દંભી પ્રેમ અને સપનાઓમાં જીતવાની આદત..

દંભી પ્રેમ અને સપનાઓમાં જીતવાની આદત..
       *આપણે દંભી  લોકો હમેશા એવું બતાવવા માંગીએ છીએ કે અમે બહુ ઉદાર દીલના અને માનવતાવાદી અને પાકિસ્તાનીઓ પ્રત્યે કોઈ દ્વેષભાવ વગરના છીએ, અને એવું બતાવવામાં હદ પણ વટાવી જઈએ છીએ. અમે બહુ નીતીવાદી છીએ. આ તો બે દેશોની સરકારોના ઝઘડા છે, પ્રજા તો એક બીજાને ચાહે છે. લેખકો પણ અવારનવાર એવુ જ સાબિત કરવા માંગતા હોય છે. પાકિસ્તાનના કલાકારોને આપણે માથા ઉપર બેસાડીયે છીએ. સારી વાત છે. એમાં કશું ખોટું નથી. હું પણ મહેદી હસન, ગુલામઅલી, નુસરત ફતેહઅલી અને રાહતઅલીનો ફેન છું. જગજીતસિંહ મારા પ્રિય ગઝલ ગાયક છે. મહેંદી હસન બીમાર પડે છે ત્યારે એમની  દવા કે સારવાર કરવાના પૈસા નથી, ત્યારે આ જગજીતસિંહ અહી ભારતથી લાખો રૂપિયા  મોકલી આપે છે. સારી વાત છે. પણ જગજીતસિંહ ને ૫૪ યુદ્ધ કેદીઓમાંના કોઈ પંજાબીને ઘેર જવાનો કે એમના તકલીફ ભોગવી રહેલા કુટુંબીઓની ખબર કાઢવાનો સમય નથી. આ બધા કોઈ રીચ, પૈસાપાત્ર નથી. જયારે એમનો મુખ્ય કમાનાર પાકિસ્તાનની જેલમાં સબડતો હોય ત્યારે એમના નાના બાળકોને મોટા કરતા કેટલી તકલીફ પડી હશે? કોઈ વરસ, કોઈ બે વરસ, કોઈ વળી ત્રણ મહિનાના એવા નાના નાના બાળકો હતા ને યુદ્ધમાં ગયેલા એમના વહાલસોયા પિતાઓ  ફરી કદી પાછા ના ફર્યા. મહેંદી હસનની ચિંતા કરનારા જગજીતસિંહે કદી આ લોકોની ચિંતા કરી છે ખરી?
     *શફાકતઅલી સારા ગાયક છે, એમને રેડીઓ પર સાંભળી શંકર મહાદેવન ગાંડા થઇ જાય છે. અને તાત્કાલિક ભારત બોલાવી ફિલ્મમાં ગવડાવે છે, અને અહોભાવથી જાણે બે દેશો વચ્ચેની દીવાલો તો આ ગાયકો હમણા મિટાવી દેશે એવા દંભી ખયાલોમાં અડધા અડધા થઇ જાય છે. પછી ક્યાંથી એ દેશ સામે લડેલા ભારતીય સૈનિકો યાદ આવે? એ તો પાકિસ્તાનના દુશ્મનો હતા. અમે તો પાકિસ્તાનના પ્રેમી છીએ. અમે તો કલાકારો, કલાને રાજકારણમાં વચ્ચે ના લવાય. આ સૈનિકોની  સ્ત્રીઓએ સ્વેચ્છાએ વિધવા જેવી જિંદગી વિતાવી છે. અને એમના બાળકોને આજે મોટા કરી લીધા છે કોઈની મદદ વગર. દિલીપકુમારનો પાક પ્રેમ વિખ્યાત છે. આપણાં નેતાઓને પાકિસ્તાન જઈને મેડલો લઇ આવતા જરાય શરમ આવી નથી. જે દેશે માનવાધિકારની ધરાર અવગણના કરી આપણા સૈનિકોને ત્યાં રાખી ત્રાસ આપ્યો છે, એ દેશના રત્નોના ખિતાબો? શરમ કરો શરમ. પાકિસ્તાન અને ત્યાંના મુસલમાનોની સહાનુભુતિ જીતવાના હમેશા પ્રયત્નો આ કાયર કલાકારો ને નેતાઓ તથા લેખકો કર્યા કરતા હોય છે. એમાં આપણાં દેશના સાચા સેક્યુલર મુસલમાનોની અવગણના કરવા સુધી પહોચી જાય છે.
             *૧૯૭૧નું યુદ્ધ જીત્યાંના નશામાં ઈન્દિરાજી અને એમના ચમચાઓ ભૂલી ગયા કે પાકની દાનત ખોરી છે. બધા ૯૩૦૦૦ યુદ્ધ કેદીઓને સોપી દીધા, સોપવાજ પડે એની ના નહિ પણ તપાસ તો કરો ત્યાં આપણાં કેટલા રહી ગયા છે? આપણાં પુરા સૈનિકો પાછા સોપાય તોજ એમના પુરા  સૈનિકો સોપાય. ના કોઈ તપાસ ના કોઈ છાનબીન. પાકનો રેડીઓ બોલે કે પાંચ પાયલોટો પકડાયા છે, છતાં અહી કીલ્ડ ઇન એક્શન લખાઈ જાય. કેટલી બેદરકારી? કે પછી માણસની કોઈ કીમત નહિ? પાકને હરાવ્યું, બંગલા દેશનું સર્જન કર્યું અને અમરિકાને પારકી રશિયાની મદદનો કરાર કરી નીચાજોણું કરી આપ્યું. બસ છકી ગયા, ને ૫૪ બહાદુરોની જીંદગી રોળી બેઠા. સાથે સાથે એમના કુટુંબોને બરબાદીની ગર્તામાં ફેકી દીધા. રે ભારત તારી પોકળ મહાનતા.
            *આના વિષે બે ફિલ્મો બની ચુકી છે સત્ય થી સદંતર દુર. બચ્ચન સાહેબ  અને અક્ષય ખન્નાને લઈને દીવાર ફિલ્મ બનેલી. અશક્ય ને શક્ય દર્શાવી કાયરો સપનામાં વિજય મેળવી લે છે. પાકિસ્તાનમાં એમજ ઘુસવા થોડું  મળે છે? દમયંતી તાંબે ને પૂછી જુવો કે પાછા ફરેલા કેદીઓને પૂછી જુવો. મીસીસ તાંબે પાકની જેલોમાં ગયા હતા ત્યારે ભારતીય માછીમારો ને બીજા કેદીઓને પીલરો સાથે લોખંડની સાંકળો વડે  બાંધેલા જોયા હતા. એમજ સહેલું હોત તો ૫૪ વિરલા ક્યારના પાછા આવી ગયા હોત. આ તો અક્ષય ખન્ના વગર વિસા એ ગયો. જઇ તો જુવો? ખાલી પ્રયત્ન તો કરી જુવો. અને બચ્ચન સાહેબ અક્ષયની મદદ લઇ  બધાને છોડાવી લાવ્યા. શું મુરખો જેવી વાતો કરો છો?  એટલું સહેલું હોત ૪૦ વરસની લાંબી લડાઈ એમના કુટુંબીઓએ લડવી ના પડી હોત, અને છતાય પરિણામ શૂન્ય છે. પણ લોકો મુવી જોઈ ખુશ થઇ ગયા. અને ભૂલી ગયા કે હજુ આ વીરો ત્યાં સડે છે. જુઠા સપનાઓ જોવાની ભારતને આદત પડી ગયી છે. બીજી મનોજ બાજપેઈ ને લઈને બનેલી ફિલ્મ હતી ૧૯૭૧. એમાં આ વીરોએ પ્રયત્ન કર્યો પણ પાછા આવી ના શક્યા. એવું બતાવ્યું છે. આ વીરો પ્રયત્ન પણ કરી શક્યાં નથી. જોકે બધા કહેશે ફિલ્મોમાં તો એવુજ હોય, સાચી વાત છે. પણ ખોટી  ફિલ્મો જોઇને સત્ય વિસરાઈ જાય છે. પ્રજા જુવે તેનેજ સાચું માનતી હોય છે. ઈતિહાસ ભણ્યા હોવા છતાં કે પીંડારી લુટારા હતા, છતાં વીર ફિલ્મનો રીવ્યુ લખનારા  પીંડારી વિષે બહાદુર આઝાદીના લડવૈયા એવું લખતા અચકાતા નથી.
                   *હવે મારી વાત ધ્યાનથી વાંચજો. આ પ્રકારની માનસિકતામાંથી ભારતમાં નેતાગીરી અને પ્રજામાં પણ એક વર્ગ એવો ઉભો થયો છે જે પોતાને ખુબજ સેક્યુલર દર્શાવી હમેશા મુસલમાનોને ખુશ કરવા મથી રહ્યો છે. એમની સહાનુભુતિ જીતવા પ્રયત્ન કરી રહ્યો છે. એમાં હિન્દુઓને નારાજ કરવાની હદ સુધી પહોચી જાય છે. આમાં કોંગ્રેસ, મુલાયમ, અમરસિંહ જેવા સમાજવાદીઓ આવી જાય. અને સ્વાભાવિક છે હિન્દુઓની અવગણના થાય એટલે હિંદુ નારાજ થવાના. એટલે એની પ્રતિક્રિયામાં બીજો એવો વર્ગ નેતાગીરી અને પ્રજામાં ઉભો થયો છે, જે પોતાને અમે એવા દંભી સેક્યુલર નથી એવું દર્શાવી હિન્દુઓની લાગણીઓનું શોષણ કરી એમની સહાનુભુતિ જીતી લેવા માંગે છે. આમાં ભાજપ, આર.એસ.એસ, વિશ્વહિન્દુ પરિષદ વિગેરે આવી જાય. આ લોકો પ્રજામાં જે ડરપોકપણું છે એનો સરસ ઉપયોગ કરે છે. અમને વોટ આપો નહી તો આ મુસલમાનો તમને મારી નાખશે, જીવવા નહી દે, અને જુવો કોંગ્રેસ તો આ લોકો સાથે છે, તમારું અમારા  સિવાય કોઈ નથી. એમાં મોદી અને બાળ ઠાકરે  જેવા આવી જાય, અને ફાવી પણ જાય. સ્વાભાવિક છે. ગુજરાતમાં કેમ વધારે ફાવે છે? અહીની પ્રજા બીજા રાજ્યો કરતા વધારે ડરપોક છે અને અહી કોમી રમખાણો પણ વધારે થાય છે. એટલે આમ પ્રજાને શાંતિ જોઈએ. રોજ રોજના રમખાણો ના ફાવે. અને કોંગ્રેસના સહકારે અહીના ગુજરાતના રમખાણપ્રિય મુસલમાનો પણ ફાટીને ધુમાડે થઇ ગયા હતા. રોજ કોમી રમખાણો કરી હિંદુઓને ડરાવતા હતા. બધાં મુસલમાનોને રમખાણ કરવામાં રસ્ ના હોય તે સમજી લેવાનું. આઝાદી પહેલાથી અહી પોપાબાઈનું રાજ આ રમખાણપ્રિય મુસલમાનો ભાળી ગયા હતા. આઝાદી પહેલાથી અમદાવાદમાં કોમી તોફાનો થતા હતા.  ગોધરાકાંડ થયા પછી જે તોફાનો થયા એમાં પહેલી વાર ગુજરાતના આ રમખાણપ્રિય મુસલમાનોમાં ડર પેઠો છે. એટલે મોદી ફાવી ગયા છે. આમાં સાચા સેક્યુલર હિંદુઓ અને મુસલમાનો ખોવાઈ જવાના. મારી સાચી વાત ના તો હિન્દુઓને ગમશે ના તો મુસલમાનોને. સૌથી સલામત મુસલમાન હોય તો એ ભારતનો મુસલમાન છે. એટલો તો પાકિસ્તાનમાં પણ નથી. કઈ રીતે તમે ભારત ક્રિકેટમાં હારે અને પાકિસ્તાન જીતે તો ફટાકડા ફોડી શકો? કઈ રીતે તમે પાકનો ઝંડો ફરકાવી શકો? તમો ભારતમાં રહો છો ને ફટાકડા ભારતની હારમાં ફોડો છો. પછી કહો છો હિંદુ નારાજ થાય છે, ના થાય તો શું કરે? તમે રહો છો અહી ને તમારા મુખ પાક તરફ છે. જરા પાક માં જઇ તો જુવો? જે બિહારમાથી ભાગલા વખતે ત્યાં ગયા છે એ લોકો ને પૂછી જુઓ. મુહાજીર છે એ લોકો પાક મુસલમાન નથી, મારે છે પંજાબી મુસલમાનો એ લોકોને. એમના નેતાને ઇંગ્લેન્ડથી મુહાજીર  કોમી મુવમેન્ટ  ચલાવવી પડે છે. તમે વારંવાર તોફાનો કરી હદ વટાવી દીધી એટલે ગુજરાતીઓ કંટાળ્યા હતા. હવે તો કોઈ પણ સરકાર આવશે ગુજરાતી ડરશે નહિ. અને હું  પણ સાચી વાત લખતા ડરવાનો નથી જ. હિંદુ નારાજ થાય તોયે ને મુસલમાન નારાજ થાય તોપણ.
                       *ખેર બ્લોગ જગતના  ખુબ બધા મિત્રોએ મારી આ ૧૯૭૧ના યુદ્ધ સમયે પાકિસ્તનની જેલોમાં ભારત સરકારની અક્ષમ્ય ભૂલના કારણે રહી ગયેલા બહાદુર અફસરોની અને એમને ત્યાંથી છોડાવી લાવવામાં માટેના એમના કુટુંબીઓએ કરેલા વ્યર્થ પ્રયત્નોની  સ્ટોરી હૃદય પૂર્વક વાચી છે. ઘણા બધાએ અભિપ્રાય આપ્યા છે. બધાનો ખુબ જ આભાર. ઘણા બધા મિત્રો આ હૃદયદ્રાવક વાતો વાચી હતપ્રભ થઇ ગયા હશે, એમને અભિપ્રાયમાં શું લખવું? શબ્દો જ જડ્યા નહિ હોય. વડીલ  શ્રી અરવિંદ અડલજાના શબ્દોમાં કહીએ તો હૃદય હચમચાવી મુકે તેવી વાત છે. સ્તબ્ધ થઇ ગયા હશે બ્લોગ જગતના મિત્રો. દેશના વિરુદ્ધનું કામ કોઈ કરે તો આપણે એને દેશદ્રોહી કહીએ છીએ. પણ આને શું કહીશું? આ તો દેશે પોતે એના નાગરિકોનો દ્રોહ કર્યો છે. કોઈ શબ્દોના કારીગર કે ખેરખાંને આના માટે કોઈ શબ્દ સુજે તો જણાવશો.

બોલતા પુરાવા,પણ ભારત બન્યું બહેરું.The Forgotten Heroes.,5

બોલતા પુરાવા,પણ ભારત બન્યું બહેરું.
    *જાન્યુઆરી  ૬,૧૯૭૨ માં લાહોર રેડીઓ પરથી પંજાબી દરબાર પ્રોગ્રામ માં અશોક સૂરી નું નામ બોલાયું.
   *અશોક સૂરી નો પત્ર તેમના પિતા ને મળ્યો તેના પર દિલ્હી નો પોસ્ટ નો સિક્કો હતો અને અંદર બીજો પત્ર હતો,સાહેબ વલૈકુમ સલામ  હું આપને રૂબરૂ મળી ના શકું,તમારો સન જીવતો છે અને પાક ની જેલમાં છે,હું ખાલી એની ચિઠ્ઠી તમને મોકલી  રહ્યો છું.કાલે પાછો પાકિસ્તાન જઈશ.સહી છે એમ.અબ્દુલ હમીદ.આના પછી બીજા પત્રો મળે છે એની વાત અગાઉ લખી ચુક્યો છું.બધા પત્રો ને ડીફેન્સ વિભાગ માં ચકાસવામાં આવે છે.અશોક સુરીના જ અક્ષરો છે,એ સાબિત થતા ડીફેન્સ વિભાગ કીલ્ડ ઇન એક્શન એવો શેરો બદલીને મિસિંગ ઇન એક્શન કરે છે.બસ.
   *સંડે ઓબ્જર્વર ડિસે ૫, ૧૯૭૧ માં પાંચ ભારતીય પાયલોટો પકડાયા ના સમાચાર છે,એમાં તાંબે નું પણ નામ છે.ફરી પાછું આજ પેપર જુલાઇ ૫,૧૯૭૧ માં વી.વી.તાંબે નું નામ છાપે છે.
   * દલજીત્સીંગ માર્ચ ૪,૧૯૮૮ માં પાછા આવે છે.એમણે ફેબ્રુ ૧૯૮૮ માં શ્રી તાંબે ને લાહોર ઇન્ટેરોગેશન સેન્ટર માં જોએલા.
   *ફ્લાઈંગ ઓફિસર સુધીર ત્યાગી નું પ્લેન ડિસે ૪,૧૯૭૧ માં પેશાવર માં  તોડી પડાયું.બીજા દિવસે એ પકડાયા છે એવું રેડીઓમાં જાહેર થાય છે.
    *નાથારામ માર્ચ ૨૪,૧૯૮૮ માં પાછા આવે છે.રાવલપીંડી ઇન્ટેરોગેશન સેન્ટર માં કેપ્ટન કલ્યાણસિંહ રાઠોર ને નવે,૧૯૮૩મા  જોયેલા આવું કહે છે.
   *કેપ્ટન રવિન્દર કૌરા નો ફોટો પાક જેલમાંથી  સ્મગલ્ડ થઇ ને ૧૯૭૨ માં અંબાલા ના ન્યુજ પેપર માં છપાય છે.છેક ડિસે ૭,૧૯૯૧ માં લાહોર રેડીઓ પર એમનું નામ બોલાય છે.એમને પણ પાછા આવેલા મુખત્યાર સિંગે મુલતાન જેલ માં જોએલા.
          *આ આખીય જાંબાંજો  ની ટીમ માં હા એક ગુજરાતી સપુત પણ એમનું બલિદાન આપી ચુક્યા છે.આમતો ગુજરાતી ખાસ મિલિટરીમાં જતા નથી.એટલે તો ગુજરાત ની કોઈ રેજીમેન્ટ નથી.નાના મણીપુર કે આસામ ની પણ રેજીમેન્ટ છે.હા એ ગુજરાતી  હતા કેપ્ટન કલ્યાણસિંહ રાઠોર.વતન છે એમનું ચાંદરણી,જે સાબરકાંઠા જીલ્લામાં આવેલું હિંમતનગર તાલુકાનું ગામ  છે.એમના પૂર્વજો સૈકાઓ પહેલા રાજસ્થાન ના જોધપુર થી આવેલા.એમના મોટાભાઈ શ્રી દિલીપસિંહજી રાઠોર  એમના કુટુંબ સાથે હજુય ત્યાં વસે છે.
         *ધર્મ ના નામે વાતે વાતે આંદોલનો  કરી મુકતી પ્રજા પોતે આવી વાતો ને ધ્યાન માં લેતી નથી.ના તો કોઈ પ્રજાકીય અંદોલન કે પ્રોટેસ્ટ ભારતની પ્રજાએ કર્યા નથી.આવું કોઈ બીજા દેશ માં બન્યું હોત તો પ્રજા પોતે સરકારો પર તૂટી પડત.આ લોકોના કુટુંબો જાતે જાતે એકલા એકલા એમની લડાઈ ૩૯ વરસ થી લડી રહ્યા છે.ગુજરાત ના કોઈ સંસદ સભ્યે કે ધારાસભ્યે કેપ્ટન કલ્યાણસિંહ માટે લોકસભામાં કે ધારાસભા માં અવાજ ઉઠાવ્યો નથી.ભારત ની પ્રજા જ આ લોકો સાથે નથી તો પછી સરકાર શું કરવા એનાથી થયેલી ભૂલ કબુલ કરે?વર્ષો પહેલા સફારીમાં હર્ષલ પુષ્કરના એ આ સ્ટોરી છાપી હતી.પછી એકવાર સંદેશ માં આવેલી,બસ. મીડિયા ને પણ નેતાઓ,ધાર્મિક વડાઓની અને ફિલ્મી લોકોની ખુશામત કરવા માંથી નવરાશ મળતી નથી.કોઈ લેખકોને પણ આવી વાત માં કશું લખવાનો વિષય મળતો નથી.બાપુઓની ચાપલુસી માં મહાન લેખકો ને સાક્ષરો પણ તૂટી પડે છે.ચંબલ ની જેલોમાં ડાકુઓની મુલાકાતો લેવા સમય મળે,છેક પંજાબ જઈ ને જગતસિંગ ડાકુ ને જેલમાં અને છૂટ્યા પછી એના ઘેર જઈને મહાન લેખકો એના વિષે નોવેલો લખી રૂપિયા બનાવે.પણ આજ લેખકોને કેપ્ટન કલ્યાણસિંહ રાઠોર ના ગુજરાત માં નજીક આવેલા ગામ માં જવાનો સમય ના મલે,કે યાદ પણ ના આવે.હા હું ગુજરાતી લેખકો ની વાત કરું છું.મેં આ બધા ને વાંચ્યા છે.માટે મને આ દિગ્ગજો વિષે ખબર છે.જે બાપુઓ ભણવાની જરૂર નથી ભજન કરો એવા જાહેરમાં ટીવી માં મુરખ પ્રજા ને સંદેશા આપે છે, એવા બાપુઓની ભાટાઈ આ સાક્ષરો કરી રહ્યા છે.આ કેપ્ટનો બલિદાન આપે છે ત્યારે આપણે અહી નિરાતે સુઈ શકીએ છીએ.
         *હવે તો આ  બહાદુરો ને પાકે જીવતા રાખ્યા હશે કે નહિ?કોને ખબર?પણ હે સૈનિક હવે તું ફરી જનમ લેવાનો હોય અને પાછા સૈનિક જ બનવું હોય તો ભારતમાં તો જનમ નાજ લેતો,અને ભારત ના લોકોની રક્ષા માટે ફરી અહી સૈનિક બનવાની હિમંત ના કરતો.એ કદી તારા થવાના નથી.તારે સૈનિક તરીકે ફરી અવતરવું હોય તો ઇઝરાયેલ  માં જન્મ લેજે. ત્યાં તારી કિંમત થશે.તારા એકના બદલામાં ત્યાની સરકાર સામેવાળાના બીજા ૧૦૦ સૈનિકોને મારી પડશે.અરે યુદ્ધ જ જાહેર કરી મુકશે.
      *તો આ બહાદુર પણ સમગ્ર ભારત વડે તરછોડાએલા આવા ભારતીય સૈન્ય ના સિપાઈ ઓ ના નામ પણ જાણી લઈએ. 
 
  Indian Air Force POWs: Wing Commander HS Gill, Squadron Leader Devaprashad Chatterjee, Squadron Leader Mohinder Kumar Jain, Squadron Leader Jal Maniksha Mistry, Squadron Leader Jatinder Das Kumar, Flight Lieutenant Tanmaya Singh Dandass, Flight Lieutenant Ramesh Gulabrao Kadam, Flight Lieutenant Babul Guha, Flight Lieutenant Gurdev Singh Rai, Flight Lieutenant Ashok Balwani Dhavale, Flight Lieutenant Srikant Chandrakant Mahajan, Flight Lieutenant Sudhir Kumar Goswami, Flight Lieutenant Harvinder Singh, Flight Lieutenant Vijay Vasant Tambay, Flight Lieutenant lyoo Moses Sasoon, Flight Lieutenant Ram Metharam Advani, Flight Lieutenant Nagaswami Shankar, Flight Lieutenant Suresh Chandra Sandal, Flight Lieutenant Kushalpal Singh Nanda, Flight Lieutenant Manohar Purohit, Flight Officer Tyagi, Flight Officer Kishan Lakhimal Malkani, Flight Officer Kottiezath Puthiyavettil Murlidharan and Flight Officer Tejinder Singh Sethi.

Indian Army POWs: Major SPS Warraich, Major Kanwaljit Sandhu, Major Jaskiran Singh Malik, Major SC Guleri, Major AK Ghosh, Major Ashok Suri, Captain Ravinder Kaura, Captain Kalyan Singh Rathod, Captain Giri Raj Singh, Captain OP Dalal, Captain Kamal Bakshi, Captain Vashisht Nath, 2nd Lieutenant Sudhir Mohan Sabharwal, 2nd Lieutenant Paras Ram Shama, 2nd Lieutenant Vijay Kumar Azad, Corporal Pal Singh, Subedar Kali Das, Subedar Assa Singh, L/Hav Krishan Lal Sharma, L/Naik Hazoora Singh, L/Naik Balbir Singh, Sepoy S Chauhan, Sepoy Dilar Singh, Sepoy Jagir Singh, Sepoy Jagdish Lal, Gnr Madan Mohan, Gnr Sujan Singh, Gnr Gyan Chand and Gnr Shyam Singh.

Lt Cdr Ashok Roy from Indian Navy and other possible POWs are Flight Lieutenant Sudhesh Kumar Chibber and Captain Dalgir Singh Jamwal.