ચાંનો મોહ છોડી ને ભાગી જાય છે.પછી નવો મોહ વળગે છે.સંપ્રદાય નો,ભક્તો વધારવાનો,મંદિરો ઉપર મંદિરો બનાવવાનો.મોટા ભાગ ના ગુરુઓને એકાદ સ્ત્રી શિષ્યા નો મોહ વળગેલો હોય છે.ઘણા બધા ગુરુઓની શિષ્યાઓ ખુબ નાની ઉમરની હોય છે,તે ગુરુઓ ને આ શિષ્યાઓમાં એમની દીકરીઓ પણ દેખાતી હોય છે.દીકરી પ્રત્યેનો મોહ આ નાનકડી શિષ્યાઓમાં વહેતો હોય છે.આ શિષ્યાઓ મોટી થતા  શિષ્યાઓ તથા એમના મળતિયાઓ દ્વારા ગુરુઓનું  શોષણ થતું હોય છે.બાપ જેવી લાગણી ધરાવતા ગુરુઓ મોહવશ થઇ કશું જ કરી શકતા નથી,અસહાય બની જતા હોય છે.
મોહ,મમતા,માયા વિરુદ્ધ ભાષણો આપતા ગુરુજી પોતે મોહ ના ચક્કર માં ફસાઈ જતા હોય છે.મેં પોતે આવા દાખલા જોયા છે.
        
                      *મોહ,મમતા જરૂરી છે.મમતા ના હોય તો તમે તમારા બાળકોને મોટા કઈ રીતે કરો?બાળકો પ્રત્યે મમતા કુદરતે મૂકી છે.જેથી તમે એમનું રક્ષણ કરો,પાળો,પોષો અને મોટા કરો.તો જ તમારા સંતાનોમાં તમે ટ્રાન્સફર કરેલા જીન્સ વ્યર્થ ના જાય.પ્ર્રાણીઓ પણ આ મોહ મમતા થી પર નથી.દરેક પ્રાણી જગત અને જંતુ જગત એના સંતાનોને બચાવવા જીવ સટોસટ ની લડાઈ લડતું હોય જ છે.એક ચિત્તા ફેમિલીનું જીવન હું ટીવી પર જોતો હતો.(ભારતમાં ચિત્તા નથી,જે છે તે દીપડા છે.) માદા ચિત્તા એના બે બચ્ચાઓ ને પાળતી હતી.હમેશા જીવ ના જોખમે એમનું રક્ષણ કરતી હતી.બંને બચ્ચા હરદમ એની સાથેજ રહેતા હતા.અને બચ્ચા મોટા થયા.એક દિવસ અચાનક બંને ને છોડી ને જતી રહી.હું તો જોતોજ રહી ગયો!આ બચ્ચાઓ માટે પ્રાણ ના જોખમે લડી છે.અને આમ અચાનક છોડી દેવાના?હા!પણ આ બચ્ચાઓ હવે મોટા થઇ ગયા હતા,જાતે શિકાર કરવા માટે સક્ષમ હતા.મને આ ચિત્તા ફેમીલી ના જીવન કવન પરથી શીખવા મળ્યું કે ક્યાં સુધી મોહ જરૂરી છે?ક્યાં સુધી મમતા જરૂરી છે?સંતાનો મોટા થાય એટલે એમની લડાઈ એમને લડવા દો.નહીતો એ કમજોર થઇ જશે.સર્વાઈવલ ના યુદ્ધ માં ટકી નહિ શકે.વધારે પડતી સલામતી એમને અસલામત બનાવી દેશે.મોહ મમતા જરૂરી છે,સંતાનોને મોટા કરીએ ત્યાં સુધી.માનવી નું બચ્ચું સૌથી કમજોર હોય છે.એને લાંબા સમય સુધી માતાપિતા ની સહાયતા ની જરૂર હોય છે.બીજા પ્રાણીઓ ના બચ્ચાઓ બે ત્રણ કલાક માં ઉભા થઇ ને દોડવા લાગે છે.માનવીના બચ્ચાને મોટું કરતા આશરે ૧૫ વર્ષ વીતી જાય છે.બચ્ચાને મોટા કરવા નર માદા ના સહિયારા પ્રયાસો  ની જરૂરત હોય છે.એટલે પક્ષીઓ પણ  જોડી  બનાવે છે.
          
               * દક્ષીણ ધ્રુવ પ્રદેશ માં પેન્ગ્વીન નામના જે પક્ષીઓ રહે છે,તે ઉડતા નથી પણ ચાલે છે અને પાણીમાં તરે છે.ભયાનક શિયાળામાં ૧૦૦ માઈલ(૧૬૦ કિલોમીટર) ની ઝડપે કાતિલ પવન સુસવાટા મારતો હોય ને ભયંકર બરફ વર્ષા થતી હોય ત્યારે હજારો પેન્ગ્વીન ટોળું વળી ને છ મહિના ઉભા રહેતા હોય છે.એમના બે પગ વચ્ચે એક ઈંડુ રાખી  છ મહિના સાચવતા હોય છે તે નર હોય છે,માદાઓ નહિ.માદાઓ તો ઈંડા મૂકી દરિયા ભેગી થઇ ગઈ હોય છે.શિયાળો પૂરો થતા પાછી આવે છે,પેટમાં એમના બચ્ચાઓ માટે અઢળક ખોરાક નો પુરવઠો ભરીને.પ્રાણીઓ ને બીજા સજીવો નો મોહ સમય પુરતો હોય છે.જયારે માનવી નો મોહ સમય વીતી ગયા પછી પણ  ચાલુ રહેતો હોય છે.સંતાનો ખુદ સંતાનો ધરાવતા થઇ ગયા હોવા છતાં આ મોહ ચાલુ રહે તો સંતાનોએ અપ્રિય લાગતો હોય છે.
       
                       *  સ્ત્રીને અને પુરુષ ને એકબીજા પ્રત્યે મોહ મમતા હોય છે.પ્રેમ હોય છે.પરિણામ સ્વરૂપ એમના જીન્સ બીજી પેઢીમાં ટ્રાન્સફર થઇ જીવનચક્ર આગળ ધપે છે. અને બંને ભેગા થઇ ને એમના સંતાનો પ્રત્યે મમતા રાખે છે.જેથી એમણે ટ્રાન્સફર કરેલા જીન્સ નું રક્ષણ થઇ,પાલન થઇ નવા જીવન ને આગળ ધપવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે.તમે જીન્સ ટ્રાન્સફર તો કરી દો બીજી પેઢીમાં,પણ એમને મોટા થવા માટે જરૂરી સહાયતા ના કરો તો એનો શું અર્થ?એટલે કુદરતે મમતા મૂકી.આ છે મોહ મમતા. “મોહ મમતા ના હોય તો જીવનચક્ર ચાલે નહિ.”
    
                 *નોધ:-નીચેના ફોટા મેં જાતે ન્યુયોર્ક માં હરતાં ફરતાં ખેચેલા છે.
Single Mother
         

!!ભલે સંતો ના પાડતાં,,કામ અને ક્રોધ આવશ્યક છે!!

 !!ભલે સંતો ના પાડતાં,,કામ અને ક્રોધ આવશ્યક છે!!        
         
        *ભગવાન કે કુદરત જે કઈ વસ્તુ સમસ્ત સજીવ  જગત ની અંદર મુકે છે,તે જરૂરી હોય ત્યારે જ મુકે છે.વણ જોઈતું કશું મુકે તેવો એ મૂરખ નથી.તમે શ્વાસ લીધા વગર કેટલું જીવી શકો?તમે ખોરાક લીધા વગર કેટલું જીવી શકો?કે પાણી પીધા વગર પણ કેટલું જીવી શકો?આ થઇ તરત ની જરૂરિયાતો.પણ ઘણી એવી જરૂરિયાતો છે,જે લાંબા ગાળાની યોજનાઓ છે.એના વગર કોઈ સજીવ ને ચાલતું નથી.જો ચાલી શકતું હોય તો ભગવાન મુકે જ નહિ.
       
                                *કામ એટલે સેક્સ કુદરતે દરેક સજીવોમાં મુકેલો છે.જો એ નાં હોય તો જીવન ચક્ર આગળ ચાલે નહિ.જો ખરાબ હોત તો કુદરત તમારી અંદર મુકત જ નહિ.એટલે એના વગર ચાલતું નથી.જો બળજબરી થી ચલાવવા  જાવ તો સ્ખલન થવાનું જ છે.હમણા ૩૩ વર્ષ ના યુવાન દક્ષીણ ભારતીય સન્યાસી નિત્યાનંદ ની વાતો વાંચી.તમિલ અભિનેત્રી સાથેના એમના અંગત સબંધો ચર્ચા માં છે.આમાં આ સન્યાસી ખોટા રવાડે ચડી ગયા છે.૩૩ વર્ષ નું જુવાનજોધ શરીર એમના કાબુમાં ના રહે.કુદરતે અબજો વર્ષ થી  તમારા જીન્સ માં મુકેલું છે કે એક કોપી પાછળ મુકતા જવું.એ ઈવોલ્યુશનરી ફોર્સ સ્ત્રી નજીક આવી નથી કે તમને છોડવાનો નથી.આ સાયંસ પ્રાચીન લોકો જાણતાં હતા.નાની ઉમરમાં સન્યાસ લેવો એ કુદરત ના વિરુદ્ધ માં જવાનું થાય છે.આના વિષે ઘણું બધું કહેવાઈ ગયું છે.જીવનચક્ર આગળ ને આગળ ચાલતું રહે તેવી કુદરતની યોજના એટલે દરેક સજીવ માં મુકેલી “કામ” ની પવિત્ર ભાવના.કુદરતે મુકેલી દરેક વસ્તુ પવિત્ર જ હોય.”કામ” ને કામવાસના કહી હું કુદરત નું ભગવાન નું અપમાન કરવા નથી ઈચ્છતો.જેમ ભૂખ લાગે છે,ને ખાધા વગર ચાલતું નથી.તેમ લાંબા ગાળા ની કુદરત ની યોજના મુજબ કામ(સેક્સ) વગર ચાલે નહિ.
       
                     *ક્રોધ માં એક બળ હોય છે,તાકાત હોય છે.ક્રોધ વગર નો માણસ નપુંસક જેવો લાગે છે.જે કામ માં ખુબ તાકાત લગાવવી પડે છે,તે કામ ક્રોધ માં સહેલાઇ થી કરી શકો છો.અમેરિકાના એક પ્રતિષ્ઠિત ઓલોમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ એથ્લેટ્સ ભારત આવેલા.અહીના રમત જગત ના ખેલાડીઓ ની મુલાકાત લીધી.અહી ચાલતા વિવિધ કેમ્પ ની મુલાકાત પણ લીધી.પછી કોઈએ પૂછ્યું કે આપનું અહીના ખેલાડીઓ વિષે શું માનવું છે?એમનો જવાબ હતો કે ભારતમાં પ્રતિભા ખુબ છે.પણ ‘ભારત ના ખેલાડીઓ અગ્રેસીવ નથી’.ખેલાડીઓ માં આક્રમકતા નથી.એક મરું કે મારું ની ભાવના જોઈએ,જે અહીના ખેલાડીઓ માં નથી.માટે છેલ્લી ઘડીએ માર ખાઈ જાય છે.પ્રજામાં જ એક તો આક્રમકતા નથી તો પ્રજામાંથી આવતા ખેલાડીઓ માં ક્યાંથી હોય?કે નેતાઓમાં પણ ક્યાંથી હોય?મહાત્માઓ ના ઉપદેશો કે કામ,ક્રોધ ને છોડો.ક્રોધ ખરાબ છે.પ્રજા કાયર ના બને તો શું થાય?નપુંસક ના બને તો શું થાય?મુઠ્ઠીભર અંગ્રેજો અહી રાજ ના કરી જાય તો શું થાય?છોને આપણે એક અબજ થી વધારે રહ્યા.હજારો ઘેંટાઓનું ટોળું ભલેને હોય,પણ એક સિંહ આવીને ત્રાડ પડે તો શું થાય?ધાર્મિક મહાપુરુષોએ ક્રોધ ને વખોડી વખોડી ભારતને પાયમાલ કરી નાખ્યું છે,બલહીન,કાયર બનાવી દીધું છે.
          
               * સર્વાઈવલ માટે જીવવું હોય તો બળ જરૂરી છે,ને એ બળ પેદા થાય છે ક્રોધ માં.એક ઘાંચી ને રાજપૂત ના ઘર જોડે હતા.રાજપૂત ભાઈ દુબળા પાતળાં ને ઘાંચી ભાઈ તગડા રૂષ્ટપુષ્ટ.ઘાંચી ની પત્ની પેલા દરબાર ની પત્નીને રોજ મહેણાં મારે કે મારો ઘાંચી કેવો તગડો છે,ને તારો દરબાર જો કેવો દુબળો પાતળો છે.દરબાર ની પત્નીએ એના પતિ ને આ વાત કરી.દરબાર કહે ઢોલ વાગવા દે પછી વાત.એવામાં ગામમાં ધાડ પડી ને બચાવ કરવા લોકોને ભેગા કરવા ઢોલ વાગ્યો.દરબાર ને ક્રોધ ચડ્યો,ઝનુન વ્યાપી ગયું શરીરમાં.દરબાર ને પેલી ઘાંચી ની વાત યાદ આવી,બાજુમાં પડેલી લોખંડ ની કોશ ઉઠાવી ને ઘાંચી ના ગાળામાં ભેરવી ને વાળી દીધી.પછી દરબાર તો ગયા ધાડપાડુઓ  સામે લડવા ને બધા ભાગી ગયા એટલે પાછા આવ્યા.હવે ક્રોધ જતો રહ્યો.પેલો ઘાંચી કહે દરબાર હવે આ કોશ ને સીધી કરો ને કાઢો હવે.દરબાર કહે હવે ના થાય,ફરી ઢોલ વાગે ત્યારે સામે આવીને ઉભો રહેજે.આ વાત તો ઘણા બધાએ વાંચી હશે.કોઈ આખો દિવસ તો ક્રોધ માં જીવી ના શકે.શરીર માં ખાસ પ્રકાર ના કેમિકલ્સ ક્રોધ માં વધારાનું બળ પ્રાપ્ત કરવા માટે છૂટે છે.ઈમરજન્સી શક્તિ નો પુરવઠો વહેવા લાગે છે.કામ પૂરું થયા પછી એની જરૂર હોતી નથી.ઉલટાનું હાની કરે.માટે આખો દિવસ સતત ક્રોધ માં જીવી ના શકાય,અને કોઈ નવરું પણ ના હોય ક્રોધ માં જીવવા.પણ સર્વાઈવલ માટે જો તમને કોઈ મારવા આવે તો ક્રોધ જરૂરી છે.
 

વાંચવા જેવા શ્રેષ્ઠ પુસ્તકો,,,,

મિત્રો વાંચવા જેવા શ્રેષ્ઠ પુસ્તકો
૧)સત્ય ના પ્રયોગો (આત્મ કથા)  :-ગાંધીજી
૨)કૃષ્ણાવતાર :-ક.માં.મુનશી.
૩)ગુજરાત નો નાથ :- ક.માં.મુનશી.
૪)મળેલા જીવ :- પન્નાલાલ પટેલ
૫)માનવીની ભવાઈ:-પન્નાલાલ પટેલ
૬)ગ્રામ લક્ષ્મી:-ર.વ.દેસાઈ
૭)ગીતાંજલિ:-રવીન્દ્રનાથ ટાગોર ,,,,હિન્દી અનુવાદ
૮)ગબન ,૯) ગોદાન,૧૦)શતરંજ કે ખિલાડી :-પ્રેમચંદ,,,,હિન્દી
૧૧)દેવદાસ,૧૨)પરિણીતા,૧૩)સ્વામી :–શરત ચંદ્ર ચટ્ટોપાધ્યાય ,,,,,અનુવાદ
૧૪)કપાલ કુંડલા :-બંકિમ બાબુ,,,,અનુવાદ
૧૫)માણસાઈ ના દીવા:-ઝવેરચંદ મેઘાણી
૧૬) સત્યાર્થ પ્રકાશ :-સ્વામી દયાનંદ સરસ્વતી
૧૭)અધોગતિ નું મૂળ-વર્ણ વ્યવસ્થા ,૧૮)ચાલો,અભિગમ  બદલીએ,૧૯)આપણી દુર્બળતાઓ:-સ્વામી સચ્ચિદાનંદ ,દંતાલી